Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪પ

પૂર્વછાયો- વળી શહેર વડોદરે, કરી જનની જીવને સાર । સંભળાવું સંક્ષેપશું, સહુ સુણજયો નરનાર ।।૧।। સામર્થી પોત્યે શ્રીહરિ, આજ વાવરે છે અપરિમિત । તે કહી ન જાય કોઇથી, છે એવી અલૌકિક રીત ।।૨।। આગે પરચા પૂરીયા, જન હેતે લઇ અવતાર । પણ એ થકી રીત્ય આજની, છે જો અપરમપાર ।।૩।। કહીકહી કહીએ ક્યાં લગી, એક જીભે જશ અપાર । પણ જે આવે મારી જાણ્યમાં, કરૂં કાંઇક તેનો ઉચ્ચાર ।।૪।। ચોપાઇ- એક દ્વિજભક્ત છે દક્ષિણી, કહું વાત હવે તેહ તણી । નારુપંતનાના તેનું નામ, કરે રાજ સમાજનું કામ ।।૫।। એમ કરતાં થયો સતસંગ, ચડ્યો ચિત્તે તેનો અતિ રંગ । વળી એમ સમજયો સુજાણ, મળ્યા પ્રભુ પ્રકટ પ્રમાણ ।।૬।। રહી નહિ ઉધારાની વાત, તેણે કરી રહે રળીયાત । સાચો સમજાણો સતસંગ, ભજે શ્રીહરિ કરી ઉમંગ ।।૭।। કહે સ્વામી સહજાનંદ સત્ય, તેહ વિનાતો તે બીજાું અસત્ય । એવી અંતરમાં ગાંઠ્ય પાડી, ઉખડે નહિ કેની ઉખાડી ।।૮।। એમ કરતાં વીત્યા કાંઇ દન, આવ્યું સંસાર સંબંધિ વિઘન । એનો સુત બાપુ નામ જેહ, થયો મંદ શરીરમાં તેહ ।।૯।। તેને દેખીને તેની જનિતા, કરી અંતરમાં અતિ ચિંતા । મારે પુત્ર એક જ છે એહ, કોઇ રીત્યે રહે એનો દેહ ।।૧૦।। પછી તે સારૂં સમરી દેવી, સુત સારૂં અકળાણી એવી । નાવી દેવી આવ્યા અવિનાશ, થયો કોટિ […] read more
0 Views : 92

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૬

પૂર્વછાયો- વળી શહેર વડોદરે, નકી ભક્ત નાથજી નામ । તન ધન ભવન આદિ, આણ્યું હરિને કામ ।।૧।। કામ ક્રોધ ને લોભ મોહ, આવે નહિ કેદિ અંગ । નકી નકોર નિઃસંશે નિશ્ચે, એવો જેને સતસંગ ।।૨।। તેની તરૂણી તેહજ તેવી, અતિ પવિત્ર છે એહ । સમેટી પ્રીત્ય સંસારથી, કર્યો શ્રીહરિમાં સનેહ ।।૩।। અવધિ પોત્યે આવિયો, તેહના તે દેહનો કાળ । આવ્યા તેડવા તેહને, દીનબંધુ દીનદયાળ ।।૪।। ચોપાઇ- આવ્યા તેડવા તેને મહારાજ, સંગે બહુ લઇ મુનિરાજ । લાવ્યા સુંદર સારાં વિમાન, તેડી ચાલ્યા તેને ભગવાન ।।૫।। દિઠું સત્સંગી કુસંગી સહુએ, જોઇ આશ્ચર્ય માનિયું બહુએ । કહે આવુંતો ન દિઠું કયાંઇ, ચાલી વિમાને બેસી આ બાઇ ।।૬।। વળી વાત કહું એક સારી, તેના સુતની છે સુખકારી । તેને ધારણા થાય હમેશ, કરે પ્રભુપાસે તે પ્રવેશ ।।૭।। લાવે પ્રસાદી નિત્ય નવલી, બોર સાકર ખારેક ભલી । વળી શ્રીમુખે જમેલ જેહ, લાવે સોપારી તર્તની તેહ ।।૮।। એવી પ્રસાદી જે બહુ પેર, આપે મહારાજ કરીને મહેર । વળી એક દિવસ દયાળ, જમ્યા પ્રકટ આવીને થાળ ।।૯।। વળી રાયજી નામે છે જન, રહે નાથ ભેળો ભાઇ તન । તેના દેહનો આવિયો કાળ, આવ્યા તેડવા દીનદયાળ ।।૧૦।। ત્યારે નાથજીએ કરી સ્તુતિ, બોલ્યા ત્યારે પ્રભુ પ્રાણપતિ । નહિ તેડી જાયે એને અમે, છો એકલા નાથભક્ત તમે ।।૧૧।। પછી સહુને […] read more
0 Views : 102

