Last Updated:
May 5, 2025

Click here to submit your article
હરિલીલામૃત
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧પ

પૂર્વછાયો:- હે નૃપ  જે ઓટો  કહ્યો, મોટા  મંદિર  પાછળ  ઠાર; સભા  સજીને બિરાજતા,  બહુવાર ત્યાં જગદાધાર. 1 ચોપાઈ:- સાલ પંચોતેરા તણી જયારે, એક ઓરડામાં તેહ વારે; નરનારાયણ  પધરાવ્યા, પ્રબોધનીયે ફરી હરિ આવ્યા. 02 થયોજાતો ત્યારે સમૈયો સારો, આવ્યાજાતા હરિભકત હજારો; ત્યારે ઓટા ઉપર હરિ બેઠા, બેઠા સંત હરિજન હેઠા. 03 બોલ્યા શ્રીમુખે શ્રીમહારાજ,  સુણો હરિજન  સંત સમાજ; અમે કરતા સમૈયા  જયારે, લખી  પત્ર  તેડાવતા  ત્યારે. 04 કર્યો આજ થકી નિરધાર,  કરવા સમૈયા  બે આ  ઠાર; હરિનૌમી પ્રબોધિની જયારે, આંહિ આવજો સૌ જન ત્યારે. 05 સુણી હરિજન  સૌ ખુશી થયા, દીનબંધુ તણી દીઠી દયા; વસો નિવાસી તુલસીદાસ, આવ્યા શ્રીપરમેશ્વર પાસ. 06 તેના  પુત્ર  જે વાઘજીભાઈ,  તેની  ઉંમર  તો  લઘુતાઇ; તેડ્યા વાંસજીભાઇયે તેને, હરિચરણે લગાડિયા એને. 07 રુપૈયો એક ભેટ મુકાવ્યો, હરિનો શિર હાથ  ધરાવ્યો; કેના પુત્ર પૂછ્યું સુખદાઈ, ત્યારે બોલિયા ગોકળભાઇ. 08 તે તો સોજિતરાના નિવાસી, પોતે પ્રગટ પ્રભુના ઉપાસી; અહો નાથ  પ્રણત પ્રતિપાળ, તુલસીભાઇનો આ છે બાળ. 09 કહે કૃષ્ણ તે તો સારો થાશે, તાતતુલ્ય  તે ભકત  ગણાશે; સુણી રાજી થયા સર્વે જન, પછી સૌ ગયા આપ સદન.10 હવે સ્થાન  બીજા  તણી વાત, કહું તે તમે સાંભળો ભ્રાત; મંદિરે છે પ્રદક્ષિણા જેહ, જાણો પ્રભુપદ અંકિત એહ. 11 એક માસ સુધી રુડી રીતે,  ફર્યા સો સો પ્રદક્ષિણા નિત્યે; નિજદાસને શિક્ષણ  કામ,  […] read more
0 Views : 343

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૪

પૂર્વછાયો:- ભૂપ  કહે બ્રહ્મચારીને,  અહો  વિચક્ષણ  વરણીશ; સ્થાન  કહો  વરતાલનાં,  જહાં જહાં ફર્યા જગદીશ. 01 કયાં કયાં કૃષ્ણ બિરાજીયા ?, કયાં જમ્યા સભા ભરી કયાંય? આવી પ્રસાદી કયાં રહી ?, કહો જે જે ક્રિયા કરી જયાંય. 02 ચોપાઈ:- બ્રહ્મચારી  કહે સુણો ભૂપ, તમે પૂછિયો પ્રશ્વ્ન અનૂપ; ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી, વાલા તમને છે વિશ્વવિહારી. 03 વરતાલ  માંહિ  જે જે સ્થાને, કરી ભિન્ન  ક્રિયા ભગવાને; તે હું સંક્ષેપે તમને સુણાવું, બધાં સ્થાન શી રીતે બતાવું ? 04 કૃપાસિંધુ શ્રીધર્મકુમાર,  વરતાલ  આવ્યા  ઘણીવાર; ગામમાં સીમમાં સર્વ ઠામ,  ઘણીવાર ફર્યા ઘનશ્યામ. 05 સ્થળ જે જે પ્રસિદ્ધ હું જાણું, તમ આગળ તેહ વખાણું; કહ્યાં છે તે ફરી  કહેવાશે, પુનરુકિત  તો તેથકી થાશે. 06 પણ  કૃષ્ણકથા  કહેવાય,  પુનરુકિતનો  બાધ  ન  થાય; મોટું મંદિર છે આજ જયાંય, પહેલાં બદરી હતી ત્યાંય. 07 ધર્મપુત્રે ધરા શુચિ ધારી, ઘણીવાર સભા સજી સારી; તહાં ઓરડો કરી તતખેવ, સ્થાપ્યા નર ને નારાયણ દેવ. 08 ત્યારે ત્યાં થકી પશ્ચિમ પાસ, રહેતા ભાઈ શ્રીરામદાસ; હતી બે ઓરડી તેહ ઠાર, વાલો બેઠા તેમાં ઘણીવાર. 09 માંડ્યું મંદિર ચણાવાને જયારે, દેવ નર ને નારાયણ ત્યારે; ઓરડા માંહિથી તો ઉઠાવ્યા, એક  ઓરડીમાં પધરાવ્યા. 10 ચાલે ચણવાનું કામ જે દાડે,  સતસંગીયો ઇંટો ઉપાડે; ભકિત ભાવ ધરી કરે સંત, મનમાં સૌને મમત અંત્યત. 11 શ્રીજી પંડે […] read more
0 Views : 1453

