Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૪
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો:- ભૂપ કહે વરણીંદ્રને, તમે કથા સુણાવી સાર; હવે હું પૂછું તે કહો, અનુકંપા કરીને અપાર. 1 સ્વામી રામાનંદ આગળે, મહાદીક્ષા લીધી મહારાજ; ત્યાર પછીની જે કથા, મુજને સુણાવો આજ. 2 વસંતતિલકાવૃત્ત :- વર્ણી કહે રુચિ ધરી સુણ સુજ્ઞ રાય, શ્રીધર્મનંદન તણી કહું છું કથાય; દીક્ષા લીધી ગુરુ થકી પુર પીપળાણે, સારે પ્રબોધિની દિને જન સર્વ જાણે. 3 આવ્યા હતા દરશને જનસંઘ જેહ, સૌ પૂર્ણમાસિ સુધી ત્યાં ઠરિયા જ તેહ; આનંદ ઉત્સવ ધરે ગુણગાન ગાય, વર્ણીંદ્રનાં દરશને નહિ તૃપ્ત થાય. 4 મૂર્તિ વિષે નિરખી અદ્ભુતતા અપાર, દીઠાં વળી ચરણ ષોડશ ચિહ્ન સાર; જાણે ઘણાક જન અક્ષરધામવાસી, પ્રત્યક્ષ એજ પુરુષોત્તમ સુપ્રકાશી. 5 કોઇકનાં નજરથી ચિત્ત ચોરી લીધાં, કોઇકને સહજ દર્શન દિવ્ય દીધાં; દેખાડયુિં કંઇકને નિજકેરું ધામ, વાધ્યો પ્રતાપ જનમધ્ય વિષે જ આમ.6 વીતી ગઇ પુનિત પૂનમ એહ જયારે, પોતા તણે પુર ગયા જનસંઘ ત્યારે; વર્ણીંદ્રનાં અધિક દર્શન આપવાને, કીધો વિચાર ગુરુયે ફરવા જવાને. 7 બેઠા રથે વૃષજ ઉદ્ધવ ધર્મવંત, ગાડી વિષે વિદિત મુકત મુનીશ સંત; ઘોડે ચડ્યા ઘરધણી વળી સાંખ્યયોગી, પાળા વિશેષ વિચરે વિષયે વિયોગી. 8 વાજે મૃદંગ વળી તાલ ઉપંગ ચંગ, ગાવે ગુણો હરિજનો ધરીને ઉમંગ; નારી નરો મળી ઘણાં વિચર્યા વળાવા, નિર્ખી હરિમૂરતિને મનમાં ઠરાવા. 9 તે માંહી મુખ્યજન તો નરસિંહ મેજાતા, કલ્યાણજી તનુજ તે પણ બ્રહ્મવેત્તા; જૈ ગામ […] read more
0 Views : 1505

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૮

પૂર્વછાયો:- ગમન કરી લોજગામથી, ગયા માણાવદર મહારાજ; ભોજન ભટ મયારામને, ઘેર કરતા સહિત સમાજ. 1 સત્તાવનની સાલની, કરી હુતાશની તે ગામ; હરિજનો ગામો ગામના, બહુ આવી મળ્યા એ ઠામ. 2 માણાવદરના મહીપતિ, જેનું નામ ગજનફરખાન; બાંટવામાં રહેતા હતા, ગુણજાણ હતા ગુણવાન. 3 કોઇ જને જઇને કહ્યું, આવ્યા છે એક પુરુષ પ્રખ્યાત; પોતે ખુદા કહેવાય છે, અતિ અચરજની એ વાત. 4 નવાબસાહેબ તે સુણી, જોવા મોકલિયા નિજજન; આવીને રામાનંદને, કહ્યાં તેઓયે મુખવચન. 5 ખુદા તમે કહેવાઓ છો, એ તે ખરી કે ખોટી વાત; સુણી રામાનંદ બોલિયા, અમે ફકીર છૈયે ભ્રાત. 6 ગાદીની ઇચ્છા સૌ કરે, રાજગાદી ખાલી ન જણાય; ખાલી ગાદી ખુદા તણી, જોઇ અમે થયા અલ્લાય. 7 અલ્લા આવ્યા છે આ અવસરે, એની ઇચ્છા થશે જે વાર; એની ગાદી પાછી આપશું, અમે એમ કર્યો છે વિચાર. 8 એમ કહી વળી તેહને, ચમત્કાર દેખાડ્યો કાંઇ; અચરજ પામ્યા અતિ ઘણું, મહીનાથના જન મનમાંઇ.9 નવાબસાહેબ પાસ જઇ, કહી વાત હૈયે હરખાઇ; આવિયા છે જે પુરુષ તે, ખરેખાત છે જ ખુદાઇ. 10 ચોપાઈ:- કહે વર્ણી સુણો નરનાથ, ગયો મેઘપુરે સંતસાથ; હરિભકત સોની જીવરાજ, નારાયણ તથા જસરાજ. 11 ચોથા ભકત જેનું નામ રામ, તેણે ઉતાર્યા પોતાને ધામ; એજ જગ્યા ઉપર હે રાજ, હરિમંદિર છે શુભ આજ. 12 રંગપંચમીનો દિન આવ્યો, રંગ ઉત્સવ સારો કરાવ્યો; હરિભકત […] read more
0 Views : 328

