અને ભગવાનની સ્તુતિ કરવી, પણ પોતાને પતિત કે અધમ માનવું નહિ, કેમજે એમ માને તો જીવમાં બળ રહે નહિ ને જીવ ગ્લાનિ પામી જાય, ને આપણને તો ભગવાન મળ્યા છે માટે પતિત શા સારુ માનીએ ? આપણે તો કૃતાર્થ માનવું. ૧૦૪ read more
‘મોહામોહ મીલે નિજ પ્રીતમ, કુન પતિયાર કરે પતિયાસે’ તેમાં શું કહ્યું ? જે કાગળના લખનારા મળ્યા, તે પછી કાગળનું શું કામ ? તેમ આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું ? ૧૦૫ read more