Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૪
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૯

પૂર્વછાયો:- વર્ણી કહે વસુધાપતિ, કહું રામાનંદની વાત; તીરથ કરવા સંચર્યા, દ્વારાવતિ વિષે વિખ્યાત. 1 ચોપાઈ:- રુડા નિરખીને રણછોડરાય, થયા ત્યાં થકી તેહ વિદાય; ગયા જયાં ગિરિ છે ગિરનાર, કરી જાત્રા તેની સુખકાર. 2 વળી સાંભળી ત્યાં એવી વાત, એક સદ્ગુરુ છે સાક્ષાત; આતમાનંદ તે ગુરુરાજ, ત્રંબા ગામમાં છે એ તો આજ. 3 પછી ત્યાં જઇ તેઓને મળિયા, કાંઇ મનના મનોરથ ફળિયા; મુકતાનંદ તથા જુકતાનંદ, તેના શિષ્ય હતા જનવૃંદ. 4 હરબાઇ અને વાલબાઇ, સતસંગી હતી બહુ ડાઇ; આતમાનંદે વાણી ઉચ્ચારી, તમે કયાંથી આવ્યા બ્રહ્મચારી ? 5 રામશર્મા કહે મહારાજ, આવ્યો દ્વારાવતિ થઇ આજ; ઘણા તીરથ માંહિ હું ફર્યો, કયાંઇ જીવ મારો નવ્ય ઠર્યો. 6 ધારી પ્રભુ મળવાની આશ, થયો સર્વ સ્થળે હું નિરાશ; કયાંઇ સદ્ગુરુ દીઠા ન કોઇ, ઠર્યું અંતર તમને જ જોઇ.7 રુડી દીઠી તમારી મેં રીત, જ્ઞાની ધ્યાની છો પરમ પુનીત; આત્માનંદે મુમુક્ષુ તે જાણી, સતકાર કર્યો ભાવ આણી. 8 રામશર્માને રાખિયા ત્યાંય, મુદ પામ્યા સહુ મનમાંય; પછી દીક્ષા દીધી સુખકંદ, ધર્યું નામ તેનું રામાનંદ. 9 રામાનંદે કહ્યું ગુરુપાસ, મને હરિદર્શનની છે આશ; આત્માનંદ બોલ્યા ગુણવાન, મારી સાથે બેસી ધરો ધ્યાન.10 બેઠા બેય તે ધ્યાન મોઝાર, દીઠું ધ્યાનમાં તેજ અપાર; પછી ધ્યાનથી જાગિયા જયારે, રામાનંદે કહ્યું વળી ત્યારે. 11 દીઠું ધ્યાનમાં તેજ તો ઘણું, રૂપ દીઠું નહિ હરિ તણું; […] read more
0 Views : 1510

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૦

પૂર્વછાયો:- કૃષ્ણે મહામંત્ર આપીને, વળી ઉદ્ધવને કહ્યું એમ; ભકિત ભલી પ્રવર્તાવજો, તે ધર્મ સહિત હોય જેમ. 1 ચોપાઈ:- કરો સોરઠમાં જૈ નિવાસ, ઘણા ત્યાં આવશે દૈવી પાસ; ૠષિ શાપથી મુનિયો જેહ, ધરામાં ધર્યા છે નરદેહ. 2 તેઓ પણ ત્યાંજ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં ભળશે; વળી હું નરદેહ ધરીશ, આવી સોરઠ માંહિ મળીશ. 3 ઘણાં કરજો વળી અન્નસત્ર, આવી મળશે મુમુક્ષુ તે તત્ર; મારી ભકિત કર્યાનો હંમેશ, તેને આપજો સદ ઉપદેશ. 4 એમ કહી થયા અંતરધાન, રામાનંદ થયા સાવધાન; પછી આનંદથી એક માસ, વંૃદાવન માંહી કીધો નિવાસ.5 આપે મુમુક્ષુને ઉપદેશ, કૃષ્ણભકિત કરાવે વિશેષ; જયારે ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન, હરિ આપે છે દર્શનદાન. 6 ફળ પુષ્પ આદિક જે ધરે, તે તો કૃષ્ણ અંગિકાર કરે; પોતે ઉદ્ધવ છે સાક્ષાત, હરિઇચ્છાથી તે જાણી વાત. 7 ભગવાનનાં વચન સંભારી, સતશાસ્ત્રના મત અનુસારી; ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, દેશદેશમાં તે પ્રસરાવ્યો. 8 પછી તીર્થ પ્રયાગમાં ગયા, એક પક્ષ તહાં સ્થિર થયા; કરુણાનિધિ કરુણા કીધી, કૈંક દૈવીને દીક્ષા તે દીધી. 9 ધર્મ ભકિત આવી ચડ્યાં ત્યાંય, જાત્રા કરવાને તીરથ માંય; રામાનંદતણી સુણી શિક્ષા, લીધી ભાગવતી ભલી દીક્ષા. 10 ઉદ્ધવી સંપ્રદાયનો સાર, ગુરુયે સમઝાવ્યો તે વાર; કહ્યું દૈવીઓને દીક્ષા દેજો, કૃષ્ણભકિત કર્યાનું કહેજો. 11 ત્યાંથી ચાલિયા શ્રીરામાનંદ,જવા સોરઠ દેશ સ્વચ્છંદ; મહીકાંઠે છે કાનમ દેશ, આવી તે વિષે કીધો પ્રવેશ. 12 ગામ […] read more
0 Views : 1415

