Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૩
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૯

પૂર્વછાયો :- ધોળેરા  થકી  ધર્મસુત,  ચાલી  ગયા  ગોરાસે  ગામ; પશ્ચિમ  તીર  તળાવને,  ખોડિયાર  દેવી  જે  ઠામ.1 ચોપાઈ :- રહે  ત્યાં  સેવાગર  ગોસાંઇ,  દિસે  દૈવીપણું  દિલમાંઇ; પ્રભુ ત્યાં રહ્યા રજની નિવાસ, જમ્યા રાંધીને રોટલો છાશ.2 ગયા  ત્યાં  થકી  વાગડ  ગામ,  હતો  એક  કુંભાર  તે  ઠામ; રાણો  બાવળવો  જ  વિખ્યાત,  તેને  ઘેર  રહ્યા  હરિ  રાત.3 ઘણી  મૃત્તિકા  ત્યાં  પડી  હતી,  સૂતા  તે  ઉપરે  પ્રાણપતિ; કુંભકારે  તો  ગોદડું  દીધું,  પણ  તે  ધર્મપુત્રે  ન  લીધું.4 બીજે  દિવસ  ઊઠી  બળવાન,  ભીમનાથ  ગયા  ભગવાન; નીલકા  નદીમાં  કર્યું સ્નાન,  કરી  નિત્ય  ક્રિયા  તેહ  સ્થાન.5 ભીમનાથનાં  દર્શન  કરી,  સદાવ્રત  લઇને  જમ્યા  હરી; ગયા પોલાર પર અવિનાશ, જેઠા બનાણી કણબીને વાસ.6 તેજ  દિવસ  તેની  માતાનું,  હતું  ખર્ચ  જનોને  જમ્યાનું; જોગીરાજને  તપશી  જાણી,  આપી  ઉત્તમ  સુખડી  આણી.7 ગયા  લૈને  તળાવને  તીર,  કાઢ્યું  ત્યાંના  કુવામાંથી  નીર; ખીજડા  તળે  આસન  કીધું,  જમ્યા  સુખડી  ને  જળ  પીધું.8 પછી બાકી પ્રસાદીનું પાણી, નાંખ્યું તે કૂપમાં કૃપા આણી; પુરવાસી  કરે  જળપાન,  થાય  નિર્મળ  બુદ્ધિ  નિદાન.9 તે  કુવાને  પ્રસાદીનો  જાણી,  મહિમા  મોટો  મનમાં  આણી; સુત  ત્રીકમ  ને  શા  ઝવેર,  તેણે  બંધાવ્યો  છે  રુડીપેર.10 બરવાળે  ગયા  ગિરધારી,  દીઠી  દેરી  નદીતટ  સારી; ગામ    કુંડળ  જયાંથી  જવાય,  રહ્યા  તે  દેરીમાં  મુનિરાય.11 રુડી  રીતે  રહી  એક  રાત,  પ્રભુ  ઉઠીને  ચાલ્યા  પ્રભાત; વળા ગામ ગયા વનમાળી, નાથે પ્રાચીન જગ્યા નિહાળી.12 ત્યાંથી  […] read more
0 Views : 372