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૭

પૂર્વછાયો- વળી વડોદરે વાલ્યમે, જેહ કર્યાં જનનાં કાજ । સાંભળજયો સંક્ષેપશું, જેહ જેહ કર્યું મહારાજ ।।૧।। સોની કુળમાં ભક્ત ભલો, ત્રિકમજી તેનું નામ । તેનો સુત દયાળજી, થાય ધારણા દેખે ધામ ।।૨।। એક દિવસ કરી ધારણા, ગયા જીયાં હતા જગદીશ । તિયાં હતા બહુ દેવતા, કરે સ્તવન ક્રોડ્ય તેત્રિશ ।।૩।। તેને મહારાજે પૂછિયું, તમે રાજી હો સહુ દેવ । તો નરનારાયણ મૂરતિ, પધરાવિએ તતખેવ ।।૪।। ચોપાઇ- ત્યારે દેવ કહે બહુ સારૂં, ઘણું ગમતું છે એ અમારૂં । આ ભૂમિના છે એજ ભૂપતિ, તેની ક્યાંય નથી જો મૂરતિ ।।૫।। માટે જરૂર કરવું એ કાજ, એમ બોલિયા સુરસમાજ । તે દયાળજી દેખીને આવ્યો, ત્યાંથી ખબર તે આંહિ લાવ્યો ।।૬।। દિઠા દેવતા સમાધિમાંઇ, તેનાં કહ્યાં નામ રૂપ આંઇ । પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, કહું વાત એની એક વળી ।।૭।। ત્રિકમજી કહે એનો તાત, તું સાંભળજે દયાળજી વાત । માગ્યે માળા તું ધારણામાંહિ, આપે નાથ તો લાવજે આંહિ ।।૮।। બોલ્યા ઇચ્છારામ રણછોડ, નાથ હાથની માળાનો કોડ । મળે પ્રસાદીની ક્યાંથી માળુ, માગ્યે દિયે દયા કરી દ્યાળુ ।।૯।। કહે લાલદાસ રંગનાથ, આલે નાથ માળા તુજ સાથ । તો એ થકી મોટી નહિ વાત, મળે અલૌકિ માળા સાક્ષાત ।।૧૦।। ત્યારે બોલિયા ભગવાનદાસ, નથી ગઉમુખી મુજ પાસ । ક્યાંથી મળે પ્રસાદીની મને, મળે તો લાવ્યે કહું છું […] read more
0 Views : 97

