Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૫

પાણીના ધરા જેવું શ્વેતદ્વિપના મુકતને રહે છે, ને અક્ષરધામની વાત તો શી કહેવાય ? ને આ લોકમાં કેટલાક પ્રકારના વિક્ષેપ આવે છે, માટે ઠોંટે મારીને મોઢું રાતું રાખવું એવું છે. ૮૫ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૬

નંદ રાજાએ આખી પૃથ્‍વીનું ધન ભેળું કર્યું અને છેલ્‍લી વારે એમાંથી મોત થયું. ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીયું ભેળી કરી, ને છેલ્‍લી વારે એમાંથી દુ:ખ થયું ત્‍યારે મૂકી, તે માર્ગ જ એવો છે. ૮૬ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૭

આપણામાં ત્‍યાગી થઇ જાય છે ને સંસાર મૂકી દે છે, એ તો ભગવાનમાં હેત તે તણાઇ આવે છે, એ તો યોગ છે પણ સાંખ્‍ય નહિ. ને હેત તો આંગળી તૂટતું હોય, પણ સાંખ્‍ય નહિ, ને જેને સાંખ્‍ય હોય ને સાધુ થાવા આવે, તેને કહીએ : જે ઘરનાં માણસ સર્વે ઘરમાં સૂતાં હોય ને ઘર બાળીને આવો તો સાધુ કરીએ, તો સાંખ્‍યવાળાને કઠણ ન પડે, ને યોગવાળાથી એ થાય નહિ. ૮૭ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૮

ચિંતામણિ કાંઇ રુપાળી ન હોય, તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્‍ય છે ને કલ્‍યાણકારી છે. ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે. ૮૮ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮૯

અને જો માર માર કરતો કોઇ આપતો હોય તોપણ એમ સમજવું, જે ‘મારા સ્‍વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઇનું હલાવ્‍યું પાંદડું પણ હલતું નથી.’ ૮૯ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૦

ને ‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્‍વભાવ કરવા, તે આંહી કરવા, કાં શ્વેતદ્વિપમાં જઇને કરવા. ૯૦ read more
0 Views : 86

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯૧

આખું બ્રહ્માંડ સ્‍વામિનારાયણનું ભજન કરશે ત્‍યારે સત્‍સંગ થયો, ને ત્‍યાં સુધી થાવો છે. ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખું માણસ ફરશે, ત્‍યાં સુધી સત્‍સંગ થાવો છે. ૯૧ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯ર

જીવને ચોટવાનાં ઠેકાણાં બે જ છે: તે ભગવાનમાં ચોંટે નીકર માયામાં ચોંટે. પણ આધાર વિના કેમ રહેવાય ? ૯૨ read more
0 Views : 90
Powered By Indic IME