Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૩
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૧

પૂર્વછાયો :- વર્ણી કહે નૃપ સાંભળો, રતાબસિયાનું કહું આખ્યાન; જે  સુણતાં  સમજાય  છે,  કેવા  સમરથ  શ્રીભગવાન.1 ધર્મતનુજ  નરતન  ધરી,  વન  વિચરતા  વિખ્યાત; આદિકુરમ જયાં તીર્થ છે, ત્યાં આવ્યા પ્રભુ સાક્ષાત.2 ચોપાઈ :- ત્યાંથી માનસપુર ગયા લાલ, સત્રધર્મા છે ત્યાંનો ભૂપાળ; તેની  ઊપર  ઉર  દયા  લાવી,  તેને  સદ્ય  સમાધિ  કરાવી.3 એને  દેખાડ્યું  અક્ષરધામ,  કર્યો  આશ્રિત  સુંદરશામ; નૃપદ્વારે  વળી  તેહ  ઠાર,  કર્યો  અસુર  ઘણાનો  સંહાર.4 ગયા  શ્રીહરિ  તૈલંગદેશ,  કર્યો  ત્રિપદીપુરમાં  પ્રવેશ; ત્યાં તો હળ ને મુશળ ધરનાર, દીઠી બાલાજીની છબી સાર.5 તેનાં  આદરે  દર્શન  કરી,  વેંકટાદ્રિ  વિષે  ગયા  હરી; વળી ત્યાં થકી વાલો વિચરતા, એક ઝાડી વિષે ગયા ફરતા.6 તેમાં  ભૂલા  પડ્યા  ભયહારી,  કર્યું મનુષ્યચરિત્ર  મુરારી; આવી  ભૂમિ  ભયંકર  છેક,  સુતો  દીઠો  ત્યાં  રાક્ષસ  એક.7 તેના  મસ્તકમાં  લાત  મારી,  ત્યારે  ઉભો  થયો  તે  ખુંખારી; હતો  ક્રોધી  વિરોધી  તે  ઘણો,  પદસ્પર્શ  થયો  પ્રભુ  તણો.8 વળી  હરિની  ઇચ્છા  બળવાન,  પૂર્વભવનું  થયું  તેને  જ્ઞાન; પુરુષોત્તમ  પ્રભુને  પિછાણ્યા,  જગદીશ્વર  સાક્ષાત્  જાણ્યા.9 કર્યો  પ્રેમથી  દંડપ્રણામ,  સ્તુતિ  ઉચ્ચારી  ઉચ્ચર્યો  આમ; કૃપાનાથ  તમે  કૃપા  કરી,  મને  આવી  મળ્યા  આજ  હરી.10 સ્વામી  છો  સર્વજ્ઞ  સુજાણ,  તોય  આપું  મારી  ઓળખાણ; પૂર્વજન્મે  હતો  હું  નરેશ,  પ્રીતે  પાળતો  તૈલંગદેશ.11 એવે અવસરે બે દ્વિજ લડિયા, ન્યાય લેવા રાજદ્વાર ચડિયા; તેમાં  એકનું  જયદેવ  નામ,  કન્યા  કુંવારી  તેહને  ધામ.12 બીજો  નામે  મુકુંદદેવ  સારો,  તેને  એકજ  પુત્ર  […] read more
0 Views : 317

