Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૯

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, અતિપ્રતાપી કૃષ્ણદેવ । ત્યાર પછીની વારતા, કહું સાંભળો સહુ તતખેવ ।।૧।। અતિસાર્મિથ વાવરે, જનમન મનાવા કાજ । લોકમાં અલૌકિકપણું, દેખાડે છે મહારાજ ।।૨।। જે સુખ ન સુણ્યું શ્રવણે, નયણે ન દિઠું નિરધાર । તેહ સુખ આ ભૂમિમાં, ભોગવે છે નર ને નાર ।।૩।। તેહ પ્રતાપ શ્રીહરિતણો, જાણે જન સહુ કોય । ત્યાર પછીની કથા કહું, સહુ સાંભળજયો ચિત્તપ્રોય ।।૪।। ચોપાઇ- પ્રભુ સમર્થ સુખના ધામ, બેઠા સંતમાંહિ ઘનશ્યામ । કરે ધ્યાન ધારણાની વાત, સુણી જન થાય રળિયાત ।।૫।। પછી થયા થોડાઘણા દન, બેસે સંત ને કરે ભજન । ત્યાં તો ધ્યાનમાં દીઠા દયાળ, સહજાનંદ જનપ્રતિપાળ ।।૬।। જેના એકેક અંગે નિદાન, કોટિ સૂરજ શશિ સમાન । નિસરે છે તેજના સમોહ, ઘનશ્યામ મૂરતિ છે સોહ ।।૭।। અંગે પહેર્યાં પીતાંબર નાથે, મોરમુગટ ધર્યો છે માથે । કૌસ્તુભમણિ વૈજયંતિમાળા, દિવ્ય ઘરેણે શોભે રૂપાળા ।।૮।। બેઉ હાથે વજાડે છે વેણ, એવા કૃષ્ણ દિઠા સુખદેણ । થયું એવું સાક્ષાતકાર દ્રષ્ણ, જાણ્યા પૂર્ણ પુરૂષોત્તમ કૃષ્ણ ।।૯।। પછી કરી પરસ્પર વાત, થયા સંત રાજી રળિયાત । સહેજે સહેજે આપે છે આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।।૧૦।। સહજે સહજે થાય છે સમાધ્ય, જે કોઇ દેવને છે જો દુરાધ્ય । પછી ચલાવ્યું એજ પ્રકરણ, થાય સમાધિ હોય સ્મરણ ।।૧૧।। બાળ જોબન ને વૃધ્ધ વળી, થાય ધારણા ને પડે […] read more
0 Views : 203

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૦

પૂર્વછાયો- ધ્યાન ધારણા અતિ ઘણી, લીયે સમાધિયે જન સુખ । જોઇ પ્રતાપ મહારાજનો, દિલમાં ન મનાય દુઃખ ।।૧।। ચોપાઇ- એવો પૌઢ પ્રતાપ જણાવ્યો, દેખી દાસને આનંદ આવ્યો । સવેર્જનને ચડી ખુમારી, નિર્ખિ સહજાનંદ સુખકારી ।।૨।। બોલે મસ્તિમાંહિ અતિ મોટું, એક સ્વામી સત્ય બીજું ખોટું । સ્વામી મળ્યે કલ્યાણ છે કોટ્ય, બીજી વાતમાં આવશે ખોટ્ય ।।૩।। જયારે સેવશો સ્વામીનાં ચરણ, ત્યારે જાશે જનમ ને મરણ । બીજે શીદ રહ્યા છો બંધાઇ, મેલો મત આવો સંતમાંઇ ।।૪।। મદ્ય માંસ દારૂ ચોરી મેલી, આવો સત્સંગમાં મટો ફેલી । ગાંજા ભાંગ્ય મફર કેફ મેલી, મેલો માજમ લસણ ડુંગળી ।।૫।। પય પાણી ગળી વળી પીજે, સતસંગમાં એ રીત્યે રહીજે । એવી વાત કરે સંત સહુ, સુણી થાય સતસંગી બહુ ।।૬।। વળી ગુરૂ જે સત્ય અસત્ય, તેની દેખાડે પાડી વિગત્ય । સાધુ અસાધુની ઓળખાણ, તેનાં દેખાડે સવેર્એંધાણ ।।૭।। સર્વે શાસ્ત્રતણી સાંખ્ય લાવી, દિયે અસાધુને ઓળખાવી । કહે અસાધુથી ન સરે અર્થ, એતો લેવાને બેઠા છે ગર્થ ।।૮।। માટે સતસંગ સહુ કરો, શીદ લખ ચોરાશીમાં ફરો । એવી વાત શ્રવણે સાંભળી, સવેર્અસાધુ ઉઠિયા બળી ।।૯।। પ્રથમ ભેખમાં દ્વેષજ પેઠો, કળિ મળી એને ઘેર બેઠો । જીયાં તિયાંથી ઉઠ્યા છે બળી, માંડ્યા સંતને મારવા મળી ।।૧૦।। જોજયો જીવનમુક્તનું જોર, આપણને કીધા ચોખા ચોર । આપણા શિષ્ય પ્રમોદી લીધા, […] read more
0 Views : 174

