Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૩
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૭

પૂર્વછાયો :- વણિક  ગોવરધન  કહે,  સુણો  શ્રીપુરુષોત્તમ  આપ; ફઇ મારી હરિજન છતાં, એવું મોટું કરેલ શું પાપ ?1 ચોપાઈ :- તેને  ઇશ્વરનું  હતું  જ્ઞાન,  નિત્ય  ધરતી  પ્રભુતણું  ધ્યાન; નામ  મંત્ર  તણો  જપ  કરતી,વ્રત  વિવિધ  પ્રકાર  આચરતી.2 ઘણાં  તીર્થનું  સેવન  કીધું,  મોટા  સંતને  ભોજન  દીધું; કર્યા  પુણ્ય  તેણે  ઘણાં  એમ,  કુંભીપાક  વિષે  પડી  કેમ  ?3 સુણી  બોલ્યા  હરિ  સાક્ષાત,  તેના  પાપ  તણી  કહું  વાત; ધરમાદા  તણું  ધન  જેહ,  હતા  પાસા  સોના  તણા  તેહ.4 રામાનંદસ્વમીએ  વિચારી,  એહ  બાઇને  સોંપ્યા  સંભારી; તેને વીતી ગયા ઘણા માસ, પાસા સ્વામીએ માગ્યા તે પાસ.5 ત્યારે  બોલી  વચન  તે  બાઇ,  નથી  મારી  પાસે  ધન  કાંઇ; સોનું પાછું આપ્યું છે મેં તમને, ખાલી કરશો ફજેત ન અમને.6 દીધો  સ્વામીએ  બહુ  ઉપદેશ,  તોય  માન્યું  નહિ  લવલેશ; એવું  કાંચન  છે  મહાપાપી,  બુદ્ધિ  જનની  બગાડે  કદાપી.7 ઘરબાર  તજી  વન  જાય,  તોય  ધનથી  કદી  લલચાય; હરિભકતપણું  ભલું  ધરે,  તન  મન  ધન  અર્પણ  કરે.8 તેને  પણ  ધનધર્મથી  પાડે,  કુંભીપાકનાં  દુઃખ  દેખાડે; ગુરુનું  સોનું  ઓળવ્યું  એણે,  કુંભીપાક  વિષે  પડી  તેણે.9 ભકિતપુત્ર  કહે  ભગવાન,  સુણો  ગોવરધન  ગુણવાન; કહું  પાપ  તણા  બે  પ્રકાર,  ધર્મશાસ્ત્ર  તણે  અનુસાર.10 ઉપપાતક  જે  પાપ  છોટાં,  મહાપાતક  જે  પાપ  મોટાં; માંસભક્ષક  ને  ગૌઘાત,  ઉપપાતકમાં  છે  તે  ભ્રાત.11 મહાપાતક  પાંચ  ગણાય,  મદ્યપાન  ને  બ્રહ્મહત્યાય; ત્રીજું  ગુરુપત્ની  સંગ  કરે,  ચોથું  હેમ  ગુરુતણું  હરે.12 એવાનો  […] read more
1 Views : 543