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૮

પૂર્વછાયો- વળી વખાણું વડોદરે, હરિજન મનનું હેત । ભાવે ભક્તિ ભલી કરે, સોંપી તન મન ધન સમેત ।।૧।। જોયે ન મળે જક્તમાં, એહ જેવા જન એક । પ્રીત્ય જેની પ્રગટ પ્રભુમાં, ગ્રહિ ન મૂકે ટેક ।।૨।। એવા જન અનેક છે, જેના પૂર્યા હરિએ લાડ । તેની ર્કીિત લખવા, મારા ચિત્તમાં ઘણી ચાડ ।।૩।। બ્રાહ્મણ નાગરી નાત્યમાં, એક મોંઘિબાઇ હરિજન । અચળમતિ મહારાજમાં, કરે ભાવે સહિત ભજન ।।૪।। ચોપાઇ- ભજે ભાવે ભરી ભગવાન, સમજે હરિને સામર્થીવાન । થાય સમાધિ દેખે શ્રીહરિ, અતિ સુખી રહે સુખે કરી ।।૫।। એક દિવસે ધારણામાંઇ, ગઇ હરિ હતા પોત્યે ત્યાંઇ । કર્યું દર્શન દયાળુતણું, તેણે આવ્યું છે આનંદ ઘણું ।।૬।। પછી મોંઘિબાઇ કહે મહારાજ, તમે નાથ છો રાજાધિરાજ । સર્વે અવતાર તમેજ ધર્યા, જાુગોજાુગમાં જન ઉધાર્યા ।।૭।। કેવો લીધો કૃષ્ણ અવતાર, કેવાં ધાર્યાંતાં આયુધ ચાર । વળી અષ્ટ પટરાણી જેહ, જેના સુત સુભગ છે તેહ ।।૮।। એહ સહિત ઇચ્છું દર્શન, દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન । પછી હસી બોલ્યા હરિરાય, જોઇ જનમન અભિપ્રાય ।।૯।। ધર્યું કૃષ્ણરૂપ સુખખાણી, સંગે શોભે અષ્ટ પટરાણી । શંખ ચક્ર ગદા પદ્મ ધરી, શોભે સુતસહિત શ્રીહરિ ।।૧૦।। એવાં દીધાં આવીને દર્શન, જોઇ જન થયાં છે મગન । દઇ દર્શન પધાર્યા નાથ, નિર્ખિ થકિત થયો સૌ સાથ ।।૧૧।। કહે આશ્ચર્ય વાત આતો, થયો […] read more
0 Views : 83

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૯

પૂર્વછાયો- વળી પરચા વડોદરે, જે પૂર્યા જગજીવન । અતિ અનુપમ વારતા, સાંભળજયો સહુ જન ।।૧।। સતસંગીની જે શ્રીહરિ, આ સમે કરે છે સહાય । અતિ સામર્થી હરિ વાવરે, તે નાવે લખ્યામાંય ।।૨।। પણ ગુણ ગાતાં ગોવિંદના, નથી આવતી મને આળસ । શ્રવણ દઇ સહુ સાંભળો, કહું હરિજનના જશ ।।૩।। ભક્ત એક ભાવિક છે, ખરા તે ખતરી માંઈ । દુર્બળ દાસ દયાળનાં, નામ તેનું શામબાઇ ।।૪।। ચોપાઇ- કહું તેહતણી હવે વાત, કરે ભજન બાઇ દિન રાત્ય । રહે ધારણામાં આઠું જામ, કરતાં થાય નહિ ઘરકામ ।।૫।। જયારે આવે સમાધિથી બાર, કરે ભોજન પાન તે વાર । એહ દેહ રેવાનો ઉપાય, કરે ભોજન હરિ ઈચ્છાય ।।૬।। પણ એમ થયું એક દન, કોણ આપશે વસ્ત્ર ને અન્ન । એવી ચિંતા કરી ચિત્તમાંઇ, બેઠી સમાધિમાં શામબાઇ ।।૭।। કરી ધારણા જાગી છે જયારે, દિઠું સુંદર ભોજન ત્યારે । સારા મોટા રોટા રૂડી દાળ, મુખ આગે મેલી ગયા દ્યાળ ।।૮।। એમ હમેશ હરિ એ રીત્યે, આપે ભોજન બાઇને નિત્યે । એક દિન મણ લોટ લઇ, શાક વૃંતાકનું ગયા દઇ ।।૯।। વળી પૂજવા ચરણારવિંદ, આપી ગયા સ્વામી સહજાનંદ । વળી વસ્ત્ર દીઠાં ફાટાં અંગ, આપ્યાં નવીન સારાં સોરંગ ।।૧૦।। સવેર્ આપ્યું એ સમાધિમાંઇ, લાવી પ્રકટ પ્રમાણ તે આંઇ । દીઠાં પગલાં ને પટ નવાં, જોઈ જન તે […] read more
0 Views : 94

