Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૯

અને ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી, તે હવે પ્રથમની દેખાતી નથી, એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્‍ય કહેવાય. ૧૦૯ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૦

અને પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે, અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્‍ઠ છે. ૧૧૦ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૧

વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય ? એ પ્રશ્નનો ઉત્તર: જે મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. ૧૧૧ read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧ર

મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો: તેમાં વડતાલનું સોળમું વચનામૃત વંચાવીને બોલ્‍યાં જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શુ ? જે ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભકતનો સંગ, એ બે જ રહસ્‍ય ને અભિપ્રાય છે. તે લઇને મંડે તો રાજી થાતાં કયાં વાર છે ? માટે રાજી કરવા હોય તેને મંડવું. ૧૧૨ read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૩

અને જ્ઞાની હોય તેને પણ ટાઢ, તડકો, ભૂખ, તરસ આદિક દેહના ભાવ સર્વે જણાય એ પણ સમજવું. ૧૧૩ read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૪

અને પ્રિયવ્રતને છોકરાં થયાં પણ આત્‍મારામ ભગવત કહેવાણા, કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્‍યાગ ન કરતા હવા. તે જનકે કહ્યું જે ”મિથિલા નગરીમાં મારું કાંઇ બળતું નથી” પણ છોકરાં થયાં ને ગોવર્ધનભાઇને તો સાકર ને મીઠું એ બેય સરખાં પણ છોકરાં થયાં, માટે ભેળા રહે તો છોકરાં થાય. ૧૧૪ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧પ

ભગવાન અને મોટા સાધુને આશરે  કરીને તો વાદળ જેવાં દુ:ખ આવવાનાં હોય તે પણ ટળી જાય, ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. ૧૧૫ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૬

અને હૈયામાં જ્ઞાન ભર્યું છે, એ તો હજી બહાર કાઢયું નથી, કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળે, ને એ જ્ઞાન તો બ્રહ્માના આયુષ્ય પર્યંત કરીએ, તો પણ તે ખૂટે નહિ, પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી. ૧૧૬. read more
0 Views : 90
Powered By Indic IME