Last Updated:
May 5, 2025

Click here to submit your article
હરિલીલામૃત
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૪

પૂર્વછાયો:- સ્વામીનું કાર્ય ગયા પછી, મુકતાનંદને કહે મહારાજ; સંતનું મંડળ સંગ લઇ, તમે ભુજ પધારો આજ. 1 ચોપાઈ:- ત્યાંના જાણે છે ભકત સુજાણ, રામાનંદને જીવન પ્રાણ; સ્વામી જાતાં તે થૈને નિરાશી, હશે અંતરે અધિક ઉદાસી. 2 માટે જૈ તમે ધીરજ આપો, કષ્ટ વિરહવિજોગનું કાપો; મુકતાનંદે તે આગન્યા ધારી, હાથ જોડીને વિનતિ ઉચ્ચારી. 3 આજ્ઞા આપની શીશ ધરીશ, ભુજ જૈ કહ્યું તેમ કરીશ; પણ વાત કહું એક જેહ, લેજો અંતરમાં ધરી તેહ. 4 અભિમાની આ રઘુનાથદાસ, રહે એવી મને નથી આશ; અંતે સત્સંગમાંથી તો જાશે, પૂરેપૂરો વળી દ્રોહી થાશે. 5 એને ગમતાં વચન ઉચરીને, રાખજો જેમ તેમ કરીને; જે જે બોલે તે બોલ સાંભળજો, અમદાબાદ એને મોકલજો. 6 એવી વાત વદીને વિશેષ, મુનિ મુકત ગયા કચ્છ દેશ; ઘણા સાધુ રહ્યા પ્રભુ પાસ, તેમાં મોટેરા તો રામદાસ. 7 જે જે કામ શ્રીહરિ આદરે, તે તો તેહને પૂછીને કરે; ભાવે સુણો અભેસિંહ ભ્રાત, હવે શ્રીહરિની કહું વાત. 8 પૂર્વછાયો:- વિપ્ર મહાભકત માવજી, જેનું ધોરાજીમાં ધામ; રામાનંદના કાર્યમાં, આવ્યા હતા ફણેણી ગામ. 9 ચોપાઈ:- તેણે પ્રેમથી શ્રીહરિ પાસ, કર્યા વિનતિનાં વચન પ્રકાશ; દયાસિંધુ દયા દિલ ધારો, ધર્મપુત્ર ધોરાજી પધારો. 10 રામાનંદના શિષ્ય છે જેહ, ઇચ્છે દર્શન આપનું એહ; ઘણા નાસ્તિક જન ત્યાં રહે છે, સ્વર્ગ નરકને મિથ્યા કહે છે.11 તેને જીતી કરો જેજેકાર, વેદધર્મનો […] read more
0 Views : 1582

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો:- શ્રીહરિ સોરઠ દેશમાં, ગયા તે પછી જે જે ગામ; તેહ કથા તમને કહું, સુણો નૃપ અભેસિંહનામ. 1 ચોપાઈ:- ચાલ્યા સોરઠમાં હરિ ફરવા, કૈંક જનને કૃતારથ કરવા; રામાનંદના વિરહી જન, શાંત કરવાને તેહનાં મન. 2 સંતમંડળ પાર્ષદ સાથ, ચાલ્યા ધોરાજીથી મુનિનાથ; સત્રાસે થઇ ભાડેર ગયા, તહાં પાદરમાં સ્થિર થયા. 3 સતસંગી મળી સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા; ગણું મુખ્ય તો ગોકુળદાસ, ભકત વાધજીનો ત્યાં નિવાસ.4 તેના પુત્ર દેહળજી નામ, ભકત વિપ્ર રુડા દેવરામ; તેણે પૂજા કરી ધરી ભાવ, રીઝ્યા તે થકી નટવર નાવ. 5 ત્યાંથી માણાવદર ગયા શામ, સામા આવ્યા ત્યાં ભટ મયારામ; ભૂપ વાબી ગજેફરખાન, સામા આવી કર્યું સનમાન. 6 કર્યો ઉતારો ભટજીને ઘેર, સભા નિત્ય સજે શુભપેર; રામાનંદની ગાદીની આશે, માંડ્યો પાખંડ રઘુનાથદાસે. 7 ગુરુડોળ બનાવીને બેશી, કાઢે શ્રીરામનંદની દેશી; ઘનશામનું બોલે ઘસાતું, સુણી સંતે સહન નથી થાતું. 8 કહે ગાદીનો વારસ હું છું, શ્રેષ્ઠ શિષ્ય તો હું જ ઠરુ છું; માટે મેં ગુરુનું પદ લીધું, રામાનંદે દૈવત મને દીધું. 9 એવાં સાંભળી વચન પ્રકાશ, ખીજયા સાધુ રામચર્ણદાસ; સાધુ તે રામાનંદના શિષ્ય, વાત ભાંખતા તે તો ભવિષ્ય. 10 ચાલ્યા ત્યાં થકી તે તો રિસાઇ, કહે કેમ કરે તે ઠગાઇ ? એનું મન છે મલીન અપાર, નથી સત્સંગમાં રહેનાર. 11 એમ કહીને ગયા સાધુ જયારે, મહારાજ ને ભટજી […] read more
0 Views : 1625

