Last Updated:
May 5, 2025

Click here to submit your article
હરિલીલામૃત
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૧

પૂર્વછાયો:- રામાનંદ પ્રતાપથી, મુકતાનંદમુનિ ગુણવાન; નિશ્ચળ નિષ્કામી થયા, હવે એનું કહું આખ્યાન.1 ચોપાઈ:- અમરાપર નામે છે ગામ, દેશ સોરઠમાં સુખધામ; વસે ત્યાં હરિજન મુળદાસ, સાધુતાગુણ શુભ જેની પાસ.2 તેની બાળકી જે રાધાબાઇ, બહુ રૂપે ગુણે વખણાઇ; પિતાયે એમ મનમાં વિચાર્યું, મળે વર વિદ્વાન તો સારું. 3 એક વિપ્ર જે આનંદરામ, અમરેલી માંહી તેનું ધામ; જોઇ વિદ્વાન ને ગુણવાન, મૂળદાસે દીધું કન્યાદાન. 4 પછી તેને થયો એક પુત્ર, તેથી તેનું શોભ્યું ઘરસૂત્ર; બહુ બુદ્ધિ ને રૂપ પ્રકાશ, ધર્યું નામ તો મુકુંદદાસ. 5 મહામુકત છે તેહ નિદાન, હરિ ઇચ્છાયે ભૂલ્યા છે જ્ઞાન; તેર વર્ષના તે થયા જયારે, પરણાવ્યા પિતાજીયે ત્યારે. 6 ભણ્યા શાસ્ત્ર ભલાં રુડી રીત, એથી વૈરાગ્ય ઉપજયો ખચીત; ધારી ત્યાગી થવા તણી વાત, થવા દે કેમ માત ને તાત.7 તેનો કરવાને ઉપાય કાંઇ, ફર્યા ગાંડા થઇ ગામમાંઇ; જાણી જોઇ ભૂલ્યા તનભાન, કરાવે તો કરે ખાન પાન. 8 જયાં ત્યાં રખડે દિવસ ને રાત, ઘેર ખોળી લાવે માત તાત; રાતે શેરીયે શેરીયે જાય, જઇ કોઇના આંગણમાંય. 9 ખાટલો પાટલો પડ્યો હોય, વસ્તુ હલકી કે ભારે તોય; તે તો ત્યાંથી ઉપાડી લઇને, મુકે અન્યને આંગણે જૈને. 10 કરે એવી ઘણી તે રંજાડ, લાવે લોક તણી બહુ રાડ; વસ્તુ નિજ ઘરની લેઇ કાંઇ, નાંખી આવે જઇ ગામમાંઇ.11 માત તાતને કાયર કીધાં, મેણાં નારીને […] read more
0 Views : 1435

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧ર

પૂર્વછાયો:- કહું કથા રામાનંદની, વળી તેણે કર્યા જે કામ; બાંધ્યાં સદાવ્રત બહુ ભલાં, ગણી કહું તે ગામનાં નામ. 1 ચોપાઈ:- ગામ લોજ તથા માંગરોળ, આપે ત્યાં લોટ દાળ ઘી ગોળ; માણાવદર ને અગત્રાઇ, મેઘપર ને ધોરાજી માંઇ. 2 ગામ સાંકળી ને પીપળાણું, જામવાળી ને ભાડેર જાણું; ફણેણી જેતપર સરધાર, સદાવ્રત નવાનગર મોઝાર. 3 કોટડું ગઢડું કારિયાણી, આપે પુષ્કળ ત્યાં અન્ન પાણી; ગામ માણકવાડા મેથાણ, ગુજરાતે જેતલપુર જાણ. 4 અમદાવાદમાં કર્યું જેમ, બીજાં પણ બહું ગામમાં તેમ; રાખ્યા સાધુઓને અન્ન દેવા, આવે તીરથવાસીયો લેવા. 5 આપી અન્નને દે ઉપદેશ, દૈવીને દિલ થાય પ્રવેશ; વસ્તુ નિત્ય અનિત્યનું જ્ઞાન, પામી થાય તે વૈરાગ્યવાન.6 સુણી સ્વામીનો મહિમા વિશેષ, રહે કૈંક તો ત્યાં જ હંમેશ; દીક્ષા વૈષ્ણવી લેવા ચહે છે, સાધુ થૈ સ્વામીપાસ રહે છે.7 અયોધ્યામાં અખાડો છે જેહ, નામે રામગલોલાનો તેહ; રહે વેરાગી તેમાં અનેક, ઉપરી તો મહાંત છે એક. 8 મુખ્ય શિષ્યતો લક્ષ્મણદાસ, તેને દ્વારિકા જાવાની આશ; સાથે વૈરાગી પચાશ લીધા, ઊંટ ઘોડા ગુરુજીયે દીધા. 9 સૌયે હથિયાર પકડ્યાં હાથે, બીજો સામાન બહુ લીધો સાથે; ચાલ્યા દ્વારિકા જાત્રાને કામ, સુણ્યું રસ્તે રામાનંદ નામ. 10 જયાં છે સુંદર સોરઠ દેશ, લોજમાં તે વસે છે વિશેષ; એ છે ઇશ્વરનો અવતાર, તેના સામર્થ્યનો નથી પાર. 11 પર અંતરની વાત જાણે, મન ચંચળ તે સ્થિર આણે; એનો […] read more
0 Views : 1438

