Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૩

પૂર્વછાયો- બહુ નામી કૃષ્ણદેવનાં, સુણો સવેર્ચરિત્ર રસાળ । ભક્ત અભક્ત કારણે, ફરે હદ્ય બેહદ્યે દયાળ ।।૧।। સંતને સુખ આપવા, દેવા દુષ્ટજનને દંડ । તેજ કારણ પ્રભુએ, પૃથિવીએ ધર્યું છે પંડ ।।૨।। જીયાં જીયાં જાવું ઘટે, તિયાં તિયાં જાય જરૂર । સુખ દુઃખ ભૂખ પ્યાસનું, નથી ગણતા નિકટ દૂર ।।૩।। પછી એકા એક ચાલિયા, મહાવિકટ અદ્રિમાંય । નવ લાખ યોગીને નિરખવા, ચાલ્યા પ્રભુજી બહુ ઉછાય ।।૪।। ચોપાઇ- ચાલ્યા પર્વત પેખવા હરિ, આવ્યો અતિવસમો અદરિ । જાવા વાટ જડે નહિ જીયાં, જાવું જરૂર પોતાને તિયાં ।।૫।। જાતાં એ દિશે મનુષ્યે વાર્યું, પણ કર્યું છે પોતાનું ધાર્યું । ચડ્યા પર્વત ઉપર પોતે, ચાલ્યા શૈલતણી શોભા જોતે ।।૬।। આવી નવલાખ ધુણી રૂપાળી, તે તો સહેજે બળે વણબાળી । તિયાં કુંડ દિઠા છે અપાર, ભર્યાં જળ અમળ તે મોઝાર ।।૭।। ક્યાંક ટાઢાં જળ ક્યાંક ઉનાં, એમ બહુ કુંડ દીઠા નીરુના । પછી ત્યાંના રહેનારા જે સિદ્ધ, મળ્યા તે પણ આવી પ્રસિદ્ધ ।।૮।। જેની કોઇને ભેટ ન હોય, મર મોટા મુક્તયોગી હોય । તેને સહુને મળ્યા એકવાર, કર્યા પરસ્પર નમસ્કાર ।।૯।। પછી પ્રેમે બેઠા સહુ પાસ, પુછ્યો યોગીને યોગ અભ્યાસ । કહ્યું તેણે તેનું વરતંત, સુણી હરિ હરખ્યા અત્યંત ।।૧૦।। કહ્યું સિદ્ધને છો ધન્ય ધન્ય, એમ કહી રહ્યા ત્રણ્ય દન । આપી આનંદ ત્યાંથી ઉતર્યા, ચાલ્યા […] read more
0 Views : 128

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૪

પૂર્વછાયો- ત્યાર પછી જે જે કર્યું, તે સાંભળો વાત સરેશ । એટલું કામ કરી હરિ, પછી ચાલિયા દક્ષિણ દેશ ।।૧।। એકાએક અરણ્યમાંહિ, રહેવા રાજી છે મન । શહેર ન ઇચ્છે સ્વપ્ને, વહાલું લાગે છે વસવું વન ।।૨।। ભક્તિધર્માદિ ભેળાં રહે, દિવ્ય દેહ ધરીને સોઇ । તેહ વિના જીવ જક્તના, નથી ગમતા બીજા કોઇ ।।૩।। ત્યાગ વૈરાગ્ય તનમાં, તેણે મગન રહે છે મન । નાવે બીજા નજરે, જે નોય હરિના જન ।।૪।। ચોપાઇ- એવા શ્રીહરિ બહુ નિસ્પ્રેહ, અણઇચ્છાએ ચાલિયા તેહ । આવ્યા આદિકૂરમ તીરથ, સુખદાઇ હરિ સમરથ ।।૫।। તેને સમીપે માનસા શહેર, આવ્યા તિયાં કરી હરિ મેર । તેનો રાજા છે અતિ પવિત્ર, જેણે બાંધ્યાં છે અન્નનાં ક્ષેત્ર ।।૬।। અન્નારથી આવે જેહ જન, તેને ભાવે કરાવે ભોજન । તેણે દીઠા એહ બ્રહ્મચારી, જોઇ મનમાં રહ્યો વિચારી ।।૭।। કહે આતો મોટા કોઇ અતિ, પછી રાખ્યા છે કરી વિનતિ । રાખ્યા એકાંતે વરણિરાટ, અતિ ત્યાગી તપસ્વી તે માટ ।।૮।। એક એકાંતે ઓટો સુંદર, રહ્યા તિયાં પ્રભુ તે ઉપર । પછી રાજા રાજાના સેવક, કરે ચાકરી કરી વિવેક ।।૯।। નિત્ય પ્રત્યે કરે એમ સેવ, જાણે મહાત્મા છે મોટા દેવ । કરે સન્માન જોઇ ત્યાગી, બીજા ભેખનું પડીયું ભાંગી ।।૧૦।। ત્યારે અસુર ત્યાંના રહેનાર, કહે આતો છે આપણો માર । જેણે દૈત્ય સમૂહ મરાણો, તેનું […] read more
0 Views : 126

