Last Updated:
May 5, 2025

Click here to submit your article
હરિલીલામૃત
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૩

દોહરો :- ધર્મ  ભકિત  સ્તુતિ  ઉચ્ચરે,  પ્રેમે  જોડી  પાણ; જય  જય  સમસ્ત  જીવન,  પ્રભુજી  જીવનપ્રાણ. કોકિલવૃત્ત-વેદસ્તુતિનું :- જયજય  જીવના  પરમ  જીવન  પ્રાણ  પ્રભો, નિજજન પાળ છો વરદ વિશ્વનિવાસ વિભો; નિજકર  મોરલી  ધરણ  હે  કરુણાયતન, રમણીય  રાધિકારમણ  શ્યામ  સુખાયતન.2 મુનિપતિ  માવજી  અકળ  ઇશ  અજેશ  હરી, નિજજનના  મનોરથ  પ્રપૂર્ણ  દીધા  જ  કરી; સદગુણના  નિધિ  જગદધીશ  જયાધિપતિ,તવ  પદપદ્મને  પ્રણમીયે  પ્રિયજાણી  અતિ.3 ભવભીત  ભાંગવા  ભજન  ભકત  તમારું  કરે,તવ  પદ  માનીને  સુખદ  દિલ  સદૈવ  ધરે; મુનિ  જન  ઇંદ્રિયો  વશ  કરી  તમને  જ  ભજે,તવ  પદ  પામવા  જગની  આશ  સમસ્ત  તજે.4 જય  નવ  મેધના  સમ  શરીર  નવીન    નિધી, અમપર  નેહની  નજર  આપ  અમાપ  કિધી; નખમણિ  કોટિધા  રવિ  શશાંક  સમાન  લસે, હરિજનના  સદા  હૃદયમાં  જ  નિવાસ  વસે.5 અજ ભવ આદિને અતિ અસહ્ય તમારી અજા, તવ  પદનાવથી  તરી  શકાય  તરે  ન  ભુજા; પરમ  પવિત્ર  તે  ચરણ  આજ  દીઠાં  જ  અમે, અમ  પર  રીઝિયા  અધિક  હેત  ધરી  જ  તમે.6 શ્રુતિગણ  સાંગ  જે  ચરણના  ગુણ  ગાય  સદા, શરણ  લીધું  અમે  ચરણનું  મન  માંહિ  મુદા; તજી  ન  જશો  કદી  પ્રણતપાળ  દયાળ  તમે, પદ  નમી  માગિયે  વદનથી  વર  એ  જ  અમે,7 પ્રભુ  તવ  રૂપનો  સુરથી  નિર્ણય  થાય  નહીં, જુગજુગ  જન્મનું  ધરણ  એ  જ  નિમિત્ત  અહીં; ચરિત  રુડાં  કરો  સ્વજનને  સુખદેણ  વળી, ગુણગણ ગાય તો ભવની ભીતિ ગણાય ટળી.8 દઇ  નિજ  જ્ઞાનને  જન  તણી  […] read more
0 Views : 1512

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૨

અથ શ્રીહરિજન્મસમયે વસંતાગમનવર્ણન :- દ્રુતવિલંબિત :- ઉપવને પવને ત્રિવિધી ધરી, સરસતા  રસતાની બહુ કરી; ખગ રુડાં ગરુડાદિ ગણાય છે, સુમનથી મનથી હરખાય છે.1 વન વિષે નવિ શેવતિયો દિસે, બહુ લસે હુલસે જન તે વિષે; ઉચરતી ચરતી વળી કોકિલા, ઠીક થતી કથતી જશ શું ઇલા.2 જનમતી નમતી લતિકા બહુ, અગણિતો ગણિતો ગણિ શું કહું; અભવ સંભવ સંધિથી રાચતી, વનટકી નટકી કિશું નાચતી.3 ભ્રમરજી  મરજી  મનમાં  ધરી,  રવ  કરે  વકરે  મધુતા  હરી; ભજનમાં જનમાં મલકાય છે, ખચિતથી ચિત્તથી ગુણ ગાય છે.4 કમળતો મળતો ગુણ સંઘરે, વિમળતા મળતા તજીને ધરે; અમિતમાં મિતમાં જળમાં સહી, વશિ રહે શિર હેઠું કરે નહી.5 સકળિયો કળિયો સુપલાશની, વનફુલી ન ફુલી કળિ ઘાસની; દ્રુમલતા મળતા રિતુમાં ખિલે, પથરના થર ના કદીયે ફુલે.6 અસુરની સુરની સહુ સંપદા, પ્રસરવા સરવાર વિષે તદા; વિદિશથી દિશથી વશિ નેહથી, અચળ થૈ ચળ થૈ ખળ ગેહથી.7 સુકવિ તો કવિતો રિતુના કરે, રચિરચી ચિર ચિત્ત વિષે ધરે; વસુમતી સુમતી જન જે સજે, અચરના ચરના પતિને ભજે.8 ઉપજાતિ :- વસંતમાં  સંત  તથા  અસંત,  આનંદ  પામે  ઉરમાં  અનંત; ભાનુ પ્રકાશે સુખ થાય ભારી, ક્રિયા જુદી સજ્જન ને શિકારી.9 ભકિત તણા અંગનું તેજ જેહ, વસંતથી ઓપ્યું વિશેષ તેહ; તે  જેમ  કાંતિ  જળજાત  કેરી,  ભાનૂ  પ્રકાશે  પ્રગટે  ઘણેરી.10 તેવે સમે સૌ સુર વજ્રપાણિ, પ્રભુ તણો પ્રાદુરભાવ જાણી; અજાદિ તે […] read more
0 Views : 1445