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૩

પૂર્વછાયો:- ભૂપ કહે બ્રહ્મચારીને, આત્માનંદનું કહો આખ્યાન; દેહ ધર્યો કિયા દેશમાં, કેણે દીક્ષાનું દીધું દાન. 1 ચોપાઈ:- સુણી બોલ્યા અચિંત્યાનંદ, સુણ ભૂપ ધરીને આનંદ; આત્માનંદનું કહું આખ્યાન, સુણતાં થાય પાવન કાન. 2 ગોપનાથ મહાદેવ જે છે, મૂળ સ્થાનક તેમનું એ છે; માટે ઉત્પત્તિ એની બતાવું, સારો મહિમા કહી સંભાળાવું. 3 શહેર સૂરતમાં શેઠ એક, હતો ધર્મી ને પરમ વિવેક; સંત વિપ્રની સેવા તે કરતો, મહિમા મનમાં ઘણો ધરતો. 4 એક દિવસ તેને ઘેર ધારી, આવ્યા તૈલંગના બ્રહ્મચારી; તેનું નામ તે ગોવિદાનંદ, દેવઅંશી તે વિચરે સ્વચ્છંદ. 5 શેઠે તેની સજી સારી સેવા, જાણ્યું અન્ય જોગી નથી એવા; તેને ઘેર હતી એક ગાય, નિત્ય ધણમાં તે ચરવાને જાય.6 હતી પુષ્ટ તને રુડી પેર, દેતી દૂધ પ્રથમ દશ શેર; પછી તો ઓછું કાઢવા લાગી, દોજાવા જાય ત્યાં તો જાય ભાગી. 7 પૂછ્યું ગોવાળને શેઠે એમ, હવે દોજાવા દેતી નથી કેમ ? કાં તો કોઇ તેને દોહી લે છે, એવો સંશય અમને રહે છે.8 પાકી સંભાળ રાખજો ભાઇ, નહીં તો નહીં દૈયે ચરાઇ; સુણી બોલિયો તેહ ગોવાળ, હવે રાખીશ હું એ સંભાળ. 9 પછી ગોવાળે રાખી તપાસ, જતી દીઠી તે સાગર પાસ; ઉંડા જળમાં ઘણે દૂર જઇ, પાછી ધણમાં આવી મળી ગઇ.10 ગોવાળે કહી શેઠને વાત, એ તો અચરજ લાગ્યું અઘાત; શેઠે ગોવિંદવરણી પાસ, […] read more
0 Views : 1441

