Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૩

અને તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે, અને હિડોળા ખાટમાં સૂઇ રહે ને દુધ સાકર ને ચોખા જમે ને સેવાના કરનાર ને રળનાર બીજા હોય, તો પણ તેને અંત સમે વિમાનમાં બેસારીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દેઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે. ૧૭૩ read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૪

નવરાશ હોય ત્‍યારે ભગવાનની મૂર્તિને લઇને બેસવું. તે મૂર્તિ તે શું ? જે ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ઘ્‍યાન એ ભગવાનની મૂર્તિ છે ને દેહ હોય ત્‍યાં લોભ, કામ, કોધ, સ્‍વાદ, સ્‍નેહ, માન, નિદ્રા એ સર્વે હોય, તેને તો દેહ ભેળાં કરી રાખવાં, તે તો જેમ કોઇક અફીણનું વ્‍યસન રાખે છે તેમ. તે સુખ જેવા જણાય છે, એ તો દેહને દુ:ખ દે એવાં છે એમ સમજવું. ૧૭૪ read more
0 Views : 76

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭પ

અને આપણે તો છેલ્‍લો જન્‍મ થઇ રહ્યો છે ને છેલ્‍લો જન્‍મ તે શું ? જે પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્‍લો જન્‍મ છે. ૧૭૫ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૬

કોઇક માણસનું કોઇકે જરાક રાખ્‍યું હોય તો તે પણ નથી ભૂલતો, તો ભગવાનને અર્થે આપણે કાંઇક કર્યું હોય કે કરીએ તે કેમ ભૂલે ? એ ભગવાન તો કાંઇ ભુલે એવા નથી ને ભગવાનની દયા તો અપાર છે. સર્વે ઠેકાણે ત્‍યાંથી જ દયા આવી છે. ૧૭૬ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૭

અને ભગવાન મળ્‍યા, સાધુ મળ્‍યા, હવે હૈયામાં દુ:ખ આવવા દેવું નહિ, ને પ્રારબ્‍ધનું આવે તે ભોગવી લેવું. ૧૭૭ read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૮

જેવા શબ્‍દ સાંભળે તેવો જીવ થઇ જાય છે, માટે બળિયા ભગવાનના ભકત હોય તેના શબ્‍દો સાંબળીએ તો જીવમાં બળ આવે, પણ નપુંસકને સંગે બળ પમાય નહિ. ૧૭૮ read more
0 Views : 78

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૭૯

આ તો મોટાની નજર પડી ગઇ છે, તેથી વિષયની તિક્ષણ વૃત્તિ ઓછી થઇ છે, નીકર તો તે વિના રહેવાય નહિ. ૧૭૯ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૮૦

અને અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે ?એ તો ભગવાન દૃષ્ટિ કરે તો ફાટી મરે એ વાત પણ સમજવી. ૧૮૦ read more
0 Views : 82
Powered By Indic IME