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૦

પૂર્વછાયો- કહું દેશ કાનમમાં, એક ઇટોલું ગામ । ભક્ત ભલા કણબી કુળે, જાણો જીજીભાઇ નામ ।।૧।। સતસંગમાં શિરોમણિ, વળી હરિમાં ઘણું હેત । અચળ કીધો આશરો, સોંપી તન મન ધન સમેત ।।૨।। આયુષ્ય ખૂટે આવિયો, ભાઇ એના દેહનો અંત । તેને આવ્યા તેડવા, નિજભક્ત જાણી ભગવંત ।।૩।। નિજ સખા બહુ સંત સાથે, મોટા મોટા મુનિરાજ । સુવર્ણમય રથમાંઇ, બેસી પધાર્યા મહારાજ ।।૪।। ચોપાઇ- આવ્યા અર્ધરાત્રે અવિનાશ, થયો ગામમાં બહુ પ્રકાશ । એક દ્વિજ ભક્ત બાપુભાઇ, છોડ્યો રથ તેના ફળિમાંઇ ।।૫।। જાગી લાગિયા બાપુજી પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય । કહે થયો કૃતારથ આજ, તમે ઘેર પધાર્યા મહારાજ ।।૬।। હવે રહો રાજી થઇ નાથ, એમ કહે ઉભો જોડી હાથ । પછી બોલિયા શ્રી મહારાજ, અમે આવ્યા જીજીભાઇ કાજ ।।૭।। એને તેડી જાશું આજ અમે, સત્ય માનો બાપુભાઇ તમે । ત્યારે બોલ્યા બાપુભાઇ એમ, એને મેલી જાઓ કહીએ કેમ ।।૮।। પણ સત્સંગમાં એહ જેવા, બીજા નથી શિખામણ્ય દેવા । ત્યારે નાથ કહે નહિ લૈયે, લેશું એના બળધને તૈયે ।।૯।। ત્યારે બોલ્યા બાપુ હરિજન, પ્રભુ એવું શિયું એનું પુણ્ય । ત્યારે શ્રી હરિ કહે સંત અર્થે, જાુત્યોતો એ રસોઇને રથે ।।૧૦।। માટે લઇ જાશું એને આજ, એમ કહી પધાર્યા મહારાજ । પછે બાપુભાઇ તેહ પળે, ગયો જીજીભાઇને પાસળે ।।૧૧।। કહે હમણાં પધાર્યાતા […] read more
0 Views : 117