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૪

પૂર્વછાયો:- વર્ણી કહે નૃપ સાંભળો, આત્માનંદનું કહું આખ્યાન; વિશ્વંભર ભટ નામ છે, કરે પ્રભુ તણાં ગુણગાન.1 ચોપાઈ:- વાલબાઇયે તે ઘણા વહાલે, વિશ્વંભર ભટને એક કાળે, નોતરું દેઇ જમવા તેડાવ્યા, પછી તે જયારે જમવા આવ્યા. 2 તમે ઇશ્વર છો એમ કહી, બાઇ ગુરુપદ પકડી રહી; બોલ્યા વિશ્વંભરભટ તૈંયે, અમે વિપ્ર તે ઇશ્વર છૈયે. 3 નથી એમાં તો કાંઇ નવાઇ, મૂકો મૂકો મારા પગ બાઇ; તોયે પગ નવ મૂકિયા જયારે, ભટે ચરણ ઉંચો કર્યો ત્યારે. 4 ચાંપ્યો અંગુઠો એને કપાળે, થઇ તેને સમાધિ તે કાળે; ખટ ચક્ર ભેદી જીવ ચડિયો, બ્રહ્મરંધ્ર ઉપર જઇ અડિયો. 5 ભુલી ગઇ નિજ દેહનું ભાન, સૂતિ થૈને તે શબની સમાન; ભટે પૂછી જોયું તેની માને, આવું થાય છે કે કદી આને. 6 ત્યારે માતાયે જોઇને કહ્યું, આવું તો આને આજ જ થયું; કહે ભટ એની ચિંતા વિસારી, એને એકાંતે મૂકો સુવારી. 7 પછી માતાયે એકાંતે ધરી, ગયા ભટજી તો ભોજન કરી; ગયા વાસર બે એમ વહી, સમાધિ તોય ઊતરી નહી. 8 માયે ભટજીને જમવા તેડાવ્યા, જયારે તે વળી જમવાને આવ્યા; માયે આંખમાંથી આંસુ પાડી, સ્થિતિ પુત્રીની તેને દેખાડી. 9 ચાંપી ચરણનો અંગુઠો ભાલે, તેને તરત જગાડી તે કાળે; અતિ જોઇ ચમત્કાર એવા, જાણ્યા ભટજીને ઇશ્વર જેવા. 10 વાલબાઇ તે વૈરાગ્યવાળી, તેણે તૃષ્ણા સંસારની ટાળી; દિનદિન નિજદેહને દમે, […] read more
0 Views : 1422

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧પ

પૂર્વછાયો:- ભૂપ અભેસિંહ સાંભળો, ચારુ કથા ધરીને ચિત્ત; ઐશ્વર્ય આત્માનંદનું, સંભળાવું સ્નેહ સહિત. 1 ચોપાઈ:- ગામ મેખાટીંબી મોઝાર, આત્માનંદ રહે કરી પ્યાર; થયા આહિર શિષ્ય અનેક, રહે આજ્ઞા વિષે ધરી ટેક. 2 ગામ ધ્રાફા વિષે એક કાળે, કર્યો મેળો મોટા પંથવાળે; લખી કંકોતરી ગામોગામ, તેમાં આહિર તેડ્યા તમામ. 3 વળી એમ લખ્યું તેહમાંય, સગા સ્નેહીને લાવજો ત્યાંય; ત્યારે આહિરોયે મળી આવી, આત્માનંદને વાત સુણાવી. 4 સ્નેહી સહિત તેડાવ્યા છે અમને, સાચા સ્નેહી તો ગણિયે તમને; તમે આવશો સહિત સમાજ, મેળે તોજ જશું અમે આજ. 5 ગુરુજી કહે આવશું અમે, જવા તત્પર થાઓજી તમે; સુણી આહિર સર્વ સિધાવ્યા, આત્માનંદજીને સાથે લાવ્યા. 6 વાલબાઇ અને હરબાઇ, મેળો જોવા ચાલ્યાં હરખાઇ; મુકતાનંદ અને જુકતાનંદ, બેયને કહે આત્માનંદ. 7 મતવાદી જગતમાં જેહ, કરે છે દ્વેષ આપણો એહ; મેળામાં જાશું આપણે જયારે, અતિ કરશે અવિદ્યા તે ત્યારે. 8 માટે આપણે વેશ છુપાવો, સારો ક્ષત્રિનો વેશ બનાવો; કોઇ ઓળખે નહિ એમ કરવું, પછી આહિર સાથે વિચરવું. 9 એવાં વચન કહી મરમાળાં, પેજાર્યા ધોતિયાં લાંબાં પનાળાં; રુડી રેશમની કોર રાજે, અંગે અંગરખાં મોટાં છાજે. 10 જામનગરનાં જરિયાનવાળાં, માથે ધોતિયાં બાંધ્યાં રુપાળાં; ઢાલો તલવારો પણ ધરી લીધિ, ધારીબરછિયો પણ ભલી વીધિ. 11 જુગતાનંદ ને મુકતાનંદ, આતમાનંદ સ્વામી સ્વછંદ; થયા ઘોડલે તે અસવાર, મળી ચાલ્યા આહિર મોઝાર. 12 આવ્યા […] read more
0 Views : 1407

