Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૭

પૂર્વછાયો- સુતને શ્રીકૃષ્ણ જાણી, એમ સ્તુતિ કરી જે માત । તે શિશુરૂપે કૃષ્ણ સુણી, બોલીયા સાક્ષાત ।।૧।। માતા ચિંતા માં કરો, થાશે તમારૂં ધાર્યું જેહ । વ્રજની વાત સંભારવા, મેં રૂપ દેખાડ્યું તેહ ।।૨।। એમ કહી અર્ભકનાં, કર્યાં ચરિત્ર દીનદયાળ । અલૌકિકરૂપ ગોપ્ય કરીને, બાળ બન્યા તતકાળ ।।૩।। ધર્મને ધીરજ આવી, દેખી એવા દિવ્ય બાળ । જાણ્યું સંકટ સર્વે ગયાં, થયો અસુરનો કાળ ।।૪।। ચોપાઇ- એવું જાણીને આનંદ પામ્યાં રે, દેખી બાળકને દુઃખ વામ્યાં રે । થયો સર્વે સુખનો સમાજ રે, જાણ્યંુ ગયું અધર્મનું રાજ રે ।।૫।। કરે મહોત્સવ ઘેર ઘેર રે, અતિ થઇ રહી લીલા લેર રે । તેમ અમર લોકે અમર રે, કરે મોટા ઉત્સવ મુદભર રે ।।૬।। બોલે જય જય બ્રહ્મા બ્રહ્માણી રે, શક્ર શચી શિવ શિવારાણી રે । બોલે જય જય શબ્દે અમર રે, કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે ।।૭।। ગાય ગાંધર્વ નાચે અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે । દેવે વજાડ્યાં દુંદુભિ બહુ રે, નભે આનંદ પામ્યા સહુ રે ।।૮।। મંદ શીતળ સુગંધી વાયુ રે, વાય સર્વે જન સુખદાય રે । થયા ઉડુ તે નભે અમર રે, બોલે વ્યોમમાં જૈ જૈ સકળ રે ।।૯।। મોટા ઋષિ દિયે છે આશિષ રે, પ્રભુ જીવજયો ક્રોડ વરષ રે । એમ હરખ્યા દેવ ઋષિરાય રે, જાણી પ્રભુ પ્રગટ […] read more
0 Views : 201

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૮

પૂર્વછાયો- ત્યાર પછીની વારતા, સહુ સાંભળો થઇ સાવધાન । હરિ ઇચ્છાએ ત્યાં આવિયા, માર્કંડેય ગુણવાન ।।૧।। ત્રિકાળદર્શી ને તત્ત્વવેત્તા, બ્રહ્મચારીનો છે વેષ । ધર્મને ઘેર આવિયા, સંગે લઇને બહુ શિષ્ય ।।૨।। ધર્મે બહુ આદર દઇ, પૂજા કરી બહુ પેર । બ્રહ્મચારી ભલે આવિયા, કર્યું પવિત્ર મારૂં ઘર ।।૩।। ક્યાંથી આવીયા તમે કોણ છો, અને શું છે તમારૂં નામ । શું ભણ્યા છો શાસ્ત્ર સ્વામી, પુછુંછું કરભામ ।।૪।। ચોપાઇ- ત્યારે ઋષિ કહે સુણો વચનરે, આવું છું કર્તાં તીર્થ અટનરે । માર્કંડેય મારૂં નામ જાણ રે, ભણ્યા છીએ વેદ ને પુરાણ રે ।।૫।। જાણું રૂડી રીતે જયોતિષને રે, તે ભણાવું છું હું આ શિષ્યને રે । ત્યારે ધર્મ રાજી બહુ થયા રે, ભલે આવ્યા પ્રભુ કરી દયા રે ।।૬।। મારા બાળકનું નામ દીજે રે, બહુ કાળ અમ ઘેર રહીજે રે । તમે જયોતિષ જાણો છો ઘણું રે, કેવું ભાગ્ય આ બાળક તણું રે ।।૭।। જુવો જન્મ દિવસ રૂડી પેર રે, મુહૂર્ત લગ્ન ને જન્માક્ષર રે । ઘડી પળ વેળા એની ર્વિત રે, પાડો નામ એનું મહામતિ રે ।।૮।। પછી ટીપણામાં જોઇ એહ રે, કરી જન્મકુંડળી તેહ રે । જોયું જયોતિષ વિદ્યાને વિષે રે, જાણ્યું આતો મોટા છે અતિશે રે ।।૯।। પછી ધીરે રહી બોલ્યા વાણ્ય રે, તમે સાંભળો ધર્મ સુજાણ રે । […] read more
0 Views : 178

