Last Updated:
May 5, 2025

Click here to submit your article
ભક્તચિંતામણિ
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦૧

રાગ સામેરી- મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ । ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સમરૂં સદાય અનુપ ।।૧।। પરમ દયાળુ છો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ । પ્રથમ તમને પ્રણમું, નામું વારમવાર હું શીષ ।।૨।। અતિ સુંદર ગોલોક મધ્યે, અક્ષર એવું જેનું નામ છે । કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે ।।૩।। અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર । પરમપદ આનન્દ બ્રહ્મ, ચિદાકાશ કહે નિર્ધાર ।।૪।। એવા અક્ષરધામમાં તમે, રહો છો કૃષ્ણ કૃપાળ । પુરૂષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।।૫।। પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુ ઇશ્વર વેદ કહે વળી । એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।।૬।। ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી । સર્વકારણના કારણ નિર્ગુણ, સ્વયંપ્રકાશ સહુના સ્વામી ।।૭।। સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંતકોટિ ઉપાસે મળી । અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ ને લય વળી ।।૮।। પ્રકૃતિ પુરૂષ કાળ પ્રધાન, મહત્તત્ત્વાદિક શક્તિ ઘણી । તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમે ધણી ।।૯।। એવા શ્રીકૃષ્ણ કિશોર મૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો । આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાં કારજ કરો ।।૧૦।। પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રગટ્યા પૂરણ કામ । નરનારાયણ નાથજી, તમે રહ્યા બદ્રિકા ધામ ।।૧૧।। ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટ્યા મથુરામાંય । અનંત અસુર સંહારવા, કરવા નિજ સેવકની સહાય ।।૧૨।। ત્યાર પછી વળી જગમાં, અધર્મ વાધ્યો અપાર । […] read more
2 Views : 1700

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦ર

પૂર્વછાયો- સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય । આદરૂં આ ગ્રંથને, જેમાં વિઘન કોઇ ન થાય ।।૧।। સંતકૃપાએ સુખ ઉપજે, સંતકૃપાથી સરે કામ । સંતકૃપાથી પામિયે, પૂરણ પુરૂષોત્તમ ધામ ।।૨।। સંતકૃપાએ સદ્મતિ જાગે, સંતકૃપાથી સદ્ગુણ । સંતકૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ ।।૩।। સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન । ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન ।।૪।। જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન । સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન ।।૫।। એવા સંત શિરોમણિ, ઘણી ઘણી શું કહું વાત । તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત ।।૬।। કામદુઘા કલ્પતરૂ, પારસ ચિંતામણિ ચાર । સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર ।।૭।। અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ । સંત સેવ્યે સુખ ઉપજે, રહે અખંડ અટળ એહ ।।૮।। ચોપાઇ- એવા સંત સદા શુભમતિ, જક્તદોષ નહિ જેમાં રતિ । સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ ।।૯।। સદ્ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર । માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૦।। અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત । ઇંદ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૧।। નિર્ભય બ્રહ્મવિત્ત પુનિત, ક્ષમાવાન ને સરલ ચિત્ત । સમર્થ સત્યવાદી […] read more
0 Views : 1608

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦૩

રાગ સામેરી- સારી કથા સુંદર અતિ, હું કહું કરી વિસ્તાર । જે જન મન દઇ સાંભળે, તે ઉતરે ભવપાર ।।૧।। અમૃતવત જે આ કથા, શ્રુતિ દઇ જે સાંભળશે । અંગોઅંગ આનંદ વાધી, તાપ સંતાપ તે ટળશે ।।૨।। પ્રકટ પુરૂષોત્તમનાં, ચરિત્ર પવિત્ર કહું અતિ । શ્રવણ દઇ જે સાંભળે, થાય તેની નિર્મળ મતિ ।।૩।। પવિત્ર યશ જેની કીરતિ, પવિત્ર ગુણ કહેવાય છે । જે જન કહે ને સાંભળે, તે પણ પવિત્ર થાય છે ।।૪।। પવિત્ર મહિમા પવિત્ર મોટ્યપ, પવિત્ર તેજ પ્રતાપ છે । ચિત્તે નિશદિન ચિંતવે, તે પણ જન નિષ્પાપ છે ।।૫।। એવી કથા ઉત્તમ અતિ, સદ્મતિ ને સુખરૂપ છે । જેમ જેમ જન સાંભળે, તેમ તેમ વાત અનુપ છે ।।૬।। એવી કથા આદરતાં, અતિ ઉમંગ છે મારે અંગે । અંગમાં આનંદ ઉલટ્યો, જાણું ક્યારે કહું ઉછરંગે ।।૭।। જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરૂં । તે પિવા પળ ખમે નહિ, જાણે કૈ વારે પાન કરૂં ।।૮।। એમ થઇ છે અંતરે, હરિયશ કેવા હામ હૈયે । જાણું ચરિત્ર નાથનાં, અતિ ઉત્તમ ક્યારે કૈયે ।।૯।। સુતાર્થી જેમ સુત પામે, ધનાર્થી પામે ધન વળી । વિદ્યાર્થી જેમ વિદ્યા પામે, તેમ એ વાત મને મળી ।।૧૦।। અતિહર્ષ છે અંતરે, વળી આનંદ આવ્યો છે અંગમાં । સુંદર ચરિત્ર શ્રીહરિતણાં, કહું હવે ઉમંગમાં ।।૧૧।। ધન્ય ધન્ય ધર્મ […] read more
0 Views : 1406

