પૂર્વછાયો- આણી ઉદાસી અંતરે, એમ બોલ્યા વરણિરાટ । તે સુણી મુક્તાનંદજી, અતિ કરે છે ઉચાટ ।।૧।। આવા ત્યાગી તપસ્વી,નિરમોહી વૈરાગ્યવાન । નિસ્પૃહપણું જોઈ જાણે, રખે જાતા રહે નિદાન ।।૨।। કાંઈક ઉપાય કરૂં, જેણે રહે વરણિઈંદ । પછી મીઠી વાણીએ, બોલ્યા તે મુક્તાનંદ ।।૩।। વૈશાખસુદીનો વાયદો, તે નહિ પડે ખોટો નાથ । તિયાં લગી તમે રહો, કહું કરગરી જોડી હાથ ।।૪।। ચોપાઇ- તમને કહીએ છીએ અમે એહ, તેતો જોઈને તમારૂં દેહ । તપે કરી તન છે દુબળું, નહીં પોંચાય શહેર છે વેગળું ।।૫।। ખારા સમુદ્રની છે ખાડી, તેતો ભુજ જાતાં આવે આડી । નથી સિધિ જાવા પગવાટ, અમે કહીએ છીએ તેહ માટ ।।૬।। હમણાં રહો જાળવીને પળ, હું મેલું છું લખીને કાગળ । તેનો વળતો ઉત્તર આવે, કરવું સહુને જેમ સ્વામી કાવે ।।૭।। તેની આજ્ઞા વિના નવ જાવું, અમને તો જણાય છે આવું । ત્યારે બોલ્યા હરિ તેહ પળ, સારૂં લખો સ્વામીને કાગળ ।।૮।। પછી મુક્તાનંદજી મહારાજ, બેઠા કાગળ લખવા કાજ । સ્વસ્તિ શ્રીભુજનગરમાંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ ।।૯।। દીનબંધુ પતિતપાવન, ભક્તજનને મનભાવન । પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ,શરણાગતના શમાવો તાપ ।।૧૦।। કૃપાનિધિ કરૂણાના ધામ, પતિતપાવન પૂરણકામ । દયાસિંધુ દિલના દયાળ, નિજજનતણા પ્રતિપાળ ।।૧૧।। અનાથના નાથ અધમોદ્ધાર, તમને કરૂં છું નમસ્કાર । કલ્યાણકારી જે અનેક ગુણ, તેણે કરી તમે છો પૂરણ ।।૧૨।। સિદ્ધ […]
read more