Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૨
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૨

અથ શ્રીહરિજન્મસમયે વસંતાગમનવર્ણન :- દ્રુતવિલંબિત :- ઉપવને પવને ત્રિવિધી ધરી, સરસતા  રસતાની બહુ કરી; ખગ રુડાં ગરુડાદિ ગણાય છે, સુમનથી મનથી હરખાય છે.1 વન વિષે નવિ શેવતિયો દિસે, બહુ લસે હુલસે જન તે વિષે; ઉચરતી ચરતી વળી કોકિલા, ઠીક થતી કથતી જશ શું ઇલા.2 જનમતી નમતી લતિકા બહુ, અગણિતો ગણિતો ગણિ શું કહું; અભવ સંભવ સંધિથી રાચતી, વનટકી નટકી કિશું નાચતી.3 ભ્રમરજી  મરજી  મનમાં  ધરી,  રવ  કરે  વકરે  મધુતા  હરી; ભજનમાં જનમાં મલકાય છે, ખચિતથી ચિત્તથી ગુણ ગાય છે.4 કમળતો મળતો ગુણ સંઘરે, વિમળતા મળતા તજીને ધરે; અમિતમાં મિતમાં જળમાં સહી, વશિ રહે શિર હેઠું કરે નહી.5 સકળિયો કળિયો સુપલાશની, વનફુલી ન ફુલી કળિ ઘાસની; દ્રુમલતા મળતા રિતુમાં ખિલે, પથરના થર ના કદીયે ફુલે.6 અસુરની સુરની સહુ સંપદા, પ્રસરવા સરવાર વિષે તદા; વિદિશથી દિશથી વશિ નેહથી, અચળ થૈ ચળ થૈ ખળ ગેહથી.7 સુકવિ તો કવિતો રિતુના કરે, રચિરચી ચિર ચિત્ત વિષે ધરે; વસુમતી સુમતી જન જે સજે, અચરના ચરના પતિને ભજે.8 ઉપજાતિ :- વસંતમાં  સંત  તથા  અસંત,  આનંદ  પામે  ઉરમાં  અનંત; ભાનુ પ્રકાશે સુખ થાય ભારી, ક્રિયા જુદી સજ્જન ને શિકારી.9 ભકિત તણા અંગનું તેજ જેહ, વસંતથી ઓપ્યું વિશેષ તેહ; તે  જેમ  કાંતિ  જળજાત  કેરી,  ભાનૂ  પ્રકાશે  પ્રગટે  ઘણેરી.10 તેવે સમે સૌ સુર વજ્રપાણિ, પ્રભુ તણો પ્રાદુરભાવ જાણી; અજાદિ તે […] read more
0 Views : 1445

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૧

બાલચરિત્રનામ દ્વિતીયકલશ-પ્રારંભઃ   શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ  શ્રીહરિકૃષ્ણ  ધર્મસદને  જૈ  જન્મ  જેણે  ધર્યો, કૃત્યાનો વળી  કાળિદત્ત ખળનો જેણે પરાજય કર્યો; કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. દોહા :- હરિલીલામૃતનો   હવે,  બીજો    કળશ    રસાળ; કહું   સુણો   શ્રોતા   સહુ,   કહે   વિહારીલાલ.2 કહે  અચિંત્યાનંદને,  અભયસિંહ  ભૂપાળ; કથા  સુણાવો  શુભ  મને,  કરુણા  કરી  કૃપાળ.3 ધર્મ  ભકિત  ને  શ્રીહરિ,    દેહ  ધર્યા  જે  દેશ; બાળલીલા  બહુનામીની,  વરણન  કરો  વિશેષ.4 ભાવ  ભાળી  ભૂપાળનો,  ઉચર્યા  વરણીરાજ; સુણવા ઇચ્છો શુભ કથા, ધન્ય ભકત શિરતાજ.5 હરિચરિત્ર  સુણવા  તમે,  ચિત્ત  ધરો  છો  ચાહ; તો  તે  કહેવા  છે  મને,  અંતરમાં  ઉત્સાહ.6 બીજા  ગ્રંરથોમાં  બહુ,  છે  જેનો  વિસ્તાર; વિશેષ  વર્ણન  તેહનું,  નહીં  કહું  આ  ઠાર.7 અધિકપણે  હું  આજ  તો,  ઉચરીશ  અપૂર્વ  વાત; વૃદ્ધ  જનોના  વદનથી,  સુણેલી  જે  સાક્ષાત.8 જે  જે  સ્થાને  જનમીયા,  ધર્મ  ભકિત  મહારાજ; કહું  કથા  હું  તે  વિષે,  વિશેષ  કહેવા  કાજ. વર્ણિરાજનાં વચન સુણી, સુરસિક સુધા સમાન;9 ભાવિક  ભૂપતિ  ભકતનું,  ચિત્ત  થયું  ગુલતાન. જેમ  લોભીને  ધન  જડે,  જડે  અંધને  નેણ;10 તેમ  કથામૃત  પ્રાપ્તિ  તે,  દિલ  લાગી  સુખદેણ. છીપ  સ્વાતિ  જળ  ઝીલવા,  ઉંચી  ઉછળે  જેમ;11 ઉછળે  લોહ  ચમકભણી,  થયું  ભૂપ  મન  તેમ. શંકર  સમ  વર્ણીય  છે,  ભગીરથ  સમ  નરનાહ;12 વચ્ચે  કથાગંગા  તણો,  પ્રગટ્યો    પુનિત  પ્રવાહ. પાવન  કૃષ્ણચરિત્ર  જળ,  ધર્મ  જ્ઞાનતટ  જાણ;13 ભેદ  ભકિત  વૈરાગ્યના,  […] read more
0 Views : 1468
Powered By Indic IME