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૯

પૂર્વછાયો- વળી સહુ સાંભળજયો, કહું ત્યાર પછીની વાત । મોટા સુત જે ધર્મના, શ્રીરામપ્રતાપ વિખ્યાત ।।૧।। તેનો તે વિવાહ આદર્યો, પ્રીતે કરીને રૂડી પેર । સુવાસિની નામે સુંદરી, પરણાવ્યાં બળદેવ ઘેર ।।૨।। રૂડાગુણ રૂપે અતિ, એક પતિવ્રતા સતીપણું । પ્રીતે કરીને પિયુ પોતાનો, સેવે સુવાસિની હેતે ઘણું ।।૩।। પછી બીજું વર્ષ બેસતાં, આનંદે ઉત્સવ આદર્યો । કુંવરના કુશળ કાજે, દેવ ઋષિનો આદર કર્યો ।।૪।। ચોપાઇ- હેતે પૂજયા હનુમાન બળી રે, વ્યાસ ને કૃપાચારજ વળી રે । અશ્વત્થામા વિભીષણ જેહ રે, માર્કંડેય પરશુરામ તેહ રે ।।૫।। એ સર્વેને વિવિધ પ્રકારે રે, પૂજયા લઇ ષોડશ ઉપચારે રે । જમાડ્યા વિપ્ર ને હરિજન રે, આપી દક્ષિણા થઇ પ્રસન્ન રે ।।૬।। બાળ કાજે કરે બહુ વિધિ રે, રાખે હેત અતિશે સંબંધી રે । એમ કરતાં વિત્યાં વર્ષ દોય રે, ત્રીજું વર્ષ વરતિયું સોય રે ।।૭।। આવી જેઠ વદની પંચમી રે, માતતાત જયોતિષિને ગમી રે । તેદિ કર્યો છે કુળ આચાર રે, બાળ વાળ ઉતાર્યા તે વાર રે ।।૮।। કર્યો મોટો ઉત્સવ તે દન રે, તેડાવ્યા વિપ્ર ને હરિજન રે । તેનાં કામ કાજમાંહિ માત રે, ભુલી ગયાં છે સુતની વાત રે ।।૯।। પોતે રહ્યાં જન જમાડવા રે, પુત્ર પરને આપ્યો રમાડવા રે । તેને તેડી ગયાં બીજાં બાળ રે, જોવા સુંદર વાડી રસાળ રે […] read more
0 Views : 197

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૦

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સૌ સાંભળજયો સાક્ષાત । એહ ગામમાં અસુરનો, અતિ થાવા લાગ્યો ઉતપાત ।।૧।। માત પિતાએ મનમાં, વળતો તે કર્યો વિચાર । ઇયાં રહેતાં આપણને, થયાં વિઘન વારમવાર ।।૨।। આપણે છે મિરાંથ્ય એટલી, જાણો જીવનદોરી જીવન । તેને વિઘન જો વ્યાપશે, તો થાશું બેઉં નિરધન ।।૩।। માટે આંહિંથી ઉચળિને, જાયે અયોધ્યાપુર । પવિત્ર ધામ શ્રીરામનું, ત્યાં નહિ આવે અસુર ।।૪।। ચોપાઇ- પછી ગાડે ઘરની સમૃદ્ધિ રે, લેવા જેવી તે સરવે લીધિ રે । પછી સંબંધી પાસે શિખ માગી રે, ચાલ્યા સુતે સહિત સુભાગી રે ।।૫।। બેઠાં શકટે ધર્મ ભગતિ રે, દોય સુતને તેડી દંપતિ રે । જનક પાસે બેઠા છે જોખન રે, માના ખોળામાં બેઠા મોહન રે ।।૬।। ચલાવ્યાં ગાડલાં ધીરે ધીરે રે, આવ્યા સંધ્યા સમે સર્યૂ તીરે રે । લાવ્યો વાણ ખેવટ તે વાર રે, બેશી ઉતરિયા ગંગાપાર રે ।।૭।। લીધો સર્વે સમાજ સંભાળી રે, જોઇ સર્યૂની શોભા રૂપાળી રે । તિયાં જળ સુંદર અમળ રે, કાંઠે ફુલિયાં છે કમળ રે ।।૮।। રાતાં પોયણાં તિયાં રૂપાળાં રે, નાળી ફુલ છે સુગંધીવાળાં રે । તિયાં સારસ હંસ છે રૂડા રે, કુંજિ બદકુ જળકુકડા રે ।।૯।। કરે પરસ્પર પંખી નાદ રે, જાણું નાવાને કરેછે સાદ રે । એમ શોભે છે સરયૂ ઘણી રે, કાંઠે કુસુમવાડી બહુ બણી રે […] read more
0 Views : 170