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૬

પૂર્વછાયો :- અનુપ  આખા  ગામ  છે,  તેને  પાદર  પૂરવ  દીશ; આંબલિયોનાં ઝાડ છે, બેઠા બે ઘડી ત્યાં મુનિઇશ.1 ચોપાઈ :- ત્યાંથી  મઢડે  ગયા  મહારાજ,  જેઠામેરનું  કરવાને  કાજ; જેઠામેર  ઉપર  કરી  મેર,  ઘનશામ  રહ્યા  તેને  ઘેર.2 તેણે  સેવા  સજી  ઘણી  સારી,  પાળે  નિષ્કામવ્રત  નરનારી; સૂતા  રાત્રીમાં  શ્રીઘનશામ,  જેઠામેરે  જોયું  તેહ  ઠામ.3 બ્રહ્મા  શંભુને  ઇન્દ્ર  અપાર,  આવેલા  વંદવા  તેહ  વાર; રમા રાધા આદિ ઘણી શકિત, સજે ભાવ ધરી ભલી ભકિત.4 કોઇ  તો  થાળ  ધરે  છે  લાવી,  કોઇ  આરતી  ઉતારે  આવી; કોઇ  તો  ગુણગાન  કરે  છે,  કોઇ  સ્નેહે  સ્તુતિ  ઉચ્ચરે  છે.5 જેઠોમેર  અને  તેની  નારી,  નિરખે  મૂરતી  ચિત્ત  ધારી; ત્યારે  બ્રહ્માએ  વેણ  ઉચાર્યા,  ધન્ય  માત  ને  તાત  તમારાં.6 ઘણા  જન્મ  કર્યું તપ  જેહ,  આજ  આવી  મળ્યું  ફળ  એહ; ઘન્ય  ધન્ય  તમે  નર  નારી,  ભલાં  કીધાં  તમે  તપ  ભારી.7 અભેસિંહ  કહે  મુનિરાય,  મને  એતો  સુણાવો  કથાય; જેઠોમેર  તથા  તેની  નારી,  તેણે  તપ  શું  કર્યું એવું  ભારી  ?8 જેથી બ્રહ્માએ તેને વખાણ્યાં, અતિ ઉત્તમ સર્વથી જાણ્યાં; કહે  વર્ણી  સુણો  ધરણીશ,  જેઠામેરની  વાત  કહીશ.9 શ્રીજીમહારાજ મુખ એ વાત, મેં તો સાંભળી છે સાક્ષાત; તમ  આગળ  તે  હું  ઉચારું,  શ્રોતામાં  સર્વોપરી  હું  ધારું.10 કૃતયુગ  થકી  તે  નરનાર,  ધર્યા  ભૂતળ  બહુ  અવતાર; પતિ  પત્નિ  થયાં  બધે  ઠામ,  વ્રત  પાળ્યું  સદા  નિષ્કામ.11 આજ કળિયુગમાં પણ એમ, પાળ્યું નિષ્કામ તો […] read more
0 Views : 355

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- રપ

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કરું  કૃષ્ણકથા  ઉચ્ચાર; પાવન કરવા તીર્થને, ગિરિધારી ગયા ગિરનાર.1 ચોપાઈ :- ભલી  રીતે  પ્રથમ  ભગવાન,  કર્યું કુંડ  દામોદરે  સ્નાન; પછી  રેવતીકુંડમાં  નાહ્યા,  કુંડ  પાવન  કરવા  ચહાયા.2 દામોદરજીને  મંદિર  જઇ,  કર્યા  દર્શન  હર્ષિત  થઇ; ત્યાંના પૂજારીએ કરી સેવા, જાણી હરિને મહાજોગી જેવા.3 કહ્યું  આંહિ  રહો  તમે  રાત,  સુણી  બોલ્યા  હરિ  સાક્ષાત; આજ તો એવી ઇચ્છા છે મનમાં, વસવું નિશાએ જઇ વનમાં.4 ત્યારે  પૂજારી  કહે  પ્રભુપાસ,  વનમાં  બહુ  વાઘનો  ત્રાસ; ઘણા આંહિ અઘોરી ફરેછે, તે તો જન તણો ભક્ષ કરે છે.5 વળી  બોલિયા  વિશ્વઆધાર,  કોઇ  અમને  નથી  હણનાર; એમ ઉચ્ચરી ત્યાંથી સિધાવ્યા, મુચકુંદની જગ્યાયે આવ્યા.6 વળી ત્યાં થકી પશ્ચિમ પાસ, વસ્યા દેરી વિષે રાત વાસ; રાત અરધી જતાં વાઘ આવ્યો, પ્રભુમાં તેણે પ્રેમ ઠરાવ્યો.7 પ્રભુપાસે  રહ્યો  આખી  રાત,  જન  જોવા  મળ્યા  પરભાત; વાઘ  જોઇ  રહે  હરિ  સામે,  જન  જોઇને  અચરજ  પામે.8 પછી  શ્રીહરિએ  સાન  કરી,  ગયો  વનમાં  પ્રદક્ષિણા  ફરી; દામોદરજીના  પુજારી  જેહ,  તેણે  દીઠો  ચમતકાર  તેહ.9 પ્રભુપદ  જઇ  કીધો  પ્રણામ,  તેડી  ગયા  દામોદરધામ; રાખ્યા ત્યાં હરિને ત્રણ રાત, ભાવે સેવા કરી ભલી ભાત.10 તેને  દેવ  દામોદરરૂપે,  દીધું  દર્શન  વૃષકુળભૂપે; પછી  ત્યાં  થકી  વીદાય  થયા,  ભગવાન  ભવેશ્વરે  ગયા.11 પછી વાવ્ય ચડાની છે જયાંય, ગયા તે સમે ત્રીકમ ત્યાંય; ત્યાંથી  આવ્યો  ગિરિનો  ચડાવ,  દીઠો  ડુંગરકેરો  દેખાવ.12 ઉપજાતિવૃત્ત :- […] read more
0 Views : 696