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો:- મહાપ્રભુ માંગરોળમાં, વશી પૂરો કર્યો પોષ માસ; વસંતપંચમીનો ભલો, ત્યાં તો દિવસ આવ્યો પાસ.1 ચોપાઈ:- માણાવદરના મેહેરબાન, ભલા ભૂપ ગજેફરખાન; તેણે મોકલ્યા ભટ મયારામ, ગયા તે સાથે ગોવિંદરામ. 2 ભકત પર્વત ને ભીમભાઇ, હરિભકત ચાલ્યા હરખાઇ; સતસંગીનો થઇને સમાજ, ગયા કૃષ્ણને તેડવા કાજ. 3 જૈને શ્રીજગજીવન પાસ, કરી પ્રેમથી વિનતિ પ્રકાશ; માણાવદરમાં મહારાજ, કરો આવી વસંતનું કાજ. 4 ત્યાંજ તેડી જવાને તમને, અવનીશ્વરે મોકલ્યા અમને; સંત હરિજનને લઇ સાથ, નેહ લાવી પધારોને નાથ. 5 માઘી પંચમીને દિન પ્રીતે, રંગખેલ કરો રુડી રીતે; પછી લૈ સાથે સંતસમાજ, ગયા માણાવદર મહારાજ. 6 ભટને ઘેર જૈ ભગવાને, કર્યો ઉતારો કરુણાનિધાને; આવ્યો પંચમીનો દિન જયારે, થયો સારો સમૈયો તે ત્યારે. 7 સારી અઠાવના તણી સાલે, કર્યો ઉત્સવ ત્યાં વૃષલાલે; દેશદેશના હરિજન આવ્યા, ભલી ભેટ સામગરી લાવ્યા. 8 પછી કેસર કેસુ પતંગ, રુડી રીતે રચાવિયા રંગ; લાવ્યા ખૂબ અબીર ગુલાલ, પીચકારિયોનો તેવો તાલ. 9 એક પાસે તો સંતસમાજ, બીજે પાર્ષદો ને મહારાજ; મળી ખૂબ કર્યો રંગખેલ, ચારે પાસે ચાલી રંગરેલ. 10 નાખ્યો ખૂબ ગુલાલ અબીર, પછી નાવા ગયા નરવીર; નદી ક્ષારવતી લક્ષ્મીઆરે, કર્યું સ્નાન ત્યાં ધર્મદુલારે. 11 ભટની વાડી માંહી પધારી, કરી જગ્યા પ્રસાદીની સારી; માણાવદરના શાહુકાર, નામ જાદવજી નિરધાર. 12 તેણે રેશમની કોરવાળો, ધોતી જોટો રુડો રુપાળો; ધર્મપુત્રની આગળ ધર્યો, ભલા ભાવ થકી […] read more
0 Views : 1511