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૧

પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું કથા તે અનુપ । ત્યાર પછીની જે વાર્તા, છે સહુને તે સુખરૂપ ।।૧।। એજ વર્ષ વૈશાખ માસે, શુક્લ દ્વિતીયા દિન । પતિવ્રતા પ્રેમવતીએ, જનમ્યા તે પુત્ર પાવન ।।૨।। ગુણે કરી પ્રદ્યુમ્ન સરખા, સ્વભાવે સંત સમાન । પ્રીતિ પ્રગટ ભગવાનમાં, નામ ઇચ્છારામ ગુણવાન ।।૩।। એજ અનુજ મહારાજના, જાણજયો જગ વિખ્યાત । ત્યાર પછી હવે શ્રીહરિની, સાંભળજયો સહુ વાત ।।૪।। ચોપાઇ- પછી પ્રભુ બુદ્ધિએ વિશાળ રે, તેને બેસારીયા છે નિશાળ રે । વૈશાખશુદી બારસ દિનેરે, કઢાવ્યા અક્ષર હરિજીને રે ।।૫।। લાગી લક્ષ્મીનારાયણ પાય રે, પૂજી શારદા ગણપતિ રાય રે । કરી હોમ જમાડ્યા વિપર રે, શિખવાને સુવિધા સુંદર રે ।।૬।। એમ કર્તાં થોડે ઘણે દિન રે, શિખ્યા વિદ્યા પરમ પાવન રે । જોઇ ધર્મે સુત બુદ્ધિ બોત રે, ભણાવ્યા બે વેદ અંગે સોત રે ।।૭।। શિખ્યા શાસ્ત્ર તે અર્થે સહિત રે, થયા વિદ્યાવાન બ્રહ્મવિત રે । હતા વાચાળ ને વિદ્યા જોઇ રે, કરે ચર્ચા પહોંચે નહિ કોઇ રે ।।૮।। પુછે જિયાં તિયાં પોતે પ્રશ્ન રે, તેનો ન કરે ઉત્તર કોઇ જન રે । જાય સર્જૂમાં નાવા એકલા રે, ઉઠી બ્રાહ્મમુહૂર્તમાં વેલા રે ।।૯।। આવે નાહિને ઘરમાં જયારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે । ધૂપ દીપ પુષ્પ ફળ પત્ર રે, તેણે પૂજીને ભણે છે સ્તોત્ર રે ।।૧૦।। […] read more
0 Views : 164

ભક્તચિંતામણિ પ્રકરણ:- રર

પૂર્વછાયો- સહુ જન મળી સાંભળો, પછી ધર્મે કર્યો વિચાર । જન્મ થકી મહારાજને, વર્ષ વીત્યું અષ્ટમું આ વાર ।।૧।। જનોઇ દેવા જનકને, અતિ આનંદ ઉર ન માય । દેશ દેશના જયોતિષિ, તેડાવ્યા દ્વિજરાય ।।૨।। પુષ્પ ફળે પૂજા કરી, પછી કહ્યું પ્રીતે શું વચન । ઉપવીત દેવા આ સુતને, તમે શોધી કાઢો શુભ દિન ।।૩।। જોઇ જોષ જોષી બોલીયા, વર્ષ આઠમું છે આ અનુપ । માઘશુદી દશમી દિને, શુભ મુહૂર્ત છે સુખરૂપ ।।૪।। ચોપાઇ- પછી રાજી થઇ માત તાત, નિશ્ચય કરીને માની એ વાત । મંગાવ્યા સાજ સમાજ ઘણા, કોઇ વાતની ન રાખી મણા ।।૫।। પછી કંકોતરી ગામો ગામ, મેલી લખી સરવેનાં નામ । રૂડી રીતે શણગાર્યાં ઘર, ચિત્ર વિચિત્ર કર્યાં સુંદર ।।૬।। રોપ્યા રંભાના સ્થંભ તે દ્વાર, બાંધ્યાં તરિયાં તોરણ બાર । છાંટ્યાં અગર ચંદને એવાં, તેણે શોભે છે વૈકુંઠ જેવાં ।।૭।। રોપ્યા મંડપ પુર્યા છે ચોક, જોઇ થકિત થાય શહેર લોક । દિવી ફાનસો કાચની હાંડી, વાસી દીપ હારોહાર માંડી ।।૮।। નીલા પીળા ભર્યા રંગ રાતા, શોભે સારા કહ્યે નથી જાતા । અતિ ઉત્સાહે આદર્યો જંગ, દેવા ઉપવીત ઉરે ઉમંગ ।।૯।। પછી જે જે તેડાવ્યાંતાં જન, તેતો આવ્યાં નવમી ને દિન । રથ વેલ્ય ને ગાડલાં લઇ, આવ્યાં અશ્વ પર ચડી કઇ ।।૧૦।। બાળ યુવા વૃદ્ધ નરનારી, આવ્યાં સર્વે […] read more
0 Views : 158