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૦

ઉપજાતિવૃત્ત :- કહે અભેસિંહ અહો મુનીશ, કહો કથા સ્નેહ ધરી સુણીશ; તમારી વાણી અતિ મિષ્ટ લાગે, ઇચ્છા સુણ્યાની ઉપજે અથાગે.1 વર્ણી કહે ભૂપતિ ધન્ય ધન્ય, ભકિત તમારી નિરખી અનન્ય; શ્રદ્ધા ઘણી કૃષ્ણકથા સુણ્યાની, સુરીતિ દીઠી વળી તે પુછ્યાની.2 શ્રવણભકિત વિષે :- કથા સુણે તે કહી આદિ ભકિત, તેથી વધે છે નવધાની વિકિત; હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.3 શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય; હરિકથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન.4 દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિસે રીત નવાઇ જેવી; આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહિ તો મરે છે.5 અન્ને યથા જીવ થકી જીવાય, ભકિતતણું જીવન છે કથાય; જે અન્ન છોડે નહિ તેની આશ, કથા તજે ભકિત થશે વિનાશ.6 પ્રાણી પિયે છે પ્રતિદિન પાણી, તોયે અરૂચી ઉપજી ન જાણી; કથા સુણે એક જ વારવાર, ન ભકત પામે અરુચી લગાર.7 સમીપ આવે મરવાનું જયારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે; સત્સંગમાંથી  પડવાનું  થાય,  ધીમે  ધીમે  કૃષ્ણકથા  તજાય.8 જેને કથાકેરું અજીર્ણ થાશે, કથા સુણ્યાની રુચી ઊઠી જાશે; આળસ્ય આવે સુણતાં લગાર, તો જાણવું અંગ થયો વિકાર.9 શ્રીમુખ વાકયામૃતમાં કહ્યું છે, તે વાકય મારી સ્મૃતિમાં રહ્યું છે; જેને કથા અંતરમાં ન ભાવે, નહીં  જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે.10 […] read more
1 Views : 357

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૯

ચોપાઈ :- બ્રહ્મચારી  કહે  સુણ  ભૂપ,  કહું  હરિનાં  ચરિત્ર  અનૂપ; જાણ્યો મુકત છે જયરામદાસ, અંતે રાખવો છે તેને પાસ.1 એહ  દ્વારાયે  જીવ  અપાર,  તારવાનો  છે  હરિનો  વિચાર; નિજમહિમા જણાવાને માટે, રાખ્યો શ્રીહરિએ સાથે વાટે.2 ચાલ્યા  કૃષ્ણને  જયરામદાસ,  તીર્થભૂમિમાં  કરતા  પ્રવાસ; એક  ઝાડી  માંહિ  દીઠો  કૂપ,  તેનું  નીર  વખાણ્યું  અનૂપ.3 જયરામને  કહે  નરવીર,  ભરો  એહ  અવાડીમાં  નીર; પછી ભરિયું અવાડીમાં પાણી, બોળ્યો હરિએ ચરણ દયા આણી.4 આવ્યાં સસલાં હરણ ને શિયાળ, આવ્યાં વાઘ ને સિંહના બાળ; પાણી  સૌએ  મળી  સાથે  પીધું,  જાતિવૈર  વિસારી  જ  દીધું.5 જુએ શ્રીહરિને દષ્ટિ સાંધી, સર્વે પ્રાણીને થઇ ત્યાં સમાધી; સૌને  જગાડીને  અવિનાશી,  કહે  જાઓ  ચાલ્યાં  વનવાસી.6 ગયાં પ્રાણી ચાલી ચારે પાસે, જોયું નજરે તે જયરામદાસે; દીઠો શ્યામનો મહિમા અપાર, તેથી નિશ્ચે થયો નિરધાર.7 તોય માત પિતા વૃદ્ધ જાણી, તેની સેવા વિષે પ્રીત આણી; જાણ્યું તેઓ જશે મોક્ષ જયારે, સ્વામી સંગે રહીશ હું ત્યારે.8 ત્યાંથી  ચાલિયા  પોતે  બે  મિત્ર,  શિવમંદિર  આવ્યું  પવિત્ર; ત્યાં છે ધર્મશાળા અને ઝાડી, તોય ત્યાં રહી રાત્રી વિતાડી.9 ઇચ્છા જયરામદાસને આવી, તેથી હરિએ સમાધિ કરાવી; એને  દેખાડ્યું  અક્ષરધામ,  પૂજે  પ્રભુજીને  મુકત  તમામ.10 મળી  મૂરતિ  પોતાને  જેહ,  દીઠી  અક્ષરધામમાં  તેહ; બ્રહ્મા વિષ્ણુ ને શંભુ અપાર, ઊભા સ્તવન કરે છે ઉચ્ચાર.11 પછી  જાગ્યા  સમાધિથી  જયારે,  કર્યા  દંડપ્રણામ  તે  ત્યારે; સ્તુતિ  હાથ  જોડીને  ઉચ્ચારી,  તમે  અક્ષરાતીત  […] read more
0 Views : 319