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૮

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  ચાલ્યા  બુધેજથી  બળવંત; ગામ ગોરાડ ગયા હરિ, જેનો અંત ન પામે અનંત.1 ચોપાઈ :- ગામથી  દિશા  દક્ષિણમાંય,  એક  સારું  તળાવ  છે  ત્યાંય; હતો  પીપળો  પણ  તેહ  ઠામ,  બેઠા  તે  તળે  સુંદરશામ.2 એક  કોળી  તે  બીજલ  નામ,  કોસ  હાંકી  રહ્યો  તેહ  ઠામ; પાણી  થોડું  તે  કુવા  મોઝાર,  હતું  ઊંડું  તે  હાથ  અઢાર.3 તેનું  કારણ  જાણવું  એવું,  હતું  વર્ષ  દુકાળના  જેવું; ઘનશામ  ગયા  કૂપતીર,  એવે  ટાંણે  ઊંચુ  આવ્યું  નીર.4 લીધું    નાથે  કમંડલું  ભરી,  દીઠું  બીજલે  દષ્ટિએ  કરી; નીર  ભરતી  હતી  ઘણી  નારી,  દીઠું  તેણે  ઉંચુ  ચડ્યું  વારી.5 પાણી પીને ચાલ્યા પરમેશ, ચાલી ગામામાં વાત વિશેષ; કહે  કોઇ  આવ્યા  ભગવાન,  કહે  કોઇ  છે  શંભુ  સમાન.6 સુણી  સૌ  જન  અચરજ  પામે,  એ  જ  વાત  કરે  ઠામોઠામે; પણ  આસુરી  જન  જેહ  જાણે,  જંત્ર  મંત્ર  કે  જાદુ  પ્રમાણે.7 દૈવી  તો  ધરે  દર્શન  આશ,  પટેલ  શામજી  ને  પ્રભુદાસ; ક્ષત્રિ કાંધોજી પણ ત્યાં આવ્યા, પ્રભુ પાછળ પંથે સિધાવ્યા.8 સામે ગામથી ભરવાડ આવ્યો, તેને ત્રણે મળીને બોલાવ્યો; કહ્યું તપસી મળ્યા તને કોઇ, સુણી બોલ્યો તે સન્મુખ જોઇ.9 એક તપસી અધર ચાલ્યો જાય, તેને તમથી નહીં પહોચાય; સુણી  સર્વે  નિરાશ  તે  થયા,  પાછા  ગામ  પોતાતણે  ગયા.10 પ્રભુ  પાદર  પાસ  નિકળ્યા,  અદેસીંહ  ગરાશિયા  મળ્યા; કહ્યું  તેણે  હે  તપસીરાજ!  ચાલો  ગામમાંહી  રહો  આજ.11 નથી  રહેવું  હરિ  […] read more
0 Views : 340

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કહું  કૃષ્ણકથા  સુખકંદ; જે  સુણતાં  જન  જાતિના,  ટળે  જન્મ  મરણના  ફંદ.1 ચોપાઈ :- લાલદાસનું  કલ્યાણ  કરી,  મહીકાંઠેથી  ચાલિયા  હરિ; આવ્યા બામણગામની પાસ, ઊભા ભાગોળમાં અવિનાશ.2 વિપ્ર ખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાંય; તેણે ભાળ્યા તપસ્વી તે ભારી, પદ વંદીને વિનતિ ઉચારી.3 મારે  ઘેર  ચાલો  મહારાજ,  મારા  પૂરો  મનોરથ  આજ; એવું  સાંભળી  દેવના  દેવ,  તેને  ઘેર  ગયા  તતખેવ.4 પંડ્યે  પાટ  ઉપર  પધરાવ્યા,  પછી  નીર  ઉને  નવરાવ્યા; હેતે  પૂજીને  હાર  ચડાવ્યો,  ભાવે  ભોજનથાળ  ધરાવ્યો.5 રોટલો  અને  મઠની  દાળ,  જમ્યા  ભાવથી  જનપ્રતિપાળ; કોટિ  જજ્ઞ  તણું  ફળ  આપ્યું,  જન્મમરણનું  સંકટ  કાપ્યું.6 ત્યાંથી સંચર્યા શ્રીઘનશામ, આવ્યા ગુણનિધિ આણંદગામ; ત્યાંથી  નાથ  ગયા  છે  ડાકોર,  દીઠા  ડાકોરના  તે  ઠાકોર.7 કરી  રણછોડરાયની  ભેટ,  ત્યાંથી  નાથ  ગયા  ઉમરેઠ; જાગનાથની જગ્યા છે જયાંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય.8 શિવદર્શને  સાયંકાળ,  આવ્યા  વિપ્ર  ત્યાં  બે  ખેડાવાળ; એક  તો  દવે  નરભેરામ,  બીજા  ઠાકર  તે  રૂપરામ.9 પ્રેમે  શંકરને  પગે  લાગે,  ભગવાનને  મળવાનું  માગે; દીઠા  તેઓએ  શ્રીઘનશામ,  મનવૃત્તિ  તણાણી  તે  ઠામ.10 જેમ લોહ ચમકભણી ચળે, સરીતા તો સાગર ભણી વળે; તેમ  જીવ  જે  દૈવી  જણાય,  પ્રભુમાં  તેનું  ચિત્ત  તણાય.11 બન્ને  બ્રાહ્મણોએ  તેહ  ઠામ,  પ્રેમે  કીધો  પ્રભુને  પ્રણામ; ફળાહાર  મંગાવીને  દીધો,  કૃપાનાથે  અંગીકાર  કીધો.12 બીજે દિવસ તજી તેહ સ્થાન, આવ્યા ભાળજ શ્રીભગવાન; વળી  ત્યાંથી  આવ્યા  વરતાલે,  પ્રભુ  બેઠા  તળાવની  […] read more
0 Views : 383

