Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૪
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- રપ

પૂર્વછાયો:- મંડપ મધ્યે મહાપ્રભુ, કેવા શોભે છે તે શુભ રીત; વિગતથી તે વરણવી, ગાય રામા મધુરાં ગીત.1 “મોહનજીયે મોકલ્યું રે મોસાળું” એ રાગ છે :- શ્રીજીસ્વામી માંડવામાં બિરાજે, છબીલાની છબી ભલી છાજે; શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. સખી જોને આ શ્રીઘનશ્યામ, પુરુષોત્તમ પૂરણકામ….શ્રીજી સ્વામી. એના ચરણકમળ મને ગમે, મારું મન ત્યાં ભ્રમર થઇ ભમે…શ્રીજી સ્વામી.2 જંઘા જુગલ રંભાથંભ જેવી, એ તો ગરુડ ઉપર શોભે એવી…શ્રીજી સ્વામી. પેર્યું પીળું પીતાંબર અંગે, હું તો નિરખું અધિક ઉમંગે…શ્રીજી સ્વામી. 3 ઓપે અતિ ભલું અંગે અંગરખું, હું તો જોઇ જોઇને હૈયે હરખું…શ્રીજી સ્વામી. ધર્યા વેઢ ને વીંટી આંગળિયે, જોતા જરુર આ જગનાં તો ટળિયે…શ્રીજી સ્વામી.4 પેર્યા હેમ કડાં બેઉ હાથે, પેરી પોંચિયો નટવર નાથે…શ્રીજી સ્વામી. બાંહે બાંધિયાં બહુ રુડા બાજુ,કાન માંહિ કુંડળિયાં છે કાજું…શ્રીજી સ્વામી. 5 હૈયે હીરા ને મોતીના હાર, ભાળી ભાસે સંસાર અસાર…શ્રીજી સ્વામી. મુખચંદ્ર દિસે ચિત્તચોર, જુવે મુનીજન જેમ ચકોર…શ્રીજી સ્વામી. 6 નેણ કમળ પાંખડલી પ્રમાણવારું તે પર તન મન પ્રાણ…શ્રીજી સ્વામી. ભાસે ભમર્યો ચારુ ઈંદ્ર ચાપ, ટળે નિરખતાં ત્રિવિધના તાપ…શ્રીજી સ્વામી. 7 જોઇ તિલક તણી સરસાઇ, છુટે સંસારી સાથે સગાઇ…શ્રીજી સ્વામી. પાઘપર રુડાં છોગલાં ધરિયાં, આવી ઉડાં અંતરમાં ઉતરિયાં…શ્રીજી સ્વામી. 8 મળ્યા અક્ષરધામના વાસી, કોણ જાય કેદાર ને કાશી…શ્રીજી સ્વામી. ઘેર બેઠાં મહાપ્રભુ મળિયા, મારા મનના મનોરથ ફળિયા…શ્રીજી સ્વામી. 9 મનહરણ […] read more
0 Views : 253

