Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦પ

છેલ્‍લા પ્રકરણના પાંત્રિશમા વચનામૃતમાં કહ્યું છે : ‘જે છે લક્ષણે યુકત સંત હોય તેની સેવા કયર્ે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કર્યો ભગવાનના દ્રોહનું પાપ લાગે છે’ માટે આજ તો બહુધા આખો સત્‍સંગ એવો છે. ૨૦૫ read more
0 Views : 75

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૬

અને ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્‍યાપે, એ તો જાણપણારુપી દરવાજે રહીને જોયા કરે છે. ૨૦૬ read more
1 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૭

અને મહારાજ કહે કે : ‘અમને સંકલ્‍પ થાય છે જે સર્વે ને મુકતાનંદ સ્‍વામી જેવા કરી મૂકીએ, પછી સાચવવા ન પડે.’ કેમ જે મુકતાનંદ સ્‍વામીને તો જ્ઞાન. તે જ્ઞાને કરીને સર્વે ટાળી નાખે, ને મુકતાનંદ સ્‍વામીને તો શબ્‍દ આકાશનો ભાગ છે એમ કાપતાં આવડે, ને બીજાને તો એવું જ્ઞાન નહિ તે સારુ આ નિયમ કર્યા છે: જે જોવું નહિ, સાંભળવું નહિ, એ પ્રકારે નિયમ બાંઘ્‍યા છે. ૨૦૭ read more
0 Views : 82

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૮

અને બ્રહ્મવેત્તાને મતે તો વેદ માર્ગ જે વિધિનિષેધ તે પણ ગણત્રીમાં નથી, એમ જડભરતે રહુગણને કહ્યું. એની સમજણમાં તો આત્‍મા ને પરમાત્‍મા એ બે જ વાત રાખવી એમ કહ્યું, તે ઉપર છેલ્‍લા પ્રકરણનું છેલ્‍લું વચનામૃત વંચાવ્‍યું ને બોલ્‍યા : જે આ વચનામૃતમાં પણ ‘આત્‍મા ને પરમાત્‍મા એ બે વાતનો વેગ લગાડી દેવો.’ એમ મહારાજનો સિદ્ધાંત છે. ૨૦૮ read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૦૯

અને મારો દેહ પચીશ વર્ષ થયાં આવરદા વિનાનો રહ્યો છે, તે શા સારુ ? જે મુમુક્ષુના રુડાને અર્થે રહ્યો છે, ને મહારાજનું સ્‍વરુપ સમજાવવું પડે તે સારુ અમને રાખ્‍યા છે. ૨૦૯ read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૦

અને હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે, ને મહારાજનો મળેલો હશે ને મુકતાનંદ સ્‍વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ આવતું નહિ હોય, એમ સમજણમાં રહ્યું છે. ૨૧૦ read more
0 Views : 77

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૧

આપણને જ્ઞાન તો આવડે નહિ ને વૈરાગ્‍ય તો છે નહિ, માટે ‘હું ભગવાનનો ને એ મારા’ એમ સમજવું ને હેત  તો પંદર આના સંસારમાં છે ને એક આનો અમારામાં છે, ને કલ્‍યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કરશે, એ એની મોટાઇ છે. ૨૧૧ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧ર

અને જેમ છે એમ કહીએ તો ધેર કોઇ જઇ શકે નહિ, ને ધેર જાય તો ત્‍યાં રહેવાય નહિ, એમ કહીને બોલ્‍યા જે: તાજી તીક્ષ્ણ ધાર, અડતામાં અળગું કરે, ત્‍યાં લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્‍યાં કોઇ વીરનાં.  એમ બોલ્‍યા. ૨૧૨ read more
0 Views : 83
Powered By Indic IME