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૩

પૂર્વછાયો:- ભૂમાનંદ  મુનિ  કહે,  સુણો  સ્નેહથી  વાઘજીભાઈ; હરિલીલામૃત  ગ્રંથની,  ઉતપતિ  કહું સુખદાઈ. 1 ચોપાઈ:- કથા વકતા શ્રીઅચિંત્યાનંદ, જે છે વર્ણી મંડળમાં ચંદ; શ્રોતા ભકત અભેસિંહરાય, તેની જાણવા   મૂળ કથાય. 2 કહ્યું ગોંડળનું આખ્યાન, જે છે જાણવા જોગ્ય નિદાન; જદુવંશમાં રાજાઓ જેહ, થયા સત્સંગી મેં કહ્યા તેહ. 3 થયા ગોંડળના જે રાજાજી, જેનું નામ ભલું જ દેવાજી; તેના ભાઈ હઠીસિંહ નામ, ભાવસિંહ  બીજા અભિરામ. 4 હઠીસિંહનો  વંશ  વખાણું,  સુત  નોંધણજી  એક  જાણું; થયા પુત્ર તે રવોજી  તેના, મોટા પુત્ર, વખતસિંહ જેના. 5 છોટા દોલતસિંહજી જાણો, મોટાના   હરિભાઈ  પ્રમાણો; હઠીસિંહનો વંશ વખાણ્યો, ભાવસિંહજીનો હવે જાણો. 6 ખેંગાભાઇ તથા મોડભાઇ, ત્રીજા ભગવાનજી પણ ન્યાયી; ભાવસિંહના  તે ત્રણ  પુત્ર,  સતસંગી  સઊ  ઘરસૂત્ર. 7 ખેંગાજીના  કુંવર સુખદાઈ,  અભેસિંહ તથા  વજુભાઈ; અભેસિંહ તણા  સુત જેહ, નામે ભગવતસિંહજી  તેહ. 8 મોડભાઈ તણા જુણોભાઈ, તેના  કુંવર કહું હરખાઈ; રામસિંહ હરિસિંહ  નામ, તેને વાલા ઘણા  ઘનશ્યામ. 9 ભગવાનજીના પથોભાઈ,  ત્રણ  કુંવર  તેના કહું ગાઈ; એક  અમરસિંહજી  ભણિજે, બીજા તો રત્નસિંહ ગણિજે. 10 નારસિંહજી ત્રીજાનું નામ, ત્રણે કુંવર તે સદ્ગુણ ધામ; સુત ખેંગારજીના વિખ્યાત,  અભેસિંહ તણી સુણો વાત. 11 પૂર્વછાયો:- લાયક  છે હાલારમાં,  એક  ગણોદ  ગુણીયલ  ગામ; ભાદર  ભલી  ભાગીરથી,  સરિતા  વહે તે ઠામ. 12 ચોપાઈ:- જેમાં નાહ્યા છે શ્રીમહારાજ, સાથે લઈ  સઉ સંતસમાજ; માટે તીર્થ ગણાય  છે તેહ,  જાણે […] read more
0 Views : 1559

