Last Updated:
May 5, 2025

Click here to submit your article
હરિલીલામૃત
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૩

પૂર્વછાયો:- લોજ વિષે હરિએ કર્યો, કેટલાક માસ નિવાસ; એક સમયમાં ઉચ્ચર્યા, પોતે મુકતાનંદમુનિ પાસ. 1 ચોપાઈ:- નવ આવ્યા રામાનંદસ્વામી, રહ્યાં તે ગુરુ ત્યાં જ વિરામી; ગયું ચોમાસું ને શીતકાળ, ગયો ફાગણ નાવ્યા દયાળ. 2 મન મળવાને આતુર થાય, હવે વિરહથી નવ રહેવાય; અમે કચ્છ જવાને વિચરશું, ગુરુનાં જઇ દર્શન કરશું. 3 ત્યારે બોલિયા મુકતાનંદ, રહો આંહી ધરીને આનંદ; કચ્છમાં તો તમે ન જવાય, વાટમાં ઘણાં વિધ્ન જણાય.4 આડી આવે સમુદ્રની ખાડી, નડે રસ્તામાં અસુર અ નાડી; માટે આંહી રહો કરી વાસ, પત્ર મોકલિયે ગુરુ પાસ. 5 કરશે ગુરુ આજ્ઞા તે જેમ, પછી આપણે કરશું એમ; એમ કહી મુનિ મુકતાનંદે, લખ્યો પત્ર અધિક આનંદે. 6 બીજો પત્ર લખ્યો મહારાજે, તે તો કચ્છ મોકલવાને કાજે; તેમાં સરવે લખ્યું વૃત્તાંત, જેથી લેશ રહે નહિ ભ્રાંત. 7 પત્ર લઇને મયારામ ભટ, કચ્છ દેશ વિષે ગયા ઝટ; ભુજ માંહી મલ્લ ગંગારામ, રામાનંદજી છે તેને ધામ. 8 ભટે સ્વામીને નિરખ્યા કેવા, સુણો ભૂપ કહું છું હું તેવા; સભા માંહી શોભે સુખકંદ, જેમ તારામંડળ વચે ચંદ. 9 શોભે ગૌર ને પુષ્ટ શરીર, ગુણે સુરગુરુસમ ગંભીર; પડે ત્રિવળી ઉદર પર એવી, જાણે હોય ત્રિવેણી તે જેવી. 10 શોભે સુંદર ભાલ વિશાળ, તેમાં તિલક ને કંઠે છે માળ; સ્વર ગંભીર મેઘ સમાન, દિસે જ્ઞાન વિજ્ઞાન નિધાન. 11 દયાસાગર શાંત […] read more
0 Views : 1457

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૪

પૂર્વછાયો:- શ્રીહરિયે લોજપુરમાં, કર્યા દિવ્ય ચરિત્ર વિચિત્ર; વર્ણી કહે નૃપ સાંભળો, કહું આખ્યાન એહ પવિત્ર. 1 ચોપાઈ:- લોજગામ થકી ગાઉ બેય, શીલ નામ તે ગામનું છેય; આવ્યા ત્યાં થકી બે હરિજન, કહ્યાં મુકતમુનિને વચન. 2 મારા વાઢ વિષે તો આ વાર, થયાં ચીભડાં અપરમપાર; કોઇ સાધુને મોકલો લેવા, ગાડું ભરી હું આવિશ દેવા. 3 રામાનંદજી આવશે જયારે, થશે સારો સમૈયો તે વારે; ચીભડાંનું જો થાય અથાણું, મારા અંતરમાં હર્ષ આણું. 4 મુકતાનંદે એવી વાત જાણી, સુખાનંદ પ્રત્યે કહી વાણી; હરિભકતને ગામ સિધાવો, જૈને ત્યાં થકી ચીભડાં લાવો. 5 સુણી બોલિયા શ્રીમહારાજ, લેવા ચીભડાં હું જૈશ આજ; સાથે આવશે સેવક દેવો, બીજો કોઇ સાથે નથી લેવો. 6 બોલ્યા મુકતમુનિ ધરી નેહ, તમે દુર્બળ કીધો છે દેહ; માટે તમ થકી ત્યાં ન જવાય, નહિ ચીભડાં તમથી લવાય.7 એવી વાણી ઘણી જ ઉચ્ચરી, તોય દેવાને લૈ ગયા હરી; જયારે વાઢમાં તે બેય આવ્યા, ગાડું એક હરિભકત લાવ્યા. 8 ત્યારે બોલિયા સુંદરશામ, નથી ગાડાનું કાંઇયે કામ; લાંબો પોળો ચોફાળ મંગાવો, તેમાં ગાંસડો એક બંધાવો. 9 બોલ્યા હરિજન શ્રીહરિ પાસે, મોટો ગાંસડો કેમ બંધાશે ? હઠ જોગીનો જોઇ તે વાર, બીજા બોલાવિયા જણ બાર. 10 મોટો ચોફાળ ત્યાં એક લાવ્યા, ચીભડાં મણ સોળ ભરાવ્યાં; તેનો ગાંસડો એક બંધાવ્યો, જણ બારે મળી ઉપડાવ્યો. 11 હેઠે હરિયે […] read more
0 Views : 1486

