રાગ સામેરી- શુભમતિ તમે સહુ મળી, સુંણો અદેવનો ઉપાય । વૈર જેને નથી વિસર્યું, છે શત્રુતા શ્રીહરિ માંય ।।૧।। દેવાસુર સંગ્રામ માંહિ, હરિ સહાયથી મુવા અદેવ । તેણે કરી હરિ અરિ જાણી, તતપર થયા તતખેવ ।।૨।। વળી દ્વાપર કળિની સંધે, આપે હણ્યા હરિએ અસંત । જે પશુ પક્ષી અજગર નરમાં, રહ્યાતા સંતાઇ અનંત ।।૩।। જેને શ્રીકૃષ્ણે હાથે હણ્યા, તેતો પામિયા પદ નિર્વાણ । પણ જિયાં તિયાં યુધ્ધે મુવા, તે સર્વે થયા અસુરાણ ।।૪।। અતિ વિષય વાસના વાળા, વૈર કૃષ્ણ સાથે વાળવા । અસદ્ગતિ પામી અવતર્યા, દૈત્ય હજારે હજાર હવા ।।૫।। અસુર વૈરી આગલ્યા, આવ્યા અઘભર્યા અદેવ અતિ । ધર્મ હરિનો જનમ જાણી, પીડા કરવા છે મતિ ।।૬।। દેવ દાનવ દૈત્ય દુષ્ટ, યક્ષ રાક્ષસ જે કહેવાય । વૈર વાળવા વેષ બદલી, રહ્યા ત્રણ સ્થળને માંય ।।૭।। વામી શૈવી ને વૈષ્ણવી, દનુજે દીક્ષા લીધી કઇ । ધર્મનો અતિ દ્વેષ કરવા, સાધુ સરિખા થયા સઇ ।।૮।। કેટલેક ધર્યા તન દ્વિજમાં, કેટલાક રાજામાં રહ્યા । કેટલાક વસિયા વૈશ્યમાં, કેટલાક શુદ્રમાં થયા ।।૯।। ત્યાગી વૈરાગી તપસ્વી, કુંડ ઢુંઢ ને કબિરિયા । પીર ફકિર પંડિતમાં, દનુજ દેહ ધરી રહ્યા ।।૧૦।। અધિપતિ એમાં થઇ, શિષ્યશાખા બહોળા કર્યા । નિઃશંક થઇ નર નારકી, અધર્મને અતિ આચર્યા ।।૧૧।। પુંશ્ચલી સ્વૈરિણી કામિની, બળી બગાસે નારી નિસરી । એવા અસુર નર […]
read more