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૨

ઉપજાતિ:- સર્વોપરી ઉત્તમ હાથી એક, અંબાડીયે નંગ જડ્યાં અનેક; બિરાજીયા ત્યાં ભગવત્પ્રસાદ, ત્યારે થયો ત્યાં જયશબ્દ નાદ. 1 કરે શિરે ચામર નંદકૃશ્ના,  જેને નહી આ જગકેરી તૃષ્ણા; તથા બિરાજયા શુભ તાવદાને, પ્રભુપ્રસાદ પ્રભુ રાખી ધ્યાને. 2 હોદો ભલો હાથી તણો વિશાળ, વિરાજીયા ત્યાંજ વિહારીલાલ; તે પાસ નારાયણસુપ્રસાદ, વિરાજીયા સર્વ તજી વિષાદ. 3 મેના રથો પાલખીમાં સુસંત, વિરાજીયા જે મુનિયો મહંત; આચાર્યની ને નૃપપુત્ર કેરી, અસ્વારી શોભે મળીને ઘણેરી. 4 ત્રિવેણિકા સાગર પ્રાપ્ત જેમ, પ્રવેશ કીધો પુર મધ્ય  તેમ; શ્વેતાંબરી જે જન છે અથાહ, તે જાણીયે ગંગ તણો પ્રવાહ. 5 કૃષ્ણાંબરી પોલિસના સિપાઇ, તે જાણિયે શું જમુના વહાઇ; રકતાંબરી સંત અનંત જેહ, સરસ્વતી નીર સમાન તેહ. 6 સ્વારી તણું વર્ણન શું વખાણું, ધર્મિષ્ઠ છે ઉત્તમ તેથી જાણું; મળ્યા હરિભકત મુનિ અપાર, શોભે ઘણા ત્યાં નૃપના સવાર. 7 હરિગીત છંદ:- અસવાર સંગ  અપાર જનની લાર લાંબી થાય  છે, ગુણ ગાય વાજાં વાય જય જય થાય પુરમાં જાય છે; વાજે સુડંકા  જોધ  વંકા  ઉર  અશંકા  ધારી  છે, અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 8 ગજ  અગ્ર પાળા શસ્ત્રવાળા દિલ  દયાળા છે  ઘણા, બંદૂક છોડે ચાલી  જોડે માન મોડે અરિ તણાં; બોકાની વાળી બહુ રુપાળી ભાળી ખળ ભયકારી છે, અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 9 ગણનાથ જેવા તરુણ તેવા ઇભ એવા મન હરે, […] read more
0 Views : 1574

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૧

ઉપજાતિ:- પચીશમી સાલ  વિષે વિચાર્યું, વૈશાખ  વૃત્તાલ  જવાનું ધાર્યું; રાણી તથા રાજકુમાર લૈને, ચાલ્યા ધરાધીશ્વર સજ્જ  થૈને. 1 સાથે લીધા સુજ્ઞ દવે પ્રધાન, સેના સજી વાસવની સમાન; દેવાજી પાસે હઠીસિંહ જેમ, સંગ્રામજી પાસ સદૈવ તેમ. 2 હતા અભેસિંહ  ગણોદવાળા,  સલાહકારી સુમતિ  વિશાળા; થોડા દિને તે વરતાલ્ય આવ્યા, સારી જગોયે સહુને વસાવ્યા. 3 શ્રીલક્ષ્મીનારાયણ આદિ કેરી, મૂર્તિ ચમત્કારી દીઠી ઘણેરી; પ્રેમે નૃપાળે કરીને પ્રણામ, અમૂલ્ય  ભેટ્યો ધરી એહ ઠામ. 4 તહાં પગે કુંવરને લગાડ્યા, ઉચાટ સર્વે મનના મટાડ્યા; હતા જહાં શ્રીભગવત્પ્રસાદ, રાજા ગયા ત્યાં તજીને પ્રમાદ. 5 પ્રેમે કર્યા દંડવત  પ્રણામ,  બેઠા  સમીપે નૃપ  સંગરામ; સંતો સહુને પણ શીશ નામી, રાખી નહી નમ્રપણાની ખામી. 6 સ્વપુત્રને શીખવી સારી રીત, પગે લગાડ્યા સહુને સપ્રીત; વળી ઉચ્ચારી વિનતી અગર્વે, આશ્ચર્ય પામ્યા હરિભકત સર્વે. 7 નિવાસ કીધો નૃપ દોઢ માસ, સુણ્યો સદા જ્ઞાન તણો વિલાસ; આચાર્ય સંતો સહુને રીઝાવ્યા, પછી સુવૃત્તાલયથી સિધાવ્યા. 8 છવીસમી વિક્રમ સાલ આવી, રાજા વસ્યા સ્વર્ગ વિષે સિધાવી; થયા જનો સૌ અતિશે ઉદાસી, રાણી  તથા રૈયત દાસ દાસી. 9 સંગ્રામજી સાર્થક દેહ કીધો, આ લોકમાં લાભ અલભ્ય લીધો; જે થોડું જીવે પણ ધર્મ સાધે, તો સ્વર્ગમાં આયુષ તેની વાધે. 10 જીવે ઘણું ને ન સજે સુઅર્થ, તો વર્ષ તેનાં શત જાય વ્યર્થ; નાણું કમાવા પરદેશ જાય, બેશી રહે તો દિન  […] read more
0 Views : 1522