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો:- વર્ણી કહે અભેસિંહજી, સુણો કૃષ્ણકથા ધરી પ્રીત; સાધુઓને હરિ શીખવે,રુડી અષ્ટાંગ યોગની રીત.1 યોગ તણાં આઠ અંગ છે, તેનાં લક્ષણ કહે વૃષલાલ; અભ્યાસ તેનો આદરી, શીખે સાધુજનો તેહ કાળ. 2 યમ નિયમ આસન તથા, પ્રાણાયામ ને પ્રત્યાહાર, ધારણા ધ્યાન સમાધિ છે, અંગ આઠ છે એહ પ્રકાર. 3 ચોપાઈ:- યોગ સાધન કરવાનું ધારે, તેને પાપ કરમથી નિવારે; યોગમાં સ્થિર વૃત્તિ રહે છે, યમ તો તેનું નામ કહે છે. 4 યમના કહું બાર પ્રકાર, સુણો સંતો પૂરો ધરી પ્યાર; અહિંસા તથા સત્ય અસ્તેય, વળી અસંગને લજજા છેય.5 અસંચય અને આસ્તિકપણું, બ્રહ્મચર્ય મુનિવ્રત ગણું; સ્થિરતા ક્ષમા નિર્ભય જેહ, યમ બાર પ્રકારના તેહ. 6 કામ્યધર્મથી વૃત્તિ ઉથાપે, મોક્ષધર્મ વિષે સ્થિર થાપે; તેનું નામ નિયમ નિરધાર, કહું તેનાય બાર પ્રકાર. 7 એક તો બાહ્ય જે શૌચાચાર, બીજો અંતર શૌચ પ્રકાર; જપ તપ હોમ ને શ્રદ્ધા જાણો, અતિથિ તણી પૂજા પ્રમાણો.8 પ્રભુપૂજા ને તીર્થઅટન, વળી પરઉપકાર પાવન; સદા સંતોષ ને ગુરુસેવા, ભેદ બાર નિયમના છે એવા. 9 જોગી જોગની સિદ્ધિને કાજે,જેવી રીતે સુખેથી બિરાજે; એનું નામ તો આસન જાણો, અંગ જોગનું ત્રીજું પ્રમાણો.10 જાણે આસન બહુ જોગાભ્યાસી, તેમાં મુખ્ય ગણાય ચોરાશી; તેમાં પણ મુખ્ય ત્રીશ પ્રકાર, તે વિષે ચૌદ સારમાં સાર. 11 નામ સ્વસ્તિક ગોમુખ એહ, વીરયોગ ને પદ્મ છે તેહ; વળી કુર્કટ કૂર્મ ને […] read more
0 Views : 1721

