અને ગામ ફરેણીમાં મંદિરની જગ્યા છે ત્યાં હાલ બેઠકછે, ત્યાં રામાનંદસ્વામી દેહત્યાગ કરીને ધામમાં ગયાં. ત્યારપછી શ્રીસહજાનંદસ્વામી જે તે પોતાના ગુરુની દેહક્રિયા કરીનેતેની ધર્મધૂરપણાને ઉપાડી લેતા હવા. ને તે સ્વામીના જે આશ્રિતતેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા ને તેમનેપોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમનાં ચિત્તનેતાણી લેતા હવા, ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હવા.પછી લોજમાં તે પ્રતાપને જોઇને વ્યાપકાનંદસ્વામીને શ્રીજી-મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થાતો. પછી તેવ્યાપકાનંદસ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિષેઅનંતકોટિ મુકતે સહિત પોતાનું દર્શન કરાવ્યું, તોપણ નિશ્ચયન થયો; ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે,”આ સર્વે મુકતનીએકકાલાવચ્છિન્ન પૂજા કરો ને તમારે વિષે લીન કરો.”ત્યારે વ્યાપકાનદં સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! એમ કેમથાય ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”તમે એમ સંકલ્પ કરોજે, આ રામાનંદસ્વામી ભગવાન હોય, તો તેમના સામર્થ્યે કરીનેહું એટલાં રૂપે થાઉં.” ત્યારે તેમણે એમ સંકલ્પ કર્યો, તોપણઅનંતરૂપે ન થવાણું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”ચોવીસઅવતારનાં નોખાં નોખાં નામ લઇને સંકલ્પ કરો જે, એપુરુષોત્તમ ભગવાન હોય, તો તેમનાં સામર્થ્યે કરીને હું અનંતરૂપેથાઉં.” ત્યારે તેમણે એમ કર્યું તોપણ અનંતરૂપે ન થવાણું.ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”અમારું નામ લઇને સંકલ્પકરો જે, સહજાનંદસ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમભગવાન હોય, તો હું અનંતરૂપે થાઉં.” પછી શ્રીજીમહારાજનુંનામ લીધું ત્યારે અનંતરૂપે થવાણું. ને સર્વ મુકતની એકકાલાવચ્છિન્નપૂજા કરીને, સર્વ મુકતને પોતાને વિષે લીન કર્યા.ત્યારે એવા પ્રતાપને જોઇને વ્યાપકાનંદસ્વામીને શ્રીજીમહારાજનેવિષે સર્વ અવતારના અવતારી […]
read more