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૯

પૂર્વછાયો:- વાળા તણા જેતપુર વિષે, રામાનંદ સ્વામીયે જેહ; સોંપી ગાદી જે શ્રીહરિને, કથા કહું હવે તેહ. 1 ચોપાઈ:- રામાનંદનાં દર્શન કરવા, હરિને જોઇ હૈયામાં ઠરવા; આવ્યા હરખથી ઉન્નડરાય, નમ્યા પ્રેમથી બેયને પાય. 2 રામાનંદે તે રાયની પાસ, કર્યા ગુણ શ્રીહરિના પ્રકાશ; વળી વિવિધ પ્રકારે વખાણ્યા, તોયે રાયે જથાર્થ ન જાણ્યા. 3 બેઠો હતો ત્યાં રધુનાથદાસ, સુણતાં થયો તે તો ઉદાસ; રામજશ સુણી રાવણ જેમ, દાઝ્યો હતો તે દાઝ્યો તેમ. 4 કાંઇ માર્મિક શબ્દ ઉચાર્યો, ત્યારે સ્વામીયે બહુ તેને વાર્યો; કહ્યું સૂર્ય સામી ધૂળ નાંખે, એ તો આવી પડે નિજ આંખે. 5 સાચું કદી જૂઠું થાય નહિ તે વિષે :- ઉપજાતિવૃત્ત:- કરે હીરાની અપકીર્તિ કોય, તો મૂલ ઓછું કદીયે ન હોય; અજ્ઞાનતા તેહ તણી જણાય, મનુષ્યમાં મૂરખ તે ગણાય.6 જો વિશ્વ માંહિ ઘનવૃષ્ટિ થાય, વનસ્પતિ સર્વ સુખી જણાય; જોતાં જવાસા પ્રજળી જ જાય, વૃષ્ટિ તણો દોષ નહીં ગણાય.7 જે શર્કરાને કડવી કહે છે, તો જાણવું જે જન રોગી તે છે; મનુષ્ય કોઇ કડવી ન માને, નિંદા કરે નિંદકની નિંદાને. 8 દેખી રવી થાય ઉલૂક અંધ, ભાવે નહીં ભાનુ તણો સબંધ; નિંદે રવીને થઇ બુદ્ધિ હીનો, ઘટે ન તેથી મહિમા રવીનો. 9 જે સત્ય તે સત્ય સદા જણાશે, અસત્ય તે અંત્યે અસત્ય થાશે; છુપાવી રાખે કદી કોય છાનું, પ્રસિદ્ધ અંત્યે પળમાં થવાનું. […] read more
0 Views : 333

