Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૪
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૧

શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। શ્રીહરિલીલામૃતમ્ ।। દીક્ષાનામ ચતુર્થઃ કલશઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ જે હરિ લોજ માંહી શિખવી અષ્ટાંગયોગી કળા, રામાનંદ પ્રતિ સુપત્ર લખિયો તે પીપળાણે મળ્યા; દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી, સ્વામીયે ધુર સંપ્રદાય તણી તો જૈ જેતપૂરે દીધી. 1 પૂર્વછાયો:- વર્ણી કહે નરપતિ સુણો, ધરી શ્રીહરિ વરણી વેશ; ફરતા ફરતા લોજમાં, આવ્યા સુંદર સોરઠ દેશ. 2 ચોપાઈ:- ગયાં સંવત શતક અઢાર, આષાઢાદિ છપન મોઝાર; હતી શ્રાવણી છઠ્ય અંધારી, પ્રભાતે આવ્યા લોજ મોરારી. 3 ફર્યા સાત વરસ એક માસ, અગિયાર દિવસ વનવાસ; લોજથી દિશા ઉત્તરમાંય, દીઠી વાવ તથા વડ ત્યાંય. 4 કર્યું વાવ વિષે જઇ સ્નાન, વડ હેઠે ગયા ભગવાન; ભલી એક શીલા મોટી ભાળી, બેઠાં તે પર શ્રીવનમાળી. 5 જનમનને હરણ કરે જેવી, દિસે મૂર્તિ મનોહર એવી; પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. 6 દષ્ટિ ચંદ્રે ચકોરની જાય, તે તો પાછી વાળી ન વળાય; લોહને તો ચમક ખેંચે જેમ, જનમન હરિમાં જાય તેમ. 7 જળ ભરવા આવે ઘણી નારી, રહે મૂર્તિ વિષે દષ્ટિ ધારી; લીધા કોઇયે જળઘટ માથે, કોઇ માથે અને એક હાથે. 8 મૂર્તિ દેખી રહી સ્થિર ઠરી, જાણે ચિત્રમાં હોય ચિતરી; ધ્યાનમુદ્રાયે ધર્મકુમાર, બેઠા સ્થિર થઇ તેહ ઠાર. 9 જોઇ બોલે પરસ્પર નારી, આ તે કોણ હશે બ્રહ્મચારી ? એની કાયા […] read more
0 Views : 1614

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦ર

પૂર્વછાયો:- પ્રશ્ન તણા ઉત્તર કર્યા, નિજ મતિયે મુકતાનંદ; તે સરવે સુણી પામિયા, વૃષનંદન ઉર આનંદ. 1 ચોપાઈ:- બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી; ઘણા સંતોની મેં મતિ જોઇ, આવા ઉત્તર આપે ન કોઇ.2 તમે સદ્ગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય; આંહી દિસે છે ઉત્તમ ધર્મ, અંશમાત્રે નથી જ અધર્મ. 3 ગાંજા ભાંગ પીતા નથી કોઇ, સુંઘવાની તમાકુ ન જોઇ; તમ પાસે રહે ઘણા સંત, દિસે સર્વે તે વૈરાગ્યવંત. 4 સૌનાં નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત; ઘણાં જોયાં અમે તીર્થ ધામ, નથી સંત આવા કોઇ ઠામ. 5 શાણા સદ્ગરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા; નહિ તો શુદ્ધ આ સંપ્રદાય, કળિકાળમાં કયાંથી જણાય.6 સુણી બોલિયા મુકતાનંદ, આપ છોજી મુનિવર ચંદ; આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઇ ઠાર. 7 ગુરુજી રામાનંદ છે જેહ, અવતાર ઇશ્વરનો છે તેહ; તેને મળશો તમે વળી જયારે, થશે હર્ષ પરસ્પર ત્યારે. 8 સુણી બોલિયા સુંદરશામ, રામાનંદનું જાણું છું નામ; એ છે ઉદ્ધવનો અવતાર, નથી સંશય એમાં લગાર. 9 ધર્મદેવ પિતા મુજ જેહ, રામાનંદ તણા શિષ્ય તેહ; બાળાપણમાં મને સાક્ષાત, મુજ તાતે કહી હતી વાત. 10 મને સ્મરણ થયું હવે એનું, માટે ઇચ્છું છું દર્શન તેનું; મુકતનાંદજી બોલ્યા હુલાસે, ગુરુ આવશે દર્શન થાશે. 11 વસો આંહી કરીને […] read more
0 Views : 1472