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૬

પૂર્વછાયો :- વર્ણી  કહે  વસુધાપતિ,  સુણો  અંતર  ધરીને  ઉમંગ; વળી  કહું  એક  વારતા,  શુદ્ધ  જાણી  કથાનો  પ્રસંગ.1 ચોપાઈ :- થયો  વિક્રમ  વસુધાધીશ,  વીત્યાં  વર્ષ  તો  શત ઓગણીશ; પછી  સોળમી  સાલ  ગણાઇ,  માસ  ચૈત્ર  આવ્યો  સુખદાઇ.2 કશિયાભાઇયે  કરી  પ્રીત,  રઘુવીર  તેડ્યા  રુડી  રીત; જાણ્યો ભકતનો ભાવ તે ઠામ, આચારજ ગયા નાવલી ગામ.3 ભાઇ  સદ્ગુરુ  આતમાનંદ,  શુકમુનિ  ગુણાતીતાનંદ; અદ્ભુતાનંદ  આનંદાનંદ,  અક્ષરાનંદ  પવિત્રાનંદ.4 વર્ણી  નારાયણાનંદ  નામ,  હતો  હું  પણ  સાથે  તે    ઠામ; હતાં  સંતનાં  મંડળ  ઘણાં,  વૃંદ  પાળા  ને  હરિજન  તણાં.5 સૌની  સેવા  ઘણો  સ્નેહ  ધરી,  કશિયાભાઇએ  બહુ  કરી; એક  અવસરે  પ્રભાતમાંય,  કથાવાર્તા  થતી  હતી  ત્યાંય.6 એક  ચોપડી  કીર્તનકેરી,  જેમાં  રેશમી  પાટી  ઘણેરી; લઇ  બેઠા  હતા  સાધુ  કોઇ,  આતમાનંદ  સ્વામીએ  જોઇ.7 ત્યારે બોલ્યા ઊંચો સ્વર તાણી, સુણો સદ્ગુરુ સૌ મુજ વાણી; સર્વ  છૈયે  શ્રીજીના  મળેલા,  ધર્મ  શ્રીજીમુખે  સાંભળેલા.8 દત્તપુત્ર  પ્રભુ  તણા  જેહ,  બિરાજે  છે  આ  પ્રત્યક્ષ  તેહ; તેમ  છતાં  રજોગુણ  લેશ,  કરે  ત્યાગીમંડળમાં  પ્રવેશ.9 એ  તો  અતિ  અઘટિત  કહેવાય,  ઘટે  સંત  તણો  મહિમાય; રવિ કિરણો છતાં અંધકાર, જયારે વ્યાપે તે મુલક મોઝાર.10 ત્યારે કિરણોનો શો મહિમાય, એમ બોલશે લોક બધાય; સંતે  માયાને  કીધી  ખુવાર,  વેર  વાળવા  તે  છે  તૈયાર.11 કળિજુગ રહ્યો લાગ તપાસે, ફાવશે તો તે બળવાન થાશે; સતસંગમાં  કરશે  પ્રવેશ,  માટે  ચેતતા  રહેવું  હંમેશ.12 એક અવસરે સાધુમાં કોઇ, ઓઢવા લાગ્યા છત્રિયો જોઇ; […] read more
1 Views : 324

