Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦૯

રાગ સામેરી- શુભમતિ તમે સહુ મળી, સુંણો અદેવનો ઉપાય । વૈર જેને નથી વિસર્યું, છે શત્રુતા શ્રીહરિ માંય ।।૧।। દેવાસુર સંગ્રામ માંહિ, હરિ સહાયથી મુવા અદેવ । તેણે કરી હરિ અરિ જાણી, તતપર થયા તતખેવ ।।૨।। વળી દ્વાપર કળિની સંધે, આપે હણ્યા હરિએ અસંત । જે પશુ પક્ષી અજગર નરમાં, રહ્યાતા સંતાઇ અનંત ।।૩।। જેને શ્રીકૃષ્ણે હાથે હણ્યા, તેતો પામિયા પદ નિર્વાણ । પણ જિયાં તિયાં યુધ્ધે મુવા, તે સર્વે થયા અસુરાણ ।।૪।। અતિ વિષય વાસના વાળા, વૈર કૃષ્ણ સાથે વાળવા । અસદ્ગતિ પામી અવતર્યા, દૈત્ય હજારે હજાર હવા ।।૫।। અસુર વૈરી આગલ્યા, આવ્યા અઘભર્યા અદેવ અતિ । ધર્મ હરિનો જનમ જાણી, પીડા કરવા છે મતિ ।।૬।। દેવ દાનવ દૈત્ય દુષ્ટ, યક્ષ રાક્ષસ જે કહેવાય । વૈર વાળવા વેષ બદલી, રહ્યા ત્રણ સ્થળને માંય ।।૭।। વામી શૈવી ને વૈષ્ણવી, દનુજે દીક્ષા લીધી કઇ । ધર્મનો અતિ દ્વેષ કરવા, સાધુ સરિખા થયા સઇ ।।૮।। કેટલેક ધર્યા તન દ્વિજમાં, કેટલાક રાજામાં રહ્યા । કેટલાક વસિયા વૈશ્યમાં, કેટલાક શુદ્રમાં થયા ।।૯।। ત્યાગી વૈરાગી તપસ્વી, કુંડ ઢુંઢ ને કબિરિયા । પીર ફકિર પંડિતમાં, દનુજ દેહ ધરી રહ્યા ।।૧૦।। અધિપતિ એમાં થઇ, શિષ્યશાખા બહોળા કર્યા । નિઃશંક થઇ નર નારકી, અધર્મને અતિ આચર્યા ।।૧૧।। પુંશ્ચલી સ્વૈરિણી કામિની, બળી બગાસે નારી નિસરી । એવા અસુર નર […] read more
0 Views : 1353