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૮

પૂર્વછાયો :- હે  નરપતિ  સુણ  સ્નેહથી,  જેથી  ઉપજે  અંતર  જ્ઞાન; જન  જિજ્ઞાસાનંદનું,  એક  કહું  ભલું  આખ્યાન.1 પછી  કપિલાશ્રમ  થકી,  જયારે  ચાલિયા  સુંદરશામ; ઝાડીમાંથી નીસર્યા, ત્યાં તો આવ્યું વળી એક ગામ.2 ચોપાઈ :- રહે  તે  ગામમાં  બે  વેરાગી,  એક  સંજોગીને  એક  ત્યાગી; તેમાં  ત્યાગીનું  મંદિર  જાણી,  જઇ  ઊતર્યા  ત્યાં  પદ્મપાણિ.3 હતો  જેહ  મહાંત  તે  ઠામ,  તેણે  નિર્ખિયા  શ્રીઘનશામ; જોઇ  મૂર્તિ  મનોહર  સારી,  જાણ્યું  જે  કોઇ  છે  અવતારી.4 માટે સ્નેહથી વિનય કરીને, રાખ્યા પોતાની પાસ હરીને; બીજો  વેરાગી  જે  ઘરબારી,  તેને  પુત્રિયો  બેય  કુંવારી.5 તુલસીકૃત  રામચરિત્ર,  કરે  અભ્યાસ  તેનો  પવિત્ર; નિત્ય  ત્યાગીને  મંદિર  આવે,  તેને  મોટો  મહાંત  ભણાવે.6 એમાં  આવે  જે  દુર્ધટ  અર્થ,  નહિ  જાણવા  બાવો  સમર્થ; તેથી ઉલટો અરથ સમઝાવે, ત્યારે કૃષ્ણને ઉર દયા આવે.7 પછી આજ્ઞા બાવા તણી માંગી, શુદ્ધ અર્થ કરી શંકા ભાંગી; જઇ  બાઇયો  માબાપ  પાસ,  સર્વ  વાત  કરી  તે  પ્રકાશ.8 એક  આવ્યા  બાળા  બ્રહ્મચારી,  દિસે  દેવ  તણા  અવતારી; તે તો છે સર્વ શાસ્ત્ર સુજાણ, એનાં શાં ઘણાં કરીયે વખાણ.9 અર્થ  રામકથાના  બતાવ્યા,  સુણી  મહાંતને  મન  ભાવ્યા; એવું  સાંભળીને  તેનો  બાપ,  ગયો  તેડવા  કૃષ્ણને  આપ.10 ઘણી વિનતિ કરી પગે લાગી, વળી આજ્ઞા મહાંતની માગી; નિજમંદિરે  કૃષ્ણને  લાવ્યો,  કરી  વિપ્રે  ત્યાં  થાળ  ધરાવ્યો.11 પુત્ર  બાવાનો  જયરામદાસ,  તેને  સોંપ્યો  મહાપ્રભુ  પાસ; કહ્યું  હે  પ્રભુ  કરુણા  લાવો,  મારા  પુત્રને  શાસ્ત્ર  ભણાવો.12 […] read more
0 Views : 276

