Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૨
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૦

પૂર્વછાયો :- સ્નેહે કહે અભેસિંહજી, રુડાં વચન વિચારી વિવેક; દંતકથા  લોકો  તણી,  તેમાં  વાત  સુણી  છે  એક.1 ચોપાઈ :- જયારે શામ છપૈયે રહ્યાજાતા, ત્યારે ગાયોને ચારવા જાતા; તેથી  ત્યાં  કહે  છે  ગૌઘાટ,  તમે  તે  ન  કહ્યું  શા  માટ?2 વળી  ચીભડીના  હતા  વેલા,  તેને  હરિએ  નિકંદ  કરેલા; લીલા  તે  તમે  નહિ  ઉચ્ચારી,  તેનું  કારણ  કહો  બ્રહ્મચારી.3 બ્રહ્મચારી  કહે  સુણ  ભ્રાત,  એ  તો  ભાસે  અસંભવ  વાત; અઢી  વર્ષ  છપૈયે  રહ્યાય,  કેમ  ગાયો  તે  ચારવા  જાય.4 મુનિ સુવ્રતે પણ નથી ભાખ્યું, બીજા કોઇ મુનિયે નથી દાખ્યું; તેમાં  સત્ય  છે  કેટલી  વાત,  તે  હું  તમને  કહું  સાક્ષાત.5 એવાં  નાનાં  ચરિત્ર  અપાર,  આવે  કેતાં  આયુષ્યનો  પાર; માટે  મેં  નથી  કહી  તે  વાત,  હવે  પૂછો  છો  તો  કહું  ભ્રાત.6 છપૈયા  થકી  ઉત્તરમાંય,  નામે  ગૌઘાટ  ગામ  છે  ત્યાંય; કાકા ભકિતના દુંદ તિવારી, તે તો તે ગામના અધિકારી.7 તેની  પુત્રી  હતી  એક  જેહ,  તેને  ભકિત  સાથે  ઘણો  સ્નેહ; માટે મળવાને તેણે તેડાવ્યાં, હરિને લઇ ભકિત સિધાવ્યાં.8 રહ્યાં  દિવસ  તહાં  ત્રણ  ચાર,  વધ્યો  પુરો  પરસ્પર  પ્યાર; ત્યાંથી  ઉત્તરમાં  અધકોશ,  નદી  બીસુહી  છે  નિરદોશ.9 તે  ગૌઘાટ  સમીપે  વહે  છે,  માટે  ગૌઘાટ  તેને  કહે  છે; એક  દિવસ  મળી  સહુ  બાઇ,  ગઇ  નાવાને  તે  નદીમાંઇ.10 કરી  સ્નાન  દીધાં  બહુ  દાન,  નવરાવ્યા  તહીં    ભગવાન; વર્ષ  બેની  ઉંમર  ત્યારે  હતી,  પણ  મૂર્તિ  મનોહર  અતી.11 […] read more
0 Views : 1467