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૧

બાલચરિત્રનામ દ્વિતીયકલશ-પ્રારંભઃ   શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ  શ્રીહરિકૃષ્ણ  ધર્મસદને  જૈ  જન્મ  જેણે  ધર્યો, કૃત્યાનો વળી  કાળિદત્ત ખળનો જેણે પરાજય કર્યો; કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. દોહા :- હરિલીલામૃતનો   હવે,  બીજો    કળશ    રસાળ; કહું   સુણો   શ્રોતા   સહુ,   કહે   વિહારીલાલ.2 કહે  અચિંત્યાનંદને,  અભયસિંહ  ભૂપાળ; કથા  સુણાવો  શુભ  મને,  કરુણા  કરી  કૃપાળ.3 ધર્મ  ભકિત  ને  શ્રીહરિ,    દેહ  ધર્યા  જે  દેશ; બાળલીલા  બહુનામીની,  વરણન  કરો  વિશેષ.4 ભાવ  ભાળી  ભૂપાળનો,  ઉચર્યા  વરણીરાજ; સુણવા ઇચ્છો શુભ કથા, ધન્ય ભકત શિરતાજ.5 હરિચરિત્ર  સુણવા  તમે,  ચિત્ત  ધરો  છો  ચાહ; તો  તે  કહેવા  છે  મને,  અંતરમાં  ઉત્સાહ.6 બીજા  ગ્રંરથોમાં  બહુ,  છે  જેનો  વિસ્તાર; વિશેષ  વર્ણન  તેહનું,  નહીં  કહું  આ  ઠાર.7 અધિકપણે  હું  આજ  તો,  ઉચરીશ  અપૂર્વ  વાત; વૃદ્ધ  જનોના  વદનથી,  સુણેલી  જે  સાક્ષાત.8 જે  જે  સ્થાને  જનમીયા,  ધર્મ  ભકિત  મહારાજ; કહું  કથા  હું  તે  વિષે,  વિશેષ  કહેવા  કાજ. વર્ણિરાજનાં વચન સુણી, સુરસિક સુધા સમાન;9 ભાવિક  ભૂપતિ  ભકતનું,  ચિત્ત  થયું  ગુલતાન. જેમ  લોભીને  ધન  જડે,  જડે  અંધને  નેણ;10 તેમ  કથામૃત  પ્રાપ્તિ  તે,  દિલ  લાગી  સુખદેણ. છીપ  સ્વાતિ  જળ  ઝીલવા,  ઉંચી  ઉછળે  જેમ;11 ઉછળે  લોહ  ચમકભણી,  થયું  ભૂપ  મન  તેમ. શંકર  સમ  વર્ણીય  છે,  ભગીરથ  સમ  નરનાહ;12 વચ્ચે  કથાગંગા  તણો,  પ્રગટ્યો    પુનિત  પ્રવાહ. પાવન  કૃષ્ણચરિત્ર  જળ,  ધર્મ  જ્ઞાનતટ  જાણ;13 ભેદ  ભકિત  વૈરાગ્યના,  […] read more
0 Views : 1468

