પૂર્વછાયો:- વર્ણી કહે અભેસિંહજી, સુણો કૃષ્ણકથા ધરી પ્રીત; સાધુઓને હરિ શીખવે,રુડી અષ્ટાંગ યોગની રીત.1 યોગ તણાં આઠ અંગ છે, તેનાં લક્ષણ કહે વૃષલાલ; અભ્યાસ તેનો આદરી, શીખે સાધુજનો તેહ કાળ. 2 યમ નિયમ આસન તથા, પ્રાણાયામ ને પ્રત્યાહાર, ધારણા ધ્યાન સમાધિ છે, અંગ આઠ છે એહ પ્રકાર. 3 ચોપાઈ:- યોગ સાધન કરવાનું ધારે, તેને પાપ કરમથી નિવારે; યોગમાં સ્થિર વૃત્તિ રહે છે, યમ તો તેનું નામ કહે છે. 4 યમના કહું બાર પ્રકાર, સુણો સંતો પૂરો ધરી પ્યાર; અહિંસા તથા સત્ય અસ્તેય, વળી અસંગને લજજા છેય.5 અસંચય અને આસ્તિકપણું, બ્રહ્મચર્ય મુનિવ્રત ગણું; સ્થિરતા ક્ષમા નિર્ભય જેહ, યમ બાર પ્રકારના તેહ. 6 કામ્યધર્મથી વૃત્તિ ઉથાપે, મોક્ષધર્મ વિષે સ્થિર થાપે; તેનું નામ નિયમ નિરધાર, કહું તેનાય બાર પ્રકાર. 7 એક તો બાહ્ય જે શૌચાચાર, બીજો અંતર શૌચ પ્રકાર; જપ તપ હોમ ને શ્રદ્ધા જાણો, અતિથિ તણી પૂજા પ્રમાણો.8 પ્રભુપૂજા ને તીર્થઅટન, વળી પરઉપકાર પાવન; સદા સંતોષ ને ગુરુસેવા, ભેદ બાર નિયમના છે એવા. 9 જોગી જોગની સિદ્ધિને કાજે,જેવી રીતે સુખેથી બિરાજે; એનું નામ તો આસન જાણો, અંગ જોગનું ત્રીજું પ્રમાણો.10 જાણે આસન બહુ જોગાભ્યાસી, તેમાં મુખ્ય ગણાય ચોરાશી; તેમાં પણ મુખ્ય ત્રીશ પ્રકાર, તે વિષે ચૌદ સારમાં સાર. 11 નામ સ્વસ્તિક ગોમુખ એહ, વીરયોગ ને પદ્મ છે તેહ; વળી કુર્કટ કૂર્મ ને […]
read more