ઉપજાતિ:- પચીશમી સાલ વિષે વિચાર્યું, વૈશાખ વૃત્તાલ જવાનું ધાર્યું; રાણી તથા રાજકુમાર લૈને, ચાલ્યા ધરાધીશ્વર સજ્જ થૈને. 1 સાથે લીધા સુજ્ઞ દવે પ્રધાન, સેના સજી વાસવની સમાન; દેવાજી પાસે હઠીસિંહ જેમ, સંગ્રામજી પાસ સદૈવ તેમ. 2 હતા અભેસિંહ ગણોદવાળા, સલાહકારી સુમતિ વિશાળા; થોડા દિને તે વરતાલ્ય આવ્યા, સારી જગોયે સહુને વસાવ્યા. 3 શ્રીલક્ષ્મીનારાયણ આદિ કેરી, મૂર્તિ ચમત્કારી દીઠી ઘણેરી; પ્રેમે નૃપાળે કરીને પ્રણામ, અમૂલ્ય ભેટ્યો ધરી એહ ઠામ. 4 તહાં પગે કુંવરને લગાડ્યા, ઉચાટ સર્વે મનના મટાડ્યા; હતા જહાં શ્રીભગવત્પ્રસાદ, રાજા ગયા ત્યાં તજીને પ્રમાદ. 5 પ્રેમે કર્યા દંડવત પ્રણામ, બેઠા સમીપે નૃપ સંગરામ; સંતો સહુને પણ શીશ નામી, રાખી નહી નમ્રપણાની ખામી. 6 સ્વપુત્રને શીખવી સારી રીત, પગે લગાડ્યા સહુને સપ્રીત; વળી ઉચ્ચારી વિનતી અગર્વે, આશ્ચર્ય પામ્યા હરિભકત સર્વે. 7 નિવાસ કીધો નૃપ દોઢ માસ, સુણ્યો સદા જ્ઞાન તણો વિલાસ; આચાર્ય સંતો સહુને રીઝાવ્યા, પછી સુવૃત્તાલયથી સિધાવ્યા. 8 છવીસમી વિક્રમ સાલ આવી, રાજા વસ્યા સ્વર્ગ વિષે સિધાવી; થયા જનો સૌ અતિશે ઉદાસી, રાણી તથા રૈયત દાસ દાસી. 9 સંગ્રામજી સાર્થક દેહ કીધો, આ લોકમાં લાભ અલભ્ય લીધો; જે થોડું જીવે પણ ધર્મ સાધે, તો સ્વર્ગમાં આયુષ તેની વાધે. 10 જીવે ઘણું ને ન સજે સુઅર્થ, તો વર્ષ તેનાં શત જાય વ્યર્થ; નાણું કમાવા પરદેશ જાય, બેશી રહે તો દિન […]
read more