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧પ

પૂર્વછાયો :- કહે  અચિત્યાનંદજી,  સુણો  ભૂપતિ  થૈ  સાવધાન; ભકત સુકશીયાભાઇનું, એક કહું ભલું આખ્યાન.1 ચોપાઈ :- ચરોતરમાં  છે  નાવલી  ગામ,  લાલદાસ  રહે  તેહ  ઠામ; નાતે  લેઉવા  તે  પાટીદાર,  કરે  ખેતી  ને  ઘીનો  વેપાર.2 ઘૃત  કુંપી  ભરીને  વિશેષ,  કર્યો  વાંકળ  પ્રાંત  પ્રવેશ; તેથી  લાભ  ઘણેરો  તે  લાવ્યા,  મહી  ઊતરી  ઉત્તરે  આવ્યા.3 મહીતટમાં  પરમ  પાવન,  ભાઠામાં  છે  બાવળ  તણું  વન; ઇચ્છા થઇ લાલદાસને ત્યાંહી, બ્રહ્મભોજય કરાવું હું આંહી.4 આસપાસના  વિપ્ર  બોલાવી,  રુડી  રીતે  રસોઇ  કરાવી; થયું ભોજનનું ટાણું જયારે, એક જોગ બન્યો ભલો ત્યારે.5 જેમ  સોનાની  રજ  શોધનાર,  પામે  સોનાનો  મેરૂ  તે  ઠાર; જેમ  ઇચ્છે  પદારથ  કાંઇ,  કલ્પવૃક્ષ  તેને  મળે  ત્યાંઇ.6 પુણ્ય અલ્પનો આદર કીધો, પણ લાભ અલભ્ય તે લીધો; જે  છે  અક્ષરધામના  વાસી,  પુરુષોત્તમ  પરમ  પ્રકાશી.7 જેને  અર્થે  જોગી  જોગ  સાધે,  ઉમાઇશ  તે  જેને  આરાધે; મહી  ઊતરીને  મુનિવેષે,  આવ્યા  શ્રીહરિ  એ  જ  પ્રદેશે.8 લાલદાસે  દીઠા  બ્રહ્મચારી,  કર  જોડીને  વિનંતિ  ઉચ્ચારી; કરો  ભોજન  વરણીરાય,  મારું    દ્રવ્ય  સુફળ  ત્યારે  થાય.9 એવું  વચન  સુણી  ઉર  લીધું,  બ્રહ્માચારીએ  ભોજન  કીધું; કરી  ઇચ્છા  એવી  હરિરાય,  એને  પુત્ર  પવિત્ર  તે  થાય.10 મારી  ભકિત  ભલી  કરનાર,  આખા  કુળનો  કરે  ઉદ્ધાર; એવી  ઇચ્છા  કરી  ધર્મલાલ,  પછી  વીતી  ગયો  કાંઇ  કાળ.11 લાલદાસના  ઘર  મોઝાર,  એક  મુકતે  લીધો  અવતાર; પાડ્યું  નામ  તે  કશિયાભાઇ,  વધે  પ્રતિદિન  બુદ્ધિ  સવાઇ.12 સોળ  વર્ષ  થયાં  તેને  […] read more
0 Views : 319

