Last Updated:
May 5, 2025

Click here to submit your article
કળશ- ૦૧
Per Page :

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૨

ઉપજાતિ:- સર્વોપરી ઉત્તમ હાથી એક, અંબાડીયે નંગ જડ્યાં અનેક; બિરાજીયા ત્યાં ભગવત્પ્રસાદ, ત્યારે થયો ત્યાં જયશબ્દ નાદ. 1 કરે શિરે ચામર નંદકૃશ્ના,  જેને નહી આ જગકેરી તૃષ્ણા; તથા બિરાજયા શુભ તાવદાને, પ્રભુપ્રસાદ પ્રભુ રાખી ધ્યાને. 2 હોદો ભલો હાથી તણો વિશાળ, વિરાજીયા ત્યાંજ વિહારીલાલ; તે પાસ નારાયણસુપ્રસાદ, વિરાજીયા સર્વ તજી વિષાદ. 3 મેના રથો પાલખીમાં સુસંત, વિરાજીયા જે મુનિયો મહંત; આચાર્યની ને નૃપપુત્ર કેરી, અસ્વારી શોભે મળીને ઘણેરી. 4 ત્રિવેણિકા સાગર પ્રાપ્ત જેમ, પ્રવેશ કીધો પુર મધ્ય  તેમ; શ્વેતાંબરી જે જન છે અથાહ, તે જાણીયે ગંગ તણો પ્રવાહ. 5 કૃષ્ણાંબરી પોલિસના સિપાઇ, તે જાણિયે શું જમુના વહાઇ; રકતાંબરી સંત અનંત જેહ, સરસ્વતી નીર સમાન તેહ. 6 સ્વારી તણું વર્ણન શું વખાણું, ધર્મિષ્ઠ છે ઉત્તમ તેથી જાણું; મળ્યા હરિભકત મુનિ અપાર, શોભે ઘણા ત્યાં નૃપના સવાર. 7 હરિગીત છંદ:- અસવાર સંગ  અપાર જનની લાર લાંબી થાય  છે, ગુણ ગાય વાજાં વાય જય જય થાય પુરમાં જાય છે; વાજે સુડંકા  જોધ  વંકા  ઉર  અશંકા  ધારી  છે, અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 8 ગજ  અગ્ર પાળા શસ્ત્રવાળા દિલ  દયાળા છે  ઘણા, બંદૂક છોડે ચાલી  જોડે માન મોડે અરિ તણાં; બોકાની વાળી બહુ રુપાળી ભાળી ખળ ભયકારી છે, અમરેંદ્ર  કે સુનરેંદ્ર  આચાર્યેન્દ્રની  અસવારી  છે. 9 ગણનાથ જેવા તરુણ તેવા ઇભ એવા મન હરે, […] read more
0 Views : 1574

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૧

ઉપજાતિ:- પચીશમી સાલ  વિષે વિચાર્યું, વૈશાખ  વૃત્તાલ  જવાનું ધાર્યું; રાણી તથા રાજકુમાર લૈને, ચાલ્યા ધરાધીશ્વર સજ્જ  થૈને. 1 સાથે લીધા સુજ્ઞ દવે પ્રધાન, સેના સજી વાસવની સમાન; દેવાજી પાસે હઠીસિંહ જેમ, સંગ્રામજી પાસ સદૈવ તેમ. 2 હતા અભેસિંહ  ગણોદવાળા,  સલાહકારી સુમતિ  વિશાળા; થોડા દિને તે વરતાલ્ય આવ્યા, સારી જગોયે સહુને વસાવ્યા. 3 શ્રીલક્ષ્મીનારાયણ આદિ કેરી, મૂર્તિ ચમત્કારી દીઠી ઘણેરી; પ્રેમે નૃપાળે કરીને પ્રણામ, અમૂલ્ય  ભેટ્યો ધરી એહ ઠામ. 4 તહાં પગે કુંવરને લગાડ્યા, ઉચાટ સર્વે મનના મટાડ્યા; હતા જહાં શ્રીભગવત્પ્રસાદ, રાજા ગયા ત્યાં તજીને પ્રમાદ. 5 પ્રેમે કર્યા દંડવત  પ્રણામ,  બેઠા  સમીપે નૃપ  સંગરામ; સંતો સહુને પણ શીશ નામી, રાખી નહી નમ્રપણાની ખામી. 6 સ્વપુત્રને શીખવી સારી રીત, પગે લગાડ્યા સહુને સપ્રીત; વળી ઉચ્ચારી વિનતી અગર્વે, આશ્ચર્ય પામ્યા હરિભકત સર્વે. 7 નિવાસ કીધો નૃપ દોઢ માસ, સુણ્યો સદા જ્ઞાન તણો વિલાસ; આચાર્ય સંતો સહુને રીઝાવ્યા, પછી સુવૃત્તાલયથી સિધાવ્યા. 8 છવીસમી વિક્રમ સાલ આવી, રાજા વસ્યા સ્વર્ગ વિષે સિધાવી; થયા જનો સૌ અતિશે ઉદાસી, રાણી  તથા રૈયત દાસ દાસી. 9 સંગ્રામજી સાર્થક દેહ કીધો, આ લોકમાં લાભ અલભ્ય લીધો; જે થોડું જીવે પણ ધર્મ સાધે, તો સ્વર્ગમાં આયુષ તેની વાધે. 10 જીવે ઘણું ને ન સજે સુઅર્થ, તો વર્ષ તેનાં શત જાય વ્યર્થ; નાણું કમાવા પરદેશ જાય, બેશી રહે તો દિન  […] read more
0 Views : 1522