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૦

પૂર્વછાયો:- સ્વામી રામાનંદ વળી કહે, સુણો હરિજન સંત સુજાણ; પ્રથમ હું કહેતો હતો, તમ આગળ એવી વાણ્ય. 1 ચોપાઈ:- હું તો લાવ્યો ગણેશનો વેષ, ખેલ કરનાર છે જે વિશેષ; તે તો પાછળ છે આવનાર, એ જ જાણો આ ધર્મકુમાર. 2 એ તો પુરુષ છે અકળ અનાદી, માટે એને જ સોંપવી ગાદી; મુકતાનંદ આદિક સહુ સંત, સુણી રાજી થયા તે અત્યંત.3 વળી બોલ્યા રામાનંદસ્વામી, તમે સાંભળો સૌ નિષ્કામી; અભિમાની આ રઘુનાથદાસ, ઘણી કરશે ઉપાધિ પ્રકાશ. 4 અમે જાશું સ્વધામમાં જયારે, ઉપદ્રવ કરશે અતિ ત્યારે; તમે સઉ રહેજો સાવચેત, તેની સાથે ન થાશો ફજેત. 5 નથી સત્સંગમાં રહેનાર, રાખજો રહે તેટલી વાર; પછી સાંજ સમો થયો જયારે, સભા સંત તણી થઇ ત્યારે. 6 મળ્યા મોટા મોટા મુનિજન, સભામાં બેઠા ધર્મનંદન; રામાનંદ બોલ્યા સાક્ષાત, નારાયણમુનિ સાંભળો વાત. 7 હરિજન જે ગૃહસ્થ કે ત્યાગી, નર નારી દૈવી બડભાગી; સૌને સદ્ધર્મ નિયમ પળાવા, તમે સમરથ છો ગુરુ થાવા. 8 માટે માનીને મારું વચન, મારે સ્થાન બેસો ભગવન; મારી ગાદીલાયક લીધા જોઇ, બીજા તમ વિના દિઠા ન કોઇ.9 થયું દર્શન જયાંથી તમારું, ત્યારથી મન માન્યું છે મારું; વિનંતિ મારી અંતર ધરો, પરિપૂર્ણ ઇચ્છા મારી કરો. 10 સુણી બોલ્યા નારાયણસ્વામી, નિજશિર ગુરુને પદ નામી; ધનસ્ત્રીનો પ્રસંગ છે જેહ, અતિ બંધનકારી છે એહ. 11 એમ શાસ્ત્ર સકળ ઉચરે […] read more
0 Views : 303

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- 21

પૂર્વછાયો:- સાત શાણા સતસંગીને, રામાનંદે પૂછી જે વાત; ઉત્તર આપ્યા અનુક્રમે, તે સુણો અભેસિંહ ભ્રાત. 1 ચોપાઈ:- બોલ્યા પ્રથમ તો ભટ મયારામ, જહાં આદરિયે મોટું કામ; ત્યાંના રાજાની લઇયે સહાય, સારો પ્રથમ તો એજ ઉપાય.2 નૃપનું મન હોય જો ખોટું, તો ત્યાં કામ આદરિયે ન મોટું; ચોકી પેરા તણો બંદોબસ્ત, તે તો રાજાનું કામ સમસ્ત. 3 જગ્યા જોઇએ વાવરવાને ઘણી, તે તો આપે તે ગામનો ધણી; તંબુ રાવટિયો અને દેરા, આપે એવા એ બાબ ઘણેરા. 4 હોય અધિપતિ જો અનુકૂળ, મહાસુખનું તે જાણવું મૂળ; પુરપાળને પ્રથમ બોલાવો, આગેવાન તો એને ઠરાવો. 5 કર્મકાંડી દ્વિજોને તેડાવો, માંડવાનું મુહૂર્ત કરાવો; વિપ્ર વરુણ કરીને બેસારો, જપે જપ જેમ શાસ્ત્રનો ધારો. 6 સતસંગી સારાસારા જેહ, તેડાવો ને આગળથી જ તેહ; તેને માટે કરાવા રસોઇ, તેડાવો વળી બાઇયો કોઇ. 7 મને જે જે ભળાવશો કાજ, તે હું તરત કરું મહારાજ; તન તમ અરથે જ છે ધર્યું, કદી આળસ અલ્પે ન કરું. 8 મયારામજીની સુણી વાત, રામાનંદ થયા રળિયાત; કહ્યું ભટ છો તમે ધન્ય ધન્ય, તમે તો સતસંગી અનન્ય.9 પછી બોલિયા પર્વતભાઇ, સુણો વાત અહો સુખદાઇ; ઘણા સામાનના ગંજ હોશે, ઘણાં ગાડાં ને બુંગણ જોશે. 10 આસપાસના ગામમાં જૈને, કહો તો લાવું તત્પર થૈને; બધા સંઘ જમાડવા સારુ, ઘૃત લાવિયે જઇને ઘરારુ. 11 મારું તન મન […] read more
0 Views : 470

