Last Updated:
May 5, 2025

Click here to submit your article
હરિલીલામૃત
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૭

ઉપજાતિવૃત્ત:- હે ભૂપતિ સાંભળ ભાવ આણી, શ્રીધર્મના પુત્ર ચરિત્ર વાણી; પૂજયા સહુ સંત મળી મુરારી, આનંદથી આરતિ તો ઉતારી. 1 સ્તુતિ કરી તે પછી પૂર્ણ પ્રીતે, તે હું સુણાવું સુણ રૂડી રીતે; મુખેથી બોલ્યા મુનિ રામદાસ, તે હું કરું છું પ્રથમ પ્રકાશ. 2 રથોદ્ધતાવૃત્ત :- રામદાસ મુનિ ભાઇ જેહ છે, શ્રીહરિની સ્તુતિ ગાય તેહ છે; હે કૃપાળુ કળિજોર ટાળશો, પાપપંથ પળમાં પ્રજાળશો. 3 પાપી દંભી ગુરુઓ થઇ ફરે, જે ઠગાઇ ઠગવા ઘણી કરે; ક્રોધી કામી અતિલોભી હોય છે, તત્ત્વજ્ઞાન અભિમાની તોય છે.4 કુટ તર્ક કરી વાદ તે વદે, મોહ માન ભરિયું ઘણું રુદે; એક બ્રહ્મતણી વાત ઉચ્ચરે, જીવ ઇશ જડ એકતા કરે. 5 તે ગુરૂની જડવાણી સાંભળી, વેદમાર્ગ થકી જે ગયા ટળી; તે જનોની ઉપરે કૃપા કરી, નાથ આજ અગનાનતા હરી. 6 લક્ષકોટિ જન એમ તારશો, શબ્દજાળ થકી તો ઉગારશો; છો દયાળુ અતિ એ રીતે તમે, શીશ નામિ પદ વંદિયે અમે.7 તે પછીથી મુનિ મુકત ઉચ્ચરે, હે પ્રભુજી કરુણા કરો અરે! ધર્મભ્રષ્ટ જન ભેખ ધારિયો, વેદમાર્ગ મળીને વિદારિયો. 8 દંભ વેષ ધરી લોકને ઠગે, દ્રવ્ય નારી હરિ લે ઘણે દગે; એહ દુષ્ટ થકી રક્ષણ પ્રભો, સર્વકાળ કરશો અહો વિભો. 9 આપ વાણી સરિતા સુધા ભરી, જ્ઞાનનીર ભરી શુદ્ધ સંચરી; કેવળત્વતણું જ્ઞાન ઊર્મિયો, તેનું પાન ન કરે કુકર્મિયો. 10 સંશયાદિ તરુ […] read more
0 Views : 263

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૮

ચોપાઈ:- સુણો ભૂપ કહે બ્રહ્મચારી, સાંભળાવું વળી કથા સારી; ગામ પંચાળાના ઝીણાભાઇ, જેની સત્સંગમાં સરસાઇ.1 તેણે પૂજા પ્રભુજીની કરી, અતિ અંતરે આનંદ ધરી; સારી બંધાવી સોનેરી પાગ, જેની કિંમત કહિયે અથાગ.2 શિરપેચ સોનાનો ઘડેલ, હીરા માણેક મોતી જડેલ; પાગ ઊપર પ્રીતે બંધાવ્યો, તોરો મોતીનો ત્યાં લટકાવ્યો. 3 શેખપાટના ભકત સુતાર, નામે લાલજી સમજે સાર; તેણે પ્રગટ પ્રભુ પાસે આવી, ભેટ ભારે મજૂસ ધરાવી. 4 આપ્યો ઉત્તમ એક ડામચિયો, દિસે બહુ ચતુરાઇથી રચિયો; કર્યા ભકતનાં ગુરુયે વખાણ, સુણી સમજીયા શામ સુજાણ. 5 જાણ્યું જે આ તો સાધુ જ થાશે, નામ નિષ્કુલાનંદ ધરાશે; ગામ મેથાણના રહેનારા, ભકત કાકુજી પુંજોજી સારા. 6 તેણે રૂપાનો થાળ ભરીને, કર્યા ભેટ રૂપૈયા હરિને; તે પછી મછિયાવના રાય, બાપુભાઇ જે નામ ગણાય.7 તેણે હેમજડિત હિંડોળો,સારો ઉંચો ને લાંબો પહોળો; જોતાં વિશ્વના લોક વખાણે, તેવો ભેટ કર્યો તેહ ટાણે. 8 ગામ બંધિયાના મુળુભાઇ, તથા સુરોજી આવિયા ધાઇ; તેણે લાયક વસ્તુઓ લાવી, ધર્મપુત્રને ભેટ ધરાવી. 9 હીરોભાઇ તે જાળિયા કેરા, આપ્યા અન્નના ગંજ ઘણેરા; ઘાંચી માણાવદરના જેહ, આલશી ને અલારખ તેહ. 10 એણે અત્તર અર્ક ફુલેલ, ભરી શીશીયો ભેટ ધરેલ; પછી પઠાણ શેખજી નામે,રહે તે સદા ગોંડળ ગામે. 11 તેણે પોતા તણાં ઘરબાર, કર્યા અર્પણ સર્વ પ્રકાર; નવ રાખ્યું કશું લવલેશ, હરિપાસે રહ્યા તે હમેશ. 12 ધન્ય ધન્ય એનો […] read more
0 Views : 410

