પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને મહિમાની વાત બહુ કરી, જે આમાં કહ્યું છે એમ સમજાય નહિ તેથી જીવ દૂલળો રહે, પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સમુદ્ર જેવા છે પણ ગાયના પગલા જેવા થઇ જાશે. માટે આવો મહિમા છે તે સારુ કોઇ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહિ, ને લક્ષ્િમ ને ભગવાન તો આપણી સેવામાં છે. કેમ જે માબાપ તો છોકરાની સેવામાં જ હોય. ને આપણે તો કરીએ તે થાય, પણ જાણીને દબાવી રાખ્યું છે, ને આ પ્રાપ્તિ તો મોટા ઇશ્વરને પણ દુર્લભ છે. ૩૦૫
read more