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૯

 ઉપજાતિવૃત્ત :- અનેક વિધ્નો અસુરે કરાવ્યાં, તે દંપતીને દિલમાં ડરાવ્યાં; ધર્મે વિચાર્યું મન માંહિ આવું, હવે રહેવા પુર અન્ય જાવું.1 નીતિ વિષે ધર્મ ઘણા સુજાણ, તેથી તપાસ્યાં વચનો પ્રમાણ; તેમાં  કહ્યાં  છે  કવિએ  ઘણેરાં,  કેવાં  દિસે  લક્ષણ  મૂર્ખકેરાં.2 મૂર્ખ વિષે :- આ કામનો શો પરિણામ થાશે, પૂર્વેથી તે કાંઇ નહીં તપાસે; દે છે ગમે ત્યાં દગ મીંચિ દોટો, તે જાણવો જે જન  મૂર્ખ મોટો.3 પોતા તણી શકિત નહીં વિચારે, ખર્ચે ઘણું ફોગટ ફૂલ્ય ધારે; તોટો ઘણો લે જઇ લાભ છોટો, તે જાણવો જે જન મૂર્ખ મોટો.4 વૈરી તણો જે વિશવાસ રાખે, બેઠા તણી ડાળ વિદારિ નાંખે; વાળે બધી વાત વિષે જ ગોટો, તે જાણવો જે જન મૂર્ખ મોટો.5 જયાં જીવિકા તો ન મળેજ લેશ, જયાં આપના શત્રુ વસે વિશેષ; તે વાસ છોડે નહિ જાણી ખોટો, તે જાણવો જે જન મૂર્ખ મોટો.6 એવાં નીતિનાં વચનો વિચારી, ધર્મે સતીને મળી વાત ધારી; હવે  અહીંની તજી છેક આશ, જઇને અયોધ્યા કરવો નિવાસ.7 જે મંત્ર પાણિગ્રહણે ભણે છે, સતી પતિમાં મન બે મળે છે; જે એકને વાત ગમી જણાય, તેમાં બીજાનું મન રાજી થાય.8 ઠરાવ બન્ને મળીને ઠરાવ્યો, ગાડા વિષે ભાર બધો ભરાવ્યો; જમી  પ્રભાતે  કરી  નિત્યકર્મ,  બેઠાં  રથે  રામપ્રતાપ  ધર્મ.9 સુવાસિની  ને સતી ભકિતમાય, બેઠાં જુદાં બે સુખપાલમાંય; માતાની પાસે ઘનશામ શોભે, શું […] read more
0 Views : 1501

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૮

પૂર્વછાયો :- વર્ણી  કહે  છે  વારતા,  તમે  સાંભળો  સુજ્ઞ  નરેશ; વર્ષ  ત્રિજે  ઉતારિયા,  હરિના  પ્રથમ  શિરકેશ.1 ચોપાઈ :- વદી પાંચમ જેઠની આવી, સગાં વહાલાં ને નાત તેડાવી; તેડ્યા  કુળગુરુને  પણ  પ્રીતે,  ચૌળ  કરમ  કરાવા  સુરીતે.2 દિશા  દક્ષિણમાં  ગાઉ  ચાર,  નદી  મનવર  છે  જેહ  ઠાર; મખોડા  તીર્થમાં  તહાં  જઇને,  ચૌળ  કર્મ  કર્યું  રાજી  થૈને.3 ઘેર આવીને સૌને જમાડ્યા, ઘણા દ્વિજને સંતોષ પમાડ્યા; સૌની સરભરામાં રહ્યાં માય, ભુલ્યાં પુત્રની સંભાળ ત્યાંય.4 રહ્યો બે ધડી દિવસ તે જયારે, આવી બાળક મંડળી ત્યારે; વયે  કોઇ  કિશોર  કુમાર,  તેડ્યા  શ્રીપ્રભુને  કરી  પ્યાર.5 રમતાં  રમતાં  ગયાં  પુરબાર,  દિશા  પૂર્વના  બાગ  મોઝાર; એક  આંબાના  વૃક્ષને  તળે,  બાળકૃષ્ણ  બેસાર્યા  તે  પળે.6 ગયાં તરુવરનાં ફળ લેવા, જમ્યાં આંબુ જાંબુ આદિ મેવા; લાગ્યાં રમવાને બાળ સમસ્ત, થયો એ સમે આદિત્ય અસ્ત.7 ઉપજાતિવૃત્ત :- એવા સમામાં ખળ કાળિદત્ત, સ્ત્રીને કહે વાત થઇ પ્રમત્ત; હું આજ જાઉં હરિકૃષ્ણપાસ, નિશ્ચિત તેનો કરી આવું નાશ.8 નારી કહે હે પતિ પ્રાણનાથ !  જીતે ન કોઇ હરિકૃષ્ણસાથ; છે આપણે ઘેર ઘણી સમૃદ્ધિ, તે ભોગવો એવી તજી કુબુદ્ધિ.9 બેઠાં જવા આ ગજ બાજ રાજ, બેઠાં જવા સૌ સુખસાજ લાજ; હે સ્વામી ચેતો ચિત્તમાં ન ચૂકો, માનો કહ્યું મારું મમત્વ મૂકો.10 જજો ભલે આ ગજ બાજ રાજ, જજો ભલે સૌ સુખસાજ લાજ; ભલે કદી આયુષ થાય ટૂંકું, તથાપિ […] read more
0 Views : 1512