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૧

પૂર્વછાયો:- રામાનંદ પ્રતાપથી, મુકતાનંદમુનિ ગુણવાન; નિશ્ચળ નિષ્કામી થયા, હવે એનું કહું આખ્યાન.1 ચોપાઈ:- અમરાપર નામે છે ગામ, દેશ સોરઠમાં સુખધામ; વસે ત્યાં હરિજન મુળદાસ, સાધુતાગુણ શુભ જેની પાસ.2 તેની બાળકી જે રાધાબાઇ, બહુ રૂપે ગુણે વખણાઇ; પિતાયે એમ મનમાં વિચાર્યું, મળે વર વિદ્વાન તો સારું. 3 એક વિપ્ર જે આનંદરામ, અમરેલી માંહી તેનું ધામ; જોઇ વિદ્વાન ને ગુણવાન, મૂળદાસે દીધું કન્યાદાન. 4 પછી તેને થયો એક પુત્ર, તેથી તેનું શોભ્યું ઘરસૂત્ર; બહુ બુદ્ધિ ને રૂપ પ્રકાશ, ધર્યું નામ તો મુકુંદદાસ. 5 મહામુકત છે તેહ નિદાન, હરિ ઇચ્છાયે ભૂલ્યા છે જ્ઞાન; તેર વર્ષના તે થયા જયારે, પરણાવ્યા પિતાજીયે ત્યારે. 6 ભણ્યા શાસ્ત્ર ભલાં રુડી રીત, એથી વૈરાગ્ય ઉપજયો ખચીત; ધારી ત્યાગી થવા તણી વાત, થવા દે કેમ માત ને તાત.7 તેનો કરવાને ઉપાય કાંઇ, ફર્યા ગાંડા થઇ ગામમાંઇ; જાણી જોઇ ભૂલ્યા તનભાન, કરાવે તો કરે ખાન પાન. 8 જયાં ત્યાં રખડે દિવસ ને રાત, ઘેર ખોળી લાવે માત તાત; રાતે શેરીયે શેરીયે જાય, જઇ કોઇના આંગણમાંય. 9 ખાટલો પાટલો પડ્યો હોય, વસ્તુ હલકી કે ભારે તોય; તે તો ત્યાંથી ઉપાડી લઇને, મુકે અન્યને આંગણે જૈને. 10 કરે એવી ઘણી તે રંજાડ, લાવે લોક તણી બહુ રાડ; વસ્તુ નિજ ઘરની લેઇ કાંઇ, નાંખી આવે જઇ ગામમાંઇ.11 માત તાતને કાયર કીધાં, મેણાં નારીને […] read more
0 Views : 1435