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩પ

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ કરતાં કરતાં કાજ । ત્યાંથકી હરિ આવિયા, ભૂતપુરીમાં મહારાજ ।।૧।। રામાનુજની ત્યાં મૂરતિ, કર્યાં પોતે ત્યાં દર્શન । કાંયેક દિન ત્યાં રહી, પુછ્યું ત્યાગી પ્રત્યે પ્રશન ।।૨।। ઉત્તર તેનો દક્ષણાદિયે, ન થયો જયારે જરૂર । ત્યારે તે ઉઠ્યા મારવા, થઇ ક્રોધમાં ચકચુર ।।૩।। કહે આવ્યો તું કાલ્યનો, તે લેછે અમારી લાજ । એવું પ્રશ્ન અટપટું, તારે પુછવાનું શું કાજ ।।૪।। ચોપાઇ- હરિ નિરમાની અતિનેક, બોલ્યા નહિ તે કરી વિવેક । ક્ષમાવંત અત્યંત છે શાંતિ, ક્રોધ આવ્યો નથી જેની પાંતિ ।।૫।। અતિધીર ગંભીર છે ઘણા, શુંકહીએ સદ્ગુણ તે તણા । પછી સારૂં કહીને સધાવ્યા, ત્યાંથી કુમારી કન્યાયે આવ્યા ।।૬।। વળતાં પદ્મનાભમાં પધાર્યા, ત્યાંના વાસીને મોદ વધાર્યા । પછી આવ્યા જનાર્દને નાથ, ચાલે એકલા ન જુવે સાથ ।।૭।। ત્યાંથી આવ્યા છે આદિકેશવે, તેની વાત સુણો કહું હવે । તેને સમીપે સુંદરપુર, ત્યાં દીઠા દો સહસ્ર અસુર ।।૮।। તે તો હરિના છે વેરવાઇ, દેખી ઉઠ્યા છે મારવા ધાઇ । કહે આપણો માર એકલો, આવ્યો હાથ હવે રખે મેલો ।।૯।। એમ કહીને આવ્યા મારવા, ત્યારે લોકે માંડ્યું છે વારવા । તેની વાત કાને નવ ધરી, ત્યારે રાજાને ખબર પડી ।।૧૦।। કહે રાજા અન્યાય માં કરો, કાંઇક પ્રભુના ડરથી ડરો । ત્યારે રાજા પ્રત્યે કહે અસુર, એને મારશું અમે જરૂર […] read more
0 Views : 117