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૧

રાગ સામેરી- પછી પ્રભુજી પધારીયા, કચ્છદેશ માંહિ કૃપાળ । દેવા દર્શન દાસને, દિનબંધુ દિનદયાળ ।।૧।। બાળ વૃદ્ધ અંધ અપંગ, અંગે અબળાજન । ગામોગામ ને ભવન ભવન, દિધાં તેને દર્શન ।।૨।। આધુઇ સાપર કોટ કંથા, ભચાઉને ભુજમાં ગયા । જીયાં સ્વામી રામાનંદજી, રહેતા બહુ કરી દયા ।।૩।। માનકુવા ને માંડવી, ગજોડ પુનડી ગામજી । ડોણ્ય તેરા તાલ કાળે, ફરીયા સુંદર શ્યામજી ।।૪।। પછી પોતે પ્રસન્ન થઇ, ઉત્સવની ઇચ્છા કરી । દાસને દરશન દેવા, ફેરવી કંકોતરી ।।૫।। દેશ સોરઠ દુર્ગજુનો, તિયાં સહુ આવજયો તમે । સુંદર ચૈતર માસમાં, શુદી પુન્યમે આવશું અમે ।।૬।। પછી પોતે પધારીયા, કચ્છદેશથી હાલાર । સત્સંગી સહુ સંગે લઇ, ચાલ્યા પ્રાણઆધાર ।।૭।। પછી પોતે આવી કરી, બહુ લીળા ધોરાજીયે । સંત સહુને સુખ દેવા, અતિશે મન રાજીયે ।।૮।। ત્યાંથી પધાર્યા ગઢજાુને, સંગે સર્વે સાથ છે । આસ પાસે દાસ દીસે, વચમાં પોતે નાથ છે ।।૯।। દઇ દદામાં ચાલીયા, પુરબજારે પોતે હરિ । અનેક જીવને ઉપરે, દરશનની દયા કરી ।।૧૦।। આશ્રમ વર્ણ ઓજલની, જે આડે રહ્યાંતાં આવરી । તેને ઘેર પધારીયા, હેત જોઇ પોતે હરિ ।।૧૧।। ભોજન બહુ ભવને કર્યાં, ફરીયા સવેર્શહેર । દીન દુરબળ દાસ ઉપર, મહારાજે કરી મેર ।।૧૨।। વાજિંત્ર બહુવિધનાં, વજડાવિયાં વાજીપરે । સંગે સમૂહ જન લઇ, ચાલ્યા કુંડ દામોદરે ।।૧૩।। નાહિ દામોદર કુંડમાં, બ્રાહ્મણને ભરિ […] read more
0 Views : 159