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૪

પૂર્વછાયો :- શિમરગામથી સંચરી, ગયા શ્રીહરિ તુળસીશામ; ત્યાં થકી ગુપ્તપ્રયાગ જૈ, કુંડ ઉત્તરે કીધો વિરામ.1 ચોપાઈ :- ભલી રાયણતળે શિલા ભાળી, કર્યુંઆસન શ્રીવનમાળી; જન  જે  નિજ  આગળ  આવે,  તેને  શાસ્ત્રની  વાત  સુણાવે.2 નિત્ય  કુંડ  વિષે  કરે  સ્નાન,  તીર્થ  પાવન  કરવાનું  તાન; વિપ્ર  ત્યાં  તો  હતો  એક  સારો,  દેલવાડા  વિષે  વસનારો.3 હતો  નાતે  તે  નાગર  ગોર,  ભનોપાઠક  દ્વિજ  શિરમોર; નિત્યપ્રત્યે  પ્રભુ  તેને  ઘેર,  જમી  આવે  જઇ  રુડીપેર.4 તેણે પૂછ્યું તમારું શું નામ ? ભાવિ નામ કહ્યું તેહ ઠામ; મારું  નામ  છે  સહજાનંદ,  સુણી  ઉપજયો  અધિક  આનંદ.5 શેષશાયી  મંદિર  બ્રહ્મચારી,  જમાડે  હરિને  સાધુ  ધારી; તેનું  નામ  છે  નૃસિંહાનંદ,  તેની  આગળ  બોલ્યા  મુકુંદ.6 તીર્થ જગ્યા ને કુંડ છે સારો, જોગ સાધવા જોગ્ય કિનારો; સુણી બોલ્યા વળી બ્રહ્મચારી, તીર્થ જગ્યા તો છે ઘણી સારી.7 પણ જળ નથી રેજાતું ઊનાળે, આપ જેવા જો કરુણાથી ભાળે; કુંડે  નીર  રહે  બારે  માસ,  સુણી  બોલિયા  શ્રીઅવિનાશ.8 હવે રહેશે ઘણાકાળ પાણી, થઇ સુફળ તે શામની વાણી; એવી  રીતે  રહ્યા  દોઢ  માસ,  કીધો  આપ  પ્રતાપ  પ્રકાશ.9 ત્યાંથી  ઉને  ગયા  નરવીર,  ત્રણ  દિવસ  વસ્યા  સરતીર; પુરથી  વળી  પશ્ચિમમાંય,  સારી  વાવ્ય  દીઠી  એક  ત્યાંય.10 તેમાં  જૈ  હરિએ  કર્યું સ્નાન,  વળી  પ્રીતે  કર્યું જળપાન; હંસરાજ  ને  શેઠ  ગણેશ,  પ્રીતે  સેવ્યા  તેણે  પરમેશ.11 તેનો  દેખીને  પૂરણ  પ્યાર,  શામે  સેવા  કરી  અંગિકાર; ત્યાંના  લોકોને  ચમતકાર,  […] read more
0 Views : 350