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૦

 ઉપજાતિ:- ગુણાતીતાનંદ મુનીન્દ્ર સાથે, પ્રીતિ  કરી ગોંડળ રાજયનાથે; સુણે કથા કૃષ્ણની તેહ  ઠામ, સંગ્રામજી  છે શુભ જેનું નામ. 1 તે તો મુનિ જીર્ણગઢે રહેતા, દૈવી જનોને ઉપદેશ દેતા; તેડાવતા ગોંડળનાથ જયારે,  પધારતા ગોંડળ માંહિ ત્યારે. 2 વર્ણી અચિંતાખ્ય સુજાણ જેહ, તેને કદી મોકલતા જ  તેહ; સંગ્રામજીને સુકથા  સુણાવે, સત્સંગ  કેરી દઢતા  કરાવે. 3 શ્રીમોંઘિબાએ વળી એક ટાણે, તેડ્યા ગુણાતીત ગુરુ પ્રમાણે; પૂજા કરાવી નિજનાથ પાસ, જણાવી પોતા તણી જેહ આશ. 4 મને મુનિ  આશીરવાદ આપે, સુપુત્ર પામું મુનિને પ્રતાપે; પતિ મુખે તે સતિયે કહાવ્યું, બોલ્યા મુનિ તે નૃપ ચિત્ત ભાવ્યું.5 સુપુત્ર થાશે ભગવત્પ્રતાપે, પ્રસન્ન થાશો પતિ પત્નિ આપે; વિતી ગયા તે પછી બાર માસ, તે મોંઘિબાની થઈ પૂર્ણ આશ. 6 શ્રી વિક્રમાર્કે શત  ઓગણીશ, વર્ષો થયાં ઊપર એકવીશ; શ્રીમોંઘિબા પુણ્ય  ઉદે અપાર,  જે ઇશ્વરે એક દીધો કુમાર. 7 ગુરૂ ગુણાતીત મુનીન્દ્ર જેહ, તેડાવિયા જીર્ણગઢેથી તેહ; મુનીન્દ્ર તે ગોંડળ ગામ આવ્યા, ભૂપાળના અંતર માંહિ ભાવ્યા. 8 ભૂપે કહ્યું હે મુનિ હેત લાવો, આ પુત્રનું નામ તમે ઠરાવો; મુનિ કહે શ્રી ભગવત્સપ્રસાદ,  તેનું રહે નામ સદૈવ યાદ. 9 તે શ્રીહરિની શુભ ગાદીયે છે, ગુરૂ અમારા પણ આજ એ છે; મારું કહ્યું જો મન માંહિ લાવો, તો નામ રુડું ભગવત્ ધરાવો. 10 પાડયું પછી ઉત્તમ નામ  એવું, સિંહાંત ક્ષત્રિકુળ યોગ્ય જેવું; રહ્યા ઘણા […] read more
0 Views : 1396