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૦

 ઉપજાતિ:- ગુણાતીતાનંદ મુનીન્દ્ર સાથે, પ્રીતિ  કરી ગોંડળ રાજયનાથે; સુણે કથા કૃષ્ણની તેહ  ઠામ, સંગ્રામજી  છે શુભ જેનું નામ. 1 તે તો મુનિ જીર્ણગઢે રહેતા, દૈવી જનોને ઉપદેશ દેતા; તેડાવતા ગોંડળનાથ જયારે,  પધારતા ગોંડળ માંહિ ત્યારે. 2 વર્ણી અચિંતાખ્ય સુજાણ જેહ, તેને કદી મોકલતા જ  તેહ; સંગ્રામજીને સુકથા  સુણાવે, સત્સંગ  કેરી દઢતા  કરાવે. 3 શ્રીમોંઘિબાએ વળી એક ટાણે, તેડ્યા ગુણાતીત ગુરુ પ્રમાણે; પૂજા કરાવી નિજનાથ પાસ, જણાવી પોતા તણી જેહ આશ. 4 મને મુનિ  આશીરવાદ આપે, સુપુત્ર પામું મુનિને પ્રતાપે; પતિ મુખે તે સતિયે કહાવ્યું, બોલ્યા મુનિ તે નૃપ ચિત્ત ભાવ્યું.5 સુપુત્ર થાશે ભગવત્પ્રતાપે, પ્રસન્ન થાશો પતિ પત્નિ આપે; વિતી ગયા તે પછી બાર માસ, તે મોંઘિબાની થઈ પૂર્ણ આશ. 6 શ્રી વિક્રમાર્કે શત  ઓગણીશ, વર્ષો થયાં ઊપર એકવીશ; શ્રીમોંઘિબા પુણ્ય  ઉદે અપાર,  જે ઇશ્વરે એક દીધો કુમાર. 7 ગુરૂ ગુણાતીત મુનીન્દ્ર જેહ, તેડાવિયા જીર્ણગઢેથી તેહ; મુનીન્દ્ર તે ગોંડળ ગામ આવ્યા, ભૂપાળના અંતર માંહિ ભાવ્યા. 8 ભૂપે કહ્યું હે મુનિ હેત લાવો, આ પુત્રનું નામ તમે ઠરાવો; મુનિ કહે શ્રી ભગવત્સપ્રસાદ,  તેનું રહે નામ સદૈવ યાદ. 9 તે શ્રીહરિની શુભ ગાદીયે છે, ગુરૂ અમારા પણ આજ એ છે; મારું કહ્યું જો મન માંહિ લાવો, તો નામ રુડું ભગવત્ ધરાવો. 10 પાડયું પછી ઉત્તમ નામ  એવું, સિંહાંત ક્ષત્રિકુળ યોગ્ય જેવું; રહ્યા ઘણા […] read more
0 Views : 1396

