Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૧

પૂર્વછાયો- આણી ઉદાસી અંતરે, એમ બોલ્યા વરણિરાટ । તે સુણી મુક્તાનંદજી, અતિ કરે છે ઉચાટ ।।૧।। આવા ત્યાગી તપસ્વી,નિરમોહી વૈરાગ્યવાન । નિસ્પૃહપણું જોઈ જાણે, રખે જાતા રહે નિદાન ।।૨।। કાંઈક ઉપાય કરૂં, જેણે રહે વરણિઈંદ । પછી મીઠી વાણીએ, બોલ્યા તે મુક્તાનંદ ।।૩।। વૈશાખસુદીનો વાયદો, તે નહિ પડે ખોટો નાથ । તિયાં લગી તમે રહો, કહું કરગરી જોડી હાથ ।।૪।। ચોપાઇ- તમને કહીએ છીએ અમે એહ, તેતો જોઈને તમારૂં દેહ । તપે કરી તન છે દુબળું, નહીં પોંચાય શહેર છે વેગળું ।।૫।। ખારા સમુદ્રની છે ખાડી, તેતો ભુજ જાતાં આવે આડી । નથી સિધિ જાવા પગવાટ, અમે કહીએ છીએ તેહ માટ ।।૬।। હમણાં રહો જાળવીને પળ, હું મેલું છું લખીને કાગળ । તેનો વળતો ઉત્તર આવે, કરવું સહુને જેમ સ્વામી કાવે ।।૭।। તેની આજ્ઞા વિના નવ જાવું, અમને તો જણાય છે આવું । ત્યારે બોલ્યા હરિ તેહ પળ, સારૂં લખો સ્વામીને કાગળ ।।૮।। પછી મુક્તાનંદજી મહારાજ, બેઠા કાગળ લખવા કાજ । સ્વસ્તિ શ્રીભુજનગરમાંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ ।।૯।। દીનબંધુ પતિતપાવન, ભક્તજનને મનભાવન । પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ,શરણાગતના શમાવો તાપ ।।૧૦।। કૃપાનિધિ કરૂણાના ધામ, પતિતપાવન પૂરણકામ । દયાસિંધુ દિલના દયાળ, નિજજનતણા પ્રતિપાળ ।।૧૧।। અનાથના નાથ અધમોદ્ધાર, તમને કરૂં છું નમસ્કાર । કલ્યાણકારી જે અનેક ગુણ, તેણે કરી તમે છો પૂરણ ।।૧૨।। સિદ્ધ […] read more
0 Views : 139

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪ર

પૂર્વછાયો- સ્વસ્તિ શ્રીભુજનગરમાં, રહ્યા રાજઅધિરાજ । સવેર્શુભ શોભા ત્યાં રહે, જીયાં આપ બિરાજો મહારાજ ।।૧।। સર્વે સદ્ગુણ મણિતણી, ધરી રહ્યા તમે માળ । ભક્તજનના મંડળમાં, બહુ શોભોછો દયાળ ।।૨।। જે જન આવે આશરે, તેને આપો છો અભયદાન । કૃષ્ણભક્તિ પ્રગટ કરી, આ સમે તમે ભગવાન ।।૩।। સવેર્ગુરૂના ગુરૂ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ । એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ ।।૪।। ચોપાઇ- તમે સાક્ષાતકાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ । ધર્મરક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ ।।૫।। અવધપુરી અજયવિપર, લીધો જન્મ સુમતિ ઉદર । એવા ઉદ્ધવ તમે રામાનંદ, જિજ્ઞાસુ જીવના સુખકંદ ।।૬।। તેને પૃથ્વી ર્સ્પિશ નમસ્કાર, કરૂં છું હું હજારો હજાર । એમ કરી લખું છું વિનંતિ, તમે સાંભળજયો મહામતિ ।।૭।। નીલકંઠ વર્ણી મારૂં નામ, તમ શરણ વિના નથી ઠામ । એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજયો અમારી ।।૮।। કોશળદેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી । પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે ।।૯।। એમ કરતાં આવ્યો લોજ આંઇ, રહ્યો છું તમારા સંત માંઇ । કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરૂં આગ્રહ તે કહું મહારાજ ।।૧૦।। તપ કરૂં છું કઠણ તને, નથી મોળો હું પડતો મને । ચારે માસ ચોમાસાના જેહ, કરૂં ધારણા પારણા હું તેહ ।।૧૧।। વર્ષો વરસ ર્કાિતક માસ, કરૂં […] read more
0 Views : 160