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૭

પૂર્વછાયો :- ભૂપ  કહે  વર્ણીન્દ્રને,  અનુકંપા  કરો  વળી  આજ; અદ્ભુત લીલા હરિ તણી, સંભળાવો મને મુનિરાજ.1 ચોપાઈ :- વરણીન્દ્ર  કહે  સુણ  રાય,  કહું  પારણાની  રચનાય; જેમાં  પોઢે  છે  સુંદર  શામ,  તે  તો  છે  ઘણી  શોભાનું  ધામ.2 સાવ સોનાનું શોભે અથાગ, માંહિ કોતર્યા સુર નર નાગ; માંહિ  કોતયાર્ં  ચિત્ર  વિચિત્ર,  વૃક્ષ  વેલી  ને  પુષ્પ  પવિત્ર.3 માંહિ  પર્વત  મેરુ  રહે  છે,  માંહિ  સાગર  સરિતા  વહે  છે; હંસ    પોપટ  ઉપર  જે  છે,  જાણે  પક્ષી  સજીવન  તે  છે.4 જોઇ  ચિત્તમાં  કરતા  વિચાર,  ભાસે  બ્રહ્માંડનો  જ  આકાર; મોરવાયા  દિસે  છે  બે  કેવા,  ધ્રુવ  ઉત્તર  દક્ષિણ  જેવા.5 દાંડી  છે  શિશુમાર  સમાન,  તેમાં  હીરા  છે  તેજનિધાન; શોભે  ઝુમ્મર  સૂરજ  ચંદ,  હીરા  તે  તો  તારા  તણાં  વૃંદ.6 તેમાં  પારણું  પૃથ્વી  અનૂપ,  દોરી  હીરાની  શેષ  સ્વરૂપ; આખા વિશ્વના અંતરજામી, તે તો પોઢ્યા છે પારણે સ્વામી.7 ઊંચે  નીચે  તેને  ચારે  પાસે,  મણિ  માણેક  જડિત  પ્રકાશે; એક  સમય  સુવાસિની  બાઇ,  લેવા  હરિને  ગયાં  હરખાઇ.8 જઇ પારણામાં જોયું જયાંય, અતિ અચરજ દીઠું છે ત્યાંય; ઘણા  હીરામાં  હરિવર  કેરાં,  પ્રતિબિંબ  પડ્યા  છે  ઘણેરાં.9 ઊપજયો  ઉર  સંભ્રમ  એવો,  કયા  બાળકને  તેડી  લેવો; તે  તો  બાઇ  છે  બુદ્ધિનિધાન,  તેણે  કેમ  જાણ્યા  ભગવાન.10 જમણે  ગાલે  ટિબકડી  છે  જેહ,  પ્રતિબિંબે  ડાબે  દીઠી  તેહ; તેથી  સત્ય  સ્વરૂપને  જાણી,  તેડી  લીધા  અતિપ્રેમ  આણી.11 સુણી બોલ્યા અભેસિંહ ભૂપ, અહો આશ્ચર્ય […] read more
0 Views : 1471