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧ર

પૂર્વછાયો:- કહું કથા રામાનંદની, વળી તેણે કર્યા જે કામ; બાંધ્યાં સદાવ્રત બહુ ભલાં, ગણી કહું તે ગામનાં નામ. 1 ચોપાઈ:- ગામ લોજ તથા માંગરોળ, આપે ત્યાં લોટ દાળ ઘી ગોળ; માણાવદર ને અગત્રાઇ, મેઘપર ને ધોરાજી માંઇ. 2 ગામ સાંકળી ને પીપળાણું, જામવાળી ને ભાડેર જાણું; ફણેણી જેતપર સરધાર, સદાવ્રત નવાનગર મોઝાર. 3 કોટડું ગઢડું કારિયાણી, આપે પુષ્કળ ત્યાં અન્ન પાણી; ગામ માણકવાડા મેથાણ, ગુજરાતે જેતલપુર જાણ. 4 અમદાવાદમાં કર્યું જેમ, બીજાં પણ બહું ગામમાં તેમ; રાખ્યા સાધુઓને અન્ન દેવા, આવે તીરથવાસીયો લેવા. 5 આપી અન્નને દે ઉપદેશ, દૈવીને દિલ થાય પ્રવેશ; વસ્તુ નિત્ય અનિત્યનું જ્ઞાન, પામી થાય તે વૈરાગ્યવાન.6 સુણી સ્વામીનો મહિમા વિશેષ, રહે કૈંક તો ત્યાં જ હંમેશ; દીક્ષા વૈષ્ણવી લેવા ચહે છે, સાધુ થૈ સ્વામીપાસ રહે છે.7 અયોધ્યામાં અખાડો છે જેહ, નામે રામગલોલાનો તેહ; રહે વેરાગી તેમાં અનેક, ઉપરી તો મહાંત છે એક. 8 મુખ્ય શિષ્યતો લક્ષ્મણદાસ, તેને દ્વારિકા જાવાની આશ; સાથે વૈરાગી પચાશ લીધા, ઊંટ ઘોડા ગુરુજીયે દીધા. 9 સૌયે હથિયાર પકડ્યાં હાથે, બીજો સામાન બહુ લીધો સાથે; ચાલ્યા દ્વારિકા જાત્રાને કામ, સુણ્યું રસ્તે રામાનંદ નામ. 10 જયાં છે સુંદર સોરઠ દેશ, લોજમાં તે વસે છે વિશેષ; એ છે ઇશ્વરનો અવતાર, તેના સામર્થ્યનો નથી પાર. 11 પર અંતરની વાત જાણે, મન ચંચળ તે સ્થિર આણે; એનો […] read more
0 Views : 1438

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૩

પૂર્વછાયો:- ભૂપ કહે બ્રહ્મચારીને, આત્માનંદનું કહો આખ્યાન; દેહ ધર્યો કિયા દેશમાં, કેણે દીક્ષાનું દીધું દાન. 1 ચોપાઈ:- સુણી બોલ્યા અચિંત્યાનંદ, સુણ ભૂપ ધરીને આનંદ; આત્માનંદનું કહું આખ્યાન, સુણતાં થાય પાવન કાન. 2 ગોપનાથ મહાદેવ જે છે, મૂળ સ્થાનક તેમનું એ છે; માટે ઉત્પત્તિ એની બતાવું, સારો મહિમા કહી સંભાળાવું. 3 શહેર સૂરતમાં શેઠ એક, હતો ધર્મી ને પરમ વિવેક; સંત વિપ્રની સેવા તે કરતો, મહિમા મનમાં ઘણો ધરતો. 4 એક દિવસ તેને ઘેર ધારી, આવ્યા તૈલંગના બ્રહ્મચારી; તેનું નામ તે ગોવિદાનંદ, દેવઅંશી તે વિચરે સ્વચ્છંદ. 5 શેઠે તેની સજી સારી સેવા, જાણ્યું અન્ય જોગી નથી એવા; તેને ઘેર હતી એક ગાય, નિત્ય ધણમાં તે ચરવાને જાય.6 હતી પુષ્ટ તને રુડી પેર, દેતી દૂધ પ્રથમ દશ શેર; પછી તો ઓછું કાઢવા લાગી, દોજાવા જાય ત્યાં તો જાય ભાગી. 7 પૂછ્યું ગોવાળને શેઠે એમ, હવે દોજાવા દેતી નથી કેમ ? કાં તો કોઇ તેને દોહી લે છે, એવો સંશય અમને રહે છે.8 પાકી સંભાળ રાખજો ભાઇ, નહીં તો નહીં દૈયે ચરાઇ; સુણી બોલિયો તેહ ગોવાળ, હવે રાખીશ હું એ સંભાળ. 9 પછી ગોવાળે રાખી તપાસ, જતી દીઠી તે સાગર પાસ; ઉંડા જળમાં ઘણે દૂર જઇ, પાછી ધણમાં આવી મળી ગઇ.10 ગોવાળે કહી શેઠને વાત, એ તો અચરજ લાગ્યું અઘાત; શેઠે ગોવિંદવરણી પાસ, […] read more
0 Views : 1441

