Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૫ ભક્તિનિધિ
Per Page :

ભક્તિનિધિ કડવું:- ૪૦

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ્ય ઉરમાંયે આણીજી । સહુથી સરસ શિરોમણી જાણીજી, એહ ભક્તિથી તર્યા કૈક પ્રાણીજી ।।૧।। રાગ :- ઢાળ પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે ભલી । સર્વેથકી સરસ સારૂં, કરી દિયે કામ એ એકલી ।।૨।। ેમ ત ટાળવા રાત્યનું, ઉગે ઉડુ આકાશે અનેક । પણ રવિ વિનાની રજની, કહો કાઢી શકે કોણ છેક ।।૩।। તેમ ભક્તિ ભગવાનની, સમઝો સૂરજ સમાન । અતિ અંધારૂં અહંતાતણું, તે ભક્તિથી ટળે નિદાન ।।૪।। નમ્રતા ને જે નમવું, દમવું દેહ મન પ્રાણને । તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે હમેશ થાવું હેરાણને ।।૫।। દુર્બળતા ને દીન રે’વું,  રીબને ગરજુ ઘણું । તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું ।।૬।। ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો । જાણું કમાણી કાઢશું, ત્યાંતો ઉલટો વળ્યો ઓટલો ।।૭।। જેમ ચોબો છબો થાવા ચાલિયો, દશો ચાલ્યો વિશો થાવા વળી । તે નિસર્યો મૂળગી નાતથી, રહ્યો ભટકતો નવ શક્યો ભળી ।।૮।। તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લઇ ભૂંડાઇ ભાગ । અતિ ઉલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ ।।૯।। તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઇ તે ભરપૂર । નિષ્કુલાનંદ એ નરને, થયું જયાન જાણો જરૂર ।।૧૦।। કડવું ।।૪૦।। read more
0 Views : 98

ભક્તિનિધિ પદ:-૧૦

રાગ:- પરજ જયાન ન કરવું જોઇરે સંતો જયાન૦, અતિ અંગે ઉન્મત્ત હોઇરે; સંતો૦ ।। ટેક . જો જાયે ૩જાવે તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઇ । નહિતો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈરે; સંતો૦ ।।૧।। જો ડૂબકી દિયે દરિયામાં, મોતીસારુ મને મોહી । તો લાવિયે મુક્તા મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈરે; સંતો૦ ।।૨।। જો જાય જળ જાહ્નવી ના’વા, તો આવીયે કિલબિશ ધોઈ । પણ સામુ ન લાવીયે સમઝી, પાપ પરનાં તે ઢોઈરે; સંતો૦ ।।૩।। તેમ ભક્ત થઈને ભક્તિ કરીયે, હરિચરણે ચિત્ત પ્રોઈ । નિષ્કુલાનંદ કે’ નર ઘર મૂકી, ન જીવીયે જનમ વગોઈરે; સંતો૦ ।।૪।। પદ ।। ૧૦ ।। read more
0 Views : 139

ભક્તિનિધિ કડવું:- ૪૧

રાગ:- ધન્યાસરી જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એતો થયું જેમ મા’મહિને માવઠુંજી । વિવાયે વે’ચાણી લાંણીમાં એ લઠુંજી, એહમાંહી સારું શું કર્યું એકઠુંજી ।।૧।। રાગ :- ઢાળ સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ । જેમ ગીગો ગયો ગંગાજીયે, નાકે દુર્ગંધીનો ભરેલ ।।૨।। તેમ ભક્તિમાં કોય આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ । પકી મૃતિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ ।।૩।। જેમ સિંધુ જોજન સો લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ । તે સમઝુ કેમ સમઝીયે, જે રાચ્યો રાંધવા પાષાણ ।।૪।। એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની વાત । જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત ।।૫।। એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ । જે એ ભક્તિ અતિ ભજાવશે, એવો દિલે ન રાખવો ડોડ ।।૬।। એમ ભાવ વિનાની ભગતિ, નર કરી શકે નહિ કોય । ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન હોય ।।૭।। જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની । તેને ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની ।।૮।। ભક્તિ વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઇ મન । રાત દિવસ રાચી રહે, સાચા કે’વાય તે હરિજન ।।૯।। પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ કલપસમ થાય । નિષ્કુલાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગમાંય ।।૧૦।। કડવું ।।૪૧।। read more
0 Views : 116