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૬

પૂર્વછાયો:- સ્તુતિ કરી બ્રહ્માદિકે, તમને સુણાવી તેહ; હે નરનાથ હવે કહું, યમ આદિક કૃત સ્તુતિ જેહ.1 ઉપજાતિવૃત્ત:- વળી વદે છે યમરાજ વાણી, અહો કૃપાળુ પ્રભુ પદ્મપાણી; કલ્યાણકારી શુચિ જે તમારું, શ્રીસ્વામિનારાયણ નામ સારું. 2 ભાવે કુભાવે હસવા પ્રમાણે, તે નામ લેશે સુણશે અજાણે; હશે મહાપાપી તથાપિ તેહ, નહીં જ પામે મુજ ત્રાસ એહ.3 તે તો વળી મુકિતપદે જનાર, એવો તમારો મહિમા અપાર; ગિરા બિચારી નહિ પાર પામે, તો શું કહું હું હરિ એહ ઠામે.4 ધર્મપ્રવૃત્તિ કરશો જ જયારે, ઘણાક પાપી ઘટશે જ ત્યારે; હે નાથ હું ને વળી દૂત મારા, નિરાંત પામી નવરા થનારા. 5 ભકિત કર્યાને અવકાશ ધારી, વિશેષ ભકિત કરશું તમારી; જેથી જશે આ કળિકાળ કેરું, સંકષ્ટ શુદ્ધત્વ થશે ઘણેરું. 6 પ્રમિતાક્ષરાવૃત્ત :- પછી લોકપાળ વરુણાદિક જે, અલકાનિવાસી ધનદાદિક જે; સ્તુતિ હાથ જોડી હરિની ઉચરે, પુલકીત દેહ દગ નીર ઝરે. 7 અમને દયાળુ બળદત્ત તમે, તમથી સદૈવ ડરિયેજ અમે; મરજી તમારી મનમાં ધરિયે, દિશ પાળવાની કરણી કરિયે. 8 સકળેશ આપ વશ સર્વ અમે, લોકપાળ જનજૂથ નમે; સુખના નિધાન નિધિ કીર્તિ તણા, તમને પ્રણામ કરિયેજ ઘણા. 9 શિખરિણીવૃત્ત :- વદે સર્વે દેવો નથી જ તમ જેવો અધિપતિ, તમે સર્વાતીત પ્રબળ તમ કેરી ગતિ અતિ; તમારી મોટાઇ અમથકી કળાઇ નહિ હરી, બહુનામી સ્વામી નમું અચળધામી સ્તુતિ કરી. 10 તમારી માયાયે […] read more
0 Views : 380

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૭

ઉપજાતિવૃત્ત:- હે ભૂપતિ સાંભળ ભાવ આણી, શ્રીધર્મના પુત્ર ચરિત્ર વાણી; પૂજયા સહુ સંત મળી મુરારી, આનંદથી આરતિ તો ઉતારી. 1 સ્તુતિ કરી તે પછી પૂર્ણ પ્રીતે, તે હું સુણાવું સુણ રૂડી રીતે; મુખેથી બોલ્યા મુનિ રામદાસ, તે હું કરું છું પ્રથમ પ્રકાશ. 2 રથોદ્ધતાવૃત્ત :- રામદાસ મુનિ ભાઇ જેહ છે, શ્રીહરિની સ્તુતિ ગાય તેહ છે; હે કૃપાળુ કળિજોર ટાળશો, પાપપંથ પળમાં પ્રજાળશો. 3 પાપી દંભી ગુરુઓ થઇ ફરે, જે ઠગાઇ ઠગવા ઘણી કરે; ક્રોધી કામી અતિલોભી હોય છે, તત્ત્વજ્ઞાન અભિમાની તોય છે.4 કુટ તર્ક કરી વાદ તે વદે, મોહ માન ભરિયું ઘણું રુદે; એક બ્રહ્મતણી વાત ઉચ્ચરે, જીવ ઇશ જડ એકતા કરે. 5 તે ગુરૂની જડવાણી સાંભળી, વેદમાર્ગ થકી જે ગયા ટળી; તે જનોની ઉપરે કૃપા કરી, નાથ આજ અગનાનતા હરી. 6 લક્ષકોટિ જન એમ તારશો, શબ્દજાળ થકી તો ઉગારશો; છો દયાળુ અતિ એ રીતે તમે, શીશ નામિ પદ વંદિયે અમે.7 તે પછીથી મુનિ મુકત ઉચ્ચરે, હે પ્રભુજી કરુણા કરો અરે! ધર્મભ્રષ્ટ જન ભેખ ધારિયો, વેદમાર્ગ મળીને વિદારિયો. 8 દંભ વેષ ધરી લોકને ઠગે, દ્રવ્ય નારી હરિ લે ઘણે દગે; એહ દુષ્ટ થકી રક્ષણ પ્રભો, સર્વકાળ કરશો અહો વિભો. 9 આપ વાણી સરિતા સુધા ભરી, જ્ઞાનનીર ભરી શુદ્ધ સંચરી; કેવળત્વતણું જ્ઞાન ઊર્મિયો, તેનું પાન ન કરે કુકર્મિયો. 10 સંશયાદિ તરુ […] read more
0 Views : 263