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૯

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત; સોરઠમાં મોડા ગામના, ભકત પુંજાજીની કહું વાત.1 ચોપાઈ:- રહે રુડા મોડા ગામમાંઇ, દાજીભાઇ અને પુંજાભાઇ; રજપૂત ગરાશિયા નાતે, ભજે ભગવાનને ભલી ભાતે. 2 તેણે ખેતરને ધરબાર, ભેટ કીધાં હરિને તે વાર; કેટલાંક વત્સર વીતી ગયાં, એક તો અક્ષરાનંદ થયા. 3 કર્યા વરતાલના તે મહાંત, સારી બુદ્ધિ સ્વભાવમાં શાંત; ધન્ય ધન્ય તેનાં માત તાત, રહી વિશ્વમાં વિખ્યાત વાત.4 પુંજોજી પણ ગઢપુર જઇ, રહ્યા સેવામાં પાર્ષદ થઇ; મોટીબા તણો વંડો છે જેહ, કહેવાતો પુંજાજીનો તેહ. 5 પુંજાજીયે રુડી જગ્યા જોઇ, આપી ત્યાં સંત હરિને રસોઇ; જલેબી સાટા લાડુ કરાવ્યા, થાળ મેશુબ કેરા ભરાવ્યા. 6 શાક પાક ભલાં દાળ ભાત, રાઇતાંની જુદી જુદી જાત; તિથિ નરસિંહ ચૌદશ હતી, સૌને અંતરે આનંદ અતી. 7 ઉપજાતિવૃત્ત:- પછી થયો કાળ પ્રદોષ જયારે, નૃસિંહજન્મોત્સવ થાય ત્યારે; પુંજાજિયે કેસર ચંદનેથી, પૂજયા પ્રભુ પ્રેમ અતી ઘણેથી. 8 નૃસિંહનું અંગ જણાય જેવું, ચર્ચ્યું ભલું ચંદન અંગ એવું; ચોફાળ અર્પ્યો વળી બોરીકેરો, નૃસિંહ આકાર બન્યો ઘણેરો. 9 શ્રીજી તણું ત્યાં નરસિંહરૂપ, સભા બધીયે નિરખ્યું અનૂપ; તે રૂપ તો બે ઘડી ત્યાં જણાયું, પછી પ્રભુના તનમાં સમાયું. 10 પછીથી ગોપાળમુનિ કહે છે, પ્રહ્લાદજી તો જીવતા રહે છે; નૃસિંહના ભકત પ્રમુખ્ય એ છે, પુરાણમાં એવી કથા લખે છે. 11 આખ્યાન રાજા બળિનું જહાં છે, એવી વળી […] read more
0 Views : 369