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૪

પૂર્વછાયો:- વર્ણી કહે નૃપ સાંભળો, આત્માનંદનું કહું આખ્યાન; વિશ્વંભર ભટ નામ છે, કરે પ્રભુ તણાં ગુણગાન.1 ચોપાઈ:- વાલબાઇયે તે ઘણા વહાલે, વિશ્વંભર ભટને એક કાળે, નોતરું દેઇ જમવા તેડાવ્યા, પછી તે જયારે જમવા આવ્યા. 2 તમે ઇશ્વર છો એમ કહી, બાઇ ગુરુપદ પકડી રહી; બોલ્યા વિશ્વંભરભટ તૈંયે, અમે વિપ્ર તે ઇશ્વર છૈયે. 3 નથી એમાં તો કાંઇ નવાઇ, મૂકો મૂકો મારા પગ બાઇ; તોયે પગ નવ મૂકિયા જયારે, ભટે ચરણ ઉંચો કર્યો ત્યારે. 4 ચાંપ્યો અંગુઠો એને કપાળે, થઇ તેને સમાધિ તે કાળે; ખટ ચક્ર ભેદી જીવ ચડિયો, બ્રહ્મરંધ્ર ઉપર જઇ અડિયો. 5 ભુલી ગઇ નિજ દેહનું ભાન, સૂતિ થૈને તે શબની સમાન; ભટે પૂછી જોયું તેની માને, આવું થાય છે કે કદી આને. 6 ત્યારે માતાયે જોઇને કહ્યું, આવું તો આને આજ જ થયું; કહે ભટ એની ચિંતા વિસારી, એને એકાંતે મૂકો સુવારી. 7 પછી માતાયે એકાંતે ધરી, ગયા ભટજી તો ભોજન કરી; ગયા વાસર બે એમ વહી, સમાધિ તોય ઊતરી નહી. 8 માયે ભટજીને જમવા તેડાવ્યા, જયારે તે વળી જમવાને આવ્યા; માયે આંખમાંથી આંસુ પાડી, સ્થિતિ પુત્રીની તેને દેખાડી. 9 ચાંપી ચરણનો અંગુઠો ભાલે, તેને તરત જગાડી તે કાળે; અતિ જોઇ ચમત્કાર એવા, જાણ્યા ભટજીને ઇશ્વર જેવા. 10 વાલબાઇ તે વૈરાગ્યવાળી, તેણે તૃષ્ણા સંસારની ટાળી; દિનદિન નિજદેહને દમે, […] read more
0 Views : 1422