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૬

પૂર્વછાયો:- ચાલ્યા માંડવા ગામથી, આતમાનંદ સહિતસમાજ; રહ્યા જઇ રાજકોટમાં, નિજ આશ્રિતના હિતકાજ. 1 ચોપાઈ:- પછી ત્યાં થકી ચાલિયા ફરવા, કૈંક જીવનાં કલ્યાણ કરવા; ગયા ફરતા તે ગામ છત્રાસે, ઘણા ભકત વસે ત્યાં નિવાસે. 2 રામાનંદસ્વામી આવી મળિયા, કરી ચર્ચાને સંશય ટળિયા; વિશિષ્ટાદ્વૈત મત કર્યું સાચું, મત અદ્વૈત તો ઠર્યું કાચું. 3 બ્રહ્મચારી કહે હે રાય, તે તો તમને કહી છે કથાય; રહી શેષ તે વાત કહું છું, મારા મનમાં હુલાસ લહું છું. 4 આતમાનંદ ધારી આનંદ, કહે સાંભળો હે રામાનંદ ! મારો વૃદ્ધ થયો છે જ દેહ, માટે તજવાને જૈસ હું તેહ. 5 રામાનુજગુરુથી તમે દીક્ષા, લીધી છે વળી સારી શિક્ષા; વૃંદાવનમાં શ્રીકૃષ્ણથી જેમ, મંત્રદીક્ષા લીધી છે તેમ. 6 વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન, મારા શિષ્યોને દેજો નિદાન; મત અદ્વૈત ખંડન કરજો, મારા શિષ્યોના સંશય હરજો. 7 રામાનંદ બોલ્યા શબ્દ સારા, રામાનુજ છે પરમ ગુરુ મારા; તેનો પ્રતાપ અંતરે આણી, વળી કૃષ્ણપ્રતાપ તે જાણી. 8 હૈયે રાખીને પૂરણ હામ, કહો છો તે કરીશ હું કામ; જે જે છે જન શિષ્ય તમારા, તેને શિષ્ય કરીશ હું મારા. 9 બીજા પણ બહુ શિષ્ય કરીશ, વિશિષ્ટાદ્વૈત હું મનાવીશ; કૃષ્ણઆજ્ઞાથી આવ્યો છું હુંય, માટે કામ તે કરવા ઇચ્છુંય.10 પછી હરબાઇ ને વાલબાઇ, તેને ગુરુયે કહ્યું હરખાઇ; રામાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા અંતરમાં ધરજો. 11 જુકતાનંદ […] read more
0 Views : 1720