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૬

રાગ: સામેરી- રૂડું સ્વામી રામાનંદનું, આખ્યાન કહું અનૂપ । જે આપે ઉદ્ધવજી અવતર્યા, તે થયા રામાનંદરૂપ ।।૧।। જેહ પુરી જેહ કુળમાં, જેહ ગોત્ર જેહ માત તાત । જીયાં ઉદ્ધવજી અવતરી, કાવ્યા રામાનંદ સાક્ષાત ।।૨।। જેમ મુક્યું નિજ ગેહને, જેમ શીખ આપી માત તાત । જેમ આવ્યા આ દેશમાં, કહું તેની સર્વે વાત ।।૩।। સહુ મળી હવે સાંભળો, સારી કથા છે આ અનૂપ । કહું ચરિત્ર કોડામણું, રામાનંદજીનું રસરૂપ ।।૪।। દુર્વાસાના શાપથી, ઉદ્ધવે ધર્યો અવતાર । પૂર્વ દિશે અયોધ્યાપુરી, ત્યાં બ્રાહ્મણ સુંદર સાર ।।૫।। ભક્ત શ્રીભગવાનના, વળી સદા સત્યવાદીપણું । વિદ્યાવાન અમાન આપે, ઇંદ્રિયજીત અતિશે ઘણું ।।૬।। પાપરહિતા પુણ્યવંતા, સ્વધર્મમાં સાવધાન । ઉચ્ચકુળે આચાર અતિ, ઘણું ઘણું ગુણવાન ।।૭।। કશ્યપ ગોત્ર ને ઋગ્વેદ, આશ્વલાયન શાખા જેહની । અજયનામે વિપ્ર પવિત્ર, સુમતિ પત્ની તેહની ।।૮।। તેને તે ઘેર પ્રકટયા, ઉદ્ધવ આપે ઉદાર । સંવત્ સત્તર પંચાણવે, શ્રાવણવદી આઠ્યમ સવાર ।।૯।। તેહ સમે ઉદ્ધવજીએ, આપે ધર્યો અવતાર । જન્મ સમે જયજય શબ્દે, વદે છે નર ને નાર ।।૧૦।। આનંદ વાધ્યો અતિ ઘણો, ઘેર ઘેર મંગળ ગાય । વિધ્યે વિધ્યે કરે વધામણી, વળી હૈયે હર્ષ ન માય ।।૧૧।। વળતા તે વિપ્ર તેડાવિયા, તેહ આવિયા નિજધામ । જન્મ અક્ષર જોઇને, કહે નામ એનું શ્રીરામ ।।૧૨।। શુભ વાર ચોઘડિયું, શુભ ઘડી પળ લગન । એવા સમામાં […] read more
0 Views : 118

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૭

પૂર્વછાયો- સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની વાત । મોટા યોગીને માન્યા જેવા, મુનિ આત્માનંદ વિખ્યાત ।।૧।। આઠ પહોર નવ ઉતરે, જેને સમાધિ સુખરૂપ । બ્રહ્મ સંગાથે એકતા, કર્યો નિજ આત્મા અનૂપ ।।૨।। બહુ કાળ તન રાખવું, વળી તરત તજવું દેહ । નિજગુરૂ પરતાપથી, આપે થયા સ્વતંત્ર જેહ ।।૩।। પોતાની કૃપાયે કરી, યોગસિદ્ધિને પામ્યા શિષ્ય । તેને સમૂહે વિંટ્યા સ્વામી, આત્માનંદ મુનીશ ।।૪।। ચોપાઇ- તેને પાસે આવી નિરધાર રે, કર્યો ઉદ્ધવે નમસ્કાર રે । અતિ પ્રતાપી પ્રસિદ્ધ જેહ રે, આત્માનંદ મુનિ છે તેહ રે ।।૫।। તેને નમી ઉદ્ધવ નિરધાર રે, રહ્યા માસ અદ્રિ મોઝાર રે । જોઇ આત્માનંદની રીત રે, ર્વિણયે વિચારિયું ચિત્ત રે ।।૬।। આને સમાધિમાંહિ શ્રીકૃષ્ણ રે, દેતા હશે તે નિશ્ચે દર્શન રે । એમ કરી ઉદ્ધવ વિચાર રે, કર્યો કર જોડી નમસ્કાર રે ।।૭।। કરી પ્રાર્થના બોલ્યા આપ રે, સુણો સ્વામી હરણ સંતાપ રે । જેહ સાક્ષાત્કાર શ્રીકૃષ્ણ રે, તેનાં ઇચ્છું છું કરવા દર્શન રે ।।૮।। તેની સિદ્ધિ સારૂં જે સાધન રે, કહો કૃપા કરી મુનિજન રે । ત્યારે બોલ્યા શ્રી આત્માનંદ રે, યોગ સાધતાં થાશે આનંદ રે ।।૯।। હશે ગમતું તમારૂં જેહ રે, થાશે સવેર્સિદ્ધ જાણો તેહ રે । એવું સુણી ઉદ્ધવ વચન રે, અતિહર્ષ પામિયા મન રે ।।૧૦।। વળી જાણીને મોટા યોગીશ રે, યોગ […] read more
0 Views : 120

