Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૯

અને કારિયાણીનું સાતમું વચનામૃત વંચાવીને વાત કરી : જે નિશ્વય છે એ જ આત્‍યંતિક કલ્‍યાણ છે, ને નિશ્વય છે એ જ સિદ્ધ દશા છે, ને દેખવાનું કહ્યું છે, તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહે છે, ને તે વિના તો દેખાય છે તો પણ ન્‍યુન છે. ને વિષય ખોટા કરવા એ તો સાંખ્‍ય સમજવું. ને ‘એક ભગવાન ભાસે’ એમ કહ્યું છે, તે પણ નિર્વિકલ્‍પ નિશ્વયરુપે ભાસે. ૩૦૯ read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૦

અને કોઇક વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી, ને આપણે તો બળિયા નહિ ને એ તો બળિયા તે એને રક્ષા કરતાં આવડે, જેમ પ્રહ્લાદની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. ૩૧૦ read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૧

અને સાધુનો ને સાધુના સમાગમનો મહિમા બહુ કહ્યો, ને બોલ્‍યા જે હવે એથી આધી વાત નહિ ચાલે. ને જેમ ભગવાનના ગુણનો પણ પાર ન આવે તેમ સંતના ગુણનો પણ પાર નહિ. એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્‍યું ને પોતે પણ બેળા બોલ્‍યા. ૩૧૧ read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧ર

આપણે તો સો બસો માણસને પાંખમાં લઇને ઉડી જાઇએ એવા છીએ, ને તે કરતાં બ્રહ્માંડ આખાના જીવને લઇને ઊડી જાઇએ એવા છીએ, પણ એવું મનાય નહિ : તે શાથી જે મનુષ્યાકૃતિ છે. ૩૧૨ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૩

અને જીવની અવળાઇ તે શું કહીએ ! જીવ તે જીવ જ. તે કહ્યું છે: જે ‘ઊટ તો સર્વે અંગે વાંકું’ એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું. ૩૧૩ read more
0 Views : 89

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૪

અંતરમાં ટાઢું હોય ને કોઇક વચન મારે તો ભડકો થાય તે સમાધાન કરવાનો ઉપાય તો જ્ઞાન છે. ૩૧૪ read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧પ

અને ભગવાનનો ને મોટા સાધુનો નિશ્વય જેને થયો હોય તે પોતાને પૂર્ણકામ માને, ને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્ષ્‍ટાંત : જે જેના ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા સો કરોડ રુપિયા હોય તેને કાળ પડે, તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્ષ્‍ટાંત : જે બે હજાર બખતરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે, તેમજ મહિમા સહિત નિશ્વયવાળાને બીક નહિ. ૩૧૫ read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૬

અને પૃથ્‍વીનું રાજ કરે ને ન બંધાય જો જ્ઞાન થાય તો, ને તે વિના તે વનમાં જઇને રહે તો ત્‍યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્‍ઠ છે. ૩૧૬ read more
0 Views : 92
Powered By Indic IME