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૦

ચોપાઇ- સુંદર શોભે છે સરવાર દેશરે, જયાં ધર્મે કર્યો પ્રવેશરે । ધન્ય ધન્ય ધરા એ પાવન રે, ધન્ય દેવહા નદી તટે વન રે ।।૧।। અંબ કદંબ અશોક કેરીરે, જાંબુ લીંબુ વળી જામફળીરે । કરમુક કુટટિમ કણેરી રે, બહુ બદરી ને નાળીયેરીરે ।।૨।। તિયાં સારસ હંસ શુક મોરરે, કરે કોયલ કોકિલા ઝિંગોરરે । ઘણે વૃક્ષે વિટાણાં જયાં ગામરે, જાણું બીજું આ ધર્મનું ધામરે ।।૩।। તિયાં શોભે શહેર રૈકહટરે, તેમાં વર્તે આનંદ અમટરે । ખાન પાને પટે સુખી લોકરે, ભય વિગ્રહ ને નહિ શોકરે ।।૪।। તિયાં વસે છે વર્ણ ચારરે, તેણે શોભે છે શહેર અપારરે । દ્વિજ ક્ષત્રિય વૈશ્ય વળી શુદ્રરે, તર્યા ધર્મથી શોકસમુદ્ર રે ।।૫।। વસે વિપ્ર તિયાં સરવરિયારે, અતિ ભાવ ભક્તિના ભરિયા રે । દયાવાળા દિલના ઉદારરે, પાપ રહિત પુણ્ય ભંડારરે ।।૬।। ઉચ્ચે કુળે આચાર છે અતિરે, સદા સ્વધર્મ માંહિ છે મતિરે । ગોત્ર સાર્વિણ ને સામવેદ રે, શાખા કૌથમી સાંભળો ભેદરે ।।૭।। ત્રણ પ્રવર તેનાં સુજસ રે, ભાર્ગવ વૈતહવ્ય સાવેતસરે । પાંડે ઇટાર ગામના કહીએરે, પૂજય શિરનેત્ર રાજાના લહીએ રે ।।૮।। અતિ કૃપાળુ કનહિરામરે, તેના સુત બાલશર્મા નામરે । વેદ શાસ્ત્રને પઢ્યા પુરાણરે, શુદ્ધ આત્માવાળા તે સુજાણરે ।।૯।। સત્યવાદી અતિ ઇંદ્રિય જીતરે, ધીર ગંભીર ધર્મમાં પ્રીત રે । શીલ સંતોષ દલ ઉદારરે, શુભ શાંતિ ગુણના ભંડાર રે ।।૧૦।। એવા […] read more
0 Views : 1403

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૧

પૂર્વછાયો- સુંદર દેશ સરવારમાં, નદી મનોરમા નામ છે । મખોડા તીર્થ ત્યાં થકી, ઉત્તરે છપૈયા ગામ છે ।।૧।। સુંદર સર ત્યાં સોહામણું, અતિ અમળ જળ તે તણું । પદ્મ પોયણાંની પંક્તિએ, શોભે છે સુંદર ઘણું ।।૨।। ત્યાંથી દક્ષિણ દિશમાં, બગિહા ચુડવા બે વન છે । ફળ ફુલ સુંદર જેમાં, સુંદર ઝાડે સઘન છે ।।૩।। અનુપ એવી અવનિમાં, છે ગામ નામે છપૈયા । દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, ચારે વર્ણ જયાં વસિયા ।।૪।। ચોપાઇ- તિયાં કૃષ્ણશર્મા દ્વિજ એક રે, જાણે સાર અસાર વિવેક રે । શીલ સંતોષ ગુણે સંપન્ન રે, શુદ્ધ હૃદયે પરમ પાવન રે ।।૫।। તેને ઘેર ભાગ્યમાની નાર રે, અતિ પવિત્ર અંતર ઉદાર રે । જેવી નિર્મળ એ યુવતિ રે, તેવા કૃષ્ણશર્મા છે સુમતિ રે ।।૬।। વળી વાસુદેવની જે ભક્તિ રે, કરે ભાવ ભરીને દંપતિ રે । એવાં નિર્મળ એ નરનાર રે, તિયાં ભક્તિએ ધર્યો અવતાર રે ।।૭।। સંવત્ સત્તર વર્ષ અઠાણું રે, ર્કાિતકી પુનમ પ્રમાણું રે । નક્ષત્ર કૃતિકા બુધવાર રે, થયો ચંદ્ર ઉદે અવતાર રે ।।૮।। લીધો જન્મ જયારે જસવતિ રે, થયાં માત તાત રાજી અતિ રે । પછી કૃષ્ણશર્મા જે વિપરરે, તેડ્યા જોતિષી બ્રાહ્મણ ઘેર રે ।।૯।। જોયા જોષિએ જોશ રૂપાળા રે, કહ્યું નામ કહેજયો એનું બાળા રે । બીજાં નામતણો નિરધાર રે, કરશે ગુણે કરી નરનાર […] read more
0 Views : 1358

