બાલચરિત્રનામ દ્વિતીયકલશ-પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ શ્રીહરિકૃષ્ણ ધર્મસદને જૈ જન્મ જેણે ધર્યો, કૃત્યાનો વળી કાળિદત્ત ખળનો જેણે પરાજય કર્યો; કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. દોહા :- હરિલીલામૃતનો હવે, બીજો કળશ રસાળ; કહું સુણો શ્રોતા સહુ, કહે વિહારીલાલ.2 કહે અચિંત્યાનંદને, અભયસિંહ ભૂપાળ; કથા સુણાવો શુભ મને, કરુણા કરી કૃપાળ.3 ધર્મ ભકિત ને શ્રીહરિ, દેહ ધર્યા જે દેશ; બાળલીલા બહુનામીની, વરણન કરો વિશેષ.4 ભાવ ભાળી ભૂપાળનો, ઉચર્યા વરણીરાજ; સુણવા ઇચ્છો શુભ કથા, ધન્ય ભકત શિરતાજ.5 હરિચરિત્ર સુણવા તમે, ચિત્ત ધરો છો ચાહ; તો તે કહેવા છે મને, અંતરમાં ઉત્સાહ.6 બીજા ગ્રંરથોમાં બહુ, છે જેનો વિસ્તાર; વિશેષ વર્ણન તેહનું, નહીં કહું આ ઠાર.7 અધિકપણે હું આજ તો, ઉચરીશ અપૂર્વ વાત; વૃદ્ધ જનોના વદનથી, સુણેલી જે સાક્ષાત.8 જે જે સ્થાને જનમીયા, ધર્મ ભકિત મહારાજ; કહું કથા હું તે વિષે, વિશેષ કહેવા કાજ. વર્ણિરાજનાં વચન સુણી, સુરસિક સુધા સમાન;9 ભાવિક ભૂપતિ ભકતનું, ચિત્ત થયું ગુલતાન. જેમ લોભીને ધન જડે, જડે અંધને નેણ;10 તેમ કથામૃત પ્રાપ્તિ તે, દિલ લાગી સુખદેણ. છીપ સ્વાતિ જળ ઝીલવા, ઉંચી ઉછળે જેમ;11 ઉછળે લોહ ચમકભણી, થયું ભૂપ મન તેમ. શંકર સમ વર્ણીય છે, ભગીરથ સમ નરનાહ;12 વચ્ચે કથાગંગા તણો, પ્રગટ્યો પુનિત પ્રવાહ. પાવન કૃષ્ણચરિત્ર જળ, ધર્મ જ્ઞાનતટ જાણ;13 ભેદ ભકિત વૈરાગ્યના, […]
read more