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦૪

રાગ સામેરી- શુભમતિ હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રિ કહીએ । અતિસુંદર શિખરી જેનું, નામ હિમાચળ લહીએ ।।૧।। સુંદર ગેહેરી ગુફાઉં જેમાં, સદન સરિખી શોભે ઘણી । તેમાં દીપક સમ શોભે, શ્રેણી ઘણી મણિતણી ।।૨।। રજત સમ રળિયામણો, વળી ક્યાંક શ્યામવર્ણ સહી । સુમેરૂ સરખી શિખર્યું જેની, વિચિત્ર પેર્યે વિલસી રહી ।।૩।। સહુ દિશે ચાલે અતિ, નદીરૂપ નિઝરણાં । લેરી તરંગે આવૃત જેનાં, સુંદર જળ શોભે ઘણાં ।।૪।। તિયાં વૃક્ષવિવિધ જાત્યનાં, સુણો નામ સહુ તેહતણાં । અંબ કદંબ અનાર આસુ, તાલ તમાલ ત્યાં ઘણાં ।।૫।। પારિજાતક પિપર પિપ્પળા, પિલુ પનસ ને પુનાગરી । પાડળ મિંડળ બેડાં મૌડાં, બિલાં બિજોરાં બોરસરી ।।૬।। ગર્માલ ગુંદી ગુવાક ગુલછા, ગુલબાસ સાલર સર્ગવા । સર્શ શિશમ સાગ સરલા, સીતાફળી સોપારી હવા ।।૭।। શાલમલી ને શેમલ શમડા, અમરવડ ઉદંબરા । કોઠ કોઠવડી કર્ણાવર્ણ, ખેર ખાખર ખજૂર ખરા ।।૮।। અરિઠાં ને અંજીર આંબલી, રૂડી રાણ્ય ને રોહિડા । કર્મદી ને કર્મકેતકી, કેસર કણિયર કેવડા ।।૯।। કર્ણી અર્ણી ચંપક ચંદન, સુખડ દાડ્યમ સોયામણી । લિંબ લિંબોઇ હરડા ધવડા, જેઠી મજેઠી જોરબણી ।।૧૦।। જામફળી બદામ જાંબુ, આમલિયો ઓપે સહી । તરલા અરલા તિંતિડી, નાળીયેરી ને કેળી કહી ।।૧૧।। વગરાગ મંદરા વિકળા, આલ્ય આસોંદરા રોહિણી । વૃંદા આદિ વનવૃક્ષની, જાત્ય નવ જાય ગણી ।।૧૨।। બોરડી સવન શિશમડી, રક્તપતિ ને રતાંજળી […] read more
0 Views : 1406