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૩૦

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત; પાર્ષદ સંતની પંકિત થઇ, જમવા તે વર્ણવું વાત.1 ચોપાઈ:- સંતો પંકિત સજી બેઠા જયારે, નારાયણ ધુન્ય ઉચર્યા ત્યારે; રામાનંદ શ્રીજીમહારાજ, આવ્યા તે તો પિરસવા કાજ. 2 શાક પાક તથા પકવાન, ભાવથી પીરસે ભગવાન; સંત એક જ પાત્રમાં લે છે, બધુ ચોળીને ભેળું કરે છે.3 ત્રણ અંજળી નાખે છે નીર, એવા નિઃસ્વાદી ગુણગંભીર; મુખે પ્રત્યેક કોળિયો ધારે, સ્વામિનારાયણ તે ઉચ્ચારે. 4 પ્રભુ તાણ્ય કરી પીરસે છે, મુનિ તો મિતાહાર ચહે છે; જમે જાણી પ્રભુનો પ્રસાદ, નથી ઇચ્છતા અંતરે સ્વાદ. 5 સંતના ગુણ વિષે :- ઉપજાતિવૃત્ત:- ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું; સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય.6 સંતો તણા ચંચળ નોય નેણ, સંતો તણા વિહ્વળ નોય વેણ; સંતોની વૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સતસંગી થાય.7 રજો તમો ગુણ જરી ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે; માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય.8 જો સંત ચિત્તે અભિમાન ભાસે, કે કામ ક્રોધાદિ કદી વિકાસે; જિહ્વા તણો સ્વાદ જરી જણાય, તે સંતનો શો મહિમા મનાય.9 જેવા સુસંતો શુક નારદાદિ, એવા જ સંતો મુનિ મુકત આદિ; પ્રત્યક્ષરૂપે પ્રભુ હોય જયાંય, ત્યાં સંત એવા નહિ અન્ય કયાંય. 10 ચોપાઈ:- જોઇ સંતોની જમવાની રીત, જનનાં થયાં નિર્મળ ચિત્ત; દીઠી વૈરાગ્યમાં […] read more
0 Views : 291

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૩૧

પૂર્વછાયો:- સ્વામી રામાનંદે કહ્યો, જેતપુરનો મહિમા જેહ; ભૂપ અભેસિંહ સાંભળો, તમને સુણાવું તેહ. 1 ચોપાઈ:- સભામધ્યે રામાનંદ સ્વામી, કહે સૌ જનને મુદ પામી; મહિમા જેતપુરનો જેહ, તમે સાંભળો સૌ ધરી સ્નેહ. 2 છપૈયા વિષે જનમ્યા હરિ, પીપળાણા માંહી દીક્ષા ધરી; જેતપુરમાં પામ્યા પટ્ટદાન, માટે ત્રણેનો મહિમા સમાન.3 જયારે જનમ્યા છપૈયે ગામ, પડ્યું નામ તહાં ઘનશામ; પીપળાણામાં દીક્ષા લીધી, સહજાનંદ સંજ્ઞા તે કીધી. 4 સ્વામીપદ પ્રભુ પામિયા આહીં, મોટો મર્મ ધરો મન માંહી; જેતપુર મોટું તીરથ જેવું, નહિ કાશી કે કેદાર તેવું. 5 કરે તીરથ જો ધરી પ્યાર, થાય અધમનો આંહી ઉદ્ધાર; સતસંગી વસે જેહ દૂર, એક વાર તો આવે જરૂર. 6 કરી તીર્થ આ લીલા સંભારે, તે તો ઉતરે ભવજળ પારે; ભદ્રા ગંગાનો મહિમા મોટો, ગંગા ગોમતિનો તેથી છોટો. 7 જેમાં નાયા જગત આધાર, અમે નાયા એમાં ઘણી વાર; નાયા હરિજન સંતસમાજ, થયું તેથી આ તો તીર્થરાજ. 8 આંહી શ્રદ્ધાથી શ્રાદ્ધ જે કરશે, ઘણા પૂર્વજ એના ઉદ્ધરશે; કરી સ્નાન ને કરશે દાન, તેનું ફળ થશે મેરુ સમાન. 9 જમાડે આંહિ બ્રાહ્મણ સંત, ફળ તેનું તો થાય અનંત; જપ તપ વ્રત આંહી કરાય, તેના સિદ્ધ મનોરથ થાય. 10 કરે એક તીરથ ઉપવાસ, ફળ તો ઉપવાસ પચાસ; સંપ્રદાયનું મૂળ આ સ્થાન, એમ સમજે જે જન મતિમાન. 11 મહિમા ઉચ્ચરી એવી રીતે, પછી […] read more
0 Views : 281

