Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૨
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૮

ઉપજાતિવૃત્ત :- હે ભૂપતિ સાંભળ સ્નેહ આણી, કહું ચરિત્રો હરિનાં વખાણી; જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકાર વામે.1 શ્રીશામને અષ્ટમ વર્ષ જયારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે; શુદી તિથિ તો દશમી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાંય.2 વિસ્તારી તે વર્ણન જો કરાય, તો ગ્રંથ આ શ્રેષ્ઠ વિશેષ થાય; માટે  નહી  હું  બહુ  વર્ણવીશ,  અપૂર્વ  લીલા  તુજને  કહીશ.3 સર્વજ્ઞ  છે  શ્રીહરિ  બ્રહ્મચારી,  તથાપિ  છે  માનવ  દેહધારી; સર્વે જનોનું હિત ચિત્ત જાણી, વિદ્યા વિશેષે જનકે વખાણી.4 વિદ્યા ભણવા વિષે :- હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી; પશુ મનુષ્યો વચ ભેદ એ છે, વિદ્યા ભલી માણસ તે ભણે છે.5 ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય; બાળાપણે  જે  ન  ભણેજ  જૈને,  જરૂર  પસ્તાય  જુવાન  થૈને.6 જે  પત્ર  નિર્જીવ  દિઠે  જણાય,  વિદ્વાનની  પાસ  સજીવ  થાય; આકાશ  પાતાળ  ભવિષ્યવાત,  કહી  બતાવે  જડપત્ર  જાત.7 જે  પુત્રને  તાત  નહીં  ભણાવે,  બાળાપણે  લાડ  ઘણાં  લડાવે; તે  પુત્રનો  શત્રુ  પિતા  ગણાય,  જુવાન  થાતાં  સુતને  જણાય.8 આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો; પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો.9 વિદ્યા ભણે જો જન દ્રવ્યવાન, તો ભાગ્યશાળી નહિ તે સમાન; પાંખો તથા બે પગ દોડવાના, કયાંથી મળે ભૂતળ બેય વાનાં.10 પક્ષી છતાં પોપટ જો ભણે […] read more
0 Views : 362

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૭

પૂર્વછાયો :- સુણો અભેસિંહ ભૂપતિ, હરિકૃષ્ણનાં ચરિત્ર વિચિત્ર; બ્રહ્મા ભવ સનકાદિ મુનિ, સુણી કરે છે કર્ણ પવિત્ર.1 ચોપાઈ :- પ્રભુ પેખે કળા કોઇ પાસ, એનો અલ્પ કર્યાથી અભ્યાસ; તે તો સર્વ શિખી લે છે આપ, જન આશ્ચર્ય પામે અમાપ.2 કળા  ચોસઠ  જે  કહેવાય,  તે  તો  સર્વે  શિખ્યા  હરિરાય; એ  છે  સર્વજ્ઞ  સર્વના  સ્વામી,  અક્ષરાતીત  અંતરજામી.3 એ  છે  અનંત  કળાઓનું  પાત્ર,  કળા  ચોસઠ  તે  કોણમાત્ર; જનજાતિને  જાણવા  કામ,  કળા  ચોસઠનાં  કહું  નામ.4 જયારે  એવી  કળાઓને  જાણે,  તેને  વિશ્વના  લોક  વખાણે; મોટા  માણસ  દે  સનમાન,  સુખે  પામે  સદા  ધન  ધાન.5 પેહેલી  ગાનકળા  તે  ગણાય,  જેથી  જનમન  રંજન  થાય; જન  ગાઇ  જાણે  રુડો  રાગ,  ઉપજે  સહુને  અનુરાગ.6 રાગે  બાળક  પણ  રહે  છાનું,  રાગે  રીઝે  છે  મન  દેવતાનું; કળા  ગાનની  કલેશ  હરે  છે,  અતિ  આનંદ  અંગ  કરે  છે.7 બીજી  વાદ્યકળા  કહેવાય,  શીખે  તે  જન  ચતુર  ગણાય; નરઘાં  ને  સારંગી  સતાર,  શીખે  એવાં  વાજિંત્ર  અપાર.8 ત્રીજીનું  નૃત્યકળા  છે  નામ,  એ  છે  ચતુરપણાનું  કામ; પ્રભુ  આગળ  નાચવું  ગાવું,  ગમે  ઇશ્વરને  પણ  આવું.9 ચોથી  નાટ્યકળા  ભલી  ભાઇ,  રહે  એમાં  ઘણી  ચતુરાઇ; જેમ  દોર  ઉપર  નટ  ચાલે,  વળી  વિવિધ  રીતે  અંગ  વાળે.10 કળા પાંચમી આલેખ્ય કહિયે, તે તો સ્નેહસહિત શીખી લહિયે; સારા  અક્ષર  લખવાનું  કામ,  ઉપયોગીછે  તે  તો  તમામ.11 ભાલે તિલક રુડું કરી જાણે, વળી તેમાં વિચિત્રતા આણે; […] read more
0 Views : 1489