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૩

પૂર્વછાયો- ઉપવીત ઉત્સવ પૂરો થયો, સુંદર સારો નિદાન । ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૧।। ધર્યા ધર્મ હરિએ બહુ, જે જે કહ્યા ગુરુદેવ । માતાપિતાની મહાત્મ્યે, કરે છે બહુપેર સેવ ।।૨।। પણ અખંડ રહે છે અંતરે, ઘર ત્યાગ કરવા ઘાટ । ક્યારે મેલીશ આ ઘરને, હું ક્યારે લઇશ વનવાટ ।।૩।। જે અર્થે આ અવતાર છે, તે કરીશ હું કૈયે કાજ । ધર્મ સ્થાપું અધર્મ ઉત્થાપી, એમ વિચારે મહારાજ ।।૪।। ચોપાઇ- અઘમઘના ચાલણ હાર રે, એવા અસુર જગે અપાર રે । તેને મોહ પમાડીને મારૂં રે, ધરાપર ધર્મને હું ધારૂં રે ।।૫।। શુદ્ધ ધર્મે રાખું નરનાર રે, એહ અર્થે છે આ અવતાર રે । પણ હમણાં ત્યાગું જો ગેહ રે, મરે માબાપ મારે સનેહરે ।।૬।। માટે બ્રાહ્મણનો છે જે શાપ રે, તેથી મુકાય દંપતિ આપ રે । તેદિ નિશ્ચે હું ત્યાગીશ ઘર રે, ગુઢ વિચાર એવો અંતર રે ।।૭।। પછી વિદ્યા ગુરુ તાત કરી રે, વેદ ત્રીજો ભણી લીધો હરિ રે । મોટી બુદ્ધિવાળા છે દયાળ રે, જેહ શિખે તે અચિર કાળ રે ।।૮।। જોઇ વિસ્મય પામે સૌ જન રે, પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે । પછી ધર્મ તે ભણ્યાતા જેહ રે, સર્વે હરિને ભણાવ્યું તેહરે ।।૯।। વેદ શાસ્ત્ર ને કાવ્ય પુરાણ રે, મહાભાષ્યાદિ ભણ્યા સુજાણ રે […] read more
0 Views : 183

ભક્તચિંતામણિ પ્રકરણ:- ર૪

પૂર્વછાયો- એટલી વાત એમ થઇ, તમે સાંભળો સહુ સુજાણ । કથા કહું ત્યાર કેડ્યની, શુદ્ધ બુદ્ધિ ને સુખખાણ ।।૧।। બહુ હેતે હરિકૃષ્ણનાં, જે ચરિત્ર ધરશે ચિત્ત । હશે મહા પંચ પાતકી, તોય થાશે તર્ત પુનિત ।।૨।। એવો યશ એ અનુપ છે, સુભાગી સાંભળશે કાન । ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૩।। પ્રેમવતી બાળા ભગતિ કહીએ, ત્રણે જેહનાં નામ । તેના તનમાં તપ્ત આવી, વળતાં પામ્યાં વિરામ ।।૪।। ચોપાઇ- ર્કાિતક શુદી અષ્ટમીને દને રે, તેદિ માંદાં થયાં માતા તને રે । જેનું વ્રત તપે કરી દેહ રે, અતિ શિથિલ થયું છે તેહ રે ।।૫।। ફુલ મૃદુલસમ છે કાય રે, અતિશે કોમળ ન સહેવાય રે । તેને જોઇ જયેષ્ઠ સુત જેહ રે, કરે ઔષધ ઉપાય તેહ રે ।।૬।। કરી ઔષધ વિધિ અનેક રે, તેની ટાંકી લાગી નહિ એક રે । ત્યારે પ્રભુએ કર્યો વિચાર રે, નહિ રહે તન નિરધાર રે ।।૭।। આપું જ્ઞાન માને આણિ પળે રે, જેણે કરી તર્ત દુઃખ ટળે રે । ત્યારે હરિ કહે સાંભળો માત રે, એકચિત્ત દઇ મારી વાત રે ।।૮।। સતશાસ્ત્રમાં મળતાં વેણ રે, આવા સમામાંહિ સુખદેણ રે । જન્મમરણ રૂપ માયા મારી રે, તેતો સર્વેને છે દુઃખકારી રે ।।૯।। પંચરાત્ર સાંખ્યયોગ વાળા રે, એમ કહે છે માનો માતા બાળા રે । માટે […] read more
0 Views : 174
Powered By Indic IME