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૩

પૂર્વછાયો:- લોજ વિષે હરિએ કર્યો, કેટલાક માસ નિવાસ; એક સમયમાં ઉચ્ચર્યા, પોતે મુકતાનંદમુનિ પાસ. 1 ચોપાઈ:- નવ આવ્યા રામાનંદસ્વામી, રહ્યાં તે ગુરુ ત્યાં જ વિરામી; ગયું ચોમાસું ને શીતકાળ, ગયો ફાગણ નાવ્યા દયાળ. 2 મન મળવાને આતુર થાય, હવે વિરહથી નવ રહેવાય; અમે કચ્છ જવાને વિચરશું, ગુરુનાં જઇ દર્શન કરશું. 3 ત્યારે બોલિયા મુકતાનંદ, રહો આંહી ધરીને આનંદ; કચ્છમાં તો તમે ન જવાય, વાટમાં ઘણાં વિધ્ન જણાય.4 આડી આવે સમુદ્રની ખાડી, નડે રસ્તામાં અસુર અ નાડી; માટે આંહી રહો કરી વાસ, પત્ર મોકલિયે ગુરુ પાસ. 5 કરશે ગુરુ આજ્ઞા તે જેમ, પછી આપણે કરશું એમ; એમ કહી મુનિ મુકતાનંદે, લખ્યો પત્ર અધિક આનંદે. 6 બીજો પત્ર લખ્યો મહારાજે, તે તો કચ્છ મોકલવાને કાજે; તેમાં સરવે લખ્યું વૃત્તાંત, જેથી લેશ રહે નહિ ભ્રાંત. 7 પત્ર લઇને મયારામ ભટ, કચ્છ દેશ વિષે ગયા ઝટ; ભુજ માંહી મલ્લ ગંગારામ, રામાનંદજી છે તેને ધામ. 8 ભટે સ્વામીને નિરખ્યા કેવા, સુણો ભૂપ કહું છું હું તેવા; સભા માંહી શોભે સુખકંદ, જેમ તારામંડળ વચે ચંદ. 9 શોભે ગૌર ને પુષ્ટ શરીર, ગુણે સુરગુરુસમ ગંભીર; પડે ત્રિવળી ઉદર પર એવી, જાણે હોય ત્રિવેણી તે જેવી. 10 શોભે સુંદર ભાલ વિશાળ, તેમાં તિલક ને કંઠે છે માળ; સ્વર ગંભીર મેઘ સમાન, દિસે જ્ઞાન વિજ્ઞાન નિધાન. 11 દયાસાગર શાંત […] read more
0 Views : 1457