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ આપ; રામાનંદને હરિ તણો, હવે વર્ણવી કહું છું મેળાપ. 1 ચોપાઈ:- કરી લોજનગરમાં વિરામ, ઘણી લીલા કરી ઘનશ્યામ; કર્યા દિવ્ય ચરિત્ર અનેક, નવ આવે ઉચરતાં છેક. 2 જળઝીલણી દસરા દિવાળી, એ જ રીતે પ્રબોધિની ભાળી; વળી વસંતની જે પંચમી, ફુલદોળ ને રામનવમી. 3 ભીમ એકાદશી કહેવાય,કર્યા એટલા ઉત્સવ ત્યાંય; રામાનંદ સ્વામી નવ આવ્યા, ભુજમાં હરિભકતે રોકાવ્યા. 4 થયા શ્રીહરિ તેથી ઉદાસ, બોલ્યા મુકતાનંદ મુનિ પાસ; વઇશાખનો વાયદો ગયો, સ્વામી કેરો મેળાપ ન થયો. 5 રામાનંદજી આવશે કયારે ? કયારે મેળાપ થાશે અમારે ? સુણી બોલિયા મુકતાનંદ, રહો ઉરમાં ધરી આનંદ. 6 સ્વામી આવશે આજ કે કાલ, ધરો ધીરજ દિલમાં દયાળ; પછી સંવત શતક અઢારે, સાલ છપ્પનમી હતી ત્યારે. 7 જેઠ કૃષ્ણ દશમ દિન ટાણે, રામાનંદ આવ્યા પીપળાણે; જયારે આકાશે ઉગ્યો દિનેશ, ત્યારે ગામમાં કીધો પ્રવેશ. 8 મેતા નરસિંહ દ્વિજ ઉનેવાળ, ઉતર્યા તેને ઘેર દયાળ; એક વિપ્ર કુંવરજી નામ, તેને મોકલિયો લોજ ગામ. 9 કહ્યું સંતનો સર્વ સમાજ, મળી આવજો દર્શન કાજ; જૈને વિપ્રે સમાચાર કહ્યા, સુણી સંત સરવ રાજી થયા. 10 ઉગ્યો ચંદ્રમા પાછલી રાતે, ચાલ્યા સંત સરવ ભલી ભાતે; મળવાની આતુરતા ધરી, સૌએ ઉતાવળી ગતિ કરી. 11 વર્ણીંદ્રનો દુર્બળ દેહ, તેથી થાકી ગયા અતિ તેહ; કહે સંત દ્યો આજ્ઞા અમને, અમે તેડીને ચાલિયે […] read more
0 Views : 1585

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો:- ભૂપ કહે વર્ણી સુણો, તમે કથા સુણાવી સાર; રામાનંદ તમે કહ્યા જે, ઉદ્ધવનો અવતાર. 1 ચોપાઈ:- ધર્મ સ્થાપવા ભૂમિ મોઝાર, કયારે આજ્ઞા કરી કરતાર; ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, તેનું મૂળ મને સમઝાવો. 2 જૂના શાસ્ત્રમાં જો હોય વાત, સંભળાવો મને સાક્ષાત; વળી ઉદ્ધવે કયાં દેહ ધર્યો ? અને કેને તેણે ગુરુ કર્યો ? 3 જન્મ ધરવાનું કારણ શુંય ? તે તો જાણવા ઇચ્છું છું હુંય; દયાસિંધુ દયા દિલ લાવો, મને તે કથા સર્વ સુણાવો. 4 સુણી એવું બોલ્યા બ્રહ્મચારી, કથા તે સાંભળો મન ધારી; સ્થાપ્યો જે ઉદ્ધવી સંપ્રદાય, મૂળ શ્રીમદ ભાગવતમાંય. 5 અઠાવીશમા દ્વાપર અંતે, બહુ પૃથ્વીને પીડી અસંતે; ભૂપરૂપે થયા ભૂમિભાર, તેણે કીધા અધર્મ અપાર. 6 ધરા ધેનુતણું રૂપ ધરી, ઈંદ્ર બ્રહ્મા પાસે પરવરી; કર્યો પીડાનો બહુ પોકાર, સર્વ દેવે સુણ્યો તેહ વાર. 7 સૌએ કૃષ્ણની પ્રાર્થના કરી, દયાસાગરે દીલમાં ધરી; આપે ઇચ્છ્યા લેવા અવતાર, ભારે ભૂમિનો હરવાને ભાર. 8 ઉપજાતિવૃત્ત:- ભૂમિ તણો ભાર ઉતારવાને, ધરા વિષે ધર્મ પ્રસારવાને; ધર્યાં વસુદેવ થકી શરીર, શ્રીકૃષ્ણને શ્રીબળદેવ વીર. 9 શ્રીઅર્જુને તો કુરુ કુળમાંય, ધર્યો ધરામાં નરદેહ ત્યાંય; તે ત્રણ્ય વીરે અસુરો વિદાર્યા, ભૂમિ તણા ભાર ઘણા ઉતાર્યા. 10 સ્વધામ જાવા હરિયે વિચાર્યું, ત્યારે વળી અંતર એમ ધાર્યું; રહ્યો હજી જાદવ વંશ શેષ, તે ભારને સંહરવો અશેષ. 11 ૠષી તણા શાપ મિષે […] read more
0 Views : 1649