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૮

ચોપાઈ:- સુણો ભૂપ કહે બ્રહ્મચારી, સાંભળાવું વળી કથા સારી; ગામ પંચાળાના ઝીણાભાઇ, જેની સત્સંગમાં સરસાઇ.1 તેણે પૂજા પ્રભુજીની કરી, અતિ અંતરે આનંદ ધરી; સારી બંધાવી સોનેરી પાગ, જેની કિંમત કહિયે અથાગ.2 શિરપેચ સોનાનો ઘડેલ, હીરા માણેક મોતી જડેલ; પાગ ઊપર પ્રીતે બંધાવ્યો, તોરો મોતીનો ત્યાં લટકાવ્યો. 3 શેખપાટના ભકત સુતાર, નામે લાલજી સમજે સાર; તેણે પ્રગટ પ્રભુ પાસે આવી, ભેટ ભારે મજૂસ ધરાવી. 4 આપ્યો ઉત્તમ એક ડામચિયો, દિસે બહુ ચતુરાઇથી રચિયો; કર્યા ભકતનાં ગુરુયે વખાણ, સુણી સમજીયા શામ સુજાણ. 5 જાણ્યું જે આ તો સાધુ જ થાશે, નામ નિષ્કુલાનંદ ધરાશે; ગામ મેથાણના રહેનારા, ભકત કાકુજી પુંજોજી સારા. 6 તેણે રૂપાનો થાળ ભરીને, કર્યા ભેટ રૂપૈયા હરિને; તે પછી મછિયાવના રાય, બાપુભાઇ જે નામ ગણાય.7 તેણે હેમજડિત હિંડોળો,સારો ઉંચો ને લાંબો પહોળો; જોતાં વિશ્વના લોક વખાણે, તેવો ભેટ કર્યો તેહ ટાણે. 8 ગામ બંધિયાના મુળુભાઇ, તથા સુરોજી આવિયા ધાઇ; તેણે લાયક વસ્તુઓ લાવી, ધર્મપુત્રને ભેટ ધરાવી. 9 હીરોભાઇ તે જાળિયા કેરા, આપ્યા અન્નના ગંજ ઘણેરા; ઘાંચી માણાવદરના જેહ, આલશી ને અલારખ તેહ. 10 એણે અત્તર અર્ક ફુલેલ, ભરી શીશીયો ભેટ ધરેલ; પછી પઠાણ શેખજી નામે,રહે તે સદા ગોંડળ ગામે. 11 તેણે પોતા તણાં ઘરબાર, કર્યા અર્પણ સર્વ પ્રકાર; નવ રાખ્યું કશું લવલેશ, હરિપાસે રહ્યા તે હમેશ. 12 ધન્ય ધન્ય એનો […] read more
0 Views : 410

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૯

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત; સોરઠમાં મોડા ગામના, ભકત પુંજાજીની કહું વાત.1 ચોપાઈ:- રહે રુડા મોડા ગામમાંઇ, દાજીભાઇ અને પુંજાભાઇ; રજપૂત ગરાશિયા નાતે, ભજે ભગવાનને ભલી ભાતે. 2 તેણે ખેતરને ધરબાર, ભેટ કીધાં હરિને તે વાર; કેટલાંક વત્સર વીતી ગયાં, એક તો અક્ષરાનંદ થયા. 3 કર્યા વરતાલના તે મહાંત, સારી બુદ્ધિ સ્વભાવમાં શાંત; ધન્ય ધન્ય તેનાં માત તાત, રહી વિશ્વમાં વિખ્યાત વાત.4 પુંજોજી પણ ગઢપુર જઇ, રહ્યા સેવામાં પાર્ષદ થઇ; મોટીબા તણો વંડો છે જેહ, કહેવાતો પુંજાજીનો તેહ. 5 પુંજાજીયે રુડી જગ્યા જોઇ, આપી ત્યાં સંત હરિને રસોઇ; જલેબી સાટા લાડુ કરાવ્યા, થાળ મેશુબ કેરા ભરાવ્યા. 6 શાક પાક ભલાં દાળ ભાત, રાઇતાંની જુદી જુદી જાત; તિથિ નરસિંહ ચૌદશ હતી, સૌને અંતરે આનંદ અતી. 7 ઉપજાતિવૃત્ત:- પછી થયો કાળ પ્રદોષ જયારે, નૃસિંહજન્મોત્સવ થાય ત્યારે; પુંજાજિયે કેસર ચંદનેથી, પૂજયા પ્રભુ પ્રેમ અતી ઘણેથી. 8 નૃસિંહનું અંગ જણાય જેવું, ચર્ચ્યું ભલું ચંદન અંગ એવું; ચોફાળ અર્પ્યો વળી બોરીકેરો, નૃસિંહ આકાર બન્યો ઘણેરો. 9 શ્રીજી તણું ત્યાં નરસિંહરૂપ, સભા બધીયે નિરખ્યું અનૂપ; તે રૂપ તો બે ઘડી ત્યાં જણાયું, પછી પ્રભુના તનમાં સમાયું. 10 પછીથી ગોપાળમુનિ કહે છે, પ્રહ્લાદજી તો જીવતા રહે છે; નૃસિંહના ભકત પ્રમુખ્ય એ છે, પુરાણમાં એવી કથા લખે છે. 11 આખ્યાન રાજા બળિનું જહાં છે, એવી વળી […] read more
0 Views : 369