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૧

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। દીક્ષાનામ ચતુર્થ કલશ પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ જે હરિ લોજ માંહી શિખવી અષ્ટાંગયોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો તે પીપળાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીયે ધુર સંપ્રદાય તણી તો જૈ જેતપૂરે દીધી. 1 પૂર્વછાયો:- વર્ણી કહે નરપતિ સુણો, ધરી શ્રીહરિ વરણી વેશ; ફરતા ફરતા લોજમાં, આવ્યા સુંદર સોરઠ દેશ. 2 ચોપાઈ:- ગયાં સંવત શતક અઢાર, આષાઢાદિ છપન મોઝાર; હતી શ્રાવણી છઠ્ય અંધારી, પ્રભાતે આવ્યા લોજ મોરારી. 3 ફર્યા સાત વરસ એક માસ, અગિયાર દિવસ વનવાસ; લોજથી દિશા ઉત્તરમાંય, દીઠી વાવ તથા વડ ત્યાંય. 4 કર્યું વાવ વિષે જઇ સ્નાન, વડ હેઠે ગયા ભગવાન; ભલી એક શીલા મોટી ભાળી, બેઠાં તે પર શ્રીવનમાળી. 5 જનમનને હરણ કરે જેવી, દિસે મૂર્તિ મનોહર એવી; પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. 6 દષ્ટિ ચંદ્રે ચકોરની જાય, તે તો પાછી વાળી ન વળાય; લોહને તો ચમક ખેંચે જેમ, જનમન હરિમાં જાય તેમ. 7 જળ ભરવા આવે ઘણી નારી, રહે મૂર્તિ વિષે દષ્ટિ ધારી; લીધા કોઇયે જળઘટ માથે, કોઇ માથે અને એક હાથે. 8 મૂર્તિ દેખી રહી સ્થિર ઠરી, જાણે ચિત્રમાં હોય ચિતરી; ધ્યાનમુદ્રાયે ધર્મકુમાર, બેઠા સ્થિર થઇ તેહ ઠાર. 9 જોઇ બોલે પરસ્પર નારી, આ તે કોણ હશે બ્રહ્મચારી ? એની કાયા […] read more
0 Views : 368

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૭

પૂર્વછાયો :- વણિક  ગોવરધન  કહે,  સુણો  શ્રીપુરુષોત્તમ  આપ; ફઇ મારી હરિજન છતાં, એવું મોટું કરેલ શું પાપ ?1 ચોપાઈ :- તેને  ઇશ્વરનું  હતું  જ્ઞાન,  નિત્ય  ધરતી  પ્રભુતણું  ધ્યાન; નામ  મંત્ર  તણો  જપ  કરતી,વ્રત  વિવિધ  પ્રકાર  આચરતી.2 ઘણાં  તીર્થનું  સેવન  કીધું,  મોટા  સંતને  ભોજન  દીધું; કર્યા  પુણ્ય  તેણે  ઘણાં  એમ,  કુંભીપાક  વિષે  પડી  કેમ  ?3 સુણી  બોલ્યા  હરિ  સાક્ષાત,  તેના  પાપ  તણી  કહું  વાત; ધરમાદા  તણું  ધન  જેહ,  હતા  પાસા  સોના  તણા  તેહ.4 રામાનંદસ્વમીએ  વિચારી,  એહ  બાઇને  સોંપ્યા  સંભારી; તેને વીતી ગયા ઘણા માસ, પાસા સ્વામીએ માગ્યા તે પાસ.5 ત્યારે  બોલી  વચન  તે  બાઇ,  નથી  મારી  પાસે  ધન  કાંઇ; સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજેત ન અમને.6 દીધો  સ્વામીએ  બહુ  ઉપદેશ,  તોય  માન્યું  નહિ  લવલેશ; એવું  કાંચન  છે  મહાપાપી,  બુદ્ધિ  જનની  બગાડે  કદાપી.7 ઘરબાર  તજી  વન  જાય,  તોય  ધનથી  કદી  લલચાય; હરિભકતપણું  ભલું  ધરે,  તન  મન  ધન  અર્પણ  કરે.8 તેને  પણ  ધનધર્મથી  પાડે,  કુંભીપાકનાં  દુઃખ  દેખાડે; ગુરુનું  સોનું  ઓળવ્યું  એણે,  કુંભીપાક  વિષે  પડી  તેણે.9 ભકિતપુત્ર  કહે  ભગવાન,  સુણો  ગોવરધન  ગુણવાન; કહું  પાપ  તણા  બે  પ્રકાર,  ધર્મશાસ્ત્ર  તણે  અનુસાર.10 ઉપપાતક  જે  પાપ  છોટાં,  મહાપાતક  જે  પાપ  મોટાં; માંસભક્ષક  ને  ગૌઘાત,  ઉપપાતકમાં  છે  તે  ભ્રાત.11 મહાપાતક  પાંચ  ગણાય,  મદ્યપાન  ને  બ્રહ્મહત્યાય; ત્રીજું  ગુરુપત્ની  સંગ  કરે,  ચોથું  હેમ  ગુરુતણું  હરે.12 એવાનો  […] read more
1 Views : 545

