Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૩

અને બ્રહ્મચર્ય રાખવાનાં તો છ ઉપાયો છેઃ તેમાં આંખ,કાન, નાક ને મન એ ચાર ચોરી કરી જાય છે, તેની સૂરત રાખીને સાચવવાં; તેમાં આંખને તો બીડી લેવી તેથી ઊપજે જ નહિ, એ મૂળ છે; ને ખાવું ઝાઝું નહિ, ને ઊંઘવું ઝાઝું નહિ એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યાં છે; તે માટે અસંકલ્પાત્ જયેત્ કામં, ધીરે ધીરે સંકલ્પબંધ કરવા માંડી ને ભજન કરવું ને મનનો વિશ્વાસ ન કરવો.તે ઉપર – ન કુર્યાત્કર્હિચિત્સખ્યં મનસિ હ્યનવસ્થિતે ।યદ્વિશ્રમ્ભાચ્ચિરાચ્ચીણર્ં ચસ્કંદ તપ-રમ્ ।। નિત્યં દદાતિ કામસ્ય છિદ્રં તમનુયેઽરયઃ ।યોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્વ્ચલી ।। એ શ્લોક બોલીને કહે, આ સર્વ વાત ખપવાળાને કામની છે, જેને કલ્યાણ જોતું હોય તેને આંહીં બીજું શું છે ? બાકીતો અમે બેઠા છઈએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે, પછી વાંસેથી તો શું થાશે ? વ્યવહાર કર્યા વિના તો ચાલે નહિ, પણ પાછું વળવું. એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. ।।૧૫૩।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૪

અને મહારાજની વાંસે કચેરી એકાંતિકની હતી તે તો ઊઠી ગઇ છે ને જાય છે; ને આ તો જયાં સુધી આવા સંતને દસ-વીસ હજાર સારા હરિજન છે ત્યાં સુધી ‘વચનામૃત’નાં વચન, ‘ધર્મામૃત’નાં વચન એ બે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને માહાત્મ્યે સહિત ભકિત એ ચાર એકાંતિક ધર્મ રહેશે; ને પછી તો ‘શિક્ષાપત્રી’ પળશે, માટે આપણે તો હમણાં જ સાધી લેવું. ને બ્રાહ્મણને લોટ માંગીને, બાટી શેકીને પણ આ સમાગમ કરવા વાંસે ફરવું, ને ક્ષત્રિયને પાકું માગીને પણ આ કરી લેવાનું છે. ।।૧૫૪।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પપ

હવે નવરા થયા તે ભૂતના વાંસડાની પેઠે મનને સેવામાં જોડી દેવું ને વિષયમાં સંકોચ કરવો, પણ જો એમ નહિ થાય તો નિયમ નહિ રહે. ને શેર એક ખાવું, સુદ્ધા તો દોઢ શેર ખાવું; પણ બશેર લગી તો ન જ પૂગવું. ને ઝાઝું સૂવું નહિ;કેમ જે, સૂતે સૂતે અન્ન પચીને પછી ઇન્દ્રિયો બળવાન થાય તે માટે સંકોચ રાખવો. ।।૧૫૫।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૬

અને સ્વામી કહે એક દિવસ મહારાજે મને કહ્યું હતું જે,‘ધર્મકુળમાં રઘુવીરજી જેવા કોઇ નથી.’ તે વાત સાચી. કેમજે, એની રે’ણી કે સ્થિતિ તે કયાંય ન મળે ને ત્યાગની છટા પણ મહારાજના જેવી જ હતી, એવા હવે નહિ થાય; કદી મહારાજ મોકલે તેની વાત નહિ. ।।૧૫૬।। read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૭

આ જે સ્વામિનારાયણ તેને જે કોઇ કચવાવશે કે રૂખમાં નહિ રહે તેનું તો બહુ ભુંડું થાશે; ને કાંઇનું કાંઇ નરસું થઇ જાશે માટે કચવાવવા નહિ. ।।૧૫૭।। read more
0 Views : 117

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૮

એકવાર શ્રીજીમહારાજે ઊભા થઇને કહ્યું હતું જે, ‘કોઇ નિયમ ભંગ કરશો મા, ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમા, ને આ જે સૂર્ય સરખી અમારી ગોદડીઓ તેમાં ભલા થઇને ડાઘ લાગવા દેશો મા ને મને ભગવાન જાણશે ને કુસંગમાં હશે, તો પણ કલ્યાણ થાશે, ને સત્સંગમાં રહીને નિયમભંગ થાશે તેનું તો ભૂંડું જ થાશે’ એમ મહારાજે કહ્યું હતું, ને એના સાધુ પણ રોજ કહે છે, તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદર ને મીંદડી વહાણમાં બેઠાં, તે મીંદડી કહે ‘ધૂળ ઉડાડ મા’ ત્યારે ઉંદર કહે, ‘મારનારી થઇ હો તો આમ જ મારને. એમ જે જાનારા થયા હો તે જાજો, પણ મીંદડીની પેઠે કરશો મા. ।।૧૫૮।। read more
0 Views : 178

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૯

ઓહો ! જુઓને પરદેશથી વાતો સાંભળવા આવે છે, અને આંહીંના મેડે ને બીજે બેઠા હોય છે તે શું સમજયા ? ખરેખરો થઇને સાધુમાં વળગે તો કામાદિક શત્રુ બળી જાય ને ભગવાનમાં જોડાય. જેને ખાવા મળતું હોય ને ભગવાનને ન ભજે એ જેવો કોઇ પાપી, અધર્મી, મૂર્ખ કે અણસમજુ નહિ. ઓહો ! આવા મહારાજ મળ્યા ને એવી ખોટ રહી જાય છે એ જેવું શું છે. ।।૧૫૯।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૬૦

આ જીવ તો ઘરમાં, કુટુંબમાં, લોકમાં, ભોગમાં ને દેહમાં ગીરના આંધળાની પેઠે વળગ્યો છે; પણ અંતે રહેવું નથી, એ મૂકીને ચાલ્યું જવાશે. ।।૧૬૦।। read more
0 Views : 127
Powered By Indic IME