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૪

પૂર્વછાયો:- શ્રીહરિયે લોજપુરમાં, કર્યા દિવ્ય ચરિત્ર વિચિત્ર; વર્ણી કહે નૃપ સાંભળો, કહું આખ્યાન એહ પવિત્ર. 1 ચોપાઈ:- લોજગામ થકી ગાઉ બેય, શીલ નામ તે ગામનું છેય; આવ્યા ત્યાં થકી બે હરિજન, કહ્યાં મુકતમુનિને વચન. 2 મારા વાઢ વિષે તો આ વાર, થયાં ચીભડાં અપરમપાર; કોઇ સાધુને મોકલો લેવા, ગાડું ભરી હું આવિશ દેવા. 3 રામાનંદજી આવશે જયારે, થશે સારો સમૈયો તે વારે; ચીભડાંનું જો થાય અથાણું, મારા અંતરમાં હર્ષ આણું. 4 મુકતાનંદે એવી વાત જાણી, સુખાનંદ પ્રત્યે કહી વાણી; હરિભકતને ગામ સિધાવો, જૈને ત્યાં થકી ચીભડાં લાવો. 5 સુણી બોલિયા શ્રીમહારાજ, લેવા ચીભડાં હું જૈશ આજ; સાથે આવશે સેવક દેવો, બીજો કોઇ સાથે નથી લેવો. 6 બોલ્યા મુકતમુનિ ધરી નેહ, તમે દુર્બળ કીધો છે દેહ; માટે તમ થકી ત્યાં ન જવાય, નહિ ચીભડાં તમથી લવાય.7 એવી વાણી ઘણી જ ઉચ્ચરી, તોય દેવાને લૈ ગયા હરી; જયારે વાઢમાં તે બેય આવ્યા, ગાડું એક હરિભકત લાવ્યા. 8 ત્યારે બોલિયા સુંદરશામ, નથી ગાડાનું કાંઇયે કામ; લાંબો પોળો ચોફાળ મંગાવો, તેમાં ગાંસડો એક બંધાવો. 9 બોલ્યા હરિજન શ્રીહરિ પાસે, મોટો ગાંસડો કેમ બંધાશે ? હઠ જોગીનો જોઇ તે વાર, બીજા બોલાવિયા જણ બાર. 10 મોટો ચોફાળ ત્યાં એક લાવ્યા, ચીભડાં મણ સોળ ભરાવ્યાં; તેનો ગાંસડો એક બંધાવ્યો, જણ બારે મળી ઉપડાવ્યો. 11 હેઠે હરિયે […] read more
0 Views : 1486

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો:- વર્ણી કહે અભેસિંહજી, સુણો કૃષ્ણકથા ધરી પ્રીત; સાધુઓને હરિ શીખવે,રુડી અષ્ટાંગ યોગની રીત.1 યોગ તણાં આઠ અંગ છે, તેનાં લક્ષણ કહે વૃષલાલ; અભ્યાસ તેનો આદરી, શીખે સાધુજનો તેહ કાળ. 2 યમ નિયમ આસન તથા, પ્રાણાયામ ને પ્રત્યાહાર, ધારણા ધ્યાન સમાધિ છે, અંગ આઠ છે એહ પ્રકાર. 3 ચોપાઈ:- યોગ સાધન કરવાનું ધારે, તેને પાપ કરમથી નિવારે; યોગમાં સ્થિર વૃત્તિ રહે છે, યમ તો તેનું નામ કહે છે. 4 યમના કહું બાર પ્રકાર, સુણો સંતો પૂરો ધરી પ્યાર; અહિંસા તથા સત્ય અસ્તેય, વળી અસંગને લજજા છેય.5 અસંચય અને આસ્તિકપણું, બ્રહ્મચર્ય મુનિવ્રત ગણું; સ્થિરતા ક્ષમા નિર્ભય જેહ, યમ બાર પ્રકારના તેહ. 6 કામ્યધર્મથી વૃત્તિ ઉથાપે, મોક્ષધર્મ વિષે સ્થિર થાપે; તેનું નામ નિયમ નિરધાર, કહું તેનાય બાર પ્રકાર. 7 એક તો બાહ્ય જે શૌચાચાર, બીજો અંતર શૌચ પ્રકાર; જપ તપ હોમ ને શ્રદ્ધા જાણો, અતિથિ તણી પૂજા પ્રમાણો.8 પ્રભુપૂજા ને તીર્થઅટન, વળી પરઉપકાર પાવન; સદા સંતોષ ને ગુરુસેવા, ભેદ બાર નિયમના છે એવા. 9 જોગી જોગની સિદ્ધિને કાજે,જેવી રીતે સુખેથી બિરાજે; એનું નામ તો આસન જાણો, અંગ જોગનું ત્રીજું પ્રમાણો.10 જાણે આસન બહુ જોગાભ્યાસી, તેમાં મુખ્ય ગણાય ચોરાશી; તેમાં પણ મુખ્ય ત્રીશ પ્રકાર, તે વિષે ચૌદ સારમાં સાર. 11 નામ સ્વસ્તિક ગોમુખ એહ, વીરયોગ ને પદ્મ છે તેહ; વળી કુર્કટ કૂર્મ ને […] read more
0 Views : 1721