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો:- ભૂપ કહે વરણીંદ્રને, તમે કથા સુણાવી સાર; હવે હું પૂછું તે કહો, અનુકંપા કરીને અપાર. 1 સ્વામી રામાનંદ આગળે, મહાદીક્ષા લીધી મહારાજ; ત્યાર પછીની જે કથા, મુજને સુણાવો આજ. 2 વસંતતિલકાવૃત્ત :- વર્ણી કહે રુચિ ધરી સુણ સુજ્ઞ રાય, શ્રીધર્મનંદન તણી કહું છું કથાય; દીક્ષા લીધી ગુરુ થકી પુર પીપળાણે, સારે પ્રબોધિની દિને જન સર્વ જાણે. 3 આવ્યા હતા દરશને જનસંઘ જેહ, સૌ પૂર્ણમાસિ સુધી ત્યાં ઠરિયા જ તેહ; આનંદ ઉત્સવ ધરે ગુણગાન ગાય, વર્ણીંદ્રનાં દરશને નહિ તૃપ્ત થાય. 4 મૂર્તિ વિષે નિરખી અદ્ભુતતા અપાર, દીઠાં વળી ચરણ ષોડશ ચિહ્ન સાર; જાણે ઘણાક જન અક્ષરધામવાસી, પ્રત્યક્ષ એજ પુરુષોત્તમ સુપ્રકાશી. 5 કોઇકનાં નજરથી ચિત્ત ચોરી લીધાં, કોઇકને સહજ દર્શન દિવ્ય દીધાં; દેખાડયુિં કંઇકને નિજકેરું ધામ, વાધ્યો પ્રતાપ જનમધ્ય વિષે જ આમ.6 વીતી ગઇ પુનિત પૂનમ એહ જયારે, પોતા તણે પુર ગયા જનસંઘ ત્યારે; વર્ણીંદ્રનાં અધિક દર્શન આપવાને, કીધો વિચાર ગુરુયે ફરવા જવાને. 7 બેઠા રથે વૃષજ ઉદ્ધવ ધર્મવંત, ગાડી વિષે વિદિત મુકત મુનીશ સંત; ઘોડે ચડ્યા ઘરધણી વળી સાંખ્યયોગી, પાળા વિશેષ વિચરે વિષયે વિયોગી. 8 વાજે મૃદંગ વળી તાલ ઉપંગ ચંગ, ગાવે ગુણો હરિજનો ધરીને ઉમંગ; નારી નરો મળી ઘણાં વિચર્યા વળાવા, નિર્ખી હરિમૂરતિને મનમાં ઠરાવા. 9 તે માંહી મુખ્યજન તો નરસિંહ મેજાતા, કલ્યાણજી તનુજ તે પણ બ્રહ્મવેત્તા; જૈ ગામ […] read more
0 Views : 1505

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૮

પૂર્વછાયો:- ગમન કરી લોજગામથી, ગયા માણાવદર મહારાજ; ભોજન ભટ મયારામને, ઘેર કરતા સહિત સમાજ. 1 સત્તાવનની સાલની, કરી હુતાશની તે ગામ; હરિજનો ગામો ગામના, બહુ આવી મળ્યા એ ઠામ. 2 માણાવદરના મહીપતિ, જેનું નામ ગજનફરખાન; બાંટવામાં રહેતા હતા, ગુણજાણ હતા ગુણવાન. 3 કોઇ જને જઇને કહ્યું, આવ્યા છે એક પુરુષ પ્રખ્યાત; પોતે ખુદા કહેવાય છે, અતિ અચરજની એ વાત. 4 નવાબસાહેબ તે સુણી, જોવા મોકલિયા નિજજન; આવીને રામાનંદને, કહ્યાં તેઓયે મુખવચન. 5 ખુદા તમે કહેવાઓ છો, એ તે ખરી કે ખોટી વાત; સુણી રામાનંદ બોલિયા, અમે ફકીર છૈયે ભ્રાત. 6 ગાદીની ઇચ્છા સૌ કરે, રાજગાદી ખાલી ન જણાય; ખાલી ગાદી ખુદા તણી, જોઇ અમે થયા અલ્લાય. 7 અલ્લા આવ્યા છે આ અવસરે, એની ઇચ્છા થશે જે વાર; એની ગાદી પાછી આપશું, અમે એમ કર્યો છે વિચાર. 8 એમ કહી વળી તેહને, ચમત્કાર દેખાડ્યો કાંઇ; અચરજ પામ્યા અતિ ઘણું, મહીનાથના જન મનમાંઇ.9 નવાબસાહેબ પાસ જઇ, કહી વાત હૈયે હરખાઇ; આવિયા છે જે પુરુષ તે, ખરેખાત છે જ ખુદાઇ. 10 ચોપાઈ:- કહે વર્ણી સુણો નરનાથ, ગયો મેઘપુરે સંતસાથ; હરિભકત સોની જીવરાજ, નારાયણ તથા જસરાજ. 11 ચોથા ભકત જેનું નામ રામ, તેણે ઉતાર્યા પોતાને ધામ; એજ જગ્યા ઉપર હે રાજ, હરિમંદિર છે શુભ આજ. 12 રંગપંચમીનો દિન આવ્યો, રંગ ઉત્સવ સારો કરાવ્યો; હરિભકત […] read more
0 Views : 328
Powered By Indic IME