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૬

 પૂર્વછાયો :- થયું  આંબલીયા  ગામમાં,  ઇચ્છારામનું  સગપણ  જેહ; તેહ  કથા  તમને  કહું,  નરપતિ  સુણો  ધરી  નેહ.1 સગા  જાણી  બળદેવના,  વિશ્રામને  મળવા  કામ; આંબલીયાથી  આવિયા,  જેનું  મંછામિશર  છે  નામ.2 પુત્રી  તેને  એક  વર્ષની,  તેનું  નામ  છે  વરિયાળી  બાઇ; તેના  પિતાએ  ઇચ્છા  કરી,  વૃષવંશમાં  કરવા  સગાઇ.3 ઉત્તમ  કુળ  વૃષદેવનું,  દીઠા  સગા  તેના  કુળવંત; તેથી  સગા  કરવા  તણી,  ઉર  ઉપજી  ચાહ  અત્યંત.4 વાત  પૂછી  બળદેવને,  મન  જાણીને  નિજ  મિત્ર; તે  પણ  બોલ્યા  તે  સુણી,  વૃષવંંશ  છે  પરમ  પવિત્ર.5 કન્યા  દેવા  યોગ્ય  છે,  માટે  કરો  સગાઇ  શુભ  પેર; ભાગ્ય ભલાં હોય આપણાં, ત્યારે આવે એવાં સગાં ઘેર.6 ઉત્તમકુળના  કુંવરને,  દેવા  ઇચ્છે  ઘણા  કન્યાય; મોટો  કુંવારો  નવ  મળે,  શિશુપણ  વિષે  વરી  જાય.7 તે  માટે  શિશુપણ  વિષે,  સહુ  કન્યાની  કરે  છે  સગાઇ; લગ્ન  કરે  છે  તે  પછી,  જયારે  લગ્નલાયક  થાય  બાઇ.8 તે  માટે  તમે  આજથી,  શુભ  કરવા  ધાર્યું  કામ; મુજને  પણ  મનમાં  ગમ્યું,  એવું  ન  મળે  બીજું  ઠામ.9 ઉપજાતિવૃત્ત :- શ્રીમંતની  જે  દુહિતા  ગણાય,  ગરીબને  ઘેર  નહીં  સમાય; જે  સિંધુ  હીમાચળ  કેરી જાઇ,  તળાવમાં  કેમ  રહે  સમાઇ  ?10 કન્યા દિસે જેવી ગરીબ ગાય, જયાં દાન દે ત્યાંજ બિચારી જાય; જોતે જઇ ત્યાં બહુ દુઃખ લે છે, દેનારને શાપ હમેશ દે છે.11 જો કોઇ સારું કુળ તો ગણાય, તથાપિ ત્યાં પુત્રી સુખી ન થાય; સંસારમધ્યે પડી સાક્ષી […] read more
0 Views : 1611