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૩

પૂર્વછાયો- રાજી થઇ રામાનંદજીએ, લીધા પત્ર તે બેઉ હાથ । વર્ણી આવ્યાની વાત વાંચી, રાજી થયા આપે નાથ ।।૧।। પોતાવિષે અતિભાવ છે, તપે કરી કૃશ છે શરીર । એવાં વચન વિચારીને, આવ્યાં પોતાને નયણે નીર ।।૨।। ગદ્ગદ્ કંઠે ગિરા થઇ, ધીરા રહીને વાંચ્યા કાગળ । પછી તેહની વારતા, કહી હરિજનને આગળ ।।૩।। સુંદર આદિ સતસંગી, સુણવા આવ્યા સહુ કોય । નીલકંઠજીના ગુણને, કહેતાં સુણતાં તૃપ્ત ન હોય ।।૪।। ચોપાઇ- ધન્ય ધન્ય એ વરણિરાટ, આવ્યે ટળ્યો સરવે ઉચાટ । કહી ર્વિણની મોટપ્ય બહુ, સુણી સતસંગીએ તે સહુ ।।૫।। પછી પત્રનો પ્રતિઉત્તર, લખે છે પોતે અતિ સુંદર । બ્રહ્મચારીની પ્રશંસા કરી, રૂડો ઉત્તર લખે છે હરિ ।।૬।। શ્રી લોજપુરમાં રહ્યા સંત, તે મુજને વહાલા છો અત્યંત । તીર્થવાસિની કરો છો ટેલ, તેમાં પળ નથી પામતા વેલ ।।૭।। માંદા સાધુની કરવી સેવ, વળી તકેશું રાખવી ટેવ । તે તો કોઇથી બની ન આવે, તેહ તમે જ કરો છો ભાવે ।।૮।। દુઃખીને તમે દ્યોછો આનંદ, એવા પરમાર્થી મુનિ ઇંદ । વળી અષ્ટભાતે ત્રિયા ત્યાગી, એવા સંત તમે બડભાગી ।।૯।। માટે તમારા બ્રહ્મચર્યમાંઇ, કહું વિઘ્ન પડશો માં કાંઇ । મારી આશિષથી મુનિજન, નહિ આવે બ્રહ્મચર્યે વિઘન ।।૧૦।। તે બ્રહ્મચર્ય છે બ્રહ્મસ્વરૂપ, કહ્યું સનત્સુજાતીયે અનૂપ । શ્રી ભુજથી લખિતંગ અમે, કરજયો આશિષ ગ્રહણ તમે ।।૧૧।। શ્રીકૃષ્ણ […] read more
0 Views : 131

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૪

પૂર્વછાયો- પછી યોગ શીખવતાં, કરતાં તે તપ અભ્યાસ । અહોનિશ એમ કરતાં, વહી ગયો વૈશાખ માસ ।।૧।। ત્યારે ર્વિણએ વિચારિયું, આજ કાલ આવે અવિનાશ । એમ કરતાં વહિ ગયો, અરધો તે જયેષ્ઠ માસ ।।૨।। વળતાં વર્ણી વ્યાકુળ થઇ, જુવે વાટ વારમવાર । એક તપ ને ચિંતા બીજી, તેણે કૃશ થયા છે અપાર ।।૩।। આતુરતા મન અતિઘણી, થઇ સ્વામીને મળવા માટ । સ્વામી પણ પછી ત્યાં થકી, ઇચ્છ્યા દેખવા ર્વિણરાટ ।।૪।। ચોપાઇ- થયા ઉતાવળા તતકાળ, ભુજનગરમાંથી દયાળ । સુવર્ણ સરીખો આણ્યો છે રથ, બેઠા તે ઉપરે સમરથ ।।૫।। ચલાવ્યો રથ શહેર બજાર, આવ્યાં દર્શને બહુ નરનાર । તેને જોતા જોતા જગદાધાર, આવ્યા શહેરથકી પોતે બાર ।।૬।। સંગે આવ્યા છે વળાવા જન, નથી વળતા કરે છે રુદન । તેને આપે છે મહારાજ ધીર, કહે છે મ ભરો નયણે નીર ।।૭।। આ સમો નથી રોયાનો જન, કરી લીયો કહું છું દર્શન । ત્યારે જન લુઇ નીર નયણે, બોલ્યા છે અતિ દીનતા વયણે ।।૮।। કહે વહેલા આવજયો દયાળ, લેજયો નાથ અમારી સંભાળ । એમ કહીને જોડિયા હાથ, ત્યારે તે પ્રત્યે કહે છે નાથ ।।૯।। જન સર્વે રહેજયો સાવચેત, રાખજયો હરિજનશું હેત । અમે આવશું હમણાં વળી, પણ પ્રાકૃત નહિ શકે કળી ।।૧૦।। એમ કહીને ચાલિયા નાથ, સંત બે ચારને લઇ સાથ । સાંજે સાંજે […] read more
0 Views : 147

