પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુણો સહુ થઇ સાવધાન । કૃપાનિધિ કૃષ્ણદેવનાં, કહું ચરિત્ર અમૃત સમાન ।।૧।। નાથ પ્રતાપે નિજ આતમા, દેખે અખંડરૂપે અનુપ । તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મસ્વરૂપ ।।૨।। એવા યોગને શિખિયા, ગોપાળયોગી જેહ । સ્નેહે કરી શ્રીહરિએ, તેને શિખવિયું છે તેહ ।।૩।। તેણે કરી તર્ત થયા, યોગી તે બ્રહ્મસ્વરૂપ । અતિ પ્રકાશક આતમા, તેહ જાણ્યું પોતાનું રૂપ ।।૪।। ચોપાઇ- પછી યોગીને જણાણું એમ, આને મનુષ્ય કહેવાય કેમ । થયું જ્ઞાન યથારથ જયારે, બોલ્યા ગોપાળયોગી તે વારે ।।૫।। નરનારાયણ ઋષિરાય, થઇ બ્રહ્મચારી આવ્યા આંય । બહુ જીવનાં કરવા કાજ, આપે પ્રગટ થયા મહારાજ ।।૬।। એમ નિશ્ચે કર્યો નિરધાર, નારાયણ તે આ બ્રહ્મચાર । એવા જાણી પછી ધર્યું ધ્યાન, ચોટી વૃત્તિ મૂર્તિમાં એકતાન ।।૭।। તેણે વિસરિયો નિજ દેહ, થયો મૂર્તિમાં અતિ સનેહ । જાણ્યું આપ મળ્યું સુખ મોટું, બીજું સરવે લાગ્યું છે ખોટું ।।૮।। એવા મોટા યોગી જે ગોપાળ, તેતો ભુલ્યા દેહ થોડે કાળ । અતિ વિસ્મૃતિ થઇ જયારે, મુક્યો માયિક દેહને ત્યારે ।।૯।। પછી શ્રીકૃષ્ણ દેવ પ્રતાપે, ગયા ગોલોકમાં યોગી આપે । પછી બ્રહ્મચારી નીલકંઠે, કરી ક્રિયા તેની રૂડી પેઠે ।।૧૦।। પછી મુકી પોતે એહ સ્થાન, ચાલ્યા પૂરવમાં ભગવાન । રહી અખંડ બ્રહ્મસ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ ।।૧૧।। નાસાગ્ર દષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમ કમાનનો […]
read more