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧પ

પૂર્વછાયો :- હે  રાજા  સુણ  સ્નેહથી,  વળી  વર્ણવું  બાળચરિત્ર; તરગામમાં રહી ત્રિકમે, કરી લીલા  લલિત વિચિત્ર.1 ચોપાઈ :- તરગામથી  નૈરુત  ભાગે,  એક  સારી  તલાવડી  લાગે; ગંગાજળ  જેવું  નિરમળ  નીર,  તરુવર  ઘણાં  તેહને  તીર.2 પ્રભુ  બાળક  મંડળી  લઇને,  જળકેળી  કરે  તહાં  જઇને; એક દિવસ ગયા ત્યાં નાવા, બહુ બાળ આવ્યાજાતા બોલાવા.3 પેંસી  જળમાં  સખા  સંગ  પ્રીતે,  જળકેળી  કરી  રુડી  રીતે; કોઇ  તો  મત્સ્યની  પેરે  અંગ,  ઊંડા  નીરમાં  મારે  સળંગ.4 કોઇ  જળકુકડી  સમ  થાય,  મારી  ડૂબકી  દૂર  દેખાય; મગરી  જેમ  પુંછ  પછાડે,  તેમ  બીજાને  પાટુડી  મારે.5 કોઇ  કાચબા  તુલ્યે  વિચરે,  કોઇ  હાથ  ઉંચા  પગે  તરે; જેમ  વિપ્ર  કરે  ઉપસ્થાન,  શોભે  તે  બાળ  તેહ  સમાન.6 કોઇ  દાદુરની  પેરે  કૂદે,  કોઇ  જાય  તરી  પથ  જૂદે; કોઇ  સર્પપેરે  વાંકો  ચાલે,  કોઇ  બગસમ  બીજાને  ઝાલે.7 કોઇ  હંસ  બરાબર  થઇ,  બેસે  કમળની  ઉપર  જઇ; કોઇ  ભમર  થઇ  કરે  ગાન,  ભાળી  રીઝે  છે  શ્રીભગવાન.8 કરે  હોડ  અનેક  પ્રકાર,  કોણ  જળમાં  રહે  ઝાઝી  વાર; કોણ તરતાં આગળ વધી જાય, કોણ પકડતાં નવ પકડાય.9 ઉંધી  ખાટલીને  જ  આકાર,  કોઇ  તો    તરે  છે  ઝાઝી  વાર; તરે કોઇ તો પલાંઠી વાળી, થાય વિસ્મિત સૌ જન ભાળી.10 ઝાડ  ઉપર  ઉંચે  ચડે  છે,  ત્યાંથી  ખાઇ  ગોલાંટ  પડે  છે; જળકેળી તે જોવાની આશે, આવે અમર ચઢીને આકાશે.11 આવે  દર્શને  મુનિવર  વૃંદ,  લીલા  નિરખીને  પામે  આનંદ; […] read more
0 Views : 1530

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૪

ઉપજાતિવૃત્ત :- સુણો વળી પ્રીત ધરી ઘણેરી, લીલા કહું છું તરગામ કેરી; બહુ  ફર્યા  છે  હરિ  બાળવેશે,  દયા  કરીને  સરવાર    દેશે.1 જયાં જયાં જઇને હરિ પાવ ધાર્યો, તેતે સ્થળોનો મહિમા વધાર્યો; પવિત્ર તે તો પૃથિવી ગણાય, તે મર્મ દૈવી જનને જણાય.2 સારું વસે છે તરગામ જયાંય, વસે દવેજી બળદેવ ત્યાંય; ત્યાં સાસરું રામપ્રતાપજીનું, છે જન્મનું સ્થાન સુવાસિનીનું.3 વિચારિયું તે બળદેવ બાપે, તેડાવું હું પુત્રી જમાઇ આપે; મળ્યા પછી છે ષટ વર્ષ વીત્યાં, સુખી હશે કે દુઃખમાં રહી ત્યાં.4 મા  તેની  તેને  મળવા  ચહે  છે,  તેડાવવાનું  મુજને  કહે  છે; નાંખે નિસાસા થઇને નિરાશ, કરુંજ તેની પરિપૂર્ણ આશ.5 સુપુત્ર લાગે પ્રિય તો પિતાને, પુત્રી વિશેષે પ્રિય હોય માને; જે પુત્રીકેરી મરી જાય માય, પિતા છતાં પીયર વ્યર્થ થાય.6 એવી ઘણી અંતર વાત આણી, લક્ષ્મીપ્રસાદાખ્ય સુપુત્ર જાણી; કહ્યું અયોધ્યાપુરમાં સિધાવો, કુટુંબ સુદ્ધાં વૃષ તેડી લાવો.7 શ્રીધર્મને ભાખી પ્રણામ મારો, પ્રેમે કહેજો મળવા પધારો; મળ્યા પછી વાસર કૈક વિત્યા, માટે કરે છે મળવાની ચિંતા.8 પૂરી  વધે  છે  મળવાથી  પ્રીત,  સદૈવ  સંસારિક  એવી  રીત; મળ્યા વિના હેત નહીં જણાય, સગાઇ જાતે દિન જૂની થાય.9 લક્ષ્મીપ્રસાદે ઉર વાત ધારી, પછી અયોધ્યાપુરમાં પધારી; વૃત્તાંત સર્વે કહી ધર્મપાસ, વળી કર્યો ત્યાં દિન ચાર વાસ.10 એણે ઘણો આગ્રહ એમ કીધો, ત્યારે વૃષે ઉત્તર એમ દીધો; જાઓ  લઇ  રામપ્રતાપજીને,  સપુત્ર  […] read more
0 Views : 364

