Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૫ ભક્તિનિધિ
Per Page :

ભક્તિનિધિ કડવું:- ર૭

રાગ:- ધન્યાસરી ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ  જનને મને સુખ ઉ પજાવેજી । ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી ।।૧।। રાગ :- ઢાળ સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા । તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઇ રહે નહિ મણા ।।૨।। જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઇ ચાલે નહિ । સદા પ્રભુને પેખે પાસળે, તે મોકળે મને મા’લે નહિ ।।૩।। દૂર હરિને નહિ દેખતાં, સદા સમીપે દેખેછે શ્યામ । તેનું ચિત્ત ચોરી કરી કેમ શકે, ન કરે ન કર્યાનું  કામ ।।૪।। જાણે પગે ભરૂંછું જે પગલાં, કરે કરૂંછું જેહ કામ । રસનાનું જાણે રસ રવનું, જાણે શ્રવણે સૂણું તે શ્યામ ।।૫।। નયણે રૂપ જે નિરખું, ચરમે લિયું જે સ્પર્શ રસ । નાસે જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું અવશ્ય ।।૬।। એમ પેખે પ્રભુને પાસળે, તે ભવભૂલવણીમાં ભૂલે નહિ । સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમઝો સહિ ।।૭।। એવા જન જગદીશને, માનો મળવા મોંઘા ઘણું । સર્વે શાસ્ત્રમાંહી સૂચવ્યું, માહાત્મ્ય એવા ભક્તતણું ।।૮।। જેહ ભક્તને વા’લા ભગવાનછે, તેહ ભક્ત વા’લા છે ભગવાનને । પણ ભક્ત નામે રખે ભૂલતા, એતો ગાયાછે ગુણવાનને ।।૯।। ભાગ્ય હોય તો એવા ભક્તની, ભેટ્ય થાય ભવમાંઇ । નિષ્કુલાનંદ તો નરને, કરવું રહે નહિ કાંઇ ।।૧૦।। કડવું ।।૨૭।। read more
0 Views : 106

ભક્તિનિધિ કડવું:- ર૮

 રાગ:- ધન્યાસરી કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી । જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી ।।૧।। રાગ :- ઢાળ હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ । આ દેહે કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ ।।૨।। આ નેણે નિરખીયે નાથને, મુખોમુખ કરીયે વાત । આવે અવસર એવો ક્યાંથકી, જે પ્રભુ મળે સાક્ષાત ।।૩।। અંગોઅંગ એને મળવું, તેતો મહા મોઘોંછે મેલાપ । નો’તો ભરોંસો ભિંતરે, જે મળશે અલબેલો આપ ।।૪।। જમવું રમવું જોડે બેસવું, એવો ક્યાંથકી પામીયે પ્રસંગ । મોટામોટાને મુશકેલ મળવો, સુણી સદા રે’તા મનભંગ ।।૫।। સર્વે પ્રકારે સાક્ષાત સંબન્ધ, જેનો અતિ અગમ અગાધ્ય । તેહ મળે કેમ મનુષ્યને, જે દેવને પણ દુરારાધ્ય ।।૬।। તેહ પ્રભુજી પ્રસન્ન થઇ, નરતન ધરી મળ્યા નાથ । તેણે સર્વે રીતે સુખ આપિયાં, થાપિયાં સહુથી સનાથ ।।૭।। હળી મળી અઢળ ઢળીને, આપી ભક્તિ આપણી । તેહ ભક્તિને ભવ બ્રહ્માયે, માગી મગન થઇ ઘણી ।।૮।। ક્તિમાં છે ભાર ભારે, તે જેને તેને જડતી નથી । પુણ્યવાન કોઇ  પામશે, વારેવારે શું કહીયે કથી ।।૯।। પ્રગટની પરિચરિયા, છે માનવીઓને મોંઘી ઘણી । નિષ્કુલાનંદ એ નૌત્તમ નિધિ, સૌ સમઝો છે સુખતણી ।।૧૦।। કડવું ।।૨૮।। read more
0 Views : 87