ભક્તચિંતામણિ પ્રકરણ:- પર

રાગ સામેરી- દુરવાસાના શાપથી, ઋષિએ ધર્યા હતા દેહ । તેહ મળ્યા છે મહારાજને, કરી અતિશે સનેહ ।।૧।। એવા સંતશિરોમણિ, તેનાં તે કહું હવે નામ । તે સાંભળતાં સુખ ઉપજે, વળી પામે પરમ ધામ ।।૨।। મોટા મુક્ત મહારાજના, ભાઇ રામદાસ અકામ । પંચવ્રતની મૂરતિ, જેને વાલા સુંદરશ્યામ ।।૩।। મુક્તાનંદ છે નામ મુખ્ય, શુકમુનિ આદિ અપાર । સુંદર નામ સહુ સાંભળો , કહું નામ તણો નિરધાર ।।૪।। સ્વરૂપાનંદ ને વ્યાપકાનંદ, બ્રહ્માનંદ ને ગોવિંદ । નિત્યાનંદ ને ચૈતન્યાનંદ, શાંતાનંદ ને આનંદ ।।૫।। શુકાનંદ નિરંજનાનંદ, અદ્વૈતાનંદ એ નામ છે । અચ્યુતાનંદ અનંતાનંદ, આત્માનંદ અકામ છે ।।૬।। અચિંત્યાનંદ ને અમોઘાનંદ, અખંડાનંદ અજીત છે । અદ્ભુતાનંદ અરિહન્ત્રાનંદ, ગોપાળાનંદ બ્રહ્મવિત જે ।।૭।। અરૂપાનંદ અનુભવાનંદ, અક્ષરાનંદ આધારજી । અપારાનંદ અષ્ટાવક્રાનંદ, આદિત્યાનંદ ઉદારજી ।।૮।। અચળાનંદ અવધુતાનંદ, અજન્માનંદ અજીતમુનિ । અખિલાનંદ અમૂર્તાનંદ, એમ નંદસંજ્ઞા સહુની ।।૯।। અખિલબ્રહ્માંડેશ્વરાનંદ, આકાશાનંદ ૐકારાનંદજી । એક એકમાં અપાર બીજાં, નામનાં છે વૃંદજી ।।૧૦।। વીર્યાનંદ વૈષ્ણવાનંદ, વિશ્વાસચૈતન્યાનંદ છે । વૈરાગ્યાનંદ ને વલ્લભાનંદ, વિશ્વરૂપાનંદ સ્વચ્છંદ છે ।।૧૧।। સ્વયંપ્રકાશાનંદ સદાનંદ, પ્રજ્ઞાનંદ પરમાનંદ વળી । પરમચૈતન્યાનંદ નામ, પરમહંસ બોળા મળી ।।૧૨।। વેદાંતાનંદ વૈકુઠાનંદ, કૈવલ્યાનંદ કૃૃષ્ણાનંદ કહીએ । માહાનુભાવાનંદ મુકુંદાનંદ, જ્ઞાનાનંદ ઘણા લહીએ ।।૧૩।। ભગવદાનંદ ભાગેશ્વરાનંદ, શિવાનંદ બહુ સંગન્યા । શ્યામાનંદ ને રાઘવાનંદ, અક્રોધાનંદ ક્રોધ વિના ।।૧૪।। તત્ત્વાનંદ ત્રિવિક્રમાનંદ, ત્રિક્રમાનંદ તદરૂપ છે । નિજાનંદ નિજબોધાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે ।।૧૫।। નિયમાનંદ […] read more
0 Views : 184