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૬

પૂર્વછાયો :- હે  અભેસિંહ  સુણો  હવે,  કહે  વર્ણી  અચિંત્યાનંદ; જે  સંસ્કાર  વૃષે  કર્યા,  તે  કહું  ધરી  આનંદ.1 ચોપાઈ :- જાતસંસ્કાર  પેહેલો  જાણું,  જિહ્વામાર્જન  બીજો  પ્રમાણું; મેધાજનન  ત્રીજો  કહેવાય,  તે  મેં  તમને  કહ્યા  છે  રાય.2 ચોથો સંસ્કાર પયપાન જે છે, માસ બીજો બેસે ત્યાં કરે છે; શુદિ  દશમી  ગુરુવાર  જયારે,  પયપાન  કરાવિયું  ત્યારે.3 શુદિ  વૈશાખની  એકાદશી,  ભૃગુવારી  પિતા  મન  વશી; ત્યારે  પારણે  પોઢાડ્યો  બાળ,  પાંચમો  સંસ્કાર  નૃપાળ.4 વિશ્વકર્મા  તે  પારણું  લાવ્યા,  દિસે  હીરા  હજારો  જડાવ્યા; તેનું  વર્ણન  અધિક  ઉમંગે,  સંભળાવીશ  બીજે  પ્રસંગે.5 ચોથા  માસમાં  શાસ્ત્ર  પ્રમાણે,  કર્યું  નામકરણ  શુભ  ટાણે; માસ  અષાઢ  છે  નિરધાર,  વદી  સાતમ  ને  ગુરુવાર.6 માસ પાંચમો તે બેઠો જયારે, શુદી એકાદશી આવી ત્યારે; ભૂમિ  ઉપર  પ્રથમ  બેસાર્યા,  એમ  સંસ્કાર  સાત  સુધાર્યા.7 છઠે  માસે  આસોશુદિ  બીજે,  આઠમો  સંસ્કાર  કહીજે; અન્નપ્રાશન  પ્રથમ  કરાવ્યું,  જેવું  વેદે  વિધાન  બતાવ્યું.8 શરદ  પૂનમ  ને  ગુરુવાર,  કર્ણવેધ  કર્યો  સંસ્કાર; આવ્યો જન્મ દિવસ વળી જયારે, કર્યો અદ્ભુત ઉત્સવ ત્યારે.9 ક્રિયા  સર્વે  તે  શાસ્ત્ર  પ્રકાર,  કરી  ને  દાન  દીધાં  અપાર; લેવા દાન જાચક બહુ આવ્યા, ધર્મ ભકિતએ સૌને રીઝાવ્યા.10 ઉપજાતિવૃત્ત :- શ્રીદેવશર્મા તણી ભકિત દારા, દે છે ઘણાં દાન થઇ ઉદારા; કરે  જનો  જાચક  વારતા  છે,  સુદારતા  સાથ  ઉદારતા  છે.11 દિધા થકી દાન વળી વિશેષ, કીર્તિ વધી ત્યાં સરવારદેશ; ઘણા દ્વિજોની મનવૃત્તિ એવી, પોતાની કન્યા વૃષઘેર […] read more
1 Views : 489