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૨૦

પૂર્વછાયો:- ભાખે અભેસિંહ ભૂપતિ,  સુણો વિનતિ  વરણીરાય; ઈચ્છા અધિક ઉર ઊપજી, આપ મુખથી સુણવા કથાય. 1 ચોપાઈ:- પ્રશ્ન પૂછું તે ઉત્તર આપો, મારા મન  તણો સંશય  કાપો; સંપ્રદાય આ  ઉદ્ધવી કેરાં, મોટાં મંદિર તો છે ઘણેરા. 2 ધાતુ પાષાણની પ્રતિમાય, ભલી ભાસે છે મંદિર માંય; શ્રીજીયે જ સ્વહસ્તે જે થાપી, કયાં કયાં પ્રેમીને પૂજવા આપી. 3 અનુક્રમથી કહો મને આજ, સ્થાપી પ્રથમથી કયાં મહારાજ; બોલ્યા વર્ણી રાજી થઈ  બહુ,  તમે સાંભળો તે હવે કહું. 4 સ્થાપ્યા પ્રથમ તો ગઢપુર જયાંય, વાસુદેવને ઓરડામાંય; ધર્મભકિત તેની જોડે સ્થાપ્યાં, એનાં ઐશ્વર્ય વિશ્વમાં વ્યાપ્યા. 5 એ છે ઓરડો ઉત્તર દ્વારે,  તેનો મહિમા મુનિ મન  ધારે; પછી વરતાલમાં પ્રભુ આવ્યા, નરનારાયણ પધરાવ્યા. 6 અમદાવાદમાં બહુનામી, સ્થાપ્યા નર ને નારાયણ સ્વામી; સંપ્રદાય થવા દઢ ધારી,  સ્થાપિ મૂર્તિયો જન  હિતકારી. 7 ભુજમાં તે પછી તતખેવ,  સ્થાપ્યા નર ને નારાયણ દેવ; વરતાલ વિષે કરી ધામ, સ્થાપ્યા લક્ષ્મીનારાયણ નામ. 8 બીજા ખંડમાં માતા-પિતાની, ત્રીજી મૂર્તિ તો સ્થાપી પોતાની; વૃંદાવનવિહારી ખંડ  ત્રીજે, જોડે રાધિકા દેવી  કહીજે. 9 પોતાની છબીને કૃષ્ણ સાથે,  પધરાવી છે પોતાને હાથે; અવરતાની  મૂર્તિયો  ત્યાંય,  પધરાવી  છે મંડપ  માંય. 10 મત્સ્ય  કચ્છને વળી  વારાહ, જન જોઈ કહે વાહવાહ; શેષશાયી ને નરસિંહ નામ,સ્થાપી સૂર્યની મૂર્તિ તે ઠામ. 11 હનુમાન  તથા  ગણનાથ,  સ્થાપ્યા  શંકર  પાર્વતીસાથ; હતા નર ને નારાયણ […] read more
0 Views : 2063

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૯

પૂર્વછાયો:- વળી સુણો વરતાલની,   શુચિ સીમ વિષે જે સ્થાન; જયાં જગજીવન  વિચર્યા,  ભયભંજન  શ્રીભગવાન. 1 ચોપાઈ:- ગામથી દિશા નૈરુતમાંય, ધના નામે તળાવ છે ત્યાંય; હરિ  ત્યાં બહુ નાહ્યા ઉમંગે, કોઇવાર રંગાયેલે અંગે. 2 એકવાર  શ્રીધર્મકુમાર,  માફો  જોડાવી  કીધો  તૈયાર; મુકતાનંદાદિ સદગુરુ જેહ,  માવે માફામાં બેસાર્યા તેહ. 3 શ્રીજી પોતે તો સારથી થયા, નાવા ધના તળાવે તે ગયા; હાંક્યો અર્જુનનો રથ જેમ,  હાંક્યો   સંત  તણો  રથ તેમ. 4 તે તળાવનું જાણવું આમ,  બીજું ચંદનતળાવડી  નામ; પગી જોબને જગ્યા તે જોઇ, ઘણીવાર ત્યાં દીધી રસોઇ.5 શાવજી  કૂવો છે  વળી સારો,  કરતા પ્રભુ ત્યાં તો ઉતારો; પછી ત્યાંથી સજી અસવારી, આવતા વરતાલ મુરારી. 6 તેની  પાસેનાં ખેતર જેહ, પ્રભુચરણ  અંકિત છે એહ; સંતમંડળ પણ  ત્યાં ઉતરતાં, દીનબંધુનાં દર્શન કરતાં. 7 પધરાવ્યા લક્ષ્મીપતિ જયારે, પગી જોબન ભકતે તે વારે; શાવજીકૂવાથી તો દક્ષિણમાં,  કર્યું ખેતર ભેટ  તે ક્ષણમાં. 8 પગી સાથે તે જોવાને કાજ, સંતસહિત ગયા મહારાજ; બહુ રાજી  થયા હરિ જોઇ, દીધી ત્યાં તે પગિયે રસોઇ.9 આખા ખેતરમાં પ્રભુ ફર્યા, અડવાણે પગે જ વિચર્યા; વળી એમ બોલ્યા અવિનાશ, તમે સાંભળો જોબનદાસ. 10 અર્પ્યું ઠાકોરને આ રુપાળું, નામ આજથી ઠાકોરવાળું; રાજી થૈ બોલ્યા સૌ  તતખેવ, જય લક્ષ્મીનારાયણદેવ. 11 દિશા નૈરુત મંદિર  થકી, એક  વત્સાતળાવ  છે નક્કી; દુર્ગપુરે જતાં એકવાર,  તહાં બેઠાજાતા  ધર્મકુમાર. 12 ઘણી કેરિયો […] read more
0 Views : 1689