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧ર

પૂર્વછાયો- પછી ભક્તિએ પુછિયું, સુણો સસરા વૃદ્ધ તાત । પતિવ્રતાના ધર્મની, કહો વિધ્યેવિધ્યે મને વાત ।।૧।। એવું સુણીને બાળશર્મા, કહે સાંભળજયો સુંદરી । ભાખ્યા છે ધર્મશાસ્ત્રમાં, મહામુનિયે દયા કરી ।।૨।। સતીગીતામાં સતીએ, ધર્મ પતિવ્રતાના પ્રિછવ્યા । રહેજયો એવી રીતશું, જેવા શિવાએ વર્ણવ્યા ।।૩।। દુઃખ પડે દોય દંપતી, તમે સમીરસુત સંભારજયો । કુળદેવ એ આપણા, કરશે સંકટમાં સારજયો ।।૪।। ચોપાઇ- રહેજયો સર્વે એકાદશી વ્રત રે, કરજયો ઉત્સવ જેવી સામર્થ રે । વળી સતપુરૂષનો સંગ રે, કરજયો ઉરે આણી ઉછરંગ રે ।।૫।। દારી ચોરી મદ્ય માંસ જેહ રે, ભૂલ્યે પણ કરશો માં તેહ રે । ભ્રષ્ટવાડો છે ભૂમિએ ઘણો રે, રખે પાશ લાગે તેહ તણો રે ।।૬।। કહે સુતપ્રત્યે બાળશર્મા રે, તમે જાજયો અયોધ્યા નગ્રમાં રે । એવી સાંભળી શિખની વાણ રે, લાગ્યાં પાય દંપતી સુજાણ રે ।।૭।। જયારે નરનારીએ નામ્યાં શીષરે, ત્યારે આપી છે પાંડે આશિષરે । કહે સુખી રહેજયો નરનાર રે, થશે યશ તમારો અપાર રે ।।૮।। એમ કહી ચાલ્યા બાળશર્મારે, પહોંચ્યા પાંડે પોતાના નગ્રમાંરે । તિયાં વીત્યા થોડા ઘણા દન રે, પછી તરત તજયું ત્યાં તન રે ।।૯।। પછી સાંભળજયો શુભ મતિ રે, કહું રહ્યાં જેમ એ દંપતી રે । જેજે તાતે કહ્યાં છે વચન રે, તેતે રીતમાં રહ્યાં મગન રે ।।૧૦।। રહે વ્રત અખંડ એકાદશી રે, કરે કૃષ્ણ […] read more
0 Views : 1305

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૩

પૂર્વછાયો- સ્વામી કહે છે ધર્મને, તમે સાંભળો વાત સિદ્ધાંત । શુદ્ધમતિ અતિ ઓળખી, હવે કહું ધર્મ એકાંત ।।૧।। ત્યાગી ગૃહી નરનારીની, કહું રીત તે રૂડી પેર । તમે રહેજયો રખાવજયો, જયારે જાઓ તમારે ઘેર ।।૨।। ઉત્તમ રીતને અનુસરી, તમે વર્તજયો નરનાર । અશુદ્ધ રીત હોય જગમાં, તોય કરશો માં કોઇ વાર ।।૩।। શુદ્ધ રીત હવે સાંભળો, સંક્ષેપે કહું સુજાણ । જેણે કરી ત્યાગી ગૃહી, પામે પદ નિર્વાણ ।।૪।। ચોપાઇ- કહું શ્રાદ્ધ યજ્ઞે પશુઘાત રે, કરવી નહિ સાંભળો વાત રે । એકાદશ ત્રણ પ્રકાર રે, સુરા પીવી નહિ કોઇ વાર રે ।।૫।। શુદ્ધ ઔષધિમાં મદ્ય મળે રે, તે ન ખાવું પીવું કોઇ પળે રે । યજ્ઞશેષ માંસ લેશ જેહ રે, ભુલ્યે ભક્ષ ન કરવું તેહ રે ।।૬।। સુણો ધર્મદેવ વાત મારી રે, પુણ્ય સારૂંએ ન કરવી ચોરી રે । પરત્રિયાનો સંગ ન કીજે રે, કેદિ ત્રિયાનું દાન ન દીજે રે ।।૭।। ત્રિયામાત્ર જાર નર જોઇ રે, આપત્કાળે ન રહે સંગ સોઇ રે । વળી ત્યાગી નર હોય જેહ રે, તેને સ્પર્શે નહિ નારી દેહ રે ।।૮।। તેમ ત્યાગી નર નિરધાર રે, તજે નારીને અષ્ટ પ્રકાર રે । એ છે જાણો અનાદિની રીત રે, વળી કહું સુણો દઇ ચિત્ત રે ।।૯।। કેદિ આત્મઘાત નવ કીજે રે, વિમુખની કથા ન સુણિજે રે । […] read more
0 Views : 1306