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૧

પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું કાનમ દેશના કાંય । ધન્યધન્ય એહ ભક્તને, જેની શ્રીહરિએ કરી સાય ।।૧।। એક ઉતરાદ ગામમાં, કહીએ કણબી સાકર બાઇ । હરિજન અતિહેત હૈયે, પ્રીત્ય ઘણી પ્રભુમાંઇ ।।૨।। તેના દેહનો આવિયો, વળી અવધિ પોત્યે અંત । ચ્યાર દિવસ મોરથી, આવ્યા પોત્યે ભગવંત ।।૩।। આવી કહ્યું એહ બાઇને, તું કર હરિનું ભજન । આજથકી દન ચારમાં, છુટશે તારું તન ।।૪।। ચોપાઇ- પછી માની વાલાનું વચન, બાઇ બેઠી કરવા ભજન । સમરે સ્વામીને શ્વાસઉશ્વાસ, થઇ જક્તસુખથી ઉદાસ ।।૫।। એમ કરતાં વીત્યા દન ચાર, આવ્યા તેડવા પ્રાણ આધાર । એની ભત્રિજી નામ કેશર, આવ્યા ઘનશ્યામ તેને ઘેર ।।૬।। આવ્યા પોત્યે પ્રકટપ્રમાણ, સુખસાગર શ્યામ સુજાણ । દિધાં બહુ જનને દર્શન, નિર્ખિ બાઇ થઇ છે મગન ।।૭।। કહે ધન્યધન્ય મારા નાથ, આજ અમને કર્યાં સનાથ । ઘણે દાડે પધાર્યા છો ઘેર, મુજ રંકપર કરી મહેર ।।૮।। એમ કહીને આપ્યાં આસન, કર્યાં ભાત્ય ભાત્યનાં ભોજન । પછી નાથ જમ્યા તેને ઘેર, કરી મનમોહનજીએ મહેર ।।૯।। જમી ઉઠ્યા આપ્યો મુખવાસ, પછી હાથ જોડી કહે દાસ । આજ આવ્યાનું કારણ કહીયે, સુણિ બોલ્યા સ્વામીજી તૈયે ।।૧૦।। તારી કાકી સાકરબાઇ નામે, તેને તેડી જાશું નિજધામે । આવ્યા એ સારૂ બેસીને વાજી, તેડી જાતાં તું રાજી કુરાજી ।।૧૧।। ત્યારે બોલી છે કેશરબાઇ, એહ જીવની ધન્ય કમાઈ […] read more
0 Views : 102

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પર

પૂર્વછાયો- ખાનદેશ બુરાનપુરમાં, વસે હરિજન જેહ । સહાય કરી જેની સ્વામીએ, કહું સાંભળજયો હવે તેહ ।।૧।। વિપ્ર એક દિવાનદાદો, સતસંગી નહિ સોય । જાણ્યે અજાણ્યે જમાડીયા, સંત તે સ્વામીના દોય ।।૨।। બીજાં પુણ્ય તો બહુ કર્યાં, જન્મ ધરીને જેહ । તેહ ભેળું પુણ્ય આટલું, થયું અજાણ્યે એહ ।।૩।। એમ કરતાં અવધિ તેનો, આવ્યો તે દેહનો અંત । અવશ્ય તેડવા આવિયા, મહા કરૂર તે કૃતાંત ।।૪।। ચોપાઇ- અંતકાળે આવ્યા જમ જયારે, દિધું દાદાને દુઃખ તે વારે । જેજે જન્મ ધરી કર્યાં પાપ, તેતે સંભારી કર્યો સંતાપ ।।૫।। દિઠા દાદે જમદૂત જયારે, દેવી દેવને સંભાર્યા ત્યારે । સંત મહંત સન્યાસી સોય, તેહ વિના જે સેવ્યાતા કોય ।।૬।। એહ સર્વેને જોયા સંભારી, કહ્યું કોઇ હરો પીડા મારી । એહ માંહિલું એકે ન આવ્યું, તે વારે દાદે શિશ ડોલાવ્યું ।।૭।। કહે હવે કરૂં હું શીપેર, કેણે સાય ન કરી આ વેર । એમ કહીને થયો નિરાશ, ત્યાં તો સંત દિઠા દોય પાસ ।।૮।। કહે સંત સુણો જમદૂત, કેમ આવિયા આંહિ કપુત । જાઓ વેલા વેલા પાછા વળી, કેમ ઉભા રહ્યા છોે સાંભળી ।।૯।। ત્યારે બોલિયા જમના દૂત, ઠાલું શિદને કરો છો તુત । એહ જીવ કેદિ છે તમારો, સર્વે રીત્યે એ છે જો અમારો ।।૧૦।। માટે જોર તમારે ન કરવું, જાઓ યાંથી આડું નવ […] read more
0 Views : 128
Powered By Indic IME