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૮

પૂર્વછાયો:- વળી  કહું વરતાલનાં,  ગામ  બહાર  જે જે સ્થાન; જયાં વિચર્યા કે જયાં વસ્યા, ભકિતતનુજ ભગવાન. 1 ચોપાઈ:- ગામથી પૂર્વ દિશનું તળાવ, તેમાં નાહ્યા મનોહર માવ; ઘણીવાર ત્યાં નટવર નાથે, જળકેળી કરી સખા સાથે. 2 હનુમાનની  દેરી  છે તીર,  તહાં બેઠા  છે શ્યામશરીર; હનુમાન પ્રસાદીના કર્યા, તેની મૂરતિ ઉપર કર ધર્યા. 3 સમૈયાને દિને એકવાર,  આવ્યા  દર્શને લોક  અપાર; હનુમાનને ધાબે બિરાજી, કૃષ્ણે દર્શન સૌને દીધાંજી. 4 કૂવો  કાંઠે તળાવને જેહ, પ્રભુની  છે પ્રસાદીનો  તેહ; પ્રભુ પ્રથમ  પધાર્યા જે કાળે,  તે કૂવા થકી પશ્ચિમ  પાળે. 5 પોતે  બેઠા હતા ધરી ધ્યાન, પગી જોબન આવ્યા તે સ્થાન; કોઈ મોટા જોગીરાજ જાણી, ગામમાં લૈ ગયા ભાવ આણી.6 તે તલાવથી ખુણે ઈશાન, એક આંબો હતો   શોભામાન; અમદાવાદના  હરિજને,  દીધી  રસોઈ  ત્યાં એક  દને. 7 રંગદાર  રંગોળી  પુરાવી,  શામહસ્તે સેવો  પીરસાવી; જમ્યા સંત તથા સહુ પાળા, પ્રભુ કીધી પવિત્ર રસાળા. 8 એ જ આંબે હીંડોળો બંધાવી, ઝુલ્યા છે જગજીવન આવી; ગામથી પૂર્વમાં જ્ઞાનબાગ, પ્રસાદીનો છે એ  તો અથાગ.9 હાલ  બેઠક  છે જે જગ્યામાં, હતો આંબલો વાયુ દિશામાં; ન ફળે એવી આંબલી જેહ,  કહેવાય છે આંબલો એહ. 10 તેની ડાળ તણી તો લંબાઈ, હતી બેઠક સુઘી છવાઈ; તેહ ડાળે હીંડોળો બંધાવી, અક્ષરાધીશ ઝુલ્યા છે આવી. 11 સજીને ત્યાં સભા ઘણીવાર, બિરાજયા છે શ્રીધર્મકુમાર; ચારે પાસ […] read more
0 Views : 1633