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- રર

પૂર્વછાયો:- પવિત્ર પર્વતભાઇયે, કહ્યાં કણબીનાં મુખ્ય નામ; વર્ણી કહે નૃપ સાંભળો, કહું તેહ તણાં નામ ઠામ. 1 ચોપાઈ:- રુડું ગોરવિયાળી છે ગામ, રહે હીરો પટેલ તે ઠામ; ભગો નામે છે તેના ભાણેજ, તહાં મૂળો ને હરજી રહેજ. 2 ભાયો રુડો ખીમો ને જેરામ, રહે રાજો પટેલ તે ઠામ; એક આહિર ભકત છે સારો, એ જ ગામ વિષે રહેનારો. 3 નાગજી માણાવદર વસે, ખીમજી શવજી તે ત્યાં હશે; આંબો રાજો અને જેરામ, મૂળજી અને કલ્યાણ નામ. 4 નાથો નરસી ને રાધવ જાણો, માવો મેઘો ને કુરજી પ્રમાણો; ભલા કાનજી કેશવ કહું, વળી વસ્તો ને શામજી લહું. 5 જીવો અરજણ છે એજ ગામ, પીપળાણામાં કણબી છે રામ; બીજા પણ જે જે કણબી ગણાવ્યા, સૌને સ્વામીયે તર્ત તેડાવ્યા. 6 વળી સ્વામીયે કીધો ઉચ્ચાર, સુણો હીરજીભાઇ સુતાર; તમે મંડપ આરંભ કરો, તેમાં શોભા સરસ ઘણી ધરો. 7 આજથી જો આરંભ કરાય, સુધિ આઠમે પૂરણ થાય; જનનો બહુ થાશે ભરાવો, માટે મંડપ મોટો કરાવો. 8 સુણી બોલિયા હીરજીભાઇ, કરશું મંડપની સરસાઇ; તેને માટે સામાન મંગાવો, બીજા પણ કારીગરને તેડાવો. 9 કુંડસિદ્ધિ ને મંડપસિદ્ધિ, ભણી જાણે જેઓ ભલીવિધિ; રાજવલ્લભ આદિક ગ્રંથ, પૂરો જાણે તેનો પણ પંથ. 10 ધારીને ધ્રુવતારાની ગમથી, પ્રાચીસાધન કરશું પ્રથમથી; ભૂમિશોધન પણ ભલી ભાતે, પાસે રહીને કરાવશું જાતે. 11 નારાયણજી સારા છે સુતાર, […] read more
0 Views : 305