ભક્તિનિધિ કડવું:- ૪ર

રાગ:- ધન્યાસરી જુગોજુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી। સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી ।।૧।। રાગ :- ઢાળ રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય। જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય ।।૨।। અમૃત લાગે તેને મૃત જેવું, પંચામૃત તે પંકસમાન । શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે નહિ ભગવાન ।।૩।। શ્રીખંડ લાગે પંડ્યે પાવક જેવું, માળા લાગે મણીધર નાગ । હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઇ ગયાં આગ ।।૪।। વળી ભવન લાગે તેને ભાગસી, સંપત તે વિપત સરખી । કિર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી ।।૫।। નિરાશી ઉદાશી નિત્યે રહે, વહે નયણમાં જળધાર । હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર ।।૬।। સૂતાં ન આવે નિદ્રા જેને, જમતાં ન ભાવે અન્ન । ભક્તિ વિના હરિભક્તને, એમ વરતે રાત ને દન ।।૭।। ગાન લાગે શબ્દ સિંહ સર્પસમ, તાન લાગે તાડન તન । પડયું વિઘન જાણી તે પરહરે, ભક્તિ વિના ભાવે નહિ અન્ય ।।૮।। પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર । એવા ભક્તને ભાળી વળી, મહાપ્રભુ કરેછે મે’ર ।।૯।। ભાખ્યા ગુણ હરિભક્તના, જોઇએ એવા જનમાં જરૂર । નિષ્કુલાનંદ કહે નાથ એવાથી, પળ એક રહે નહિ દૂર ।।૧૦।। કડવું ।।૪૨।। read more
0 Views : 125

ભક્તિનિધિ કડવું:- ૪૩

રાગ:- ધન્યાસરી દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી । જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખેછે કૃપાળજી ।।૧।। રાગ :- ઢાળ કૃપાળ એમ કૃપા કરી, સમેસમે કરેછે સંભાળના । નિત્યે નજીક રહી નાથજી, પળેપળે કરેછે પ્રતિપાળના ।।૨।। ખાતાં પીતાં સૂતાં જાગતાં, ઘણી રાખેછે ખબર ખરી । ઉઠતાં બેસતાં ચાલતાં, હરેછે સંકટ શ્રીહરિ ।।૩।। નર અમર મનુજાદથી, રક્ષા કરેછે રમાપતિ । ભૂત ભૈરવ ભવાનીના ભયને, રાખેછે તે રોકી અતિ ।।૪।। અંતરશત્રુ ન દિયે કેદી ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર । નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી કરે વળી વા’ર ।।૫।। પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ । પણ ભક્તની ભિડ્ય ભાંગવા, રહેછે તૈયાર આઠું જામ ।।૬।। દેખી ન શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ । માને સુખ ત્યારે મનમાં, જયારે ટાળે જનના ત્રાસ ।।૭।। સાચા ભક્તની શ્રીહરિ, સદા સર્વદા કરેછે સહાય । તે લખ્યાં છે લક્ષણ ભક્તનાં, હરિયે હરિગીતામાંય ।।૮।। એવા ભક્તના અલબેલડો, પૂરેછે પૂરણ કોડ । તેહ વિનાના ત્રિશંકુ જેવા, રખે રાખો દલે કોઇ ડોડ ।।૯।। એક ભેરવજપ બીજી ભગતિ, તે અણમણતાં ઓપે નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, જે કે’વાની હતી તે કહી ।।૧૦।। કડવું ।।૪૩।। read more
0 Views : 1252