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૪

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  રુડી  કથા  સુણાવું  કાન; વન  વિચરતા  આવિયા,  ભૂતપુરી  વિષે  ભગવાન.1 ત્યાં બે દિવસ વસી પછી, ગયા ક્ષેત્ર કુમારિકા માંય; પછી પામ્યા પદ્મનાભને, ગયા ત્યાંથી જનાર્દન જયાંય.2 ચોપાઈ :- ગયા  આદિકેશવ  જગદીશ,  હતો  ત્યાં  સુમતિ  અવનીશ; તેને  દેખાડ્યો  આપ  પ્રતાપ,  કર્યો  શિષ્ય  થયો  નિષ્પાપ.3 મળયાચળમાં  ગયા  માવ,  દીઠો  અદ્ભૂત  ત્યાંનો  દેખાવ; પછી ઝાડી વિલોકી વિશાળ, ગયા જયાં વિષ્ણુ સાક્ષિગોપાળ.4 કરી ત્યાં પાંચ દિવસ નિવાસ, કિષ્કિંધા ગયા શ્રીઅવિનાશ; પંપાસરને  પામ્યા  પછી  હરી,  પછી  પંઢરપુર  ગતિ  કરી.5 ચંદ્રભાગા  નદી  ત્યાં  વહે  છે,  દેવ    વિઠ્ઠલનાથ  રહે  છે; દૈવી  જીવને  કરવાને  દાસ,  મહારાજ  રહ્યા  ત્યાં  બે  માસ.6 વળી ત્યાં થકી લાગ્યા વિચરવા, ઘણા જીવનાં કલ્યાણ કરવા; રુડી  ઇચ્છા  ધરી  અતિ  ઉર,  પ્રભુ  ચાલિયા  બુરાનપુર.7 આવ્યું પ્રથમ જનાબાદ ગામ, એક વિપ્ર મળ્યો તેહ ઠામ; ઘેર  તેડી  ગયો  તતખેવ,  દહીં-સાકર  ત્યાં  જમ્યા  દેવ.8 આવ્યા  તાપીએ  શામશરીર,  દિસે  બુરાનપુર  સામે  તીર; જોયો  દક્ષિણતટ  તાપી  કેરો,  દિસે  શોભીત  સરસ  ઘણેરો.9 નદી મૌનાંનો સંગમ જયાં છે, સ્નાન કરવાનો મહિમા ત્યાં છે; હતો  દિવસ  એકાદશી  તણો,  મેળો  તેથી  ભરાયેલો  ઘણો.10 નાજાવા આવેલા બહુ નરનારી, સૌએ નિરખિયા હરિ સુખકારી; કર્યું સ્નાન  ત્યાં  ધર્મકિશોર,  અતિ  મૂર્તિ  દિસે  ચિત્તચોર.11 શિવાશાહ  ને  શેઠ  ગોવિંદ,  તેણે  નિરખ્યા  હરિ  સુખકંદ; જેમ  લોહ  ચમકભણી  જાય,  તેમ  તેઓની  વૃત્તિ  તણાય.12 જેમ  ચંદ્રને  દેખે  […] read more
0 Views : 318

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૩

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  હવે  કહું  હરિની  વાત; દૂધાધારી  વડતળે  છે,  રહ્યા  હરી  ત્યાં  રાત.1 જયારે ત્યાં હરિ આવિયા, ત્યારે આદિત્ય પામ્યો અસ્ત; જાઓ સાધુરામ ગામમાં, એમ બોલ્યા બાવા સમસ્ત.2 ડરઘણો  અહીં  વાઘનો,  વળી  ભાસે  ભયંકર  ભૂત; રાતે  અહીં  તો  રહીં  શકે,  કોઇ  જોગી  વડા  અવધૂત.3 હરિ કહે નહિ જાઊં હું, ગામ છે અહીંથી ગાઉ ચાર; રહો  ભલે  બાવે  કહ્યું,  જાણી  બાળક  તન  સુકુમાર.4 ચોપાઈ :- સુતા શ્રીહરિ આસને જયારે, બાવે જાણ્યું તે ઊંઘ્યા છે ત્યારે; ભોંયરામાંથી  સામાન  લાવી,  સારી  રીતે  રસોઇ  બનાવી.5 તેના  શિષ્ય  બીજા  જણ  ચાર,  વેષ  વિપ્ર  તણો  ધરનાર; દિવસે  તો  રહે  છે  તે  દૂર,  રાતે  આવે  બાવાની  હજૂર.6 ગામમાંથી જણસ લાવી દે છે, બાવો રાતે હિસાબ પૂછે છે; બેઠા જમવાને તે સહું જયારે, બાળ વર્ણીને બોલાવ્યા ત્યારે.7 પણ પાપીના હાથનું અન્ન, લેવા નાથ ન થયા  પ્રસન્ન; તેથી જમવાની ના કહી દીધી, બાવે તાણ ઝાઝી નવ કીધી.8 બાવા  જમતાં  કરે  બહુ  વાત,  સુતા  સાંભળે  હરિ  સાક્ષાત; કહે રોટી તો ખાની સકકરસેં, અૌર દુનિયા તો ખાની મક્કરસેં.9 સીધા ચાલે તે તો ન પોસાય, વાંકી આંગળિયે ઘી ચટાય; કળિજુગના  છે  લોક  કઠોર,  ઢોંગ  વગર  ન  દે  એક  બોર.10 ચંદ્ર  બીજનો  વાંકો  જણાય,  તેથી  માન  પામે  ને  પૂજાય; બાવા  ઊઠ્યા  કરીને  આહાર,  ગયા  ગામ  વિષે  જણ  ચાર.11 એક  […] read more
0 Views : 384

