Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૩
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૩

ઉપજાતિવૃત્ત :- હે  ભૂપતિ  શ્રીહરિ  છે  સુજાણ,  પ્રભાતમાં  ઊઠી  કરે  પ્રયાણ; કદાપિ માગે જનપાસ ભિક્ષા, કદાપિ દે છે વળી સારી શિક્ષા.1 આહાર કયારે ફળનો કરે છે, કયારેક તો પેટ જળે ભરે છે; કરે  પ્રભુજી  દિવસે  પ્રવાસ,  વસે  નિશાયે  વનમાં  જ  વાસ.2 એવી  રીતે  તે  વિચર્યા  વિદેશ,  ઉલંઘિયાં  ગામ  પુરો  વિશેષ; વીત્યા ઘણા વાસર એમ જયારે, તે નૈમિષારણ્ય ગયા જ ત્યારે.3 કાલિંદિ ગંગાતટ ભાગ એહ, ગણાય છે પૃથ્વી પવિત્ર જેહ; જયાં નિર્મળી ધેનુમતિ નદી છે, નિવાસ ત્યાં સૌ સુરસાથ ઇચ્છે.4 મુનિ તણા આશ્રમ ત્યાં અનેક, મળ્યા મુનિ સૌ ગણિ ઇષ્ટ એક; લેતાં  સગાં  દર્શનસુખ  જેહ,  દીધું  મુનીને  લઇ  ત્યાંથી  તેહ.5 સર્વે  મુનિને  મન  ધૈર્ય  દીધું,  વિજોગનું  કષ્ટ  વિનાશ  કીધુ; કરી  તહાં  વાસર  ચાર  વાસ,  પછી  પધાર્યા  કરવા  પ્રવાસ.6 આવ્યું જતાં શ્રીપુરનામ ગામ, આદિત્ય અસ્તંગત એહ ઠામ; સમીપ દીઠો મઠ એક સારો, ત્યાં ઓટલે આવી કર્યો ઉતારો.7 મહાંતજી  તે  મઠમાં  રહે  છે,  તે  આવીને  શ્રીહરિને  કહે  છે; હે બ્રહ્માચારી મઠ માંહી આવો, કાં તો તમે ગામ વિષે સિધાવો.8 આવો જમો ભોજન રૂડીભાતે, સુવો સુખેથી મઠ માંહી રાતે; ભાસે નિશામાં ભય સિંહ કેરો, તે પ્રાણીનો નાશ કરે ઘણેરો.9 કહું દયા અંતર માંહિ આણી, માનો મહારાજ અમારી વાણી; કહે હરિ કાંઇ ધરૂં ન ત્રાસ, વસ્તિ વિષે તો ન ગમે નિવાસ.10 ઇચ્છા નથી ભોજનની  અમારે, […] read more
0 Views : 342

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૨

પૂર્વછાયો :- હે  નરપતિ  હું  હવે  કહું,  હરિના  વિચરણની  વાત; ચાલ્યા  પ્રભુ  વટ  વૃક્ષથી,  થયું  પ્રગટ  જયારે  પ્રભાત.1 ચોપાઈ :- જયારે વિચર્યા વને મહારાજ, ત્યારે હરખિયો સુરનો સમાજ; પ્રભુ  તીર્થોને  પાવન  કરશે,  સઉ  અસુર  તણો  મદ  હરશે.2 વેદધર્મનો  કરશે  પ્રકાશ,  થશે  દેવોનાં  સંકટ  નાશ; સર્વ  દુષ્ટનો  કરશે  સંહાર,  ભૂમિકેરો  ઉતારશે  ભાર.3 પ્રભુ ચાલ્યા જયાં કરવા પ્રવાસ, સર્વે અસુરને ઉપજિયો ત્રાસ; થઇ પૃથવી તો મનમાં પ્રસન્ન, મને પદ રજે કરશે પાવન.4 તીર્થ લાગ્યાં હરખ મન ધરવા, પ્રભુ આવશે પાવન કરવા; મન  નિશ્ચે  કરે  શેષનાગ,  મારાં  પ્રગટિયાં  પૂરણ  ભાગ્ય.5 જે  મેં  પૃથ્વી  ધારી  છે  શીશ,  તેના  ઉપર  ફરશે  મુનીશ; પૃથ્વી  કરશે  ચરણરજરૂપ,  સદા  તે  શિર  ધરીશ  અનૂપ.6 વસે નભમાં જે સૂરજ ચંદ, એને ઉપજયો વિશેષ આનંદ; પ્રભુ  પોઢતા  મંદિરમાંય,  ત્યારે  નવ  થતાં  દર્શન  ત્યાંય.7 વન વિચરશે વસ્તિને ત્યાગી, તેથી દર્શનની આડ ભાંગી; હવે સાંભળો નૃપ ચિત્ત ધારી, ચાલ્યા જાય છે વનમાં મુરારી.8 જવા ઇચ્છા હિમાચળ ભણી, વાટ લીધી ઉત્તર દિશ તણી; જે જે મારગે શ્યામ પધારે, રસ્તો તે આવી પવન સુધારે. 9 વળી  મેઘ  કરે  છંટકાવ,  ભલો  પ્રભુપદમાં  ધરી  ભાવ; વળી  મંદ  સુગંધ  ને  શીત,  એવો  વાયુ  વહે  હરિ  હીત.10 જયારે સૂરજનો તાપ તપે છે, શિર છાયા ત્યાં મેઘ કરે છે; જયારે વાદળાં નભમાં છવાય, ત્યારે દર્શન રવિને ન થાય.11 શોષે  મેઘનું  […] read more
0 Views : 285

