પૂર્વછાયો :- વર્ણી કહે નૃપ સાંભળો, કહું કૃષ્ણકથા સુખકંદ; જે સુણતાં જન જાતિના, ટળે જન્મ મરણના ફંદ.1 ચોપાઈ :- લાલદાસનું કલ્યાણ કરી, મહીકાંઠેથી ચાલિયા હરિ; આવ્યા બામણગામની પાસ, ઊભા ભાગોળમાં અવિનાશ.2 વિપ્ર ખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાંય; તેણે ભાળ્યા તપસ્વી તે ભારી, પદ વંદીને વિનતિ ઉચારી.3 મારે ઘેર ચાલો મહારાજ, મારા પૂરો મનોરથ આજ; એવું સાંભળી દેવના દેવ, તેને ઘેર ગયા તતખેવ.4 પંડ્યે પાટ ઉપર પધરાવ્યા, પછી નીર ઉને નવરાવ્યા; હેતે પૂજીને હાર ચડાવ્યો, ભાવે ભોજનથાળ ધરાવ્યો.5 રોટલો અને મઠની દાળ, જમ્યા ભાવથી જનપ્રતિપાળ; કોટિ જજ્ઞ તણું ફળ આપ્યું, જન્મમરણનું સંકટ કાપ્યું.6 ત્યાંથી સંચર્યા શ્રીઘનશામ, આવ્યા ગુણનિધિ આણંદગામ; ત્યાંથી નાથ ગયા છે ડાકોર, દીઠા ડાકોરના તે ઠાકોર.7 કરી રણછોડરાયની ભેટ, ત્યાંથી નાથ ગયા ઉમરેઠ; જાગનાથની જગ્યા છે જયાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય.8 શિવદર્શને સાયંકાળ, આવ્યા વિપ્ર ત્યાં બે ખેડાવાળ; એક તો દવે નરભેરામ, બીજા ઠાકર તે રૂપરામ.9 પ્રેમે શંકરને પગે લાગે, ભગવાનને મળવાનું માગે; દીઠા તેઓએ શ્રીઘનશામ, મનવૃત્તિ તણાણી તે ઠામ.10 જેમ લોહ ચમકભણી ચળે, સરીતા તો સાગર ભણી વળે; તેમ જીવ જે દૈવી જણાય, પ્રભુમાં તેનું ચિત્ત તણાય.11 બન્ને બ્રાહ્મણોએ તેહ ઠામ, પ્રેમે કીધો પ્રભુને પ્રણામ; ફળાહાર મંગાવીને દીધો, કૃપાનાથે અંગીકાર કીધો.12 બીજે દિવસ તજી તેહ સ્થાન, આવ્યા ભાળજ શ્રીભગવાન; વળી ત્યાંથી આવ્યા વરતાલે, પ્રભુ બેઠા તળાવની […]
read more