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦પ

 ઉપજાતિવૃત્ત :- ધર્મપ્રિયા પુત્ર વિજોગ પામી, તેથી થયો ખેદ રહી ન ખામી; કરી  તહાં  તો  સ્તુતિ  તર્તખેવ,  જે  જે  દયાળુ  હનુમંત  દેવ.1 અથ હનુમંતાષ્ટકઃ વસંતતિલકાવૃત્ત :- જે  જે  દયાળુ  હનુમંત  પવિત્ર  દેવ, સ્નેહે  સજે  સકળ  દેવ  તમારી  સેવ; છો  કષ્ટ  નષ્ટ  કરનાર  સહાયકારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.2 સીતા  તણી  તરત  સૂધ  તમે  જ  લીધી, લંકાપુરી  પણ  તમે  જ  પ્રજાળી  દીધી; લીધો  વિભીષણ  સુભકત  તમે  ઉગારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.3 દ્રોણાચળે  પવનપુત્ર  તમે  સિધાવ્યા, બુટ્ટી  વિશલ્યકરણી  બળવંત  લાવ્યા; પીડા  તમે  તરત  લક્ષ્મણની  નિવારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી. 4 ઐરાવણે  વળતિ  સાનુજ  રામ  લીધા, પાતાળમાં  વિચરી  ત્રાસ  વિશેષ  દીધા; ત્યાં  જૈ  તમે  ભલું  પરાક્રમ  કીધ  ભારી, હે  રામદૂત  હનુમંત  વિપત્તિહારી.5 જે  જે  કરે  સ્મરણ  સંકટ  સૌ  હરો  છો. ભીતિ  મટાડી  બધી  નિર્ભયતા  કરો  છો; છોજી  તમે  પરમ  નૈષ્ટિક  બ્રહ્મચારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.6 કીધી  તમે  સ્થિતિ  કપિધ્વજની  ધજામાં, કીધો  જઇ  સુજય  કૌરવની  પ્રજામાં; સેના  સમસ્ત  રિપુની  રણમાં  વિદારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.7 છોજી  કૃપાળુ  કુળદેવ  તમે  અમારા, પૂજયાં  અમે  ચરણ  ચિત્ત  ધરી  તમારાં; માટે  હરો  સકળ  આ  વિપદા  અમારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.8 આવે    સમે  સમરતાં  તતકાળ  આવો, જયાં  હોય  ત્યાંથી  મુજ  બાળક  તર્ત  લાવો; કૃત્યા  કુપાત્ર  હરી  લૈ  ગઇ  છે  નઠારી, હે   રામદૂત   હનુમંત   વિપત્તિહારી.9 ઉપજાતિવૃત્ત :- સ્તુતિ સુણી ત્યાં હનુમાન […] read more
0 Views : 1599

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૪

અથ અસુરોપદ્રવકથનમ્ વસંતતિકાવૃત :- દૈવી  જનોને  દિલમાં  થઇ  શુદ્ધ  બુદ્ધિ, છે  ઇન્દુમાં  અમૃતતા  થઇ  તેની  વૃદ્ધિ; હર્ખ્યા  મુનીન્દ્ર  વળી  સૌ  નર  નાગ  દેવો, જન્મ્યા  જગત્પતિ  વધ્યો  અતિ  હર્ષ  એવો.1 જેઓ  અધર્મિ  ગુરુઓ  ધન  ધૂતનારા, જન્મ્યા  હતા    અસુરઅંશ  મહા  નઠારા; શ્રીધર્મના  તનુજનો  અવતાર  જાણી, પામ્યા  વિશેષ  પરિતાપ  ઉદાસી  આણી.2 પાખંડી  નાશિ  ગત  પર્વતની  ગુફામાં, ને  કૂડપંથિ  પડીયા  જઈને  કુવામાં; નાસ્તિક  ઝાળ  દવની  વચ  ઝંપલાય, વામી  વિશેષ  દુઃખથી  વિખ  ખૂબ  ખાય.3 જે  મંત્ર  જંત્ર  અભિચાર  વિચારવાળા, તે  તો  થયા  વદન  ને  તન  વર્ણ  કાળા; વેદાંત    શુષ્ક  મતવાદિ  મુઆ  બળીને, શોધે  ઉપાય  વળી  કોઈ  ખળો  મળીને.4 પાપી  કળિ  નિજ  તણો  પરિવાર  લૈને, ભાતુ  કર્યું  નિકળવા  તન  સજ્જ  થૈને; જે  કામ  ક્રોધ  મદ  મોહ  અધર્મવંશ, બીના  બધાય  હરિજન્મથી  જેમ  કંસ.5 ઉપજાતિવૃત્ત :- સંસ્કાર જીહ્વાપરિમાર્જનાખ્ય, બીજો સુમેધાજનનાખ્ય દાખ્ય; તે  જાતસંસ્કાર  કરી  કરાય,  તાતે  કર્યા  જેમ  યથાર્થ  થાય.6 દેવો કરી દર્શન સૌ સિધાવ્યા, માંચી વિષે શ્રીહરિને ધરાવ્યા; આનંદમાં વાસર વીતિ જાય, માતા પિતાને પળમાત્ર થાય.7 છઠ્ઠે  દિને  પૂજન  ષષ્ઠિકાનું,  કર્યાથી  હૈયું  હરખ્યું  પિતાનું; તેવે  સમે  દાનવ  કાળિદત્ત,  પ્રસિદ્ધ  જે  માંત્રિકમાં  પ્રમત્ત.8 શ્રીકૃષ્ણનો  શત્રુ  ગણાય  એહ,  લેવા  થયો  તત્પર  વૈર  તેહ; કહે અભેસિંહ અહો સુધર્મી, એતે હતો કોણ મહા અધર્મી ?9 શિખરિણીવૃત્ત :- કહે  વર્ણી  વાણી  અભયનૃપતિ  તે  કહું  તને,તમે  પૂછો  છો  તે  પ્રથમ  પણ  પૂછ્યું  હરિજને; […] read more
0 Views : 1498