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪પ

પૂર્વછાયો- પછી લોકમાં એમ જાણિયું, સ્વામી પાસે આવ્યા છે સંત । નાની વયમાં ન થાય એવાં, કર્યાં છે તપ અનંત ।।૧।। તે સુણી દેશોદેશથી, આવે છે નર ને નાર । યોગી ત્યાગી દર્શને, આવે લોક હજારો હજાર ।।૨।। તે મનુષ્યને સ્વામી પોતે, ઓળખાવે છે બ્રહ્મચાર । કૃશ તને તપસી અતિ, જોઇ વિસ્મય પામે નરનાર ।।૩।। પછી પુછે છે સ્વામીને, ક્યાંથી આવ્યા આ વર્ણીરાજ । નાની વયમાં મોટા અતિ, તપ કરે છે મહારાજ ।।૪।। ચોપાઇ- જોને પહેરી છે યજ્ઞોપવિત, જટા શિશે શાંતિ અતિચિત્ત । નાડિયો જે શરીર મોઝાર, સર્વે નિસરિ રહી છે બાર ।।૫।। ઉર્ધ્વપુંડ્ર ને તુલસીની માળા, ઉદાર છે પાસે મૃગછાલા । ધ્યાને કરી સ્થંભ્યાં છે લોચન, અતિ વિસારિ મુક્યું છે તન ।।૬।। બહુ નિસ્પૃહી ને નિરમાન, એવા આ કોણ છે ભગવાન । ત્યારે સ્વામી કહે સુણો તેહ, આવ્યા કોશળ દેશથી તેહ ।।૭।। એનાં માતા પિતા હતાં જેહ, અતિ ધર્મવાળાં બેઉ તેહ । કરતાં ભગવાનની ભક્તિ, તે સુણતાં પોતે હેતે અતિ ।।૮।। ભક્તિ જ્ઞાન વૈરાગ્ય માહાત્મ્ય, જેમ સાંભળ્યું છે રહે છે તેમ । એણે સર્વે સંબંધીને ત્યાગી, ગયાતા વનમાં બડભાગી ।।૯।। તિયાં ઘોર તપ અતિ કરી, કર્યા ભક્તિએ પ્રસન્ન શ્રીહરિ । ત્યાંથી આવ્યા છે હરિઇચ્છાયે, કર્યાં તપ તે ધ્રુવે ન થાયે ।।૧૦।। એવાં સ્વામીનાં વચન સાંભળી, અતિવિસ્મય પામ્યાં જન વળી […] read more
0 Views : 449

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૬

પૂર્વછાયો- સુંદર કથા સાંભળો, થયા સ્વામિના વર્ણી શિષ્ય । ડાહ્યા સર્વે સદ્ગુણ જેમાં, અસાધારણ અહોનિશ ।।૧।। એવા હરિ બુદ્ધિવંતશું, સ્વામીએ રાખ્યો સખાભાવ । કાંઇક કામ કારણે, પુછે પોતે કરી ઉછાવ ।।૨।। જિયાં જિયાં પોતે વિચર્યા, તિયાં તિયાં ર્વિણ સાથ । રૈવતાચળ આસપાસળે, કર્યા બહુ જીવ સનાથ ।।૩।। કૃષ્ણની ભક્તિ અતિશે, પ્રવર્તાવી જનમાંય । જિજ્ઞાસુ જીવ જોઇને, પોતે ફર્યા ગ્રેવા બાંય ।।૪।। ચોપાઇ- ક્યાંક પક્ષ ક્યાંક રહ્યા માસ રે, એમ ફર્યા દેશ અવિનાશ રે । એમ રહેતા દેતા દર્શન શ્યામ રે, આવ્યા પોતે જેતપુર ગામ રે ।।૫।। ત્યાં ઉનડ નામે રાજન રે, તેણે રાખ્યા છે કરી સ્તવન રે । કહ્યું આ જે સરવે છે મારૂં રે, તેતો જાણજયો સ્વામી તમારૂં રે ।।૬।। પછી રહ્યા તિયાં રામાનંદ રે, સર્વે જનને દેવા આનંદ રે । રહે સેવામાં હરિ તત્પર રે, કરે સેવા સ્વામીની સુંદર રે ।।૭।। ગુણે કરી અધિક છો સહુથી રે, ગુણ સ્વાભાવિક છે આવ્યા નથી રે । સવેર્કાળ વળી સર્વે સ્થળ રે, સ્વસ્વરૂપ વિષે રહે અચળ રે ।।૮।। સત્ય શૌચ દયા ક્ષમા ત્યાગ રે, સંતોષ આર્જવ ને વૈરાગ્ય રે । શમ દમ સામ્ય ઉપરતિ રે, તપ તેજ તિતિક્ષાના પતિ રે ।।૯।। શાસ્ત્રજ્ઞાન ઐશ્વર્યતા અતિ રે, બળ શૂરપણું ને સમૃતિ રે । સ્વતંત્ર કુશળ કાંતિ ધૈર્ય રે, ચિત્તકોમળ વાક્યચાતુર્ય રે ।।૧૦।। નમ્રતા […] read more
0 Views : 146