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૮

પૂર્વછાયો:- વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું વિશાળાની વાત; દુર્વાસાયે શાપિયા મુનિ, તેહ કહું સાક્ષાત. 1 ચોપાઈ:- નારાયણમુનિ ઉચ્ચરે વાત, મરીચ્યાદિ સુણે સાક્ષાત; થયા વાતમાં સઉ લેલીન, ધર્મ ભકિતયે વાત આધીન. 2 દશા ઉપશમ સહુની થઇ, તનની શુદ્ધિ વિસરી ગઇ; ગિરિ કૈલાસથી એ જ ટાણે, દુરવાસા આવ્યા તે ઠેકાણે. 3 આપે રુદ્રનો અંશ ગણાય, જેનો ક્રોધ વરણવ્યો ન જાય; આવી ઉભા તે સભાની પાસ, દીઠા નહિ કોઇયે દુરવાસ.4 મુનિ ઉભા રહ્યા ઘડીવાર, ન કર્યો કોઇયે સતકાર; ત્યારે જાણિયું એમ નિદાન, આ તો કીધું મારું અપમાન. 5 તેથી કારમો ક્રોધ ચડાવ્યો, જાણે રુદ્ર પ્રલે કાજ આવ્યો; દિસે ક્રોધે ભર્યા લાલ ડોળા, ધિખતા જેવા લોઢાના ગોળા. 6 ભ્રકુટી ભયંકર અથાક, જાણે શંભુનું હોય પિનાક; ડસે હોઠ દિસે વિકરાળ, જાણે કોપિયો સાક્ષાત કાળ. 7 ક્રોધે થરથર ઘ્રુજે શરીર, જાણે ઉછળે સાગરનીર; રોમ ઉભા થયા અંગે એવા, હોય લોહના ગરજા જેવા. 8 જાણે જગતનો કરશે વિનાશ, કાં તો દેશે ત્રિલોકીને ત્રાસ; પછી બોલ્યા ઉંચો કરી સાદ, જેવો પ્રલયના મેઘનો નાદ. 9 તમે સાંભળો મુનિજન સર્વ, તપ વિદ્યાનો તમને છે ગર્વ; ધર્મપણ થયા આજ અધર્મ, મારા મનમાં હું સમજયો છું મર્મ. 10 હું તો ઉભો રહ્યો ઘણી વાર, ન કર્યો કોઇયે સતકાર; ઘણું તમને ચડ્યું અભિમાન, તેથી મારું કર્યું અપમાન. 11 જયા ત્યાં પામો છો […] read more
0 Views : 1516