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૮

પૂર્વછાયો:- સંવત શુભ અષાઢાદિની, બેઠી ઓગણસાઠની સાલ; મહાપ્રભુ માંગરોળમાં, વશી રહ્યા વરષા કાળ. 1 ચોપાઈ:- શુદિ બીજ અષાઢી ગણાય, રથજાત્રાનો ઉત્સવ થાય; પ્રભુ આજ્ઞાથી પૂરણ પ્રીતે, કર્યો ઉત્સવ તે રુડી રીતે. 2 દેવપોઢણી એ પછી આવી, ભલી એકાદશી મન ભાવી; સૌને નિયમ વિશેષ ધરાવ્યાં, ચાંદ્રાયણ આદિ વ્રત રખાવ્યાં. 3 કરે ગર્જના મેઘ આકાશે, થાય વીજળી ત્યાં ચારે પાસે; કયારે ઇન્દ્રધનુષ્ય દેખાય, વૃષ્ટિ વિશ્વ વિષે ઘણી થાય. 4 કરે મોર અધિક ઉચ્ચાર, ગાય મુનિજન રાગ મલાર; વદી અષાઢની દ્વિતીયાય, બેઠા હીંડોળે શ્રીહરિરાય. 5 આવી શ્રાવણી પૂનમ સારી, કર્યો ઉત્સવ કુંજવિહારી; જન્મઅષ્ટમીનો દિન આવ્યો, મોટો ઉત્સવ કૃષ્ણે કરાવ્યો. 6 પરગામ તણા સતસંગી, આવ્યા અંતરે અધિક ઉમંગી; અમદાવાદના જન આવ્યા, એ તો એવા સમાચાર લાવ્યા. 7 માંડી રઘુનાથદાસે ઉપાધી, કૈંક સાધુને લીધા છે સાધી; મહારાજની નિંદા કરે છે, સૌથી શ્રેષ્ઠ તો પોતે ઠરે છે. 8 વાત શ્રીહરિને તે સુણાવી, ત્યાંનો પત્ર આપ્યો વળી લાવી; હરિભકતોયે તેમાં લખેલું, અમને દુઃખ છે ઉપજેલું. 9 કોઇ સદ્ગુરુ મંડળ સાથ, અમદાવાદ મોકલો નાથ; આંહી આવી ઉપાધિ શમાવે, દાસ રઘુનાથને સમજાવે. 10 એવા સાંભળીને સમાચાર, વૃષનંદને કીધો વિચાર; રામદાસજીને કહી વાત, ઝટ જાઓ તમે ગુજરાત. 11 જૈને સર્વે ઉપાધિ શમાવો, દાસ રઘુનાથને સમજાવો; જો તે સતસંગમાંથી નિસરશે, કૈંક જીવનું પણ ભૂંડુ કરશે. 12 માટે રાખજો જેમ તેમ કરી, […] read more
0 Views : 1713

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ર૮

પૂર્વછાયો:- લીલા શ્રીહરિની નિરખવા, સતસંગીનો આવે સમાજ; 1 જીવોખાચર ગઢપુર થકી, ત્યારે આવિયા દર્શન કાજ. ચોપાઈ:- સાથે પુત્રી છે અમૂલાંબાઇ, બીજી અમરબાઇ ગણાઇ; 2 મુળુખાચર આવિયા સાથ, નેહે નિરખિયા નટવર નાથ. ખાસી રીતે તળાવ ખોદાય, સહુ ત્યાં મળી દર્શને જાય; 3 ભૂખ્યા થાય જનો તેને કાજ, કરે એવું શ્રીજીમહારાજ. આગલે દિવસ સંધ્યાકાળે, બાજરો ડોઢ કળશી પલાળે; 4 બીજે દિવસ બપોરને ટાણે, કામ ચાલતું હોય ત્યાં આણે. પ્રભુ પોષ ભરી ભરી દેય, સહુને તે પહોંચી રહેય; 5 જયારે આવ્યું સજીવન નીર, નાહ્યા તે વિષે શામશરીર. પ્રેમથી પ્રભુયે જળ પીધું, ચરણામૃત સૌ જને લીધું; 6 ત્રણ માસ લગી તેહ ઠામ, રાખ્યું ખોદ્યાનું ચાલતું કામ. વળી તેહ તળાવ મોઝાર, દિશા પશ્ચિમમાં તેહ ઠાર; 7 પૂર્વ પશ્ચિમ કુંડ કરાવ્યા, રામ ને ભીમ કુંડ ઠરાવ્યા. તેમાં નાહ્યા મોટા મોટા સંત, ઘણી વાર નાહ્યા ભગવંત;8 તેથી તીર્થ મોટું એહ આજ, કોણમાત્ર તે પુષ્કરરાજ. સર્વ તીરથ વસે ત્યાં કણે, ગંગા ગોમતીને કોણ ગણે; 9 પાણી પુષ્કળ ત્યાં થયું જયારે, વિષ્ણુયાગ આરંભિયો ત્યારે. શ્રૌત સ્માર્ત ક્રિયા જાણકાર, ત્યાં તો તેડાવ્યા વિપ્ર અપાર; 10 પૂર્ત્તકર્મ તળાવનું કર્યું, પછી યજ્ઞનું કામ આદર્યું. ઘણા વિપ્ર વરૂણીમાં વર્યા, પાઠ વિષ્ણુસહસ્રના કર્યા; 11 નિત્ય બ્રાહ્મણ ભોજન થાય, તે તો ગણતાં નહીં જ ગણાય. દિશા પશ્ચિમે સરોવર પાળે, ચોકા ચાળીશ કીધા તે કાળે; 12 […] read more
0 Views : 1441