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૭

પૂર્વછાયો- એવું સુણી સ્વામી બોલિયા, સુણો હરિ શુદ્ધબુદ્ધિવાન । હાર્દ તમારા હૈયાતણું, તે સર્વે જાણ્યું મેં સુજાણ ।।૧।। પણ હું કરૂં તે વિચારી કરૂં, વણ વિચારે ન કરૂં લેશ । બંધ થાતાં દેખું જેહને, તેને નાપું એવો ઉપદેશ ।।૨।। હું પણ હમણાં રહ્યો છઉં, આ પવિત્ર પૃથ્વી મોઝાર । ધર્મ પળાવવા સમર્થ છું, સવેર્વાત માનો નિરધાર ।।૩।। હવે પણ મારે જાવું થાશે, ભૂમિ તજી બ્રહ્મમહોલ । શિખામણ્ય સદ્શિષ્ય જાણી, આપું છું મતિ અડોલ ।।૪।। ચોપાઇ- મારો મનોરથ સર્વે સારો રે, કહું વચન તે હૃદે ધારો રે । તમ વિના ધર્મધુર જેહ રે, બીજાથકી ન ઉપડે તેહ રે ।।૫।। માટે માનો વચન ર્વિણરાય રે, તમને બંધન નહિ થાય રે । તમે કરશો જો નારીશું વાત રે, નહિ બંધાઓ કહું છું તાત રે ।।૬।। હોય યુવતિ યુથ અપાર રે, તમે રહેજયો તે નારી મોઝાર રે । સદા રહેશો તેમાં નિર્લેપ રે, બીજાને તો બોલ્યે ચડે કેફ રે ।।૭।। તમે કંચન કાંતાએ કરી રે, નિશ્ચે નહિ બંધાઓ શ્રીહરિ રે । તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો છે વર તમને વળી રે ।।૮।। સૂર્યનારાયણ થઇ રાજી રે, રહ્યા હૃદય તમારે વિરાજી રે । તમે નારાયણ સુખકારી રે, નિરલેપ ને નિરવિકારી રે ।।૯।। એવા સમર્થ છો સત્ય વાત રે, માટે કહું છું તમને તાત રે […] read more
0 Views : 144

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૮

પૂર્વછાયો- સુંદર સારી કથા કહું, ત્યાર પછીની જાણજયો જેહ । અતિ ચરિત્ર પવિત્ર છે, સહુ સુણજયો કરી સનેહ ।।૧।। સતસંગી સ્વામીતણા, નિરમળ અતિ નરનાર । હરિ બેઠા સભા કરી, ત્યાગી સંત ગૃહી બ્રહ્મચાર ।।૨।। મુખ આગે મુકુંદ આદિ, બેઠા બહુ બ્રહ્મચાર । ત્યારપછી મુક્તાનંદ આદિ, બેઠા સંત અપાર ।।૩।। ત્યાર પછી મયારામ આદિ, બેઠા દ્વિજ સુજાણ । ત્યાર પછી મુળજી આદિ, બેઠા ક્ષત્રિ પ્રમાણ ।।૪।। ચોપાઇ- બેઠા વૈશ્ય પર્વતાદિ જેહરે, શૂદ્ર કાળાનાઇ આદિ તેહ રે । બેઠા પુરૂષ પુરૂષમાં મળી રે, તે કેડ્યે બેઠી બાયું મંડળી રે ।।૫।। દ્વિજ લાડકી આદિ જે બાઇ રે, બેઠી જેમ ન અડે કોઇ ભાઇ રે । બીજા આશ્રિત જન છે જેહ રે, બહુ મળી બેઠા સહુ તેહ રે ।।૬।। સર્વે હાથ જોડી પાય નમે રે, અમારા ગુરૂમૂર્તિ છો તમે રે । વળી સહજે આપો છો આનંદ રે, માટે સત્ય નામ સહજાનંદ રે ।।૭।। સદ્ગુણે શોભાનું છો ધામ રે, વળી તમે છો સ્વામીને ઠામ રે । માટે અમને જાણી તમારાં રે, કહેજયો શિખનાં વચન સારાં રે ।।૮।। પ્રભુ તમારી આજ્ઞાને વિષે રે, રહેશું શ્રદ્ધાસહિત હમેશ રે । માટે કહેવાનું ઘટે તેમ કહેજયો રે, સારી સુખની શિખામણ્ય દેજયો રે ।।૯।। એમ સહુ મળી કહે જન રે, તેનાં સાંભળ્યાં નાથે વચન રે । પછી બોલ્યા નારાયણમુનિ રે, […] read more
0 Views : 173
Powered By Indic IME