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો :- શ્રીહરિ રહી સિરપુર વિષે, મતવાદીનું હર્યુ અભિમાન; સિદ્ધવલ્લભ  ભૂપાળને,  તહાં  આપ્યું  પોતાનું  જ્ઞાન.1 ચોપાઈ :- નદીતટ કર્યુંઆસન જઇને, બેઠા ધ્યાન ધરી સ્વસ્થ થૈને; નદીમાં  આવ્યું  પાણીનું  પુર,  તોય  આસન  નવ  કર્યુ  દૂર.2 જન જાણે તે તો બુડી ગયા, પણ શ્રીહરિ અવિચળ રહ્યા; હતો  સેવક  ગોપાળદાસ,  ટાળ્યો  તેહનો  અભિચારત્રાસ.3 ગજ  કાળપુરુષનું  દાન,  એક  વિપ્રે  લીધું  તેહ  સ્થાન; હરિશરણે તે બ્રાહ્મણ આવ્યો, તેને પાપથી કૃષ્ણે મુકાવ્યો.4 રહ્યા  ત્યાં  હરિ  ચાતુરમાસ,  પછી  ત્યાં  થકી  કીધો  પ્રવાસ; કેટલાએક  સિદ્ધ  ઉમંગે,  ચાલ્યા  શ્રીઘનશામને  સંગે.5 આવી  પર્વત  વન  તણી  ઝાડી,  રહે  તેમાં  અઘોરી  અનાડી; તે  તો  માણસને  ખાઇ  જાય,  પણ  કૃષ્ણને  દેખી  પળાય.6 પછી  જઇ  પરશુરામકુંડ,  નાજાયા  નાથ  ને  સિદ્ધનું  ઝુંડ; ત્યાંથી પૂર્વના વનમાં સિધાવ્યા, દેવી કામાક્ષી છે તહાં આવ્યા.7 તેની  પાસે  વસે  એક  ગામ,  તેના  બાગમાં  કીધો  વિરામ; ગામમાં  એક  વિપ્ર  છે  વામી,  સર્વ  જાદુગરોનો  તે  સ્વામી.8 કૈક  જોગી  જતીને  હરાવ્યા,  કૈક  પંડિત  દ્વિજને  ડરાવ્યા; તેનું  નામ  પ્રસિદ્ધ  પિબેક,  જેણે  જીતેલા  સિદ્ધ  અનેક.9 તેને શ્રીહરિએ જીતી લીધો, પછી શિષ્ય પોતા તણો કીધો; સર્વે  સિદ્ધને  વીદાય  કરી,  ત્યાંથી  એકલા  ચાલિયા  હરી.10 નામે  નવલખો  પર્વત  જેહ,  હરિએ  દીઠો  દૂરથી  તેહ; જેમાં  કળિયુગ  ન  કરે  પ્રવેશ,  એવો  એ  છે  પવિત્ર  પ્રદેશ.11 જેમાં  જોગી  વસે  નવ  લક્ષ,  કરે  ફળ  જળ  પત્રનો  ભક્ષ; તપ  જ્ઞાન  ને  વૈરાગ્યવંત,  સત્યવાદી  […] read more
0 Views : 335