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૩

રાગ સામેરી- બીજાં બાકી જે હવાં, તે પણ કહું છું નામ । જે જન મન દઇ સાંભળે, તેહ પામે પરમ ધામ ।।૧।। અનાદિસિદ્ધાનંદ ઉત્તમાનંદ, અગ્રાહ્યાનંદ અછેદ્યાનંદ જે । અલિંગાનંદ અનઘાનંદ, અતીંદ્રિયાનંદ અનિર્દેશાનંદ તે ।।૨।। ઉદારાનંદ અનિલાનંદ, અસંખ્યેયાનંદ અતુલાનંદજી । અવ્યક્તરૂપાનંદ અનંતજીદાનંદ, અકામાનંદ અનુકુલાનંદજી ।।૩।। આદિદેવાનંદ અયોનિજાનંદ, અક્ષોભ્યાનંદ ઉદ્ભવાનંદ છે । આદિત્યવર્ણાનંદ ઉદારાત્માનંદ, ઇજયાનંદ ઇશાનંદ છે ।।૪।। અજીતાનંદ ઉપેન્દ્રાનંદ, ઇશ્વરેશ્વરાનંદ શ્રુત્યાનંદ એ । દુરાધર્માનંદ દુર્લભાનંદ, દુર્મર્ષણાનંદ સુદેવાનંદ તે ।।૫।। દક્ષાનંદ દર્પહાનંદ, દુર્જયાનંદ દિવ્યમૂર્ત્યાનંદ છે । ભૂતાવાસાનંદ બ્રહ્મણ્યાનંદ, ભક્તવત્સલાનંદ આનંદ છે ।।૬।। હરિભૂષણાનંદ ભાવનાનંદ, ભૂગર્ભાનંદ ભૂમાનંદભણું । ભ્રાજીષ્ણવાનંદ અનિમેષાનંદ, ગુરૂગમ્યાનંદ ગણું ।।૭।। મહાનંદ મહેશ્વરાનંદ, મહોત્સવાનંદ વંદુ । મહેશ્વાસાનંદ મહાશક્ત્યાનંદ, મહાભાગાનંદ કહી આનંદુ ।।૮।। મહેન્દ્રાનંદ મહામખાનંદ, જ્ઞાનગમ્યાનંદ ગાઇએ । મહાકર્માનંદ મહાભૂતાનંદ શુદ્ધાનંદ કહી સુખિયા થઇએ ।।૯।। ધન્યાનંદ ધરણીધરાનંદ, વળી ધૃતાત્માનંદ જેહ । ધર્મયૂપાનંદ ધનંજયાનંદ, ત્રિલોકેશાનંદ તેહ ।।૧૦।। સત્કર્ત્રાનંદ સંવત્સરાનંદ, શમાત્માનંદ સોય । સહસ્રશીર્ષાનંદ સામગાનંદ, સર્વવિદાનંદ જોય ।।૧૧।। સહિષ્ણ્વાનંદ સત્વસ્થાનંદ, સહસ્રાનંદ જેહ । સિદ્ધાર્તાનંદ સિદ્ધસંક્લ્પાનંદ, સત્યપ્રક્રમાનંદ તેહ ।।૧૨।। સિદ્ધિદાનંદ શ્રુતિસાગરાનંદ, સત્યકૃતાનંદ સંન્યાસાનંદજી । શ્રીગર્ભાનંદ શત્રુહાનંદ, સુદર્શનાનંદ હરિકૃષ્ણાનંદજી ।।૧૩।। સુમુખાનંદ સુક્ષમાનંદ, સુભગાનંદ નામ સાંભળે । શાંતિદાનંદ સત્કીર્ત્યાનંદ, સુલભાનંદે પાપ બળે ।।૧૪।। સત્યસંધાનંદ સત્યધર્માનંદ, સદ્ગત્યાનંદ સુણો સહુ । સુનેત્રાનંદસદ્ભુતાનંદ, શરણાનંદ સત્યાનંદ કહું ।।૧૫।। સાક્ષ્યાનંદ સુકૃત્યાનંદ, સુધર્માનંદ જયેષ્ઠાનંદ જે । ચતુરાત્માનંદ ચતુર્વેદાનંદ, વળી ચતુર્વ્યૂહાનંદ તે ।।૧૬।। શાશ્વતાનંદ છિન્નસંશયાનંદ, હ્યષીકેશાનંદ કહીએ । જીતક્રોધાનંદ યોગેશાનંદ, ત્રિલોકાનંદ બુદ્ધાનંદ લહીએ ।।૧૭।। […] read more
0 Views : 156