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૨

ચોપાઈ :- બ્રહ્મચારી  કહે  સુણ  ભૂપ,  કથા  પાવન  પરમ  અનૂપ; વેંકટાદ્રિનું  વન  છે  વિશાળ,  તેમાં  વિચરે  છે  દીનદયાળ.1 મળ્યો સાધુ ત્યાં સેવકરામ, તેની સાથે ચાલ્યા ધનશ્યામ; ભાગવત તો ભણ્યો હતો એહ, પછી રસ્તે માંદો પડ્યો તેહ.2 સેવા  શ્રીહરિએ  કરી  એવી,  બીજો  કોઇ  કરે  નહીં  તેવી; પછી જાણ્યો તે કૃતધ્ની જયારે, તેનો ત્યાગ કર્યો હરિ ત્યારે.3 કૃતિદની વિષે :- ઉપજાતિવૃત્ત :- કૃતધ્નિને તો ગુણ જે કરાય, તે સર્વ તેનો શ્રમ વ્યર્થ જાય; કૃતધ્નિ તો ગુણ કશો ન જાણે, અંતે વળી તે ઉર દ્વેષ આણે.4 જો ભકતનો વેષ ધરે તથાપિ, કૃતધ્નિ જેવો નહિ કોઇ પાપી; કૃતધ્નિ લેશે જળ અન્ન જેનું, અંતે બગાડે અતિ કામ તેનું.5 કૃતધ્નિનું  દીલ  દિસે  દગાળું,  કૃતિધ્નનું  મોં  કરીયેજ  કાળું; કૃતધ્નિ જેવો જન જે જણાય, તો સંગ તેનો તજીયે સદાય.6 જે અન્નદાતાની અકીર્તિ ગાશે, કલ્યાણ તેનું કદીયે ન થાશે; કરે કૃતધ્નિ તપ જાપ જેહ, તીર્થાદિ યાત્રા સઉ વ્યર્થ તેહ.7 કૃતધ્નિ જો સેવકરામ જાણ્યો, તો પાપી પૂરો પ્રભુએ પ્રમાણ્યો; એવો  કૃતધ્ની  જન  જેહ  થાશે,  જરૂર  તેથી  હરિ  દૂર  જાશે.8 ચોપાઈ :- કહે  વર્ણી  સુણો  મહિપાળ,  ગયા  કાંચીપુરીમાં  કૃપાળ; ત્યાંથી શ્રીરંગક્ષેત્રમાં ગયા, માસ બે ત્યાં થઇ સ્થિર રહ્યા.9 ગયા  ત્યાં  થકી  શ્રીભગવાન,  સેતુબંધ  રામેશ્વર  સ્થાન; માસ બે ત્યાં રહી મહારાજ, ગયા જયાં વિષ્ણુ સુંદરરાજ.10 પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા, ઘોર વન એકમાં […] read more
0 Views : 1212
Powered By Indic IME