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૩

દોહરો :- ધર્મ  ભકિત  સ્તુતિ  ઉચ્ચરે,  પ્રેમે  જોડી  પાણ; જય  જય  સમસ્ત  જીવન,  પ્રભુજી  જીવનપ્રાણ. કોકિલવૃત્ત-વેદસ્તુતિનું :- જયજય  જીવના  પરમ  જીવન  પ્રાણ  પ્રભો, નિજજન પાળ છો વરદ વિશ્વનિવાસ વિભો; નિજકર  મોરલી  ધરણ  હે  કરુણાયતન, રમણીય  રાધિકારમણ  શ્યામ  સુખાયતન.2 મુનિપતિ  માવજી  અકળ  ઇશ  અજેશ  હરી, નિજજનના  મનોરથ  પ્રપૂર્ણ  દીધા  જ  કરી; સદગુણના  નિધિ  જગદધીશ  જયાધિપતિ,તવ  પદપદ્મને  પ્રણમીયે  પ્રિયજાણી  અતિ.3 ભવભીત  ભાંગવા  ભજન  ભકત  તમારું  કરે,તવ  પદ  માનીને  સુખદ  દિલ  સદૈવ  ધરે; મુનિ  જન  ઇંદ્રિયો  વશ  કરી  તમને  જ  ભજે,તવ  પદ  પામવા  જગની  આશ  સમસ્ત  તજે.4 જય  નવ  મેધના  સમ  શરીર  નવીન    નિધી, અમપર  નેહની  નજર  આપ  અમાપ  કિધી; નખમણિ  કોટિધા  રવિ  શશાંક  સમાન  લસે, હરિજનના  સદા  હૃદયમાં  જ  નિવાસ  વસે.5 અજ ભવ આદિને અતિ અસહ્ય તમારી અજા, તવ  પદનાવથી  તરી  શકાય  તરે  ન  ભુજા; પરમ  પવિત્ર  તે  ચરણ  આજ  દીઠાં  જ  અમે, અમ  પર  રીઝિયા  અધિક  હેત  ધરી  જ  તમે.6 શ્રુતિગણ  સાંગ  જે  ચરણના  ગુણ  ગાય  સદા, શરણ  લીધું  અમે  ચરણનું  મન  માંહિ  મુદા; તજી  ન  જશો  કદી  પ્રણતપાળ  દયાળ  તમે, પદ  નમી  માગિયે  વદનથી  વર  એ  જ  અમે,7 પ્રભુ  તવ  રૂપનો  સુરથી  નિર્ણય  થાય  નહીં, જુગજુગ  જન્મનું  ધરણ  એ  જ  નિમિત્ત  અહીં; ચરિત  રુડાં  કરો  સ્વજનને  સુખદેણ  વળી, ગુણગણ ગાય તો ભવની ભીતિ ગણાય ટળી.8 દઇ  નિજ  જ્ઞાનને  જન  તણી  […] read more
0 Views : 1512
Powered By Indic IME