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૯

પૂર્વછાયો:- વર્ણી કહે વસુધાપતિ, કહું રામાનંદની વાત; તીરથ કરવા સંચર્યા, દ્વારાવતિ વિષે વિખ્યાત. 1 ચોપાઈ:- રુડા નિરખીને રણછોડરાય, થયા ત્યાં થકી તેહ વિદાય; ગયા જયાં ગિરિ છે ગિરનાર, કરી જાત્રા તેની સુખકાર. 2 વળી સાંભળી ત્યાં એવી વાત, એક સદ્ગુરુ છે સાક્ષાત; આતમાનંદ તે ગુરુરાજ, ત્રંબા ગામમાં છે એ તો આજ. 3 પછી ત્યાં જઇ તેઓને મળિયા, કાંઇ મનના મનોરથ ફળિયા; મુકતાનંદ તથા જુકતાનંદ, તેના શિષ્ય હતા જનવૃંદ. 4 હરબાઇ અને વાલબાઇ, સતસંગી હતી બહુ ડાઇ; આતમાનંદે વાણી ઉચ્ચારી, તમે કયાંથી આવ્યા બ્રહ્મચારી ? 5 રામશર્મા કહે મહારાજ, આવ્યો દ્વારાવતિ થઇ આજ; ઘણા તીરથ માંહિ હું ફર્યો, કયાંઇ જીવ મારો નવ્ય ઠર્યો. 6 ધારી પ્રભુ મળવાની આશ, થયો સર્વ સ્થળે હું નિરાશ; કયાંઇ સદ્ગુરુ દીઠા ન કોઇ, ઠર્યું અંતર તમને જ જોઇ.7 રુડી દીઠી તમારી મેં રીત, જ્ઞાની ધ્યાની છો પરમ પુનીત; આત્માનંદે મુમુક્ષુ તે જાણી, સતકાર કર્યો ભાવ આણી. 8 રામશર્માને રાખિયા ત્યાંય, મુદ પામ્યા સહુ મનમાંય; પછી દીક્ષા દીધી સુખકંદ, ધર્યું નામ તેનું રામાનંદ. 9 રામાનંદે કહ્યું ગુરુપાસ, મને હરિદર્શનની છે આશ; આત્માનંદ બોલ્યા ગુણવાન, મારી સાથે બેસી ધરો ધ્યાન.10 બેઠા બેય તે ધ્યાન મોઝાર, દીઠું ધ્યાનમાં તેજ અપાર; પછી ધ્યાનથી જાગિયા જયારે, રામાનંદે કહ્યું વળી ત્યારે. 11 દીઠું ધ્યાનમાં તેજ તો ઘણું, રૂપ દીઠું નહિ હરિ તણું; […] read more
0 Views : 1510

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૦

પૂર્વછાયો:- કૃષ્ણે મહામંત્ર આપીને, વળી ઉદ્ધવને કહ્યું એમ; ભકિત ભલી પ્રવર્તાવજો, તે ધર્મ સહિત હોય જેમ. 1 ચોપાઈ:- કરો સોરઠમાં જૈ નિવાસ, ઘણા ત્યાં આવશે દૈવી પાસ; ૠષિ શાપથી મુનિયો જેહ, ધરામાં ધર્યા છે નરદેહ. 2 તેઓ પણ ત્યાંજ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં ભળશે; વળી હું નરદેહ ધરીશ, આવી સોરઠ માંહિ મળીશ. 3 ઘણાં કરજો વળી અન્નસત્ર, આવી મળશે મુમુક્ષુ તે તત્ર; મારી ભકિત કર્યાનો હંમેશ, તેને આપજો સદ ઉપદેશ. 4 એમ કહી થયા અંતરધાન, રામાનંદ થયા સાવધાન; પછી આનંદથી એક માસ, વંૃદાવન માંહી કીધો નિવાસ.5 આપે મુમુક્ષુને ઉપદેશ, કૃષ્ણભકિત કરાવે વિશેષ; જયારે ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન, હરિ આપે છે દર્શનદાન. 6 ફળ પુષ્પ આદિક જે ધરે, તે તો કૃષ્ણ અંગિકાર કરે; પોતે ઉદ્ધવ છે સાક્ષાત, હરિઇચ્છાથી તે જાણી વાત. 7 ભગવાનનાં વચન સંભારી, સતશાસ્ત્રના મત અનુસારી; ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, દેશદેશમાં તે પ્રસરાવ્યો. 8 પછી તીર્થ પ્રયાગમાં ગયા, એક પક્ષ તહાં સ્થિર થયા; કરુણાનિધિ કરુણા કીધી, કૈંક દૈવીને દીક્ષા તે દીધી. 9 ધર્મ ભકિત આવી ચડ્યાં ત્યાંય, જાત્રા કરવાને તીરથ માંય; રામાનંદતણી સુણી શિક્ષા, લીધી ભાગવતી ભલી દીક્ષા. 10 ઉદ્ધવી સંપ્રદાયનો સાર, ગુરુયે સમઝાવ્યો તે વાર; કહ્યું દૈવીઓને દીક્ષા દેજો, કૃષ્ણભકિત કર્યાનું કહેજો. 11 ત્યાંથી ચાલિયા શ્રીરામાનંદ,જવા સોરઠ દેશ સ્વચ્છંદ; મહીકાંઠે છે કાનમ દેશ, આવી તે વિષે કીધો પ્રવેશ. 12 ગામ […] read more
0 Views : 1415
Powered By Indic IME