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો :- ભૂપ સુણો અભેસિંહજી, ચાલ્યા બુટોલથી બળવંત; આવિયું એક અરણ્ય ત્યા, જેનો જોતાં જડે નહિ અંત.1 ચોપાઈ :- ચાલ્યા તે વનમાં અવિનાશ, જનજાતિનો જયાં નહિ વાસ; વસે  મૃગલાં  ને  સસલાં  શિયાળ,  વસે  વાઘ  વરુ  વિકરાળ.2 વસે  અજગર  અરણા  પાડા,  વસે  વાનર  કેરા  અખાડા; વસે  હાથી  હજારો  હજાર,  પશુ  વનચરનો  નહિ  પાર.3 કયાંઇ ઝાડી દિસે ચારે પાસ, તેમાં ન પડે રવિનો પ્રકાશ; આવે ક્ષારભૂમિ વળી કયાંય, નહિ ઝાડ કે તૃણ પણ ત્યાંય.4 ઊંચા  ડુંગર  કયાંઇક  દિસે,  કયાંઇ  કોતર  ઊંડાં  અતિશે; કયાંઇ ભૂત ને પ્રેત ભમે છે, કયાંઇ રાક્ષસ રણમાં રમે છે.5 શિખરિણીવૃત્ત :- જટાધારી   જાણી   પરવતસુતાવાહન   નમ્યા, નિહાળીને  વજ્ર  પ્રભુપદ  ગજોને  મન  ગમ્યા; ધનુર્ધારી  ધારી  નિરખી  કપિ  ભાલૂ  ખુશી  થયા, દીઠો  હસ્તે  દંડો  મહિષ  યમ  જાણી  નમી  ગયા.6 ચોપાઈ :- તપે  જયારે  સૂરજનો  તાપ,  ત્યારે  અવની  તપે  છે  અમાપ; શશી શીતળ ચિહ્ન છે પગમાં, તેથી પગ ન તપે જ મારગમાં.7 એમ  ચાલતાં  તે  વનમાય,  કૈક  વીતિ  ગયા  દિન  ત્યાંય; દીઠો  ત્યાં  વટવૃક્ષ  નિરોગી,  હતા  ત્યાં  એક  ગોપાળજોગી.8 તે  તો  અષ્ટાંગજોગને  સાધી,  પ્રભુ  સમરે  સજીને  સમાધી; તેને  હરિએ  કહ્યું  ધરી  નેહ,  કરો  ત્યાગ  આ  ભૌતિક  દેહ.9 નિજજ્ઞાન  આપી  ઘનશામ,  પછી  મોકલ્યા  અક્ષરધામ; પંચરત્નનો  ગોટકો  જેહ,  હતો  ગોપાળજોગીનો  તેહ.10 દેહ તજતાં પ્રભુને તે દીધો, હેત જાણીને હરિએ તે લીધો; અંતે  તે  ગુટકો  […] read more
1 Views : 324

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦પ

પૂર્વછાયો :- ભૂપ અભેસિંહ સાંભળો, કહું હરિ  ચરિત્રની વાત; મહાપ્રભુ મહાહૃદ થકી, પછી ચાલ્યા ઉઠીને પ્રભાત.1 ચોપાઈ :- હૃદકાંઠે  ચાલ્યા  દિનરાત,  મળી  ત્યારે  જોગીની  જમાત; શત  પાંચ  દિગંબર  દિસે,  ગુરુ  એક  મોટો  તેહ  વિષે.2 તેણે  સાધેલો  જોગ  કહાવે,  સર્વ  શિષ્યોને  જોગ  સધાવે; એક  શિષ્યે  કહી  એવી  વાત,  ગુરુ  સિદ્ધ  છે  આ  સાક્ષાત.3 એણે  સિદ્ધ  કર્યો  હઠજોગ,માટે  નવ  નડે  કાળ  કે  રોગ; જયારે  કાળ  લેવા  તેને  આવે,  બ્રહ્મરંધ્રે  તે  પ્રાણ  ચડાવે.4 તેથી  કાળ  ન  ફાવે  લગાર,  થયાં  જોગીને  વર્ષ  હજાર; મળ્યા  જોગીને  શ્રીઘનશામ,  પાંચ  દિવસ  ઠર્યા  તેહ  ઠામ.5 એક દિવસ તે બોલ્યા જોગીશ, ગામ છે અહિંથી કોશ વીશ; ત્યાંનો રાજા મહાસિદ્ધ જે છે, મોટો શિષ્ય અમારો જ એ છે.6 હઠજોગ  તો  સાધ્યો  છે  એણે,  નથી  રાખી  કચાશ  જ  તેણે; ક્રિયા જે જે કરું છું હું અત્ર, તે તો જાણે રાજા રહ્યો તત્ર.7 ક્રિયા  જે  જે  કરે  છે  તે  રાય,  અહિં  બેઠાં  મને  તે  દેખાય; મળ્યા  આપણે  બે  સાક્ષાત,  તે  તો  રાજાએ  જાણી  છે  વાત.8 માટે નિર્ખવા મૂર્તિ તમારી, નૃપ આવે છે સજી અસવારી; ત્યારે પૂછે પોતે હરિરાય, તમે કોણ ને વિચરો છો કયાંય ?9 સિદ્ધ બોલ્યો ત્યારે શિર નામી, તમે જાણો છો અંતરજામી; તોય  પૂછો  છો  નરતનું  ધારી,  માટે  હું  કહું  વાત  અમારી.10 આ છે હિમગિરિ તટનો પ્રદેશ, કોઇ જનનો ન […] read more
0 Views : 374