ભક્તિનિધિ પદ:-૦૭

રાગ:- બિહાગડો ભક્તિનિધિનો ભંડારરે સંતો ભક્તિ, તેને શું કહું હું વારમવારરે; સંતો૦ । ભક્તિ કરીને કંઇ સુખ પામ્યા, નર અમર અપાર । સુર નર મુનિજન સૌ કોઇ મનમાં, સમજયા ભક્તિમાં સારરે; સંતો૦ ।।૧।। ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભાળે ભક્તિમાં ભાર । જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચારરે; સંતો૦ ।।૨।। આદિ અંતે મધ્યે મોટપ્ય પામ્યા, તેતો ભક્તિ થકી નિરધાર । ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝારરે; સંતો૦ ।।૩।। તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો, અતિ અનુપ ઉદાર । નિષ્કુલાનંદ નકી એ વારતા, તેમાં નહિ ફેરફારરે; સંતો૦ ।।૪।। પદ ।।૭।। read more
0 Views : 94

ભક્તિનિધિ કડવું:- ર૯

રાગ:- ધન્યાસરી ફેર નથી રતિ ભક્તિછે રૂડીજી, દોયલા દિવસની માનજો એ મુડીજી । એ છે સત્યવાત નથી કાંઇ કુડીજી, ભવજળ તરવા હરિભક્તિ છે  હુડીજી ।।૧।। રાગ :- ઢાળ હુડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ । અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ ।।૨।। સોસો ઉપાય સિંધુ તરવા, કરી જુવે જગે જન કોય । વહાણ વિનાનાં વિલખાં, સમઝી લેવાં જન સોય ।।૩।। તેમ ભક્તિ વિના ભવદુઃખનો, આવે નહિ કેદિયે અંત । માટે ભક્તિ ભજાવવી, સમઝી વિચારીને સંત ।।૪।। ખાધા વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા વીતે નહિ વણ તોય । તેમ ભક્તિ વિના ભવદુઃખ જાવા, નથી ઉપાય કહું કોય ।।૫।। જગજીવન વિના જેમ નગ ન ભીંજે, રવિ વિના ટળે નહિ રાત । તેમ ભક્તિ વિના ભારે સુખ મળે, એવી રખે કરો કોઇ વાત ।।૬।। જેમ પ્રાણધારીના પ્રાણને, જાણો આહારતણોછે આધાર । તેમ ભક્તિ ભગવાનની, સર્વેને સુખ દેનાર ।।૭।। જળચરને જેમ જળ જીવન, વનચરને જીવન વન । તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ એજ જીવન ।।૮।। જેમ ઝષ ન રહે જળ વિના, રહે કીચે દાદુર કૂર્મ । તેમ ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ ।।૯।। માટે ભક્તને નવ ભૂલવું, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનંદ કહે નિર્ભય થાવા, આદરશું કરવી અતિ ।।૧૦।। કડવું ।।૨૯।। read more
0 Views : 101

ભક્તિનિધિ કડવું:- ૩૦

રાગ:- ધન્યાસરી અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઇ ફેર ન રાખવો રતિજી । પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી ।।૧।। રાગ :- ઢાળ મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ । આસ્તિકપણું ઘણું આણીને, જેણે ભજયા શ્યામ સુજાણ ।।૨।। શાસ્ત્ર થકી જેણે સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ । તેમની તેમ તેણે કરી, ઉર આણી અતિ નિર્વેદ ।।૩।। કેણેક કર કપાવિયા, કેણે મુકાવિયું કરવત । કોઇ વેચાણા શ્વપચ ઘરે, કોઇ પડ્યા ચડી પરવત ।।૪।। કેણેક અસ્થિ આપિયાં,  કેણે આપ્યું આમિષ । કેણેક ઋષિરથ તાણિયો, કેણેક પીધું વળી વિષ ।૫।। કેણેક તજી સર્વે સંપત્તિ, રાજપાટ સુખ સમાજ । અન્ન ધન ધામ ધરણી, મેલી મોહન મળવા કાજ ।।૬।। કોઇક લટક્યા કૂપમધ્યે, કોણેક આપી ખેંચી તનખાલ । કોઇ સૂતા જઇ શૂળિયે, મોટો જાણી મહારાજમાંહિ માલ ।।૭।। કોણેક તપ કઠણ કર્યાં, મેલી આ તન સુખની આશ । હિમત કરી હરિ મળવા, કહિયે ખરા એ હરિના દાસ ।।૮।। પરોક્ષ ભક્ત એ પ્રભુતણા, ઘણા અતિ એ આગ્રહવાન । ત્યારે પ્રગટના ભક્તને, કેમ સમે ન રે’વું સાવધાન ।।૯।। આદિ અંતે વિચારીને, કરી લેવું કામ આપણું । નિષ્કુલાનંદ ન રાખવું, હરિભક્તને ગાફલપણું ।।૧૦।। કડવું ।।૩૦।। read more
0 Views : 106