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦પ

ચોપાઇ- મોટા મરીચી પર ઉપકારી, દીનજનતણા દુઃખહારી । આવ્યા શુક જનમના યોગી, ગર્ગ ગૌતમ બ્રહ્મરસ ભોગી ।।૧।। આવ્યા બગદાલવજી બૂઢ, ગૌરમુખ ને જ્ઞાનના ગૂઢ । આવ્યા અષ્ટાવક્ર ને આસ્તિક, શાકટાયન શૃંગી શૌનક ।।૨।। આવ્યા ઔર્વ આરૂણિ આસુરી, ભરદ્વાજઋષિ ને ભાગુરી । આવ્યા ઋષિ અંગિરા અગસ્ત્ય, સત્યધર્મી શુક્ર ને સંવર્ત ।।૩।। આવ્યા વત્સ વોઢુ વિભાંડક, જરત્કારુ જૈમિનિ જાપક । આવ્યા સૌભરી શાકલ્ય શક્રિ, વળી ર્આિષ્ટષેણ કહું અત્રિ ।।૪।। આવ્યા મુનિ મૈત્રેય માંડવ્ય, જાજળી જયંત જૈગીષવ્ય । આવ્યા બૃહસ્પતિ વેદશિરા, વિશ્વામિત્ર વસિષ્ઠ સુધિરા ।।૫।। આવ્યા કવષ ક્રતુ કક્ષીવાન, યાજ્ઞવલ્ક્ય જાબાળ સુજાન । ઉતથ્ય ઉપમન્યુ ને ઔર્વ, દયાળુ જે દેવલ ને રૌર્વ ।।૬।। આવ્યા વામદેવને વાલ્મિક, વિપુલ બ્રહ્મચર્ય વશિક । પિપ્પલાદ પુલહ પુલસ્ત્ય, કચ કૃપાળુ કશ્યપ સમસ્ત ।।૭।। આવ્યા કર્દમ ને કાત્યાયન, પંચશિખ ને વૈશંપાયન । આવ્યા પરઉપકારી પ્રચેતા, શંકુવર્ણ ને શંખ લિખિતા ।।૮।। આવ્યા કણાદ કરભાજન, કર્કશ કણ્વ બભ્રુ ચ્યવન । પારાશર લોમશ ને હંસિ, પૈલ પાણિનિ ને ભૃગુઋષિ ।।૯।। આવ્યા ગાલવ ને જે માતંગ, શાંડિલ્ય શ્વેતકેતુ શરભંગ । આવ્યા મેધાતિથિ માનખંડી, બ્રૃહદગ્નિ બ્રૃહદશ્ચ વૈતંડી ।।૧૦।। આવ્યા સુમંતુ ને શરદ્વાન, ઇંદ્રપ્રમદ ને ઇદ્મવાન । અથર્વા એકત દ્વિત ત્રિત, માંડુકેય પાઠર હારીત ।।૧૧।। ભાંડાયનિ ભાર્ગવ ભાલુકિ, શિશંપાયન પર્વત મંકિ । કઠ તાંડય કૌંડિન્ય કવશ, ક્ષારપાણિ પર્ણદ સુજશ ।।૧૨।। હરિશ્મશ્રુ મુનિ અંશુમાન, શાર્કર ને […] read more
0 Views : 1455

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦૬

ચોપાઇ- જયજય ગાય મુનિ ગાથ, જયજય નરવીર નાથ । જયજય બદ્રિપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય ।।૧।। જય દીનબંધુ ઋષિદેવ, જય અકળ નાથ અભેવ । જય કૃપાના સિંધુ કૃપાળુ, જય દયાના નિધિ દયાળુ ।।૨।। જય પ્રભુ તમે જગદીશ, જય અખિલ બ્રહ્માંડાધીશ । જય આનંદકંદ અવતારી, જય સંતજન સુખકારી ।।૩।। જય ધર્મસુત મહાધીર, જય જ્ઞાન વિજ્ઞાન ગંભીર । જય અતિ અજીત અભેદ, જય કહે નેતિ નેતિ વેદ ।।૪।। જય સુખનિધિ સિદ્ધ શ્યામ, જય સદા અક્રોધ અકામ । જય પુણ્ય પવિત્ર પ્રતાપ, જય નિર્દોષ ને નિષ્પાપ ।।૫।। જય ધર્મતણા પ્રતિપાળ, જય ભારતપતિ ભૂપાળ । જય પાપ ઉત્થાપન આપ, જય સંત હરણ સંતાપ ।।૬।। જય ખળબળ ખંડનહાર, જય ભૂમિ ઉતારણ ભાર । જય દુષ્ટતન દંડધાર, જય નિજજન કાજ સુધાર ।।૭।। જય અકળ બળ અવિનાશી, જય પીંડ બ્રહ્માંડ પ્રકાશી । જય કાળતણા મહાકાળ, જય ભૂપતિ પતિ ભૂપાળ ।।૮।। જય મહાદુષ્ટ મોડણ માન, જય ભક્તવત્સલ ભગવાન । જય અક્ષરધામી અકામી, જય સર્વતણા તમે સ્વામી ।।૯।। જય અવતારના અવતારી, મત્સ્ય કચ્છ વારાહ મુરારી । જય નૃહરિ વામન નાથ, જય પરશુરામ રઘુનાથ ।।૧૦।। જય હલધર કૃષ્ણ કૃપાળુ, જય બુદ્ધ કલકી દયાળુ । જય અલેખધર અવતાર, જય અકળ સર્વ આધાર ।।૧૧।। એવા અનેક ધરી શરીર, બેસો બદ્રીતળે બેઉ વીર । રહો તાપસ વેષે હમેશ, જટા મુકુટ સુંદર […] read more
0 Views : 1440