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૧

શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। શ્રીહરિલીલામૃતમ્ ।। દીક્ષાનામ ચતુર્થઃ કલશઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ જે હરિ લોજ માંહી શિખવી અષ્ટાંગયોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો તે પીપળાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીયે ધુર સંપ્રદાય તણી તો જૈ જેતપૂરે દીધી. 1 પૂર્વછાયો:- વર્ણી કહે નરપતિ સુણો, ધરી શ્રીહરિ વરણી વેશ; ફરતા ફરતા લોજમાં, આવ્યા સુંદર સોરઠ દેશ. 2 ચોપાઈ:- ગયાં સંવત શતક અઢાર, આષાઢાદિ છપન મોઝાર; હતી શ્રાવણી છઠ્ય અંધારી, પ્રભાતે આવ્યા લોજ મોરારી. 3 ફર્યા સાત વરસ એક માસ, અગિયાર દિવસ વનવાસ; લોજથી દિશા ઉત્તરમાંય, દીઠી વાવ તથા વડ ત્યાંય. 4 કર્યું વાવ વિષે જઇ સ્નાન, વડ હેઠે ગયા ભગવાન; ભલી એક શીલા મોટી ભાળી, બેઠાં તે પર શ્રીવનમાળી. 5 જનમનને હરણ કરે જેવી, દિસે મૂર્તિ મનોહર એવી; પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. 6 દષ્ટિ ચંદ્રે ચકોરની જાય, તે તો પાછી વાળી ન વળાય; લોહને તો ચમક ખેંચે જેમ, જનમન હરિમાં જાય તેમ. 7 જળ ભરવા આવે ઘણી નારી, રહે મૂર્તિ વિષે દષ્ટિ ધારી; લીધા કોઇયે જળઘટ માથે, કોઇ માથે અને એક હાથે. 8 મૂર્તિ દેખી રહી સ્થિર ઠરી, જાણે ચિત્રમાં હોય ચિતરી; ધ્યાનમુદ્રાયે ધર્મકુમાર, બેઠા સ્થિર થઇ તેહ ઠાર. 9 જોઇ બોલે પરસ્પર નારી, આ તે કોણ હશે બ્રહ્મચારી ? એની કાયા […] read more
0 Views : 1614