ભક્તિનિધિ કડવું:- ૪૪

રાગ:- ધન્યાસરી ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી । સમઝીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મૂકાશેજી ।।૧।। રાગ :- ઢાળ મૂકાશે બીજાં બંધનથી, રહેશે રાચી સાચી ભલી ભક્તિયે । ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ।।૨।। વિધવિધે વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી । ભક્તિ વિના કોઇ ભલું કરવા, ભાળશે નહિ ભવમાં ફરી ।।૩।। સહુથી સરસ સમઝશે, ભક્તિ અતિ ભગવાનની । તેને તોલ તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની ।।૪।। એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિતણા । જાણશે પોતાના જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા ।।૫।। મોટેમોટે વળી મહિમા, ભાખ્યો ભક્તિનો ભારે બહુ । તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમઝુ સમઝી લિયો સહુ ।।૬।। બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું । પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ।।૭।। માટે કોઇને એ કરતાં, ભાવ થાતો નથી ભીંતરમાં । પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું આદરી બેઠા ઘરોઘર ।।૮।। જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા ભગત । એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એપણ જાણવી વિગત ।।૯।। સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર । નિષ્કુલાનંદ હવે નહિ કહે, સહુ સમઝજો નિરધાર ।।૧૦।। કડવું ।।૪૪।। read more
0 Views : 1251

ભક્તિનિધિ પદ:-૧૧

રાગ :-  પરજ નિરધારી છે નિગમે વાતરે સંતો નિર૦ । થાયે ભક્તિયે હરિ રળિયાતરે; સંતો૦ ।। ટેક . ભક્તિ વિના ભવ રોગ ન નાસે, રહે દુઃખ દિન રાત । ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું સાક્ષાતરે; સંતો૦ ।।૧।। ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા ઘાત । ભક્તિ કરી ભારે ભાગ્ય જાગેછે, નથી એ વાત અખ્યાતરે; સંતો૦ ।।૨।। ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત । ધન્ય ધન્ય એ જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાતરે; સંતો૦ ।।૩।। ભક્તિ કરી ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત । નિષ્કુલાનંદ કે’ નાથ મળીને, દીધી ભક્તિની દાતરે; સંતો૦ ।।૪।। પદ ।।૧૧।। read more
0 Views : 1286

ભક્તિનિધિ ધોળ

રાગ :- ધોળ વધામણાનું ભક્તિ છે ભવજળ વહાણ, સિંધુ તરવા સુખરૂપછે એ । સમઝીને જુવો સુજાણ, પાર ઉતરવા એ અનુપ છે એ ।।૧।। રાગ :- ઢાળ એહ નાવથી જો અપાર, ઉતરિયા અર્ણવને એ । ન થાય તેનો નિરધાર, તો શું કરું તેના વર્ણવને એ ।।૨।। ચ્ચ ને નીચ અનંત, પાર સહુને પોત કરે એ । એમ ભક્તિથી જાણજો જન, સુખ કાંઇ પામ્યા સરે એ ।।૩।। ધન્ય એ ભક્તિ ઝાજ, તારી તરીયે તીર કર્યાં એ । પામિયા સુખ સમાજ, તે ભક્તિ પ્લવે તર્યા એ ।।૪।। બેઠા એ બેડીનેમાંયે, બુડવાની તો બીક ટળી એ । કરવું રહ્યું નહિ કાંય, બ્રહ્મમોહોલમાં બેઠા ભળી એ ।।૫।। સંતને એ સુખરૂપ, હોડી રૂડી હરિભગતિ એ । કોણ ભિક્ષુ કોણ ભૂપ, સહુને આપે એ શુભ ગતિ એ ।।૬।। એહ વિના નર નિરધાર, પાર તે કોઇ પામ્યા નહિ એ । શું કહિયે વારમવાર, સહુ સમઝીને કરો સહિ એ ।।૭।। વખાણી વા’ણને તોલ, ભક્તિ અતિ ભવ તરવા એ । ભાગે આવે બ્રહ્મમો’લ, કેડે ન રહે કાંઇ કરવા એ ।।૮।। ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કંઇ એ । સદા સુખ થાવાનું ઘર, ભક્તિ વિના ભાળ્યું નઇ એ ।।૯।। ભક્તિ વશ્ય  ભગવાન, આવેછે અક્ષરધામથી એ । નક્કી એ વાત નિદાન, જૂઠી જરાયભાર નથી એ ।।૧૦।। જેજે ધર્યા અવતાર, તે ભક્તની […] read more
0 Views : 1378
 Type in