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો:- કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ આપ; રામાનંદને હરિ તણો, હવે વર્ણવી કહું છું મેળાપ. 1 ચોપાઈ:- કરી લોજનગરમાં વિરામ, ઘણી લીલા કરી ઘનશ્યામ; કર્યા દિવ્ય ચરિત્ર અનેક, નવ આવે ઉચરતાં છેક. 2 જળઝીલણી દસરા દિવાળી, એ જ રીતે પ્રબોધિની ભાળી; વળી વસંતની જે પંચમી, ફુલદોળ ને રામનવમી. 3 ભીમ એકાદશી કહેવાય,કર્યા એટલા ઉત્સવ ત્યાંય; રામાનંદ સ્વામી નવ આવ્યા, ભુજમાં હરિભકતે રોકાવ્યા. 4 થયા શ્રીહરિ તેથી ઉદાસ, બોલ્યા મુકતાનંદ મુનિ પાસ; વઇશાખનો વાયદો ગયો, સ્વામી કેરો મેળાપ ન થયો. 5 રામાનંદજી આવશે કયારે ? કયારે મેળાપ થાશે અમારે ? સુણી બોલિયા મુકતાનંદ, રહો ઉરમાં ધરી આનંદ. 6 સ્વામી આવશે આજ કે કાલ, ધરો ધીરજ દિલમાં દયાળ; પછી સંવત શતક અઢારે, સાલ છપ્પનમી હતી ત્યારે. 7 જેઠ કૃષ્ણ દશમ દિન ટાણે, રામાનંદ આવ્યા પીપળાણે; જયારે આકાશે ઉગ્યો દિનેશ, ત્યારે ગામમાં કીધો પ્રવેશ. 8 મેતા નરસિંહ દ્વિજ ઉનેવાળ, ઉતર્યા તેને ઘેર દયાળ; એક વિપ્ર કુંવરજી નામ, તેને મોકલિયો લોજ ગામ. 9 કહ્યું સંતનો સર્વ સમાજ, મળી આવજો દર્શન કાજ; જૈને વિપ્રે સમાચાર કહ્યા, સુણી સંત સરવ રાજી થયા. 10 ઉગ્યો ચંદ્રમા પાછલી રાતે, ચાલ્યા સંત સરવ ભલી ભાતે; મળવાની આતુરતા ધરી, સૌએ ઉતાવળી ગતિ કરી. 11 વર્ણીંદ્રનો દુર્બળ દેહ, તેથી થાકી ગયા અતિ તેહ; કહે સંત દ્યો આજ્ઞા અમને, અમે તેડીને ચાલિયે […] read more
0 Views : 1585

