પૂર્વછાયો :- વર્ણી કહે નૃપ સાંભળો, કહું શ્રીહરિકૃષ્ણચરિત્ર; સાંભળતાં સુખ ઊપજે, અને તન મન થાય પવિત્ર.1 ચોપાઈ :- કહી પાંચ વરસની વ્યવસ્થા, અને ઉતરી કુમાર અવસ્થા; છઠ્ઠા વર્ષનો આરંભ થાય, વય પૌગંડ તે કહેવાય.2 શુદિ વૈશાખી બીજ ગણાઇ, ત્યારે જન્મ્યા ઇચ્છારામ ભાઇ; ગુણે જાણિયે પ્રદ્યુમ્ન જેવા, અતિ સમરથ પણ તે એવા.3 એની વાત પછી ઉચરીશ, હવે કૃષ્ણચરિત્ર કહીશ; બાલરૂપ દિસે બળવંત, ગુણ ઉત્તમ ગણતાં અનંત.4 દેવમંદિર જયાં કહેવાય, હરિ ત્યાં નિત્ય દર્શને જાય; દેખી શ્રીહરિને તે સદાય, દેવપ્રતિમા પ્રસન્ન જણાય.5 જયાંજયાં જાય હરિ તતખેવ, ધન્ય ભાગ્ય ગણે સહુ દેવ; તેના પૂજક પણ રાજી થાય, હરિરૂપમાં ચિત્ત ચોરાય.6 ફળ ફૂલ આપે લલચાવા, જાણે નિરખીયે આવા ને આવા; પળ એક વિયોગ ન ઇચ્છે, પ્યારા પ્રાણ બરાબર પ્રીચ્છે.7 દેવદર્શને આવેલા લોક, જોવા ઉભા રહે થોકેથોક; જેમ જોઇ રહે ચંદ્ર ચકોર, એવી મૂર્તિ દિસે ચિત્તચોર.8 ચાલે ઉતાવળા ધનશ્યામ, જાણે કરવાં ઘણાં હોય કામ; વળી કોઇ કવિ કહે એમ, ચિત્તચોર ઉભો રહે કેમ.9 ઊંડો મર્મ તો કોઇ પ્રમાણે, બીજા ચાલ સ્વભાવિક જાણે; જયાં જયાં બેસે જઇ હરિરાય, જોવા લોકોની ભીડ ભરાય.10 હોય ચિત્રમાં ચિતર્યા જેમ, જોવા હરિને ઉભાં રહે તેમ; જયારે ચૌટામાં ચાલે મુરારી, સર્વ જોઇ રહે છે વેપારી.11 રહે ત્રાજવાં હાથમાં ઝાલી, ચાલતા જન નવ શકે ચાલી; ભૂલે ધારણ તે તોળનારા, ઘાટ ઘડવો ભૂલે […]
read more