Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૭

ઇન્‍દ્રિયો અંત:કરણનાં દુ:ખ આવતાં હોય તેનું કેમ કરવું ? એ પ્રશ્નનો ઉત્તર : જે એ તો મોટા મોટાને પણ આવતાં, માટે તેનું સહન કરવું. એ તો સ્‍વાભાવ કહેવાય. ૧૧૭. read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૮

અને મોટા છે તે કોઇને તો વધુ સુખ આપે છે ને કોઇકને થોડું સુખ આપે છે, તેનું કેમ સમજવું ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટા તો  સમુદ્ર જેવા છે. તે સમુદ્રમાં પાણીની ખોટ નથી, તેમ કોઇને ઓછું સુખ આપતા નથી, પણ પાત્રને લઇને એમ જણાય છે. તે ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે છે, એવું ગરીબનું ન રખાય, એ તો વ્‍યવહાર કહેવાય, જે પર્વતભાઇ જેવા વાંસે બેસે ને મોટું માણસ હોય તે આગળ બેસે. ૧૧૮ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૯

મહારાજ ભગવાન છે તેના સ્‍વરુપમાં વળગી રહેવું. ને ગૃહસ્‍થને અગિયાર નિયમ પાળવા ને ત્‍યાગીને ત્રણ ગ્રંથ પાળવા. એટલું જ કરવાનું છે, બીજું  કાંઇ કરવું નથી. ૧૧૯ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૦

કોટિ જન્‍મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય, ને બ્રહ્મરુપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. ૧૨૦ read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૧

કેટલેક રુપિયે આંખ, કાન આદિક ઇન્‍દ્રિયો મળે નહિ, તે ભગવાને આપયાં છે, પણ જીવ કેવળ કૃતઘ્‍ની છે. ૧૨૧ read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧રર

અને કોટિ કલ્‍પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. ૧૨૨ read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૩

અને બીજા દોષને મહારાજ ગણતા નથી. પણ ચાર દ્રોહને ગણે છે, તે એક ભગવાન, બીજા આચાર્યજી, ત્રીજા સાધુ ને ચોથા સત્‍સંગી છે, માટે એ ચારનો દ્રોહ ન કરવો. ૧૨૩ read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૪

ભગવાનના સ્‍વરુપની નિષ્‍ઠા થઇ તેને સાધન સર્વે થઇ રહ્યાં, બાકી કાંઇ કરવું રહ્યું નથી. ૧૨૪ read more
0 Views : 95
Powered By Indic IME