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૧

વનવિહારનામ તૃતીય કલશ પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ  શ્રીવરણીન્દ્રવેષ  ધરીને  જે  તીર્થમાં  જૈ  ફર્યા, દૈવીને  નિજજ્ઞાનદાન  દઇને  દુષ્ટો  વિનષ્ટો  કર્યા; હીમાદ્રી  પુરુષોત્તમાખ્ય  પુરી  જૈ  શ્રીસેતુબંધે  ગયા, કાંચીથી  ગુજરાત  પ્રાંત  થઇને  જે  લોજમાં  જૈ  રહ્યા.1 ઉપજાતિવૃત્ત :- વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, કહું અયોધ્યાપુર કેરી વાત; શ્રીશામ જયારે ઘરથી સિધાવ્યા, પ્રભુ તણા મિત્ર પછીથી આવ્યા.2 જયારે ન જોયા ઘરમાં હરિને, જોયાં બીજાં સ્થાનક તે ફરીને; સરિત્તટે  ને  સુરમંદિરોમાં,  ક્રીડા  કર્યાની  સઘળી  જગોમાં.3 આશા મળ્યાની મનથી તજીને, કહ્યું જઇ રામપ્રતાપજીને; જોયું અમે સ્થાન બધે ફરીને, દીઠા નહીં કોઇ સ્થળે હરિને.4 તે સાંભળીને પડી પેટ ફાળ, લાગી રુદેમાં વિરહાગ્નિ ઝાળ; ભોજાઇ ભાઇ ભયભીત થૈને, રુએ ઘણાં સાસ ઉસાસ લૈને.5 પછી  જઇ  રામપ્રતાપજીયે,  જોયું  પુરીમાં  વળતી  નદીયે; જોઇ જઇને સહુ ફૂલવાડી, જોવા તણી સર્વ મણા મટાડી.6 પછી ઉદાસી થઇ ઘેર આવ્યા, પ્રભુ તણી ભાળ કશી ન લાવ્યા; કુટુંબ  સૌને  ઉપજયો  કલેશ,  રહી  નહીં  ધીરજ  ચિત્ત  લેશ.7 થયા ઉદાસી પુરવાસી લોક, સૌને થયો ચિત્ત અથાગ શોક; રહ્યાં ઘરોઘેર સુઅન્ન રાંધ્યાં, શોકે સહુ ઊપર બાણ સાંધ્યાં.8 દિસે અયોધ્યાપુર આજ કેવું, આત્મા વિના હોય શરીર જેવું; રુવે જનો બાળક ને જુવાન, વૃદ્ધો તણી તો ગઇ શુદ્ધ સાન.9 રુએ અતિશે વળી ભાઇ છોટા, ભાઇ ગયા કયાં મુજથી જ મોટા; માતા પિતા તો ગતબાળ મેલી, મેં જાણ્યું મારો ઘનશામ બેલી.10 […] read more
0 Views : 589
Powered By Indic IME