હરિલીલામૃત, કળશ- ૦પ, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો:- વાસ વસે અગત્રાઇમાં, હરિભકત ભલા ભીમભાઇ; વાત કહું એક એહની, અભેસિંહ સુણો હરખાઇ. 1 ચોપાઈ:- એક અવસરે શ્રીહરિ પાસ, બેઠા સંત તથા હરિદાસ; તેમાં બેઠા હતા ભીમભાઇ, કથા કૃષ્ણલીલાની વંચાઇ. 2 પુરુષોત્તમનો મહિમાય, સુણી હૈયામાં હરખ ન માય; હરિભકતનો મહિમા વિચારી, અંગોઅંગમાં લાગી ખુમારી. 3 પછી પ્રભુપદ કરીને પ્રણામ, ગયા ખેતરે કરવાને કામ; ત્યાં તો અવની થકી એક ઠાર, લાખો કીડિયો નિકળી બહાર. 4 તેને દેખી દયા દિલે ધારી, કર્યો સંકલ્પ કૃષ્ણ સંભારી; અહો ભકિતતનુજ ભગવાન, દીનબંધુ દયાના નિધાન. 5 આવા પ્રાણીની શી ગતિ થાશે ? વળી વૈકુંઠમાં કયારે જાશે ? કશું સામર્થ્ય જો હોય મારું, બધિયોને વિમાને બેસારું. 6 સૌને વૈકુંઠ માંહી વસાવું, એનું સંકટ સર્વ નસાવું; એવો ચિત્તમાં કીધો વિચાર, ત્યાં તો આવ્યાં વિમાન અપાર. 7 કીડિયોયે તજી નિજ કાયા, દિવ્યદેહ તે સૌના દેખાયા; રુડાં દિસે ચતુર્ભુજ રૂપ, બેઠાં વિમાનમાં સુખરૂપ. 8 વશ્યા જૈને તે વૈકુંઠ વાસ, ભીમભાઇ આવ્યા પ્રભુ પાસ; બધી વાત કરી રૂડી રીતે, પૂછ્યાં પ્રશ્ન પછી પુરી પ્રીતે. 9 કીડીયોનાં તે શાં હશે કર્મ ? મહારાજ કહો તેનો મર્મ; દેવતા પણ દુર્લભ જાણે, ઠરી કેમ તે એવે ઠેકાણે ? 10 સુણી બોલ્યા સદા સુખદાઇ, સુણો ભકત ભલા ભીમભાઇ; થાય અંશ કળા અવતાર, ત્યારે ભકત પામે ભવપાર. 11 પુરુષોત્તમ પોતે પધારે, તેની રીત જુદી હોય […] read more
0 Views : 346

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦ર

પૂર્વછાયો:- પ્રશ્ન તણા ઉત્તર કર્યા, નિજ મતિયે મુકતાનંદ; તે સરવે સુણી પામિયા, વૃષનંદન ઉર આનંદ. 1 ચોપાઈ:- બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી; ઘણા સંતોની મેં મતિ જોઇ, આવા ઉત્તર આપે ન કોઇ.2 તમે સદ્ગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય; આંહી દિસે છે ઉત્તમ ધર્મ, અંશમાત્રે નથી જ અધર્મ. 3 ગાંજા ભાંગ પીતા નથી કોઇ, સુંઘવાની તમાકુ ન જોઇ; તમ પાસે રહે ઘણા સંત, દિસે સર્વે તે વૈરાગ્યવંત. 4 સૌનાં નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત; ઘણાં જોયાં અમે તીર્થ ધામ, નથી સંત આવા કોઇ ઠામ. 5 શાણા સદ્ગરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા; નહિ તો શુદ્ધ આ સંપ્રદાય, કળિકાળમાં કયાંથી જણાય.6 સુણી બોલિયા મુકતાનંદ, આપ છોજી મુનિવર ચંદ; આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઇ ઠાર. 7 ગુરુજી રામાનંદ છે જેહ, અવતાર ઇશ્વરનો છે તેહ; તેને મળશો તમે વળી જયારે, થશે હર્ષ પરસ્પર ત્યારે. 8 સુણી બોલિયા સુંદરશામ, રામાનંદનું જાણું છું નામ; એ છે ઉદ્ધવનો અવતાર, નથી સંશય એમાં લગાર. 9 ધર્મદેવ પિતા મુજ જેહ, રામાનંદ તણા શિષ્ય તેહ; બાળાપણમાં મને સાક્ષાત, મુજ તાતે કહી હતી વાત. 10 મને સ્મરણ થયું હવે એનું, માટે ઇચ્છું છું દર્શન તેનું; મુકતનાંદજી બોલ્યા હુલાસે, ગુરુ આવશે દર્શન થાશે. 11 વસો આંહી કરીને […] read more
0 Views : 1472
Powered By Indic IME