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦૭

પૂર્વછાયો- એવું શ્રવણે સાંભળી, નરવીરે કર્યો વિચાર । એહ પાપને ટાળવા, મારે નિશ્ચે લેવો અવતાર ।।૧।। ઋષિ તમે રાજી રહો, અધર્મ કરીશ ઉત્થાપ । સુખી કરીશ સૌ સંતને, તમે પરહરો પરિતાપ ।।૨।। એમ કહી નરવીર ઋષિ, બેઠા એહ આશ્રમ । તેહ સમે નિજ સ્થાનથી, આવિયાં મૂર્તિ ને ધર્મ ।।૩।। તેણે દેખી ઉભા થયા, સર્વે ઋષિ નારાયણ નર । દંડવત પ્રણામ કરી, કરે સ્તુતિ જોડી સહુ કર ।।૪।। ચોપાઇ- જોઇ ધર્મ ને મૂરતિ દોય, તેણે આનંદિયા સહુ કોય । શુદ્ધ સત્ત્વમય તનુ શાંતિ, શરદ પુન્યમ શશિસમ કાંતિ ।।૫।। કંઠે કંજ તુલસીની માળ, પીળી જટાનો મુગટ વિશાળ । નવ નીરજસમ દોય નેણ, અતિ શાંતિવાન સુખદેણ ।।૬।। પહેર્યાં શ્વેતાંબર તન શોભે, જોઇ જનતણાં મન લોભે । શોભે સુંદર રેખા બે હાથે, પહેરી સિત ઉપવીત નાથે ।।૭।। એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન । ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજશ સારો ।।૮।। હરિ હર બ્રહ્મા મન ભાવો, તમે સર્વેના ભૂષણ કહાવો । સુર સરવે ને વળી ઇંદ્ર, મનુ કશ્યપ ને રવિ ચંદ્ર ।।૯।। કોઇ ત્યાગી ન શકે તમને, સર્વે મુનિને વહાલા છો મને । શેષ શારદા ને ગણપતિ, તમે સહુને વહાલા છો અતિ ।।૧૦।। વાયુ વહ્નિ ને વળી વારિ, તે મર્યાદા ન લોપે તમારી । સપ્ત ઋષિ સતી પતિવ્રતા, સનકાદિક […] read more
0 Views : 1434

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૦૮

પૂર્વછાયો- પછી સંભારી એ શાપને, સર્વે કરવા લાગ્યા શોક । પુણ્ય ભૂમિ આ પરહરી, જાવું જોશે જાણું મૃત્યુલોક ।।૧।। પાપ પેખી પૃથ્વીતણાં, કેમ રહેશે સુખ શરીર । અવળે સવળું એટલું, સંગે ચાલશે નરવીર ।।૨।। કાંઇક તેનો હર્ષ છે, કાંઇક શોક છે મન । દુરવાસાને દર્શને, થયું હર્ષ શોક ચિંતવન ।।૩।। વળતા નારાયણ બોલિયા, તમે શોક મ કરો લગાર । ઇચ્છા અમારે એવી હતી, અવનિએ લેવા અવતાર ।।૪।। ચોપાઇ- મારી ઇચ્છા વિના એવી વાત, ન થાય માનજો મારા તાત । આવ્યા ઋષિને કરી જે રાવ, ત્યારનો મેં માંડ્યો છે ઉપાવ ।।૫।। આવ્યા દુર્વાસા મારી ઇચ્છાએ, આવી ન પામ્યા સન્માન કાંયે । દીધો શાપ મેં ન વાર્યા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા એને ।।૬।। જાણું નિમિત્ત વિના નિરધાર, કેમ લઇએ સહુ અવતાર । માટે ચિંતા કરશોમાં કાંએ, શાપ થયો છે મારી ઇચ્છાએ ।।૭।। કાંજે પૃથ્વીએ વ્યાપ્યું છે પાપ, તેણે સાધુ પામે છે સંતાપ । માટે પુત્ર તમારો થાઇશ, હરિનામે નિશ્ચે કહેવાઇશ ।।૮।। મારા સાધુની રક્ષાને સારૂં, થાશે ભૂમિએ વિચરણ મારૂં । ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, પ્રવર્તાવીશ ભૂમિએ અતિ ।।૯।। માટે ચિંતા મ કરશો લગાર, લિયો દ્વિજ કુળે અવતાર । આપ ઇચ્છા ધારી ઉર વિષે, લિયો જન્મ જુદા જુદા દેશે ।।૧૦।। સુણી નારાયણની એ વાણ, સહુ પાયે લાગ્યા જોડી પાણ । પછી […] read more
0 Views : 1402
Powered By Indic IME