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૬

પૂર્વછાયો :- અનુપ  આખા  ગામ  છે,  તેને  પાદર  પૂરવ  દીશ; આંબલિયોનાં ઝાડ છે, બેઠા બે ઘડી ત્યાં મુનિઇશ.1 ચોપાઈ :- ત્યાંથી  મઢડે  ગયા  મહારાજ,  જેઠામેરનું  કરવાને  કાજ; જેઠામેર  ઉપર  કરી  મેર,  ઘનશામ  રહ્યા  તેને  ઘેર.2 તેણે  સેવા  સજી  ઘણી  સારી,  પાળે  નિષ્કામવ્રત  નરનારી; સૂતા  રાત્રીમાં  શ્રીઘનશામ,  જેઠામેરે  જોયું  તેહ  ઠામ.3 બ્રહ્મા  શંભુને  ઇન્દ્ર  અપાર,  આવેલા  વંદવા  તેહ  વાર; રમા રાધા આદિ ઘણી શકિત, સજે ભાવ ધરી ભલી ભકિત.4 કોઇ  તો  થાળ  ધરે  છે  લાવી,  કોઇ  આરતી  ઉતારે  આવી; કોઇ  તો  ગુણગાન  કરે  છે,  કોઇ  સ્નેહે  સ્તુતિ  ઉચ્ચરે  છે.5 જેઠોમેર  અને  તેની  નારી,  નિરખે  મૂરતી  ચિત્ત  ધારી; ત્યારે  બ્રહ્માએ  વેણ  ઉચાર્યા,  ધન્ય  માત  ને  તાત  તમારાં.6 ઘણા  જન્મ  કર્યું તપ  જેહ,  આજ  આવી  મળ્યું  ફળ  એહ; ઘન્ય  ધન્ય  તમે  નર  નારી,  ભલાં  કીધાં  તમે  તપ  ભારી.7 અભેસિંહ  કહે  મુનિરાય,  મને  એતો  સુણાવો  કથાય; જેઠોમેર  તથા  તેની  નારી,  તેણે  તપ  શું  કર્યું એવું  ભારી  ?8 જેથી બ્રહ્માએ તેને વખાણ્યાં, અતિ ઉત્તમ સર્વથી જાણ્યાં; કહે  વર્ણી  સુણો  ધરણીશ,  જેઠામેરની  વાત  કહીશ.9 શ્રીજીમહારાજ મુખ એ વાત, મેં તો સાંભળી છે સાક્ષાત; તમ  આગળ  તે  હું  ઉચારું,  શ્રોતામાં  સર્વોપરી  હું  ધારું.10 કૃતયુગ  થકી  તે  નરનાર,  ધર્યા  ભૂતળ  બહુ  અવતાર; પતિ  પત્નિ  થયાં  બધે  ઠામ,  વ્રત  પાળ્યું  સદા  નિષ્કામ.11 આજ કળિયુગમાં પણ એમ, પાળ્યું નિષ્કામ તો […] read more
0 Views : 357
Powered By Indic IME