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૩

દોહા :- કર  જોડી  નરપતિ  કહે,  અહો  અચિંત્યાનંદ; કહો  કથા  હરિકૃષ્ણની,  સુણી  ટળે  દુઃખદ્વન્દ્વ.1 કહે   અચિંત્યાનંદજી,   ધન્ય   ધન્ય   ધરણીશ; શ્રવણ ભકિત ભલિ ભાળીને, આપું શુભ આશીષ.2 આઠ  ભુજા  ને  આઠ  પદ,  ખટ  મુખ  લોચન  બાર; તુજ  મનમાં  ત્રણ  મૂર્તિ  તે,  સદા  વસો  કરી  પ્યાર.3 એક  સહસ્ત્ર  ને  ઉભય  મુખ,  ષટ  કર  ને  પદ  ચાર; તે  તમારી  રક્ષા  કરે,  પૂચ્છ  એક  ધરનાર.4 ચોપાઈ :- સુણો  ભૂપ  અભેસિંહભાઇ,  કહું  કૃષ્ણકથા  સુખદાઇ; મહુવામાં  ગયા  મહારાજ,  કૈક  જીવનાં  કલ્યાણ  કાજ.5 તહાં  લક્ષ્મીનારાયણ  કેરું,  એક  મંદિર  સારું  ઘણેરું; હનુમાનની  દેરી  છે  જયાંય,  દીઠું  આંબલીનું  ઝાડ  ત્યાંય.6 કર્યુંઓટલે ત્યાં જ આસન, વસ્યા ત્રણ દિન પ્રાણજીવન; બાવે એક દિવસ દીધું સીધું, બીજે દિન એક વાણિયે દીધું.7 બાવા ફુલવણકેરી જગ્યાથી, ત્રીજે દિવસ મળ્યું સીધું ત્યાંથી; નદી  માળણને  તટ  સારો,  તલગાજરડાનો  છે  આરો.8 કોઠો બાવાનો છે તેહ સ્થાન, નાહ્યા બે દિન ત્યાં ભગવાન; નદી  માળણ  પાવન  કરી,  જોગસાધન  ત્યાં  કર્યું હરી.9 મવાબંદરને   મહારાજે,   તીર્થર્રૂપ   કર્યું  જનકાજે; ગામ  ડોળિયે  જૈ  હરિ  ખમ્યા,  વિપ્ર  વિઠ્ઠલને  ધેર  જમ્યા.10 ગામ પટવે ગયા ત્યાંથી માવ, ત્યાં છે પૂર્વમાં એક તળાવ; તેને  પૂર્વતટે  વિના  વાડ્ય,  રુડું  એક  રોહણનું  છે  ઝાડ.11 થોડીવાર  બેસી  તેહ  ઠામ,  ગયા  ગુણનિધિ  ચાંચવે  ગામ; ત્યાંથી  પૂર્વે  તળાવ  છે  ત્યાંનું,  પૂર્વતટ  તરુ  છે  રુખડાનું.12 બેઠા  બે  ઘડી  ત્યાં  બળવંત,  પછી  ત્યાંથી  ચાલ્યા  […] read more
1 Views : 456

