મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો: તેમાં વડતાલનું સોળમું વચનામૃત વંચાવીને બોલ્યાં જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શુ ? જે ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભકતનો સંગ, એ બે જ રહસ્ય ને અભિપ્રાય છે. તે લઇને મંડે તો રાજી થાતાં કયાં વાર છે ? માટે રાજી કરવા હોય તેને મંડવું. ૧૧૨ read more
અને પ્રિયવ્રતને છોકરાં થયાં પણ આત્મારામ ભગવત કહેવાણા, કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્યાગ ન કરતા હવા. તે જનકે કહ્યું જે ”મિથિલા નગરીમાં મારું કાંઇ બળતું નથી” પણ છોકરાં થયાં ને ગોવર્ધનભાઇને તો સાકર ને મીઠું એ બેય સરખાં પણ છોકરાં થયાં, માટે ભેળા રહે તો છોકરાં થાય. ૧૧૪ read more
અને હૈયામાં જ્ઞાન ભર્યું છે, એ તો હજી બહાર કાઢયું નથી, કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળે, ને એ જ્ઞાન તો બ્રહ્માના આયુષ્ય પર્યંત કરીએ, તો પણ તે ખૂટે નહિ, પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી. ૧૧૬. read more