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો:- ભૂપ કહે વર્ણી સુણો, તમે કથા સુણાવી સાર; રામાનંદ તમે કહ્યા જે, ઉદ્ધવનો અવતાર. 1 ચોપાઈ:- ધર્મ સ્થાપવા ભૂમિ મોઝાર, કયારે આજ્ઞા કરી કરતાર; ઉદ્ધવી સંપ્રદાય ચલાવ્યો, તેનું મૂળ મને સમઝાવો. 2 જૂના શાસ્ત્રમાં જો હોય વાત, સંભળાવો મને સાક્ષાત; વળી ઉદ્ધવે કયાં દેહ ધર્યો ? અને કેને તેણે ગુરુ કર્યો ? 3 જન્મ ધરવાનું કારણ શુંય ? તે તો જાણવા ઇચ્છું છું હુંય; દયાસિંધુ દયા દિલ લાવો, મને તે કથા સર્વ સુણાવો. 4 સુણી એવું બોલ્યા બ્રહ્મચારી, કથા તે સાંભળો મન ધારી; સ્થાપ્યો જે ઉદ્ધવી સંપ્રદાય, મૂળ શ્રીમદ ભાગવતમાંય. 5 અઠાવીશમા દ્વાપર અંતે, બહુ પૃથ્વીને પીડી અસંતે; ભૂપરૂપે થયા ભૂમિભાર, તેણે કીધા અધર્મ અપાર. 6 ધરા ધેનુતણું રૂપ ધરી, ઈંદ્ર બ્રહ્મા પાસે પરવરી; કર્યો પીડાનો બહુ પોકાર, સર્વ દેવે સુણ્યો તેહ વાર. 7 સૌએ કૃષ્ણની પ્રાર્થના કરી, દયાસાગરે દીલમાં ધરી; આપે ઇચ્છ્યા લેવા અવતાર, ભારે ભૂમિનો હરવાને ભાર. 8 ઉપજાતિવૃત્ત:- ભૂમિ તણો ભાર ઉતારવાને, ધરા વિષે ધર્મ પ્રસારવાને; ધર્યાં વસુદેવ થકી શરીર, શ્રીકૃષ્ણને શ્રીબળદેવ વીર. 9 શ્રીઅર્જુને તો કુરુ કુળમાંય, ધર્યો ધરામાં નરદેહ ત્યાંય; તે ત્રણ્ય વીરે અસુરો વિદાર્યા, ભૂમિ તણા ભાર ઘણા ઉતાર્યા. 10 સ્વધામ જાવા હરિયે વિચાર્યું, ત્યારે વળી અંતર એમ ધાર્યું; રહ્યો હજી જાદવ વંશ શેષ, તે ભારને સંહરવો અશેષ. 11 ૠષી તણા શાપ મિષે […] read more
0 Views : 1649

હરિલીલામૃત, કળશ- ૦૪, વિશ્રામ- ૦૮

પૂર્વછાયો:- વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું વિશાળાની વાત; દુર્વાસાયે શાપિયા મુનિ, તેહ કહું સાક્ષાત. 1 ચોપાઈ:- નારાયણમુનિ ઉચ્ચરે વાત, મરીચ્યાદિ સુણે સાક્ષાત; થયા વાતમાં સઉ લેલીન, ધર્મ ભકિતયે વાત આધીન. 2 દશા ઉપશમ સહુની થઇ, તનની શુદ્ધિ વિસરી ગઇ; ગિરિ કૈલાસથી એ જ ટાણે, દુરવાસા આવ્યા તે ઠેકાણે. 3 આપે રુદ્રનો અંશ ગણાય, જેનો ક્રોધ વરણવ્યો ન જાય; આવી ઉભા તે સભાની પાસ, દીઠા નહિ કોઇયે દુરવાસ.4 મુનિ ઉભા રહ્યા ઘડીવાર, ન કર્યો કોઇયે સતકાર; ત્યારે જાણિયું એમ નિદાન, આ તો કીધું મારું અપમાન. 5 તેથી કારમો ક્રોધ ચડાવ્યો, જાણે રુદ્ર પ્રલે કાજ આવ્યો; દિસે ક્રોધે ભર્યા લાલ ડોળા, ધિખતા જેવા લોઢાના ગોળા. 6 ભ્રકુટી ભયંકર અથાક, જાણે શંભુનું હોય પિનાક; ડસે હોઠ દિસે વિકરાળ, જાણે કોપિયો સાક્ષાત કાળ. 7 ક્રોધે થરથર ઘ્રુજે શરીર, જાણે ઉછળે સાગરનીર; રોમ ઉભા થયા અંગે એવા, હોય લોહના ગરજા જેવા. 8 જાણે જગતનો કરશે વિનાશ, કાં તો દેશે ત્રિલોકીને ત્રાસ; પછી બોલ્યા ઉંચો કરી સાદ, જેવો પ્રલયના મેઘનો નાદ. 9 તમે સાંભળો મુનિજન સર્વ, તપ વિદ્યાનો તમને છે ગર્વ; ધર્મપણ થયા આજ અધર્મ, મારા મનમાં હું સમજયો છું મર્મ. 10 હું તો ઉભો રહ્યો ઘણી વાર, ન કર્યો કોઇયે સતકાર; ઘણું તમને ચડ્યું અભિમાન, તેથી મારું કર્યું અપમાન. 11 જયા ત્યાં પામો છો […] read more
0 Views : 1516
Powered By Indic IME