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૯

ઉપજાતિ:- સંગ્રામજી  ગોંડળ રાજયકાર, તેના થયા શ્રીપથુભા કુમાર; રાણી હતી તે સરગે સિધાવી, કહ્યું પ્રધાને નૃપ પાસ આવી. 1 રાજા  તણી નીતિ રુડા કવિયે,  રચેલી છે  જે જસુ રામજીયે; અષ્ટાંગ તો રાજય તણાં ગણાવ્યાં, ન હોય તો ખંડિત તે જણાવ્યાં. 2 રાજા  તથા રાણી તથા કુમાર, પ્રધાન  સેના વસતી સુમાર; વજીર શાણો સુકવિપ્રસંગ, આઠે કહ્યાં રાજય  તણાં સુઅંગ. 3 રાણી વિના રાજય રુડું ન દિસે, શું આપ આગે ઉચરું અતીશે; માટે વરો ઉત્તમ એક રાણી, જે રાજની નીતિ સુજાણ શાણી. 4 ઝાલા મીણાપુર તણા  પતિ છે, સુનામ  જેનું સુરતાનજી છે; છે મોંઘિબા નામ ભલી  કુમારી, પવિત્ર ગંગાજળ તુલ્ય સારી. 5 તે સાથ ભૂપે પછી લગ્ન કીધું, સુમંત્રીનું વાયક માની લીધું; રુડા ચુડા ગામ તણા નિવાસી, અૌદીચ નાતે સુમતિ પ્રકાશી. 6 વૈતાલીય:- હરજીવન નામ જે હતા, અતિશાણા ધરમિષ્ઠ તે છતા; પટરાણીની સાથ આવિયા,  નૃપ સંગ્રામ  દિલે સુભાવિયા. 7 મતિમાન  વિશેષ  જાણીયા, નિજમંત્રી પછી તો પ્રમાણીયા; હરિભકત થયા નરેશ તે,  મુનિ કેરો  સુણી ઊપદેશ  તે. 8 શિખરિણી :- ગુણાતીતાનંદ   પ્રગટ  પ્રભુના પૂજક  સદા, નૃપે તેડાવીને હરિ તણી  સુવાર્તા સુણી મુદા; ગુરૂ કીધા પોતે નિયમ ધરી કંઠી પણ ધરી, સુભાવેથી ભકિત પ્રગટ  પ્રભુ કેરી બહુ કરી. 9 થયા ચારે પુત્રો હરજીવનના  તે પણ  કહું, ભલા ભકતો સારા સમજણ્ય વળી ઉત્તમ બહુ; વડા તો […] read more
0 Views : 1378

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૪

ઉપજાતિ:- કહે ભૂમાનંદ ઘણે વહાલે, વળી મહારાજ   વિહારીલાલે; અંબાઇદાસાખ્ય સુભકત જેહ, કોઠારી તેડ્યા નિજ પાસ તેહ. 1 ખેડા તણા તે પણ પાટિદાર,  જયારે હતા વર્ષ વયે અઢાર; વૈરાગ્ય પામી ઘરબાર ત્યાગી, વૃત્તાલયે આવી વસ્યા સુભાગી. 2 અઢારસેં ઉપર તો અઠાશી, જયારે ભલી વિક્રમ સાલ ભાસી; આચાર્યજી શ્રીરઘુવીરજીયે, તથા દયા કીધી બધા મુનિયે. 3 વૃત્તાલના મંદિરનો ઉદાર, ભળાવિ  દીધો કુલ કારભાર; તે કામ તેણે નિજશીશ લીધું,  વખાણવા લાયક  તેહ  કીધું. 4 કોઠારી ત્રીજા પણ તે પ્રમાણ, જે ભીમજીભાઇ ભલા સુજાણ; તે મૂળ તો મોઢ વણિક નાતે, રહ્યાં સદા નૈષ્ઠિક આપ જાતે. 5 તેણે ધર્યો જન્મ  શિહોરમાંય, વશી રહ્યાં ષોડશ વર્ષ ત્યાંય; તે ઓગણીસેં ત્રણ કેરી સાલે, ત્યાગી થયા સત્વર તેહ કાળે. 6 છે ભાલ માંહિ અણિયાળી ગામ, ત્યાં વાણિયા મોઢ વસે સુઠામ; થયા પુંજાભાઇ ભલાજ ભકત, શ્રીજી છતાં તેહ થયા વિરકત. 7 સમગ્ર પુંજી  ઘરની  લઇને,  પોતે પછી  દુર્ગપુરે જઇને; શ્રીજીપદે અર્પણ સર્વ કીધું, ત્યાગી થવાનું પણ માંગી લીધું. 8 પ્રસન્ન થૈને વૃષવંશિ રાજ, સોંપ્યું બધું મંદિર કેરું કાજ; જયારે પછી શ્રીજી ગયા સ્વધામ, તથાપિ શેઠે કર્યું તેહ કામ. 9 ત્યાગી થવા ભીમજીભાઇ આવ્યા, તે શેઠના શિષ્ય તહાં ઠરાવ્યા; જયારે પુંજાશેઠ ગયા સુધામ, તેનું કરે ભીમજીભાઇ કામ. 10 તેને વળી ગ્રંથ વિચાર કાળે, બોલાવિયા પાસ વિહારીલાલે; ચતુર્થ કોઠારી સુલક્ષ્મીદાસ, સંક્ષેપ  એનો […] read more
0 Views : 1458