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૮

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ મળ્યા રામાનુજાચાર । જાગ્યા સ્વામી સ્વપ્ન થકી, ત્યારે કરવા લાગ્યા વિચાર ।।૧।। આતે શું સાક્ષાત મળ્યા, કે આ શું થયું સ્વપ્ન । એમ વિચારતાં અંતરે, દીઠું પંચ સંસ્કારે તન ।।૨।। ઉર્ધ્વપુંડ્ર દ્વાદશ દીઠાં, દીઠી કંઠમાં સુંદર દામ । મંત્ર કહ્યા તે હૈયે રહ્યા, ત્યારે માન્યા પૂરણકામ ।।૩।। અંકિત અંગ જોઉ ઉમંગ, અતિશે આવ્યો મન । પ્રકટ ચિહ્ન દેખી પંડનાં, માન્યું મળશે નિશ્ચે ભગવન ।।૪।। ચોપાઇ- પછી રામાનંદ રાજી થઇ રે, કર્યોમંત્ર જાપ મૌન રઇ રે । બેઠા આસન અડગ વાળી રે, જોયું અંતરમાંહિ નિહાળી રે ।।૫।। ભુલ્યા શરીરનું ભાન સ્વામી રે, વૃત્તિ અતિશે આનંદ પામી રે । દિઠું અંતરમાં તેજ અતિ રે, તે તેજમાંહિ દીઠી મૂરતી રે ।।૬।। તેતો લક્ષ્મીનારાયણ કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે । અતિ સુંદર શોભાના ધામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।।૭।। તેને પાયે લાગ્યા લળી લળી રે, પામ્યા અતિશે આનંદ વળી રે । થયા મગન મનમાં ઘણા રે, મળ્યા કૃષ્ણ રહી નહિ મણા રે ।।૮।। જેવું હતું મને ચિંતવન રે, થયું તેવાનું તેવું દરશન રે । આપી એમ દર્શન દાન રે, પછી થયા છે અંતરધાન રે ।।૯।। જાગ્યા સમાધિથી સ્વામી જયારે રે, અતિ આનંદ પામિયા ત્યારે રે । કહે ધન્ય ધન્ય છે આ ધામ રે, જેમાં પુરી […] read more
0 Views : 127