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો:- હવે મંદિર થકી બાહરે, વળી ગામ વિષે જેહ સ્થાન; જે જે પ્રભુની પ્રસાદીનાં, સુણો ભૂપ થઈ સાવધાન. 01 ચોપાઈ:- હનુમાનના  દ્વાર  બહાર,  દક્ષિણોત્તર  ઓટલા  સાર; બહુવાર પ્રસંગને પામી, તહાં બેઠા ઉઠ્યા  બહુનામી. 2 ત્યાંથી દક્ષિણ માંહિ રહેતા, નાતે સાઠોદરા ડાહ્યા મેજાતા; તેનું ઘર  છે પ્રસાદી  કેરું,  પદ  અંકિત  પુનિત  ઘણેરું. 3 અહીં મંદિર નવ હતું જયારે,  તહાં ઉતરતા વર્ણી ત્યારે; વળી ત્રીકમભાઇનું ફળિયું, કૃષ્ણે વિચરીને કીધું ઉજવળિયું. 4 ત્યાંથી દક્ષિણમાં ધોરીભાઇ, ભાઇબાનાં છે ઘર સુખદાઇ; તેના ફળિયામાં કૃષ્ણ ફર્યા છે, સંત વર્ણી સહિત વિચર્યા છે. 5 ત્યાંથી પશ્ચિમમાં પછી ધારું, ઘર શામળભાઇનું સારું; પ્રભુયે તે કર્યું છે પાવન, તેના   ભાગ્ય ભલાં ધન્ય ધન્ય. 6 વળી અંટોળદાસનું ફળિયું, પુણ્યશાળી તે જાણો પ્રબળિયું; વસનદાસ ને દયાળદાસ, તેનો તે ફળિયામાં નિવાસ. 7 ભાઈજી રાઇજી પાટિદાર, તેઓનાં ઘર પણ તેહ ઠાર; મહારાજ ધરી  મન મેહેર,  વિચર્યા છે તે પ્રત્યેક  ઘેર. 8 હનુમાનના  દ્વારથી  પૂર્વે,  ઘર  છે એક  જાણે છે સર્વે; હતો ત્યાં શવદાસનો વાડો, કૃષ્ણ નાહ્યા છે ત્યાં કોઇ દાજાડો. 9 બોચાસણના વાસી કાશીદાસ, જયારે આવતા શ્રીપ્રભુ પાસ; શવદાસને ઘેર  ઉતરતા, જમવા હરિને ત્યાં નોતરતા. 10 શવદાસ તથા તેના ભ્રાત, નામે નારણદાસ વિખ્યાત; બેયને ઘેર  શ્રીબહુનામી,  વિચર્યા સહજાનંદ  સ્વામી. 11 તેનું પામ્યા તરત ફળ તેહ, કહું આખ્યાન સાંભળો એહ; એક  દિન  શવદાસ  શરીરે, […] read more
0 Views : 1541

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૬

પૂર્વછાયો:- વળી  કહું વરતાલમાં,  પ્રભુ પ્રસાદીનાં જે સ્થાન; સુણો અભેસિંહ સ્નેહથી, હરિકૃષ્ણ કથા ધરી કાન. 1 ચોપાઈ:- ગામ  માણજના  પાટીદાર,  નામે ગોવિંદદાસ  ઉદાર; ધર્મવંત બીજા ધોરિભાઇ, ગામ  પીપલગ ગયા  ચાઇ. 2 તહાં તેના સગાનો નિવાસ, તેનું નામ તો શ્રીધરદાસ; સતસંગી હતા તે તો સહી, તેણે સતસંગની વાત કહી. 3 ત્યારે ત્રણે જણા મળી સંગ, આવ્યા વરતાલે આણી ઉમંગ; નારાયણમોલનો ઓરડો છે, તેની આગળ ચોક  રુડો છે. 4 તહાં ખુરશીયે ઘનશ્યામ,  પોતે બેઠેલા  પૂરણકામ; જઇ ત્રણે જણા પગે લાગ્યા, છબી જોતાં જ સંશય ભાંગ્યા.5 થયાં દર્શનથી મન શાંત, તથા ભાંગી ગઇ મન ભ્રાંત; નિશ્ચે જાણ્યા એ તો અવિનાશ, ત્યારે બોલિયા ગોવિંદદાસ.6 વસંતતિલકાવૃત:- હે કૃષ્ણ  તીર્થ કરવા  બહુ હું ફર્યો છું, કાશી  પ્રયાગ  મથુરા  પુર  સંચર્યો છું; દ્વારામતિ  જઈ  સ્વગેહ  વળી  વિરામ્યો, કોઈ સ્થળે મન વિષે નહિ શાંતિ પામ્યો. 7 જાત્રા કરી અધિક સંશય તો ન જાય,  કલ્યાણનો સુદઢ નિશ્ચય તો ન થાય; કયાં જાઉં કેમ કરી મુકિત અરે પમાય ?  એવા  ઉચાટ  ઉર  માંહિ  રહે સદાય. 8 તીર્થાટનાદિ  વળી  યજ્ઞ  તણી  સમાપ્તિ, તે સર્વનું ફલ  પ્રભો  તવ  પાવપ્રાપ્તિ; જેને તમે પ્રગટ  મૂર્તિ મળ્યા  મહેશ,  તેને કશુંય   કરવું રહિયું ન   શેષ. 9 જૈને મળે સરિત  જેહ  સમુદ્રમાંઇ,  તેને બીજે સ્થળ જવાનું રહ્યું ન  કયાંઇ; જો આપના ચરણને જન કોઇ પામે,  એથી નથી […] read more
0 Views : 1651
Powered By Indic IME