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૩

 પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહભાઇ; લીલા કહું જેતપર તણી, સુણતાં અધિક સુખદાઇ.1 ચોપાઈ:- હરિભકત મળી ઘણા નર, કર્યો મંડપનો તે આદર; સૂત્રધાર સામાન મંગાવે, હરિભકતો ઉમંગથી લાવે. 2 ઘણી ઝડપથી ધમધમ ચાલે, જાણે ઉન્મત્ત મેંગળ મહાલે; સિંધુપર સેતુ રચવાને જેમ, કપિવૃંદ મચ્યાં હતાં તેમ. 3 એકએકથી આગળ ધાય, લાવી આપે છે વસ્તુઓ ત્યાંય; એક બીજાથી અધિક તે ઠામ, કામ કરવાને રાખે છે હામ. 4 જુવે લોકો જે રસ્તે જનાર, જોઇ અચરજ પામે અપાર; જુવે ટોળે ટોળાં જન મળી, તે તો ઝડપ વખાણે છે વળી. 5 બીજે ઠેકાણે જોવાને જાય, પાકશાળાનો આદર થાય; લૈને પાવડા કોશ કોદાળી, મજુરો મંડ્યા કાછડા વાળી. 6 જાણે સંચિત કર્મ કોઠાર, તે તો ખોદીને કાઢે છે બહાર; કોઇ ખોદે છે ચૂલ કે કયારી, કોઇ કોઠિયો ડાટે છે ભારી. 7 શીરો ભરવા અવાડા કરે છે, ઘૃત ભરવાના કુંડ ધરે છે; કરે સીધું સામાન તૈયાર, કર્યો છે બળતણનો અંબાર. 8 છાયા કરવાને થાંભલા રોપે, જાણે મોક્ષ નિસરણિયોઓપે; ઉંચા બાંધે છે બુંગણ લાવી,જાણે શરદની વાદળી આવી.9 ચરુ રંગાડાંને દેગ મોટા, લાવી મુકયા તેના નથી તોટા; કથરોટ કુંડા ને કડાયો, ઝારા ડોયા તથા કડછાઓ. 10 એવાં વાસણ અપરમપાર, લાવી મૂકયાં તે જગ્યા મોઝાર; કામ ચાલે છે ધમધોકાર, એમ વિતિયા દિન દશ બાર. 11 એવામાં કાળીચૌદશ આવી, હનુમાન પૂજયા હેત […] read more
0 Views : 358

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ર૪

 પૂર્વછાયો:- કાર્તિક શુદી નવમી તણી, રહી પાછલી છ ઘડી રાત; રામાનંદજી જાગિયા, રુદયે થયા રળિયાત. 1 શૌચક્રિયા ને સ્નાનવિધિ, કરી નિત્યક્રિયા નિજ જેહ; સંધ્યા પૂજા પાઠ જપ, સહુ તરત કીધું તેહ. 2 ચોપાઈ:- સભામાં પછી જૈ બેઠા સ્વામી, અતિ અંતરે આનંદ પામી; દેશાંતર થકી તેડાવેલા, હતા વેદિયા જેહ આવેલા. 3 તેઓ પ્રત્યે બોલ્યા તતખેવ, તમે સાંભળો સહુ ભુદેવ; નીલકંઠ છે આ બ્રહ્મચારી, તેને આપશું ગાદી અમારી. 4 વિધિ વેદોકત મંત્ર જે જાણે, ક્રિયા કરવી છે શાસ્ત્ર પ્રમાણે; સુણી બોલિયા દ્વિજ શિર નામી, ચારે વેદના વિપ્ર છે સ્વામી.5 માટે વેદવિધાન છે જેમ, કામ સર્વ કરાવશું તેમ; નિરવિઘ્ન પુરું થવા કાજ, પૂજો ગણપતિને મહારાજ. 6 અતિ છે શુભ લગ્ન અત્યારે, યજ્ઞશાળામાં વર્ણી પધારે; વળી આપ પધારો જ ત્યાંય, મોટો હર્ષ ધરી મનમાંય. 7 પછી સ્વામી તે શાળામાં આવ્યા, સાથે શ્રીધનશામને લાવ્યા; યજ્ઞકાર્યમાં પ્રેરેલા જેહ, મુકુન્દાનંદ વરણી તેહ. 8 વળી આવિયા ભટ મયારામ, વિપ્ર વેદિયા સહિત તે ઠામ; વાજાં વિવિધ પ્રકારનાં વાજે, વસુધાતળ ને વ્યોમ ગાજે. 9 પછી વેદોકત મંંત્ર ઉચારી, પૂજયા ગણપતિને પૂજય ધારી; કર્યું માતૃકપૂજન પ્રીતે, નાંદિશ્રાદ્ધ કર્યું રુડી રીતે. 10 સ્વસ્તિવાચન વિપ્રોએ કીધું, તેના કળશ તણું જળ લીધું; ચારે વેદની ભણી આશીષ, છાંટ્યું તે યજમાનને શીશ. 11 દ્વિજને પછી દક્ષિણા દીધી, વિપ્રની વરુણી પછી કીધી; પૂજયા આચાર્ય ને બ્રહ્માય, કરી […] read more
0 Views : 327
Powered By Indic IME