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪

પૂર્વછાયો- પછી ધર્મે ધીરજ ધરી, વળી મને કર્યો વિચાર । તાતે કહ્યું હતું ચાલતાં, તે સાંભરીયું તેહવાર ।।૧।। કહ્યું કુળદેવ આપણા, સમીરસુત કહેવાય । સંકટમાં સંભાળજયો, કરશે એ કષ્ટમાં સહાય ।।૨।। માટે કષ્ટ મોટું નથી, આથી બીજું કોઇ અન્ય । દૈત્ય દુઃખ દિયે ઘણું, નથી અંગે અશન વસન ।।૩।। માટે સમીરસુતને, સંભારૂં કરવા સહાય । અંજનીસુત વિના એકે, નથી ટાળવા ઉપાય ।।૪।। ચોપાઇ- પછી અયોધ્યામાં જઇ આપરે, જપ્યા હનુમાનજીના જાપરે । મારૂત સુત મંદિરમાં જઇ રે, કરી સ્તુતિ એક પગે રઇરે ।।૫।। એમ કરતાં ધર્મ સ્તવન રે, થયા પવન સુત પ્રસન્ન રે । આવી સ્વપ્નમાંહિ કહ્યું એમ રે, મને સંભાર્યો નહિ તમે કેમ રે ।।૬।। હવે દુઃખ તમારૂં દંપતિ રે, નહિ રહેવા દઉં એક રતિ રે । કહું વાત માનો મારી મન રે, વેગે જાઓ તમે વૃન્દાવન રે ।।૭।। તમ સંગે શાપે મુનિજન રે, જેણે ધર્યાં છે જુજવાં તન રે । તે તમને ત્યાં સહુ મળશે રે, દુઃખ તમારૂં તર્ત ટળશે રે ।।૮।। એમ ધર્મને કહી હનુમાન રે, પછી થયા પોતે અંતર્ધાન રે । પછી જાગીને થયા પ્રસન્ન રે, સત્ય માન્યું એ ધર્મે સ્વપન રે ।।૯।। પછી પુત્ર ને મેલી મોસાળ રે, ચાલ્યાં ભક્તિધર્મ તતકાળ રે । આવ્યાં નૈમિષારણ્યે ઉમંગે રે, નથી ચાલતાં કોઇને સંગે રે ।।૧૦।। પછી ત્યાંથી વૃન્દાવન […] read more
0 Views : 193