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૩

પૂર્વછાયો :- એક  સમે  અલબેલડે,  ચોરી  ભાભીની  અંગુઠી  જેહ; તે  લીલા  તમને  કહું,  નરનાથ  સુણો  ધરી  નેહ.1 ચોપાઈ :- એક  સમય  મળી  સહુ  મિત્ર,  ગયા  નાવાને  સર્યુ  પવિત્ર; નાઇ  વસ્ત્ર  પવિત્ર  પહેરી,  દેવદર્શને  ચાલ્યા  લહેરી.2 વળી  કરતા  રમત  રુડી  પેર,  પ્રભુજી  આવ્યા  પોતાને  ઘેર; ઘેર  બીજું  દીઠું  નહીં  કોઇ,  કરતાં  હતાં  ભાભી  રસોઇ.3 તેની  પાસે  જઇને  તે  સ્થાન,  માગ્યું  ભોજન  શ્રીભગવાન; એનાં વચન અમૃત સમાન, સુણ્યાં ભાભીયે સ્નેહથી કાન.4 પછી બોલ્યાં સુવાસિની બાઇ, બેસો ભોજન આપીશ ભાઇ; થાવા  આવી  રસોઇ  તૈયાર,  પણ  કાંઇક  છે  હજી  વાર.5 એવાં સાંભળી વચન વિચિત્ર, ઇચ્છ્યા કરવા મનુષ્યચરિત્ર; કહ્યું લાગી છે મુજને ભૂખ, આપો ખાવા તો ઉપજે સુખ.6 ત્યારે બોલ્યાં સુવાસિની બાઇ, ચણા પૌવા ખાવા આપું ભાઇ; કહો તો આપું સુખડી સારી, આપું મગદળ જાઉં બલહારી.7 સુણી બોલિયા શામ શ્રી મુખ, આપો પેંડા તો ભાંગે જ ભૂખ; બોલ્યાં  સુવાસિની  તેહ  ઠામ,  પેંડા  ઘરમાં  નથી  ઘનશામ.8 પછી  ભાભી  સુવાસિની  કેરી,  એક  મુદ્રિકા  હરિયે  હેરી; હતી  ભાભીની  પાસે  પડેલી,  સાવ  સોનાની  નંગે  જડેલી.9 લઇ મોહને વાળી છે  મુઠી, ત્યારે ભાભી પકડવાને ઉઠી; દોડ્યા શ્રીહરિ ચંચળ થૈને, ભાભી પકડે છે પાછળ જઇને.10 જે  છે  સર્વજગતના  ત્રાતા,  પરમેશ્વર  નથી  પકડાતા; ભાભી  અંગુઠી લેવાને તાકયાં, પણ પાછળ દોડીને થાકયાં.11 કહે અંગુઠી લઇને શું કરશો ? ઠાલા ચોર તમે શીદ ઠરશો; […] read more
0 Views : 1511

