Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૭

અને આટલી વાત તો સો જન્‍મે પણ ન સમજાય, માટે આ વાત સહુ રાખજો, ને બે સારા સાધુ ને ત્રણ સારા હરિભકતની સાથે જીવ બાંધવો તો સત્‍સંગમાંથી ન પડાય ને કદાપિ કામ, લોભ થોડા ઘણાં રહી ગયા હશે તો ફીકર નથી. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે : જે ‘કદાપિ કામ લોભનો સંકલ્‍પ નહિ હોય પણ ભગવાનના ભકતમાં જીવ ન બંધાણો તો શું થયું ? એવાને અભાવે અસુર થાશે.’ માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભકતમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. ને ઝાઝી વાતનું ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે, જે આ પ્રથા ચલાવવી છે ને નિયમ પળાવવાં એ સારુ કરવી પડે છે. ૨૩૭ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૮

નિત્‍યે લાખ રુપિયા લાવે ને સત્‍સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે, ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભકતનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્‍વભાવ છે. ૨૩૮ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૩૯

જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો નીકર ઊતરતાનો સંગ તો કરવો જ નહિ. ૨૩૯ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૦

અને માયાનું બહુ બળ છે, તે માયા તો વૈરાગ્‍ય ને પણ ખાઇ જાય ને આત્‍મનિષ્‍ઠાને પણ ચાવી જાય કેમજે પૃથ્‍વીના જીવ તે પૃથ્‍વીમાં ચોટે. ૨૪૦ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૧

જેમ કુસંગી ને સત્‍સંગીમાં ભેદ છે, તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. ને નવ યોગેશ્વર હતા તેમાં એકે વાત કરી તે આઠ ઝાંખા પડી ગયા, પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા તેમ એ તો એવી વાત છે. ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું નિરુપણ કર્યા કરે ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્‍યા કરે. ૨૪૧ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪ર

ભગવાન અને સાધુનું મહાત્‍મ્‍ય જેમ છે તેમ ઓળખાતું નથી, તે કોઇને બે આના, કોઇને ચાર આના ને કોઇને આઠ આના, પણ જેવું છે એવું જણાતું નથી. ને સાંખ્‍ય તો મુદલ નથી, ને સાંખ્‍ય વિના કસર ટળે નહિ. ૨૪૨ read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૩

કેટલાકને ભગવાનનું ને સાધુના સંબંધનું સુખ આવતું હોય, તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો : જે એ તો સાધુતા શીખે તો આવે, ને તે વિના તો દોષ પીડે તેથી સુખ ન આવે. પછી પૂછયું : જે કેટલાકને સુખ સ્‍વપ્નમાં આવતું હોય તે કેમ આવે ? તેનો ઉત્તર જે એનો તો નિરધાર નહિ, કેમજે સ્‍વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય, ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. ૨૪૩ read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૪૪

અને જેમ છે એમ કહેવાય નહિ, ને કહીએ તો અર્ધી સભા ઉઠી જાય, પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરે ખરા સાધુ મળેને તે  કહે તેમ કરે, તો કોટિ જન્‍મે કસર ટળવાની કોય તે આજ ટાળી નાખે ને બ્રહ્મરુપ કરી મૂકે. એ તો ‘ગોકુલ ગામકો પિંડો હે ન્‍યારો’ અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્‍યા. ૨૪૪ read more
0 Views : 78
Powered By Indic IME