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ

પૂર્વછાયો- એવી રીતે સર્વે મળી, કરી સ્તુતિ ધર્મ ઋષિરાય । સુણી શ્રીહરિ શ્રવણે, બોલ્યા રાજી થઇ મનમાંય ।।૧।। કૃષ્ણ કહે ધર્મઋષિને, થયો પ્રસન્ન તમ પર આજ । મનવાંછિત જે માગશો, તે સારિશ સર્વે કાજ ।।૨।। ત્યારે ધર્મ કહે ધન્ય ધન્ય તમે, સદા પ્રસન્ન છો મને શ્યામ । મારે છે જે માગવું, તે કહું છું હું કરભામ ।।૩।। આ ઋષિ હું ધર્મભક્તિ, તેને તમારા જાણી નાથ । દૈત્યે દુઃખ દીધાં ઘણાં, તેણે દુઃખી છીએ સહુ સાથ ।।૪।। ચોપાઇ- ત્યારે શ્રીકૃષ્ણ કહે સુણો ધર્મ રે, એ તો સર્વે જાણું છું હું મર્મ રે । અસુરને દ્રોહ મુજ સાથે રે, તે માટે વૈર તમારે માથે રે ।।૫।। સાધુ દેવને પીડે છે પાપી રે, મદ્ય માંસ બલિદાન આપી રે । મારા જાણીને દિયે છે દુઃખ રે, મહાઅસુર છે જે વિમુખ રે ।।૬।। તેને મારીશ હું થોડે દન રે, તજી ભય રહો નિર્ભય મન રે । મુજ વિના કોઇથી ન મરે રે, જો કોટિ ઉપાય કોઇ કરે રે ।।૭।। ધર્મ તમે ભક્તિ ને આ ઋષિ રે, સહુ રહો આનંદમાં ખુશી રે । હરિનામે હું થઇશ બાળ રે, દુઃખ સહુનું ટાળીશ તતકાળ રે ।।૮।। દુર્વાસાનો સહુને છે શાપ રે, તેમાં હું પણ આવ્યો છું આપ રે । માટે ધર્મ ઘેર ધરી તન રે, સુખી કરીશ સર્વે […] read more
0 Views : 198

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬

પૂર્વછાયો- એવું શ્રવણે સાંભળીને, અતિ ધર્મ થયા ઉદાસ । ઘણા દહાડાનો દાખડો, તે વૈરિએ કર્યો વિનાશ ।।૧।। વિઘ્ન પડ્યું તે વિલોકિને, સમર્યા જે દેવ દુંદાળ । વિઘ્નનાયકના નામની, પછી ફેરવવા માંડી માળ ।।૨।। એમ કરતાં વહી ગયા, જામનિના ત્રણ જામ । સમીરસુત વિપ્ર વેષે, આવિયા એહ ઠામ ।।૩।। ધર્મને ઓળખાણ આપી, કહ્યું હું તે છું હનુમાન । કૃષ્ણ જયારે પ્રગટશે, ત્યારે શીદ રહો શોકવાન ।।૪।। ચોપાઇ- જયારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે । અષ્ટસિદ્ધિ નવ નિધિ જેહ રે, તમારે ઘેર વસશે તેહ રે ।।૫।। દુઃખ દારિદ્ર્ય નહિ રહે રતિ રે, અતિ પામશો સુખ સંપતિ રે । કૃષ્ણ થાશે બહુ બુદ્ધિવંત રે, કરશે બુદ્ધિએ દૈત્યનો અંત રે ।।૬।। એને નહિ પડે શસ્ત્રનું કામ રે, કળે ટાળશે દૈત્યનું ઠામ રે । એમ ધીરજ દઇ હનુમાન રે, પછી થયા છે અંતર્ધાન રે ।।૭।। પછી ત્યાંથી ચાલ્યાં છે દંપતિ રે, ઘર પોતાના પર કરી ગતિ રે । વાટે જતાં તે પુછે છે ભક્તિ રે, કેમ અમર હનુમાન જતિ રે ।।૮।। સ્વામી છે એ રામના સેવક રે, કેમ ચરણજીવી કહો વિવેક રે । પછી બોલ્યા છે એમ ધર્મ રે, ભક્તિ સાંભળો કહું એનો મર્મ રે ।।૯।। રઘુવીર પ્રસાદ કૃપાય રે, ચરણજીવી રહ્યા છે સદાય રે । પણ જોને સમરતાં ગણેશ રે, […] read more
0 Views : 195
Powered By Indic IME