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૯

ઉપજાતિ:- સંગ્રામજી  ગોંડળ રાજયકાર, તેના થયા શ્રીપથુભા કુમાર; રાણી હતી તે સરગે સિધાવી, કહ્યું પ્રધાને નૃપ પાસ આવી. 1 રાજા  તણી નીતિ રુડા કવિયે,  રચેલી છે  જે જસુ રામજીયે; અષ્ટાંગ તો રાજય તણાં ગણાવ્યાં, ન હોય તો ખંડિત તે જણાવ્યાં. 2 રાજા  તથા રાણી તથા કુમાર, પ્રધાન  સેના વસતી સુમાર; વજીર શાણો સુકવિપ્રસંગ, આઠે કહ્યાં રાજય  તણાં સુઅંગ. 3 રાણી વિના રાજય રુડું ન દિસે, શું આપ આગે ઉચરું અતીશે; માટે વરો ઉત્તમ એક રાણી, જે રાજની નીતિ સુજાણ શાણી. 4 ઝાલા મીણાપુર તણા  પતિ છે, સુનામ  જેનું સુરતાનજી છે; છે મોંઘિબા નામ ભલી  કુમારી, પવિત્ર ગંગાજળ તુલ્ય સારી. 5 તે સાથ ભૂપે પછી લગ્ન કીધું, સુમંત્રીનું વાયક માની લીધું; રુડા ચુડા ગામ તણા નિવાસી, અૌદીચ નાતે સુમતિ પ્રકાશી. 6 વૈતાલીય:- હરજીવન નામ જે હતા, અતિશાણા ધરમિષ્ઠ તે છતા; પટરાણીની સાથ આવિયા,  નૃપ સંગ્રામ  દિલે સુભાવિયા. 7 મતિમાન  વિશેષ  જાણીયા, નિજમંત્રી પછી તો પ્રમાણીયા; હરિભકત થયા નરેશ તે,  મુનિ કેરો  સુણી ઊપદેશ  તે. 8 શિખરિણી :- ગુણાતીતાનંદ   પ્રગટ  પ્રભુના પૂજક  સદા, નૃપે તેડાવીને હરિ તણી  સુવાર્તા સુણી મુદા; ગુરૂ કીધા પોતે નિયમ ધરી કંઠી પણ ધરી, સુભાવેથી ભકિત પ્રગટ  પ્રભુ કેરી બહુ કરી. 9 થયા ચારે પુત્રો હરજીવનના  તે પણ  કહું, ભલા ભકતો સારા સમજણ્ય વળી ઉત્તમ બહુ; વડા તો […] read more
0 Views : 1378

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૪

ઉપજાતિ:- કહે ભૂમાનંદ ઘણે વહાલે, વળી મહારાજ   વિહારીલાલે; અંબાઇદાસાખ્ય સુભકત જેહ, કોઠારી તેડ્યા નિજ પાસ તેહ. 1 ખેડા તણા તે પણ પાટિદાર,  જયારે હતા વર્ષ વયે અઢાર; વૈરાગ્ય પામી ઘરબાર ત્યાગી, વૃત્તાલયે આવી વસ્યા સુભાગી. 2 અઢારસેં ઉપર તો અઠાશી, જયારે ભલી વિક્રમ સાલ ભાસી; આચાર્યજી શ્રીરઘુવીરજીયે, તથા દયા કીધી બધા મુનિયે. 3 વૃત્તાલના મંદિરનો ઉદાર, ભળાવિ  દીધો કુલ કારભાર; તે કામ તેણે નિજશીશ લીધું,  વખાણવા લાયક  તેહ  કીધું. 4 કોઠારી ત્રીજા પણ તે પ્રમાણ, જે ભીમજીભાઇ ભલા સુજાણ; તે મૂળ તો મોઢ વણિક નાતે, રહ્યાં સદા નૈષ્ઠિક આપ જાતે. 5 તેણે ધર્યો જન્મ  શિહોરમાંય, વશી રહ્યાં ષોડશ વર્ષ ત્યાંય; તે ઓગણીસેં ત્રણ કેરી સાલે, ત્યાગી થયા સત્વર તેહ કાળે. 6 છે ભાલ માંહિ અણિયાળી ગામ, ત્યાં વાણિયા મોઢ વસે સુઠામ; થયા પુંજાભાઇ ભલાજ ભકત, શ્રીજી છતાં તેહ થયા વિરકત. 7 સમગ્ર પુંજી  ઘરની  લઇને,  પોતે પછી  દુર્ગપુરે જઇને; શ્રીજીપદે અર્પણ સર્વ કીધું, ત્યાગી થવાનું પણ માંગી લીધું. 8 પ્રસન્ન થૈને વૃષવંશિ રાજ, સોંપ્યું બધું મંદિર કેરું કાજ; જયારે પછી શ્રીજી ગયા સ્વધામ, તથાપિ શેઠે કર્યું તેહ કામ. 9 ત્યાગી થવા ભીમજીભાઇ આવ્યા, તે શેઠના શિષ્ય તહાં ઠરાવ્યા; જયારે પુંજાશેઠ ગયા સુધામ, તેનું કરે ભીમજીભાઇ કામ. 10 તેને વળી ગ્રંથ વિચાર કાળે, બોલાવિયા પાસ વિહારીલાલે; ચતુર્થ કોઠારી સુલક્ષ્મીદાસ, સંક્ષેપ  એનો […] read more
0 Views : 1458
Powered By Indic IME