ભક્તિનિધિ કડવું:- ૩૧

રાગ:- ધન્યાસરી ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે આપણોજી । પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાગે કેમ ખરખરો એહ ખોટ તણોજી ।।૧।। રાગ :- ઢાળ ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નર નિશ્ચે કરી । જે ગઇ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી ।।૨।। પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ । જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ।।૩।। નયણે ન નિરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિવાત । એ ખોટ્ય ભાગે કેમ જાુવો ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી જાત ।।૪।। પશુ પંખી  ન્નગનાં વળી, આવે તન અનંત । તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।। માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઇ ન કહેવાય । તેહ સારું સમઝી શાણા, નરતનના ગુણ ગાય ।।૬।। એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને । તેને થાશે ઉરે ઓરતો, સમઝી લેજો સહુ મર્મને ।।૭।। આવો સમાજ આવતો નથી, જાુવો ચોરાશી દેહને ચિંતવી । તે તન ખોયું પશુ પાડમાં, કહો વાત શું સમઝયા નવી ।।૮।। મનષ્ય હોય તેને મનમાં, કરવો વિવેક વિચાર । માનવ દેહ મોઘોં ઘણું, નહિ અન્ય દેહને એ હાર ।।૯।। ાટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી । નિષ્કુલાનંદ નર તનનું, નથી થાતું મળવું ફરી ।।૧૦।। કડવું ।।૩૧।। read more
0 Views : 94

ભક્તિનિધિ કડવું:- ૩ર

રાગ:- ધન્યાસરી ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી । સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી ।।૧।। રાગ :- ઢાળ અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો । અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।। જેમ ચિંતામણી મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે । શેતખાનની સાંકડે, હરિ મંદિરને કેમ પાડિયે ।।૩।। તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર । તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર ।।૪।। જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બળોતિયું । એ સમઝણમાં સેલિ પડી, કામધેનુ દોહી પાઇ કૂતિયું ।।૫।। તેમ મનુષ્ય દેહે કરી દાખડો, પોખિયું કુળ કુટુંબને । દાટો પરુ એ ડા’પણને, ખરસાણી સારૂં ખોયો અંબને ।।૬।। જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઇ રાખમાં રેડે લઇ । એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઇ ।।૭।। તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં । કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં ।।૮।। માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમઝી સવળું કામ । વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ ।।૯।। જે રહી ગઇ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો । નિષ્કુલાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ।।૧૦।। કડવું ।।૩૨।। read more
0 Views : 97

ભક્તિનિધિ પદ:-૦૮

રાગ:- બિહાગડો ભજો ભક્તિ કરી ભગવાનરે સંતો ભજો૦, માનો એટલું હિત વચનરે, સંતો૦ । ટેક- ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન । ભક્તિ વિના ભવદુઃખ ન ભાગે, એ પણ માનવું મનરે; સંતો૦ ।।૧।। ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન । ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સોસો જો સાધનરે; સંતો૦ ।।૨।। ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન । જે પામી ન રહે પામવું, એવું એ સુખસદનરે; સંતો૦ ।।૩।। તે ભક્તિ તન માનવે થાયે, નહિ અન્ય તન કરવા સંપન । નિષ્કુલાનંદ કે’ નિરાશ થઇને, કરો હરિસેવનરે; સંતો૦ ।।૪।। પદ।। ૮।। read more
0 Views : 100
Powered By Indic IME