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૩૯

પૂર્વછાયો- અતિ ઉત્તમ આખ્યાનની, કહી વણપુછી મેં વાત । હવે શ્રીહરિની કથા,કહું સુણો સહુ સાક્ષાત ।।૧।। મહા મનોહર મૂરતિ, શોભે વરણિને વેશ । શિખાસૂત્ર સોયામણું, શિશે તે સુંદર કેશ ।।૨।। નાસાગ્રે વૃત્તિ રહે, અને દષ્ટિ તે અનિમેશ । એવા થકા ત્યાં આવિયા, બહુનામી કૃષ્ણ દિનેશ ।।૩।। આવી નાહિ એ વાવ્યમાં, પછી બેઠા કાંઠે નાથ । એવે સમે સુખાનંદ આવ્યા, નિરખી થયા સનાથ ।।૪।। ચોપાઇ- નિરખી નાથને પામ્યા આશ્ચર્ય, અંગે ત્યાગ અતિ તપશ્ચર્ય । શીલ સંતોષ ને ક્ષમા અતિ, જાણું ધરી વૈરાગ્યે મૂરતિ ।।૫।। આવા સાધુ મેં ન દીઠા ક્યાંઇ, જાગે ભાગ્ય રહે એ જો આંઇ । પછી પ્રીત્યે શું પુછવા લાગ્યા, કોણ ગુરૂ ક્યાં તમારી જાગ્યા ।।૬।। કહે હરિ સુણો સાધુ વાત, નહિ ગુરૂ સ્વજન માત તાત । જેથી છુટીએ સર્વે સંતાપ, તેજ ગુરુ સ્વજન માઇ બાપ ।।૭।। ત્યારે બોલ્યા સુખાનંદ સંત, મહારાજ એજ છે સિદ્ધાંત । પણ પુછવાની એક રીત્ય, માટે પુછું છું હું કરી પ્રીત્ય ।।૮।। ત્યારે કહે નિલકંઠ કથી, આવ્યા ઉત્તર કોશળ દેશથી । સર્વ તીર્થ ફરતા જોતા ધામ, અમે આવ્યા છઉં આણે ગામ ।।૯।। અમે કહ્યું અમારૂં વૃતાંત, તમે કોણના શિષ્ય છો સંત । પછી બોલ્યા સુખાનંદ તૈયે, અમે રામાનંદજીના છૈયે ।।૧૦।। અમમાંહિ મોટા મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહું ર્વિણઇંદ । આવ્યો આ વાવ્યે નાવા હું આજ, […] read more
0 Views : 150

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૪૦

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ બોલ્યા ભાવે ભગવંત । તે સુણી મુક્તાનંદજીએ, કહ્યું પોતાનું વરતંત ।।૧।। અમે પણ શ્રીકૃષ્ણને, ભાવે ભજું છું ભગવાન । ગુરુની કૃપાએ કરી, વળી દેખું છું મૂર્તિમાન ।।૨।। તે ગુરુ રામાનંદજી, ઉદ્ધવનો અવતાર । મુમુક્ષુને આશરવા, યોગ્ય નિશ્ચે નિરધાર ।।૩।। તેની કૃપાએ કરી જન, દેખે ગોલોકાદિક ધામ । મોરલીધર શ્રીકૃષ્ણ જે, તે દેખે સમાધિએ શ્યામ ।।૪।। ચોપાઇ- એતો કહી મેં બીજાની વાત, તમે તો દેખોછો સાક્ષાત । તેતો એમને વશ છે એહ, નથી એ વાતમાંહી સંદેહ ।।૫।। વળી રામાનંદજીને શ્રીકૃષ્ણ, તેનાં પૃથક મ જાણજયો દ્રષ્ણ । એતો જીવોના કલ્યાણ કાજ, પોતે સ્વયં કૃષ્ણ રહ્યા છે આજ ।।૬।। ગુરુ ઉદ્ધવ વિના નથી અન્ય, તે છે ભાગવતમાં વચન । ઇચ્છ્યા આલોક તજવા કાજે, ત્યારે વિચાર્યું કૃષ્ણ મહારાજે ।।૭।। મારૂં જ્ઞાન હું કેને આપીશ, જ્ઞાનાચાર્ય તે કેને સ્થાપીશ । જોતાં દીઠા ઉદ્ધવજી એક, આપ્યું છે જ્ઞાન કરી વિવેક ।।૮।। ઉદ્ધવ મારા આત્મા ગણું, નથી મુજથી ન્યુન એ અણું । એમ કહિ ઉદ્ધવને જ્ઞાન, આપી થયા છે અંતરધાન ।।૯।। તે ઉદ્ધવ તે જ રામાનંદ, તેના અમે છીએ ર્વિણઇંદ । કરીએ છીએ શ્રીકૃષ્ણ ભજન, એવાં સુણ્યાં ર્વિણએ વચન ।।૧૦।। પછી સાંભળી આવી એ વાત, જે કહી હતી પોતાને તાત । જાણ્યા ઉદ્ધવ તે રામાનંદ, ક્યારે મળે ને પામું આનંદ ।।૧૧।। મળે […] read more
0 Views : 129
Powered By Indic IME