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૪

ચોપાઇ- થયા પરમહંસ સર્વે સંત, અંગે ત્યાગ વૈરાગ્ય અત્યંત । ચૌદ લોકનાં સુખ જે કહાવે, ઉલટા અન્ન જેવાં ન ભાવે ।।૧।। એક કમંડલું કંથા કૌપીન, એને અર્થે ન થાય આધીન । કરે ભિક્ષા માગીને મધ્યાહ્ને, જક્ત વાત ન સાંભળે કાને ।।૨।। અષ્ટ પ્રકારે ત્રિયાના ત્યાગી, એમ વિચરે છે બડભાગી । ધન ધાતુ જે સોના સહિત, તેને ભૂલ્યે ન ચિંતવે ચિત્ત ।।૩।। ખાન પાન પટ વળી પેખી, દલ રીઝે નહિ તેને દેખી । પૂજા ચંદન પુષ્પની માળ, તેને માને છે મનમાં વ્યાળ ।।૪।। જેજે કાવે છે સંસારી સુખ, તેને જાણે છે દલમાં દુઃખ । દેહ ઇંદ્રિય વળી મન પ્રાણ, તેને શત્રુ સમજયા સુજાણ ।।૫।। માન મોટાઇ મનમાં ન ભાવે, સુતાં બેઠાં હરિગુણ ગાવે । એવી રીતે ફરે જગમાંઇ, નિરબંધ ન બંધાય કયાંઇ ।।૬।। કરે જ્ઞાન વારતા અપાર, જેણે થાય જીવનો ઉદ્ધાર । કરી વાતને કાંઇ ન માગે, માને સહુ સારી બહુ લાગે ।।૭।। જન જોડે હાથ જોઇ ત્યાગી, બીજા ભેખનું પડિયું ભાંગી । ભેખ દાઝે લાજે મુખ કહેતાં, પડ્યા ખોટા વિના રેણિ રહેતાં ।।૮।। જેજે રાખી છે સાધુએ રીત, બીજે ન મળે વિચારો ચિત્ત । સર્વે સારતણું જેહ સાર, સોંપ્યું સંતને પ્રાણ આધાર ।।૯।। જેજે સાધુને સોંપી સંપત્તિ, તે સરાયે શ્વેતદ્વીપપતિ । પ્રભુ પોતે છે દીનદયાળ,જાણી નિજજન કરી સંભાળ ।।૧૦।। સંત […] read more
0 Views : 145

