પૂર્વછાયો:- ભૂમાનંદ મુનિ કહે, સુણો સ્નેહથી વાઘજીભાઈ; હરિલીલામૃત ગ્રંથની, ઉતપતિ કહું સુખદાઈ. 1 ચોપાઈ:- કથા વકતા શ્રીઅચિંત્યાનંદ, જે છે વર્ણી મંડળમાં ચંદ; શ્રોતા ભકત અભેસિંહરાય, તેની જાણવા મૂળ કથાય. 2 કહ્યું ગોંડળનું આખ્યાન, જે છે જાણવા જોગ્ય નિદાન; જદુવંશમાં રાજાઓ જેહ, થયા સત્સંગી મેં કહ્યા તેહ. 3 થયા ગોંડળના જે રાજાજી, જેનું નામ ભલું જ દેવાજી; તેના ભાઈ હઠીસિંહ નામ, ભાવસિંહ બીજા અભિરામ. 4 હઠીસિંહનો વંશ વખાણું, સુત નોંધણજી એક જાણું; થયા પુત્ર તે રવોજી તેના, મોટા પુત્ર, વખતસિંહ જેના. 5 છોટા દોલતસિંહજી જાણો, મોટાના હરિભાઈ પ્રમાણો; હઠીસિંહનો વંશ વખાણ્યો, ભાવસિંહજીનો હવે જાણો. 6 ખેંગાભાઇ તથા મોડભાઇ, ત્રીજા ભગવાનજી પણ ન્યાયી; ભાવસિંહના તે ત્રણ પુત્ર, સતસંગી સઊ ઘરસૂત્ર. 7 ખેંગાજીના કુંવર સુખદાઈ, અભેસિંહ તથા વજુભાઈ; અભેસિંહ તણા સુત જેહ, નામે ભગવતસિંહજી તેહ. 8 મોડભાઈ તણા જુણોભાઈ, તેના કુંવર કહું હરખાઈ; રામસિંહ હરિસિંહ નામ, તેને વાલા ઘણા ઘનશ્યામ. 9 ભગવાનજીના પથોભાઈ, ત્રણ કુંવર તેના કહું ગાઈ; એક અમરસિંહજી ભણિજે, બીજા તો રત્નસિંહ ગણિજે. 10 નારસિંહજી ત્રીજાનું નામ, ત્રણે કુંવર તે સદ્ગુણ ધામ; સુત ખેંગારજીના વિખ્યાત, અભેસિંહ તણી સુણો વાત. 11 પૂર્વછાયો:- લાયક છે હાલારમાં, એક ગણોદ ગુણીયલ ગામ; ભાદર ભલી ભાગીરથી, સરિતા વહે તે ઠામ. 12 ચોપાઈ:- જેમાં નાહ્યા છે શ્રીમહારાજ, સાથે લઈ સઉ સંતસમાજ; માટે તીર્થ ગણાય છે તેહ, જાણે […]
read more