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૮

ઉપજાતિ:- દેવોજી તો દેવ સમાન રાજા, તે ગાદિયે વર્ષ ઘણાં વિરાજયા; અઢારસેં ને અડસઠ્ઠ  સાલે,  વૈકુંઠમાં વાસ  કર્યો નૃપાળે. 1 પામ્યા નથુજી પછી રાજપાટ, તેનેજ દેવા સિરપાવ માટ; મહાપ્રભુ ગોંડળમાં પધારી, કૈલાસ   બાગે ઉતર્યા વિચારી. 2 જૈ  ભૂપને યોગ્ય સુભેટ દીધી, ભૂપે ભલી ત્યાં બરદાશ કીધી; સુભાગ્ય  તે ગોંડળનાં વિચિત્ર, જે પાંચમીવાર કર્યું પવિત્ર. 3 ગયા  પ્રભુ ગોંડળ  છઠ્ઠીવાર, પ્રસંગ  તે હું કહું એહ  ઠાર; એકોનશીતેર  તણો દુકાળ, થશે વિચાર્યું વૃષભકિતલાલ. 4 સ્વભકતને ધાન્ય ભરી રખાવા, સ્વયં હરિ સોરઠમાં સિધાવ્યા; ચાલ્યા પ્રભુ દૂર્ગપુરીથી જયાંય, ગયા રહ્યું ગોંડળ કોશ ત્યાંય.5 ચાલ્યા તહાંથી જ સીધા જુનાણે, તે કોઇયે ગોંડળમાં ન જાણે; સુતાર કચ્છી જન દેવરામ, છે ગોંડળે તેનું નિવાસ ઠામ. 6 તેને ઘરે પ્રસ્તુત કાંઈ આવ્યું, વિપ્રાર્થ ત્યાં ભોજન તો કરાવ્યું; તૈયાર થૈ શુદ્ધ  રસોઈ  સારી, કહે પતિ આગળ તેની નારી. 7 રસોઈ  તો એવી રુડી જણાય, જમે પ્રભુ તોય  પ્રસન્ન  થાય; શું જાણીયે શ્રીહરિ તો વસે કયાં?, શું જાણીયે આ સમયે હશે કયાં? 8 પુષ્પિતાગ્રા:- અખિલ ભુવન નાથ કયાંથી આવે, નિજ જનના સુમનોરથો પુરાવે; પ્રિ ય અતિશુભ કયાંથી ભાગ્યા એવાં, વ્રજ વસનારી ૠષિની નારી જેવાં. 9 વૃષકુળપતિ જો સમીપ હોય, લઈ જઈ ત્યાંય જમાડું થાળ તોય; મુજ મન હરિકાજ આજ એવું, પ્રભુ ન મળે મુખ અન્ન તો ન લેવું. 10 મુજ […] read more
0 Views : 1401

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૭

ઉપજાતિ:- દેવાજીયે હેત  વિશેષ કીધું, સૌ સંતને ભોજન મિષ્ટ દીધું; વૃંતાક ત્યાં મિષ્ટ વિશેષ ધારી, કર્યો સુશાકોત્સવ શ્રીમુરારી. 1 શિખરિણી:- મંગાવ્યાં તે ટાંણે વસુ મણ  સુવૃંતાક  હરિયે, તથા  ઘી  તે તુલ્યે વસુ મણ  નહી  ન્યૂન  જરિયે; 2 મસાલો  રૂપાળો  તજ  લવિંગ  એલાયચી  તથા, વઘાર્યું તે સારૂં સરસપણની  શી  કહું કથા. 3 હરિદ્રાને સાટે ધરમકુંવરે કેસર     ધર્યું, સ્વહસ્તે સંભાળી  કદી  નવ  કરેલા  સમ  કર્યું; 4 જથો  જાવંત્રીનો  ભલી  વળી  ભુકી  જાયફળની, સુગંધી   ફેલાઇ   સકળ   પુરમાં તે સકળની. 5 ઉડીને આકાશે પરિમળ  પહોંચ્યો  સ્વરગમાં, પ્રશંસા  તેથી  થૈ સુરપતિ  સુરોના  વરગમાં; 6 સ્વહાથે શ્રીનાથે સુખદ  પિરસ્યું સંત  સહુને, જમાડ્યા જુકિતથી ભલી વિધિ બીજા ભકત બહુને. 7 ઉપજાતિ:- દેવોજી ત્યાં દર્શન કાજ આવ્યા, સાથે ભલા ચાર કુમાર લાવ્યા; નાથોજી કાનોજી સુમોતિભાઈ, સંજ્ઞા બીજી ચંદ્રસિંહે ગણાઈ. 8 છે ભાણભાઇ  સુચતુર્થ નામ,  બેઠા પ્રભુને કરી સૌ પ્રણામ; પૂછ્યું પ્રભુ આપ કુમાર આ છે, રાજા કહે તે સુત આપના છે. 9 ત્યાં મોતિભાઈ વળી ભાણભાઈ, બે શીશ મૂકયો કર સુખદાઇ; આ બે કહ્યું સેવક છે અમારા, આ બે બીજા તે સુત છે તમારા. 10 તે બોલનો મર્મ પ્રભુજ જાણે, જાણે ન બીજા જન તેહ ટાણે; જેને કહ્યું શ્રીહરિયે અમારા, તે તો થયા બે સતસંગી સારા. 11 પ્રસાદી દૈ તે સહુને જમાડ્યા, વાતો કરી મોદ ઘણા પમાડ્યા; હેતે […] read more
0 Views : 1383

હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૬

દોહરા:- શ્રોતા  સત્સંગી  સુણો,  વદે વિહારીલાલ; વર્ણી ભૂપ  સંવાદ  શુભ, કહું હવે આ  કાળ. 1 વળી  તે વાઘજીભાઇ  પ્રતિ,  ભાખે ભૂમાનંદ; સુણતાં સુંદર  તે કથા,  ઉપજે ઉર  આનંદ. 2 જ્ઞાનબાગમાં એક  દિન,  વર્ણી અચિંત્યાનંદ; ધર્મ તનુજનું ધ્યાન  ધરી,  બેઠા  કરૂણાકંદ. 3 શિખરિણી:- અચિંત્યાનંદાખ્ય  પ્રવર  વરણીના  ગુણ  કહું, ભલા યોગાભ્યાસી જગ થકી  ઉદાસી દિલ બહું; 4 કર્યા કાવ્યો  કેવાં સુખકર  સુધાસાગર  સમાં, સદા  રાખી  વૃત્તિ  પ્રગટ  પ્રભુ કેરા  ભજનમાં. 5 કરે વાર્તા જયારે અમૃતરસ  ત્યારે મુખ  ઝરે, વિરાગી  ને ત્યાગી  સકળ  શ્રુતિના  અર્થ ઉચરે; 6 સદાચારી  સારી  મતિ  સુહિતકારી  સહુ તણી, મુખી  વિદ્વાનોના  સકળ  મુનિયોના  શિરમણી. 7 વળી  તે વર્ણીને બહુબહુ વખાણ્યા  નરવીરે, સ્વહસ્તે બેસાર્યા વટનગરમાં મેંગળશિરે; 8 કહે શ્રીજી  પોતે અધિક  વરષો  જેમ  જ  જશે, અમારા  શિષ્યોમાં સુરતરુ  સમા  આ  બટુ થશે. 9 પછી   નિત્યાનંદે ગુણજલધિ   ગોપાળમુનિયે, ગુણાતીતાનંદે રઘુવીરજી     આચારજજીયે; 10 અચિંત્યાનંદાખ્ય  સુરતરુ  ઉછેર્યું શુભ  સમે, પછી  પોષ્યું પાળ્યંુ ભગવતપ્રસાદે વળી  અમે. 11 દોહરો:- વળી  એ જ  વર્ણીન્દ્રનું,  કહંુ બીજંુ આ  ઠામ; કવિવર  કૃષ્ણાનંદજી,  નિર્મળ  છે ઉપનામ. 12 ઉપજાતિ:- તે બ્રહ્મચારીની સમીપમાંય, આવ્યા અભેસિંહ નરેશ ત્યાંય; તે કોણ કયાંના કુળ કોણ એનું,  કરૂં હવે વર્ણન કાંઇ  તેનું. 13 પવિત્ર  છે જાદવવંશ જેહ, જેમાં ધર્યો શ્રીહરિયે સ્વદેહ; માર્યો મથુરાપતિ કંસ મામો, સૌરાષ્ટ્ર આવ્યા કરી તેહ કામો. 14 દ્વારામતીમાં જનને વસાવ્યા, અંતે […] read more
0 Views : 1408
Powered By Indic IME