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧પ

પૂર્વછાયો:- ભૂપ અભેસિંહ સાંભળો, ચારુ કથા ધરીને ચિત્ત; ઐશ્વર્ય આત્માનંદનું, સંભળાવું સ્નેહ સહિત. 1 ચોપાઈ:- ગામ મેખાટીંબી મોઝાર, આત્માનંદ રહે કરી પ્યાર; થયા આહિર શિષ્ય અનેક, રહે આજ્ઞા વિષે ધરી ટેક. 2 ગામ ધ્રાફા વિષે એક કાળે, કર્યો મેળો મોટા પંથવાળે; લખી કંકોતરી ગામોગામ, તેમાં આહિર તેડ્યા તમામ. 3 વળી એમ લખ્યું તેહમાંય, સગા સ્નેહીને લાવજો ત્યાંય; ત્યારે આહિરોયે મળી આવી, આત્માનંદને વાત સુણાવી. 4 સ્નેહી સહિત તેડાવ્યા છે અમને, સાચા સ્નેહી તો ગણિયે તમને; તમે આવશો સહિત સમાજ, મેળે તોજ જશું અમે આજ. 5 ગુરુજી કહે આવશું અમે, જવા તત્પર થાઓજી તમે; સુણી આહિર સર્વ સિધાવ્યા, આત્માનંદજીને સાથે લાવ્યા. 6 વાલબાઇ અને હરબાઇ, મેળો જોવા ચાલ્યાં હરખાઇ; મુકતાનંદ અને જુકતાનંદ, બેયને કહે આત્માનંદ. 7 મતવાદી જગતમાં જેહ, કરે છે દ્વેષ આપણો એહ; મેળામાં જાશું આપણે જયારે, અતિ કરશે અવિદ્યા તે ત્યારે. 8 માટે આપણે વેશ છુપાવો, સારો ક્ષત્રિનો વેશ બનાવો; કોઇ ઓળખે નહિ એમ કરવું, પછી આહિર સાથે વિચરવું. 9 એવાં વચન કહી મરમાળાં, પેજાર્યા ધોતિયાં લાંબાં પનાળાં; રુડી રેશમની કોર રાજે, અંગે અંગરખાં મોટાં છાજે. 10 જામનગરનાં જરિયાનવાળાં, માથે ધોતિયાં બાંધ્યાં રુપાળાં; ઢાલો તલવારો પણ ધરી લીધિ, ધારીબરછિયો પણ ભલી વીધિ. 11 જુગતાનંદ ને મુકતાનંદ, આતમાનંદ સ્વામી સ્વછંદ; થયા ઘોડલે તે અસવાર, મળી ચાલ્યા આહિર મોઝાર. 12 આવ્યા […] read more
0 Views : 1407

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૧૬

પૂર્વછાયો:- ચાલ્યા માંડવા ગામથી, આતમાનંદ સહિતસમાજ; રહ્યા જઇ રાજકોટમાં, નિજ આશ્રિતના હિતકાજ. 1 ચોપાઈ:- પછી ત્યાં થકી ચાલિયા ફરવા, કૈંક જીવનાં કલ્યાણ કરવા; ગયા ફરતા તે ગામ છત્રાસે, ઘણા ભકત વસે ત્યાં નિવાસે. 2 રામાનંદસ્વામી આવી મળિયા, કરી ચર્ચાને સંશય ટળિયા; વિશિષ્ટાદ્વૈત મત કર્યું સાચું, મત અદ્વૈત તો ઠર્યું કાચું. 3 બ્રહ્મચારી કહે હે રાય, તે તો તમને કહી છે કથાય; રહી શેષ તે વાત કહું છું, મારા મનમાં હુલાસ લહું છું. 4 આતમાનંદ ધારી આનંદ, કહે સાંભળો હે રામાનંદ ! મારો વૃદ્ધ થયો છે જ દેહ, માટે તજવાને જૈસ હું તેહ. 5 રામાનુજગુરુથી તમે દીક્ષા, લીધી છે વળી સારી શિક્ષા; વૃંદાવનમાં શ્રીકૃષ્ણથી જેમ, મંત્રદીક્ષા લીધી છે તેમ. 6 વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન, મારા શિષ્યોને દેજો નિદાન; મત અદ્વૈત ખંડન કરજો, મારા શિષ્યોના સંશય હરજો. 7 રામાનંદ બોલ્યા શબ્દ સારા, રામાનુજ છે પરમ ગુરુ મારા; તેનો પ્રતાપ અંતરે આણી, વળી કૃષ્ણપ્રતાપ તે જાણી. 8 હૈયે રાખીને પૂરણ હામ, કહો છો તે કરીશ હું કામ; જે જે છે જન શિષ્ય તમારા, તેને શિષ્ય કરીશ હું મારા. 9 બીજા પણ બહુ શિષ્ય કરીશ, વિશિષ્ટાદ્વૈત હું મનાવીશ; કૃષ્ણઆજ્ઞાથી આવ્યો છું હુંય, માટે કામ તે કરવા ઇચ્છુંય.10 પછી હરબાઇ ને વાલબાઇ, તેને ગુરુયે કહ્યું હરખાઇ; રામાનંદ કહે તેમ કરજો, એની આજ્ઞા અંતરમાં ધરજો. 11 જુકતાનંદ […] read more
0 Views : 1720
Powered By Indic IME