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૪

પૂર્વછાયો :- મંદિર  બદરીનાથનું,  તહાં  આસન  કરીને  અકાંત; ધ્યાનમુદ્રાએ  ધર્મસુત,  બેઠા  શરીર  મન  કરી  શાંત.1 ચોપાઈ :- એવે  અવસરે  બદરીનાથે,  પૂરા  હેતથી  પોતાને  હાથે; ધર્મપુત્રનું  પૂજન  કીધું,  ધૂપ  દીપ  ને  નૈવેદ્ય  દીધું.2 પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચ્ચારી; અહો  અક્ષરપતિ  મહારાજ,  ધર્યું  તન  ધર્મસ્થાપન  કાજ.3 ભરતભૂમિમાં  સઘળે  ફરશો,  સર્વે  તીરથ  પાવન  કરશો; સારો  ઉદ્ધવનો  સંપ્રદાય,  પ્રસરાવશો  પૃથવીમાંય.4 તજે  અષ્ટ  પ્રકારે  જે  નારી,  એવા  કરશો  સાધુ  બ્રહ્મચારી; તમે  પશ્ચિમ  દેશ  વિચરશો,  મોટાં  મંદિર  સુંદર  કરશો.5 ભરતખંડમાં  આજ  ઠેકાણે,  મારી  મૂર્તિ  તે  કોઇક  જાણે; માટે  ગુજરાત  મધ્યે  વિચારી,  પધરાવશો  મૂર્તિ  અમારી.6 વળી  લક્ષ્મીનારાયણ  આદિ,  પધરાવશો  કૃષ્ણરાધાદિ; એવાં  વચન  કરીને  ઉચાર,  થયા  અંતરધાન  તે  ઠાર.7 ઉપજાતિવૃત્તિ :- એવે સમે ત્યાં વળી વિપ્ર એક, આવી સુવાકયો ઉચર્યો અનેક; ઉદાસી આત્મા અતિશે જ એનો, દુઃખે દિસે દુર્બલ દેહ તેનો.8 આંખેથી આંસુ અતિશે વહે છે, કષ્ટે ભરેલાં કથનો કહે છે; એવું વિલોકી પ્રભુ એમ પૂછે, રે કોણ તું છે તુજ દુઃખ શું છે ?9 તે વિપ્ર બોલ્યો કરીને પ્રમાણ, હે સ્વામી ! મારું સતયુગ નામ; મારા સમાનો નથી ધર્મ આજ, હું દુઃખી છું તે થકી રાજરાજ.10 ધર્મ  પ્રવર્તાવનને  જ  કાજ,  તમે  ધર્યો  છે  પ્રભુ  દેહ    આજ; આશા કરું કિંકર હું તમારો, સ્થાપો પ્રભુજી શુભ ધર્મ મારો.11 મારે સમે સૌ તપ સાધુ કરતા, વને વસીને તવ […] read more
0 Views : 353
Powered By Indic IME