ભક્તચિંતામણિ પ્રકરણ:- પપ

ચોપાઇ- પછી યાંથકી ચાલીયા નાથ, લીધા સેવક પોતે બે સાથ । ત્યાંથી આવ્યા કોઠારિયામાંઇ, રહે ભક્ત ત્યાં આણદિબાઇ ।।૧।। તેના અંતરમાં સુખ અતિ, દેખે અખંડ પ્રભુની મૂરતિ । તોય અંતરમાં રહી તાણ, મળવા મૂરતિ પ્રકટ પ્રમાણ ।।૨।। તેને સમજાવી સવેર્રીત, પછી યાં થકી ચાલ્યા અજીત । લીધો સેવક એકને સંગે, ચાલ્યા અલબેલો ઉછરંગે ।।૩।। ત્યાંથી પધારીયા ગામ ભેલે, આપ્યાં વિપ્રને વસ્ત્ર છબીલે । દીધાં દુધ પેંડા ફાંટ ભરી, પછી ત્યાં થકી ચાલીયા હરિ ।।૪।। મળે વાટ માંહિ જે જે જન, તેને નાથ દિયે દરશન । ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા માળીએ પૂરણકામ ।।૫।। તિયાં દિન રહ્યો ઘડી ચાર, કહે રાજ જાશું રણપાર । આવ્યા રણમધ્યે અવિનાશ, ત્યાંતો કહે લાગી ભૂખ પ્યાસ ।।૬।। આવ્યો એક પુરૂષ અકળ, તેણે જાચ્યું છે આવીને જળ । હતું પાસે પાણી પળી એક, તે પણ આપવું એવી છે ટેક ।।૭।। પછી નાથ બોલ્યા એમ વાણી, આવો ઓરા પીવું હોય પાણી । પોતાની તો પીડાને ન જોઇ, હરિ વિના ન કહે બીજું કોઇ ।।૮।। પોતાના તો પિડાતાતા પ્રાણ, તોય ન કરી નકારની વાણ । તિયાં મીઠાં થયાં સિંધુજળ, સુંદર સ્વાદુ નીર નિરમળ ।।૯।। પિધાં પોતે ને પોતાને દાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । વાંસે રહ્યો સેવક એ સારૂં, ચાખ્યું જળ ત્યાં નિસર્યું ખારૂં ।।૧૦।। એવી લીલા કરતા મોરાર, […] read more
0 Views : 109

ભક્તચિંતામણિ પ્રકરણ:- પ૬

ચોપાઇ- પછી કચ્છ દેશથી કૃપાળુ, આવ્યા પંચાળે દીનદયાળુ । સંગે લઇને સાધુ બેચાર, પ્રથમ આવીયા દેશ હાલાર ।।૧।। ગામોગામમાં દર્શન દીધાં, સર્વે જન કૃતારથ કીધાં । પછી આવીયા સરધારમાંઇ, હરિભક્ત કાઠી આવ્યા ત્યાંઇ ।।૨।। પછી ત્યાંથી ચાલીયા મહારાજ, આવી રહ્યા પિપરડીએ રાજ । બીજે દિવસે બોટાદ આવ્યા, અદે ભગે ભાવેશું જમાવ્યા ।।૩।। રહ્યા દિવસ બે કરી મેર, સોમલા ને માંતરાને ઘેર । પછી ત્યાંથી આવ્યા કારીયાણી, વરસે મેઘ પડે બહુ પાણી ।।૪।। વસે ભક્ત ત્યાં માંચો વીરદાસ, રહ્યા તિયાં હરિ ચાર માસ । આવ્યા ગઢડેથી હરિજન, જેનાં ત્યાગે સુકાણાં છે તન ।।૫।। આવ્યા દેશદેશ થકી દાસ, નયણે નિરખવા અવિનાશ । આવ્યા વાગડ કચ્છ હાલારી, સોરઠ વાળાકનાં નરનારી ।।૬।। આવ્યા પાંચાળી ને ઘોલવાડી, ભાલ ગુજરાત ઝાલાવાડી । આવ્યો સુરતથી સંઘ વળી, ઘણું રહ્યો છે રંગડો ઢળી ।।૭।। આવે સહુ લાગે હરિપાય, નાથ નિરખી ત્રપત ન થાય । આવ્યા સંત તે સરવે મળી, હતી અમદાવાદે મંડળી ।।૮।। પછી પ્રભુતણી પૂજા કરી, જમ્યા બહુ સરકરા હરિ । સુંદર વસ્ત્ર શામળિયો પહેરી, દિયે દર્શન દાસને લહેરી ।।૯।। કરે વાત અલૌકિક આપે, સવેર્જનના સંશય કાપે । જાય નાથજી નિત્ય તળાવે, જન પાસળ સર ગળાવે ।।૧૦।। ગાતાવાતા આવે પછી ઘેર, નિત્ય પ્રત્યે થાય લીલાલેર । સુંદર ઘોડે ચડે ગિરધારી, થાય ચમર જુવે નરનારી ।।૧૧।। પછી યજ્ઞ […] read more
0 Views : 134
Powered By Indic IME