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૩૦

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહ ભ્રાત; પાર્ષદ સંતની પંકિત થઇ, જમવા તે વર્ણવું વાત.1 ચોપાઈ:- સંતો પંકિત સજી બેઠા જયારે, નારાયણ ધુન્ય ઉચર્યા ત્યારે; રામાનંદ શ્રીજીમહારાજ, આવ્યા તે તો પિરસવા કાજ. 2 શાક પાક તથા પકવાન, ભાવથી પીરસે ભગવાન; સંત એક જ પાત્રમાં લે છે, બધુ ચોળીને ભેળું કરે છે.3 ત્રણ અંજળી નાખે છે નીર, એવા નિઃસ્વાદી ગુણગંભીર; મુખે પ્રત્યેક કોળિયો ધારે, સ્વામિનારાયણ તે ઉચ્ચારે. 4 પ્રભુ તાણ્ય કરી પીરસે છે, મુનિ તો મિતાહાર ચહે છે; જમે જાણી પ્રભુનો પ્રસાદ, નથી ઇચ્છતા અંતરે સ્વાદ. 5 સંતના ગુણ વિષે :- ઉપજાતિવૃત્ત:- ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું; સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય.6 સંતો તણા ચંચળ નોય નેણ, સંતો તણા વિહ્વળ નોય વેણ; સંતોની વૃત્તિ સ્થિર તો જણાય, કુસંગી દેખી સતસંગી થાય.7 રજો તમો ગુણ જરી ન ભાસે, ન કામ કે ક્રોધ કદી વિકાસે; માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય.8 જો સંત ચિત્તે અભિમાન ભાસે, કે કામ ક્રોધાદિ કદી વિકાસે; જિહ્વા તણો સ્વાદ જરી જણાય, તે સંતનો શો મહિમા મનાય.9 જેવા સુસંતો શુક નારદાદિ, એવા જ સંતો મુનિ મુકત આદિ; પ્રત્યક્ષરૂપે પ્રભુ હોય જયાંય, ત્યાં સંત એવા નહિ અન્ય કયાંય. 10 ચોપાઈ:- જોઇ સંતોની જમવાની રીત, જનનાં થયાં નિર્મળ ચિત્ત; દીઠી વૈરાગ્યમાં […] read more
0 Views : 291