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧ર

પૂર્વછાયો :- વર્ણી  કહે  નૃપ  સાંભળો,  કહું  શ્રીહરિકૃષ્ણચરિત્ર; સાંભળતાં  સુખ  ઊપજે,  અને  તન  મન  થાય  પવિત્ર.1 ચોપાઈ :- કહી પાંચ વરસની વ્યવસ્થા, અને ઉતરી કુમાર અવસ્થા; છઠ્ઠા  વર્ષનો  આરંભ  થાય,  વય  પૌગંડ  તે  કહેવાય.2 શુદિ વૈશાખી બીજ  ગણાઇ, ત્યારે જન્મ્યા ઇચ્છારામ ભાઇ; ગુણે  જાણિયે  પ્રદ્યુમ્ન  જેવા,  અતિ  સમરથ  પણ  તે  એવા.3 એની  વાત  પછી  ઉચરીશ,  હવે  કૃષ્ણચરિત્ર  કહીશ; બાલરૂપ  દિસે  બળવંત,  ગુણ  ઉત્તમ  ગણતાં  અનંત.4 દેવમંદિર  જયાં  કહેવાય,  હરિ  ત્યાં  નિત્ય  દર્શને  જાય; દેખી  શ્રીહરિને  તે  સદાય,  દેવપ્રતિમા    પ્રસન્ન  જણાય.5 જયાંજયાં જાય હરિ તતખેવ, ધન્ય ભાગ્ય ગણે સહુ દેવ; તેના  પૂજક  પણ  રાજી  થાય,  હરિરૂપમાં  ચિત્ત  ચોરાય.6 ફળ ફૂલ આપે લલચાવા, જાણે નિરખીયે આવા ને આવા; પળ  એક  વિયોગ  ન  ઇચ્છે,  પ્યારા  પ્રાણ  બરાબર  પ્રીચ્છે.7 દેવદર્શને  આવેલા  લોક,  જોવા  ઉભા  રહે  થોકેથોક; જેમ  જોઇ  રહે  ચંદ્ર  ચકોર,  એવી  મૂર્તિ  દિસે  ચિત્તચોર.8 ચાલે  ઉતાવળા  ધનશ્યામ,  જાણે  કરવાં  ઘણાં  હોય  કામ; વળી  કોઇ  કવિ  કહે  એમ,  ચિત્તચોર  ઉભો  રહે  કેમ.9 ઊંડો  મર્મ  તો  કોઇ  પ્રમાણે,  બીજા  ચાલ  સ્વભાવિક  જાણે; જયાં જયાં બેસે જઇ હરિરાય, જોવા લોકોની ભીડ ભરાય.10 હોય  ચિત્રમાં  ચિતર્યા  જેમ,  જોવા  હરિને  ઉભાં  રહે  તેમ; જયારે  ચૌટામાં  ચાલે  મુરારી,  સર્વ    જોઇ  રહે  છે  વેપારી.11 રહે ત્રાજવાં હાથમાં ઝાલી, ચાલતા જન નવ શકે ચાલી; ભૂલે  ધારણ  તે  તોળનારા,  ઘાટ  ઘડવો  ભૂલે  […] read more
0 Views : 1485

હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૧

વસંતતિલકાવૃત્ત  :- વર્ણી  કહે  મન  ધરી  સુણ  ભૂપ  વાત, ચાલ્યાં  ગયાં  સુતની  મૂર્તિની  સાથ  માત; જોયું  જઇ  અકળ  અક્ષર  ધામ  જયાંય, શોભા  સમસ્ત  થળથી  અતિ  દીઠી  ત્યાંય.1 કોટાન  કોટિ  રવિ  ચંદ્ર  તણો  પ્રકાશ, ખદ્યોત  તુલ્ય  ન  જણાય  જ  જેની  પાસ; જેને  સદૈવ  શ્રુતિ  બ્રહ્મપુરી  કહે  છે, મુકતો  અનંત  પણ  અક્ષર  જયાં  રહે  છે.2 જયાં  જૈ  શકે  ન  કદીયે  પણ  કાળ  માયા, જયાં  ક્રોધ  કામ  કદી  લોભ  નથી  જણાયા; આનંદયુકત    દરસે    ગુણ    સચ્ચિદાદિ, જે  છે  અનંત  અવિકારી  અને  અનાદિ.3 જયાં  જયોતિરૂપ  વળી  ચિન્મય  સર્વ  ચીજો, દિસે  ન  પૃથ્વી  પવનાદિ  પદાર્થ  બીજો; અગ્નિ  નહીં  જળ  નહીં  નહિ  અભ્ર  વ્યોમ, તારા  નહીં  ઘન  નહીં  નહિ  સૂર્ય  સોમ.4 જયાં  દંપતિ  નહિ  તથા  નહિ  પુત્ર  માતા, જયાં  કર્મના  કદી  ન  લેખ  લખે  વિધાતા; જેનું  જથાર્થ  કદી  વર્ણન  ના  કરાય, વાણી  તથા  મુનિ  તણાં  મન  થાકી  જાય.5 જેનો  કદાપિ  શ્રુતિ  પાર  નથી  જ  લેતી,જેને  કહે  નિગમ  આગમ  નેતિનેતિ; જયાં  જાય  તે  પુનર  જન્મ  કદી  ન  પામે, તે  વ્યાધિ  આધિ  તણિ  બાધિ  ઉપાધિ  વામે.6 આ  અષ્ટ  આવરણ  પૃથ્વી  પ્રમુખ્ય  જેહ, છે  એકથી  દશગણાં  વધતાં  જ  તેહ; એ  આઠ  સર્વ  મળી  અંડ  ગણાય  એક, તે  તો  જહાં  રજસમાન  ઉડે  અનેક.7 શોભે  તહાં  અમિત    ચિન્મય  સૌધ  સારા, જોતાં  જ  મુકતજનને  મુદ  આપનારા; તે  સૌધ  સર્વ  વળી  વૈભવથી  ભર્યા  છે, […] read more
0 Views : 1559
Powered By Indic IME