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- રર

પૂર્વછાયો :- દીનદયાળ  દિયોરથી,  ચાલી  ગયા  લાકડીયે  ગામ; ચૌટાવચે  ત્યાં  ચાલિયા,  હસતે  મુખે  ઘનશામ.1 ઠક્કર  ખોજા  પ્રેમજી,  હાટે  બેઠા  હતા  તે  વાર; ઘાસની  ગૂંથેલી  સાદડી,  પાથરી  હતી  ઘણી  સાર.2 હે  નૃપ  ઓળખો    એહને,  કારભારી  શ્રીહરિના  જાણ; લાધો  ઠક્કર  ગઢપુર  તણા,  ભાઇ  પ્રેમજી  તેના  પ્રમાણ.3 તેને  હસીને  કોઇયે  કહ્યું,  આપો  જોગીને  સાદડી  એહ; પ્રેમજી  કહે  મહાજોગી  જો,  કોઈ  મળે  તો  આપું  તેહ.4 હસીને  બોલ્યા  શ્રીહરિ,  જોગી  જોઇ  વળો  સહુ  ઠાર; અમ  જેવા  જોગી  નહિ  મળે,  કોટિ  બ્રહ્માંડની  મોઝાર.5 એમ  કહી  હસી  ચાલિયા,  હરિ  ગયા  નાને  ગોપનાથ; જળ  ચડાવી  શંભુને,  ગયા  પીપરલે  મુનિનાથ.6 ત્યાં એક દ્વિજ તીર્થવાસીને, નિત્ય આપતો હતો આમાન્ન; તેને  જઇ  હરિએ  કહ્યું,  આપો  અમને  તો  સિદ્ધાન્ન.7 ત્યારે  તે  દ્વિજની  નારીયે,  કર્યો  રોટલો  હરિને  કાજ; પછી  તેમાં  ઘી  પૂરીને,  કહ્યું  જમો  તમે  મહારાજ.8 ચોપાઈ :- બેઠા જમવાને જીવન જયારે, મુખકમળ વિકાશિયું ત્યારે; નર નારીયે નેહે નિહાળ્યું, આખું બ્રહ્માંડ તે મધ્ય ભાળ્યું.9 દીઠી નદિયો ને સાગર સાત, દીઠો પર્વત મેરુ પ્રખ્યાત; સાતે પાતાળ પણ દીઠાં એમાં, દીઠાં કૈલાસ વૈકુંઠ તેમાં.10 દીઠા  સૂર્ય  શશી  ગ્રહ  તારા,  દીઠા  મેઘ  વૃષ્ટિ  કરનારા; દીઠા થાવર જંગમ પ્રાણી, દીઠાં વન નગ પૃથ્વી અજાણી.11 એવી રચના નિહાળી અપાર, પામ્યાં અચરજ તે નરનાર; કર્યું ઉરમાં  એવું  અનુમાન,  નરદેહ  ધર્યો  ભગવાન.12 કરી વિનતિ રહેવા બે માસ, તોય ત્યાં કર્યો […] read more
0 Views : 639

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૧

પૂર્વછાયો :- કુકડગામથી  ચાલિયા,  ગયા  દિયોર  ગામ  દયાળ; જઇને ચોરામાં ઊતર્યા, જન જોવા મળ્યાં વૃદ્ધ બાળ.1 ઉપજાતિવૃત્ત :- પ્રભુ તહાં પથ્થર જોઇ બેઠા, બેઠા બીજા ત્યાં બહુ લોક હેઠા; દયાનિધિએ ઉપદેશ દીધો, શ્રોતાજનોએ સુણી સર્વ લીધો.2 સંસાર આ સ્વપ્નસમાન જાણો, પાપો તથા પુણ્ય ખરાં પ્રમાણો; આ લોકમાં ઈશ્વરભકિત સાચી, તેના વિના વાત સમસ્ત કાચી.3 સ્વપ્ના વિષે દ્રવ્ય મળ્યું જુવે છે, તે જાય તો છાતી કુટી રુવે છે; જાગ્યા પછી દ્રવ્ય નથી જણાતું, છાતી કુટ્યાનું નથી દુઃખ જાતું.4 સંસારકેરું સુખ સત્ય જાણી, કરે સુખાર્થે બહુ પાપ પ્રાણી; તે સુખ સ્વપ્નાવત નાશ થાય, જે કર્મ કીધાં નહિ તેહ જાય.5 માટે કદી પાપ કરો ન કોઇ, મુવા મરે છે જન તેહ જોઇ; કરો સદા ઈશ્વરભકિત ભાવે, ભવાબ્ધિનો જેથકી પાર આવે.6 ચોપાઈ :- વાત  સાંભળીને  શુભ  પેર,  જનો  ચાલ્યા  ગયા  નિજ  ઘેર; ભાવસારની  ભામિની    એક,  જેના  ઉરમાં  વિશેષ  વિવેક.7 તેનો  બાળક  મુળજી  નામ,  બન્ને  ઊભાં  હતાં  એહ  ઠામ; કર્યો  બાઇયે  ચિતમાં  વિચાર,  તપસી  રહ્યા  છે  નિરાહાર.8 પૂછે  ભોજનનું  નહીં  કોઇ,  આણી  આપું  હું  એને  રસોઇ; લેવા તપસીને વિનંતિ કરી, લાવી આપ્યું બેડું જળ ભરી.9 પ્રીતે  પોતાના  પુત્રને  સંગે,  શીધું  મોકલ્યું  અધિક  ઉમંગે; જમ્યા રાંધીને ઇશ અનાદી, આપી એહને શિષ્ટ પ્રસાદી.10 અવશેષ  પ્રસાદી  તે  લઇ,  માતા  પુત્ર  જમ્યાં  ઘેર  જઇ; પુત્ર  પાસે  સાંજે  કેજાવરાવ્યું,  જોગી  […] read more
0 Views : 381

હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૦

પૂર્વછાયો :- વર્ણી  કહે  અભેસિંહજી,  તમે  સુણો  થઇ  સાવધાન; ભૂપતિ ભગવાનસિંહનું, એક ઉત્તમ કહું આખ્યાન.1 ચોપાઈ :- ભૂપ  ભગવાનસિંહજી  જેહ,  ગામ  કૂકડના  ધણી  તેહ; ક્ષત્રિ  ગોહેલ  કુળના  ગણાય,  બુદ્ધિમાન  તે  જોતાં  જણાય.2 પણ  ઇશ્વરનું  નહીં  જ્ઞાન,  રહે  સંસારમાં  સાવધાન; એક  ચારણ  મળિયો  તેને,  વેર  શ્રીહરિ  ઉપર  એને.3 મહા  અસુર  તણો  અવતાર,  પણ  વાણીથી  મન  હરનાર; આડું  અવળું  એણે  સમજાવ્યું,  વૈર  શ્રીહરિ  સાથે  ઠરાવ્યું.4 હરિને  નિત્ય  પ્રાતઃકાળ,  દેતો  ચારણ  તે  શત  ગાળ; ભૂપ  સાંભળતો  કરી  હાસ,  જમે  તે  પછી  બેસી  બે  પાસ.5 પીયે  હોકા  ને  ખાય  અફીણ,  બેય  એમ  થયા  મતિહીણ; આપે  ચારણને  તે  પગાર,  હરિનો  ડર  ન  ધરે  લગાર.6 એક  અવસરે  રાતને  ટાણે,  ભૂપ  સુતેલો  શયન  ઠેકાણે; કાંઇ સ્વપ્ન ને કાંઇક જાગ્યો, ત્યાં તો દેખાવ અદ્ભુત લાગ્યો.7 દીઠા  સુંદર  શ્રીઘનશ્યામ,  વસ્ત્ર  ભૂષણ  અંગે  તમામ; સોટી હાથમાં લીધી છે સ્વામી, મહીનાથના સામી ઉગામી.8 કૃષ્ણ બોલ્યા કરી ઘણો ક્રોધ, કેમ રાખો છો અમશું વિરોધ ? તમારું શું બગાડ્યું છે અમે ? ગાળો કેમ ભંડાવો છો તમે ?9 દૂત  જમના  કહો  તો  દેખાડું,  જમપુર  કહો  તો  પહોંચાડું; અમ  ઉપર  રાખે  જે  વેર,  પામે  પીડા  તે  તો  ઘણી  પેર.10 દેવરાવશો  જો  હવે  ગાળ,  નકી  જાણજો  આવિયો  કાળ; સુણી  ઉપજયો  ભૂપને  ત્રાસ,  કાયા  કંપે  ને  નાંખે  નિશ્વાસ.11 પદ વંદી બોલ્યા તેહ સ્થાન, ભૂલ્યો ભૂલ્યો હું […] read more
0 Views : 457
Powered By Indic IME