Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૩

અને ઇન્‍દ્ર વિશ્વરુપને માર્યો તેની ચાર બ્રહ્માહત્‍યા લાગી : તેમાં એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્‍યા. તેણે કહ્યું : જે ‘તારા ભાઇ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર.’ પછી ઇન્‍દ્ર વામનજીનો નિશ્વય કર્યો, તેણે કરીને બ્રહ્મહત્‍યા ટળી ગઇ. એટલું વામનજીનો આશરો કરવાથી કામ થયું માટે આશરો મોટી વાત છે. ૨૯૩. read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૪

કોટી તપ કરીને, કોટિ જપ કરીને, કોટી વ્રત કરીને, કોટિ દાન કરીને, કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને અને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્‍યા છે. ૨૯૪ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯પ

અને સત્‍સંગ થાય તેને તો દુ:ખ રહે નહિ. તે સત્‍સંગ શુ ? જે આત્‍મા ને પરમાત્‍મા એ બે જ છે. ૨૯૫ read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૬

નિરંતર માળા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે, માટે મુખ્‍ય એ વાત રાખવી. ૨૯૬ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૭

અને ભગવાનની મૂર્તિને ચિંતામણિ કહી છે. તે એમ સમજાણું છે, કે નથી ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે ચિંતામણિ તો ખરી પણ બાળકના હાથમાં છે. ૨૯૭ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૯૮

અને સ્‍વરુપનિષ્‍ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજાં સાધન તો જાનને  ઠેકાણે છે ને વળી સમજણ છે એ તો બસેં બખતરિયાને ઠેકાણે છે, ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. ૨૯૮ read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૯

અને સત્‍પુરુષને સંબંધે કરીને જીવને જે સંસ્‍કાર થાય છે તે એક જન્‍મે, બે જન્‍મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિકિત જે: એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે, વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્નજળ આપે, ઇત્‍યાદિક સંબંધ થાય, વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ દહીં જમે, ઇત્‍યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય, તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રંગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્‍કારનું ફળ થાય જે ખાવા મળે, દેહે સાજો રહે, લોકમાં આબરુ વધે, ને ધર્મ રહે, એ પરોક્ષના આશરાનું ફળ છે. ૨૯૯ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦૦

વિષયમાં તો વૈરાટ, પ્રધાનપુરુષ ને પ્રકૃતિપુરુષ સુધી સર્વે ગોથાં ખાય છે, પણ અક્ષરધામમાં વિષય નથી. ૩૦૦ read more
0 Views : 152
Powered By Indic IME