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૩૧

પૂર્વછાયો:- સ્વામી રામાનંદે કહ્યો, જેતપુરનો મહિમા જેહ; ભૂપ અભેસિંહ સાંભળો, તમને સુણાવું તેહ. 1 ચોપાઈ:- સભામધ્યે રામાનંદ સ્વામી, કહે સૌ જનને મુદ પામી; મહિમા જેતપુરનો જેહ, તમે સાંભળો સૌ ધરી સ્નેહ. 2 છપૈયા વિષે જનમ્યા હરિ, પીપળાણા માંહી દીક્ષા ધરી; જેતપુરમાં પામ્યા પટ્ટદાન, માટે ત્રણેનો મહિમા સમાન.3 જયારે જનમ્યા છપૈયે ગામ, પડ્યું નામ તહાં ઘનશામ; પીપળાણામાં દીક્ષા લીધી, સહજાનંદ સંજ્ઞા તે કીધી. 4 સ્વામીપદ પ્રભુ પામિયા આહીં, મોટો મર્મ ધરો મન માંહી; જેતપુર મોટું તીરથ જેવું, નહિ કાશી કે કેદાર તેવું. 5 કરે તીરથ જો ધરી પ્યાર, થાય અધમનો આંહી ઉદ્ધાર; સતસંગી વસે જેહ દૂર, એક વાર તો આવે જરૂર. 6 કરી તીર્થ આ લીલા સંભારે, તે તો ઉતરે ભવજળ પારે; ભદ્રા ગંગાનો મહિમા મોટો, ગંગા ગોમતિનો તેથી છોટો. 7 જેમાં નાયા જગત આધાર, અમે નાયા એમાં ઘણી વાર; નાયા હરિજન સંતસમાજ, થયું તેથી આ તો તીર્થરાજ. 8 આંહી શ્રદ્ધાથી શ્રાદ્ધ જે કરશે, ઘણા પૂર્વજ એના ઉદ્ધરશે; કરી સ્નાન ને કરશે દાન, તેનું ફળ થશે મેરુ સમાન. 9 જમાડે આંહિ બ્રાહ્મણ સંત, ફળ તેનું તો થાય અનંત; જપ તપ વ્રત આંહી કરાય, તેના સિદ્ધ મનોરથ થાય. 10 કરે એક તીરથ ઉપવાસ, ફળ તો ઉપવાસ પચાસ; સંપ્રદાયનું મૂળ આ સ્થાન, એમ સમજે જે જન મતિમાન. 11 મહિમા ઉચ્ચરી એવી રીતે, પછી […] read more
0 Views : 281

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૧

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। દીક્ષાનામ ચતુર્થ કલશ પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ જે હરિ લોજ માંહી શિખવી અષ્ટાંગયોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો તે પીપળાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીયે ધુર સંપ્રદાય તણી તો જૈ જેતપૂરે દીધી. 1 પૂર્વછાયો:- વર્ણી કહે નરપતિ સુણો, ધરી શ્રીહરિ વરણી વેશ; ફરતા ફરતા લોજમાં, આવ્યા સુંદર સોરઠ દેશ. 2 ચોપાઈ:- ગયાં સંવત શતક અઢાર, આષાઢાદિ છપન મોઝાર; હતી શ્રાવણી છઠ્ય અંધારી, પ્રભાતે આવ્યા લોજ મોરારી. 3 ફર્યા સાત વરસ એક માસ, અગિયાર દિવસ વનવાસ; લોજથી દિશા ઉત્તરમાંય, દીઠી વાવ તથા વડ ત્યાંય. 4 કર્યું વાવ વિષે જઇ સ્નાન, વડ હેઠે ગયા ભગવાન; ભલી એક શીલા મોટી ભાળી, બેઠાં તે પર શ્રીવનમાળી. 5 જનમનને હરણ કરે જેવી, દિસે મૂર્તિ મનોહર એવી; પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. 6 દષ્ટિ ચંદ્રે ચકોરની જાય, તે તો પાછી વાળી ન વળાય; લોહને તો ચમક ખેંચે જેમ, જનમન હરિમાં જાય તેમ. 7 જળ ભરવા આવે ઘણી નારી, રહે મૂર્તિ વિષે દષ્ટિ ધારી; લીધા કોઇયે જળઘટ માથે, કોઇ માથે અને એક હાથે. 8 મૂર્તિ દેખી રહી સ્થિર ઠરી, જાણે ચિત્રમાં હોય ચિતરી; ધ્યાનમુદ્રાયે ધર્મકુમાર, બેઠા સ્થિર થઇ તેહ ઠાર. 9 જોઇ બોલે પરસ્પર નારી, આ તે કોણ હશે બ્રહ્મચારી ? એની કાયા […] read more
0 Views : 368
Powered By Indic IME