Last Updated:
May 5, 2025

Click here to submit your article
૧૦ ચોસઠપદી
Per Page :

ચોસઠપદી પદ:- ૧

રાગ :- ધોળ  ‘હેલી જોને આ નંદકુમાર સલુણો શોભતા’ એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું ।। પણ મનભાઈ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું ।। ૧ ।। પણ  વણ  કહ્યે  જો  વિગત્ય,  પડે  કેમ  પરને ।। સંત  અસંતમાં  એક  મત્ય,  નિશ્ચે  રહે  નરને ।। ૨ ।। માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લૈયે ।। મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કૈયે ।। ૩ ।। કે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં ।। સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં ।। ૪ ।। read more
0 Views : 355

ચોસઠપદી પદ:- ૨

એવા સંત તણી ઓળખાણ, કહું સહુ સાંભળો ।। પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો ।। ૧ ।। જેના અંતરમાં અવિનાશ,  વાસ કરી વસિયા ।। તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા ।। ૨ ।। એવા શત્રુતણું ટળ્યું સાલ,  લાલ  જયાં આવી રહ્યા ।। તેણે સંત થયા છે નિહાલ,  પૂરણ કામ થયા ।। ૩ ।। એવા સંત જે હોય સંસાર, શોધીને સેવીજિયે ।। કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજિયે ।। ૪ ।। read more
0 Views : 333

ચોસઠપદી પદ:- ૩

સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને ।। સેવ્યા મુકત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને ।। ૧ ।। એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા ।। જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા ।। ૨ ।। એવા સંતને પૂજીને પટ,  પ્રીત્યેશું પહેરાવિયાં ।। તેણે ઢાંકયાં સહુના ઘટ,  ભલા મન ભાવિયાં ।। ૩ ।। એવા સંત મળ્યે મળ્યા સ્વામી,  ખામી કોયે ન રહી ।। કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી ।। ૪ ।। read more
0 Views : 274

ચોસઠપદી પદ:- ૪

નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાય નથી ।। સહુ  અંતરે  કરો  વિચાર,  ઘણું  શું  કહુ  કથી ।। ૧ ।। એક જમતાં બોલિયો શંખ,  અસંખ્યથી શું સર્યું ।। એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું ।। ૨ ।। એમ એક પૂજયે પૂજયા સહુ, સેવ્યે સહુ સેવિયા ।। માટે  ઘણું  ઘણું  શું  કહું,  ભેદ  ભકતના  કહ્યા ।। ૩ ।। હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીએ ।। કહે નિષ્કુળાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીએ ।। ૪ ।। read more
0 Views : 569

ચોસઠપદી પદ:- પ

જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય  બળે ।। એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે ।। ૧ ।। માન  મમતા  મત્સર  મોહ,  ઈર્ષ્યા  અતિ  ઘણી ।। એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી ।। ૨ ।। તેને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામિયે ।। જે જમાડિયે તે પણ જાય, ખાધુ જે હરામિયે ।। ૩ ।। એના દર્શન તે દુઃખ દેણ,  ન થાય તો ન કીજિયે ।। સુણી નિષ્કુળાનંદના વેણ, સહુ માની લીજિયે ।। ૪ ।। read more
0 Views : 338

ચોસઠપદી પદ:- ૬

એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની ।। જેના અંતરમાં દિન રાત, ઇચ્છા વિષય સુખની ।। ૧ ।। એને  અર્થે  કરે  ઉપાય,  શોધી  સારા  ગામને ।। પોતે પોતાનું માહાત્મ્ય ગાય, ચહાય  દામ  વામને ।। ૨ ।। કરે  કથા  કીર્તન  કાવ્ય, અર્થ એ સારવા ।। ભલો દેખાડે  ભકત  ભાવ, પર ઘર મારવા ।। ૩ ।। એથી કે દી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું ।। કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું ।। ૪ ।। read more
0 Views : 314

ચોસઠપદી પદ:- ૭

દેહ પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ ।। ખોટા સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂવા સુધી ।। ૧ ।। તેણે જનમ પશુને પાડ,  ખોયો ખોટા કારણે ।। મોક્ષ  મારગે  દીધા  કમાડ,  કડી  જડી  બારણે ।। ૨ ।। ફેરો ન ફાવ્યો થયો ફજિત, જીત ગઈ જળમાં ।। મેલી મુકત મોટપ્યની રીત, ખ્યાતિ કરી ખળમાં ।। ૩ ।। આપ ડા’પણે આખો દિવસ, દુઃખે ભર્યો દોયલો ।। કહે નિષ્કુળાનંદ અવશ્ય, ખાટ્યો  માલ ખોયલો ।। ૪ ।। read more
0 Views : 463

ચોસઠપદી પદ:- ૮

સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં ।। સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં ।। ૧ ।। જડભરત  જનક  જયદેવ,  એવું  થાવું  આપણે ।। ત્યારે કરતા અસંતની સેવ, વાત કહો કેમ બણે ।। ૨ ।। અતિ આદર્યું કામ અતોલ,  પરલોક પામવા ।। ત્યારે ખરી કરી જોઈએ ખોળ્ય, વિઘનને વામવા ।। ૩ ।। વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા ।। કરી  નિષ્કુળાનંદ  વિચાર,  સંત  અસંત  કહ્યા ।। ૪ ।। read more
0 Views : 282
Powered By Indic IME