Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૩

બજારમાં ને પડોશમાં વિષયના ઢોલ વાગે છે તે સાચવવું,નીકર નાક કપાઇ જાશે . ઓલ્યા કેશોદવાળાને સાઠ હજાર દંડભરવો પડ્યો તેની સાઠ બાયડી થાત; તે એક કરી હોત તોધર્મ ન લોપાત. ધર્મ લોપ્યે આમ થાય છે; માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા.અને મોટો અન્નકૂટ કર્યો, ત્યારે ભકિતમાતાએ પ્રત્યક્ષદર્શન આપ્યા. ત્યારે બાઇયો કહે, ‘મહારાજ ! આ ભકિતમાતા આવ્યા છે.’ ત્યારે કહે ‘રાખો, ને જાઓ. કહો જે, રહેશો ?’પછી એમ કહ્યું, એટલે કહે, ‘હું તો પતિવ્રતા છું, તે જો ધર્મરાખો તો હું રહું’ પછી મહારાજ કહેઃ ‘જો ધર્મ રાખશો તો ભકિત રહેશે.’ માટે આપણે પણ સૌ ત્યાગી, ગૃહસ્થ જો ધર્મ રાખશું તો ભકિત રહેશે, એમ સિદ્ધાંત છે. ।।૭૩।। read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૪

એકલિયાની પણ કાળાખરિયું ચાલી આવી છે, તે સારુભલે વ્યવહાર થોડો થાય પણ એકલિયા ઝાઝા કરવા નહિ. નેઆ અમારે તો એક છે તોપણ થરથર બીએ છઈએ જે, કાંઇકફાદ ઊઠશે. અને અર્થી દોષાન્ ન પશ્યતિ એમ છે. બબ્બેત્રણ વર્ષ સુધી ફરવા કાઢે છે, તેમાં પણ તેનાં અંતર ફરી જાયછે; તેની ફીકર રાખવી ને વારંવાર ભેળા કરીને વાતો કરીએત્યારે ઠીક રહે છે, તે પણ જાણ્યું જોઇએ. ગૃહસ્થને બાયડી,છોકરો, રૂપિયા ને ખાવું એ બંધનકારી, ને ત્યાગીને દહે , ઇન્દ્રિયો,ચેલો ને ખાવું એ બંધનકારી. માટે એમાં લેવાવું નહિ. ।।૭૪।। read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭પ

વારંવાર અંતરદષ્ટિ કરવી જે, ‘આ તે હું શું કરવા આવ્યોછું ને શું થાય છે ?’ ને દેહ ઉન્મત્ત છે, ઇન્દ્રિયો ઉન્મત્ત છેતે સારુ પ્રથમ ભકિત કરવી; કેમ જે, મહારાજ ભકિતવાળા ઉપરબહુ રાજી થાતા ને થાળ આપતા. અને ભકિતએ કરીને, વ્રત ઉપવાસે કરીને, તપે કરીને નિર્દય થકા ઇન્દ્રિયો ને દેહને દંડદેવો; ત્યારે ભગવાન ભજવા દે છે ને ભગવાન રાજી થાય છે.પ્રકૃતિપુરુષ સુધી પંચવિષયરૂપી હોળી લાગી છે તે કૂટેછે. મહારાજ કહે,‘પંચવિષયરૂપી પાતાળ ફાટ્યાં છે, તે પાણીએ ભરવા માંડે પણ ભરાય નહિ. ‘વેરી ઘર માંહિ તેરે જાનત સ્નેહીમેરે,’ તે માટે માયિક ધૂળ જેવા પંચવિષય તેનો ત્યાગ કરીદેવો ને આને આ દેહે ખોટા કરી નાખવા ને મળવત્ કરીને સર્વને નાશવંત ને તુચ્છ જાણવા. એવી રીતે દેહ, લોક, ભોગ,દેવતાના લોક એ સર્વનો નિષેધ કરવો, તેણે કરીને વૈરાગ્યને પમાય છે. ને તેને પામીને અંતરદષ્ટિ કરવી, આ લોકમાં શોમાલ છે. .. ને આ વાડી લીધી છેતે શું, પાણા ને કાંટા છે, અમનેતો કાંઇ માલ જણાણો નહિ, પણ આ બજારના કાંટા કરતાંએ સારા છે. અને શહેર સેવવે કરીને પણ બહુ જ બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. ને શહેર કરતાં ગામડું સારું; કેમ જે, ગામડામાંએકવાર હોળી ને શહેરમાં બારેમાસ હોળી ને બારેમાસ દીવાળી,ને ગામડામાં વિવાહ હોય ત્યારે વિવાહ ને શહેરમાં બારેમાસ વિવાહ, પણ એમાં કાંઇ માલ નથી. ।।૭૫।। read more
0 Views : 191

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૬

વળી ભગવાન ભજવામાં સુખ છે, ને જે જે થાય છે તેસંસ્કારે થાય છે. તે શિવલાલને પહોરદોઢ પહોર ધ્યાનમાંબેસાય, ને અભેસંગને બે પહોરનું ધ્યાન. તે ચાય તે કામ આવે,પણ બેસે એવો નિયમ. ત્યારે એ બધું સંસ્કાર ને કોઇક મોટાસાધુની દષ્ટિ. એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું. ।।૭૬।। read more
0 Views : 150

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૭

વળી ગોપાળાનંદસ્વામીની વાતમાં એમ છે જે,‘મુમુક્ષુવિના સાધુ ન ઓળખાય’ તે અમદાવાદના એક સાધુ આગળકહ્યું ને પછી બોલ્યા જે,‘સંસ્કાર વિના કાંઇ થાય નહિ.’ તેજુઓને ! આપણે પણ સંસ્કારે ભેળા થયા છીએ, ને મેં એકકણબી વાડીમાં હતો તેને કહ્યું જે, ‘પટેલ ભગવાન ભજશો ?’ત્યારે કહે, ‘હા’ ત્યારે કહ્યું જે, ‘ચાલોને આંહીં નદીએ અમારામોટા સાધુ કૃપાનંદસ્વામી આવ્યા છે.’ પછી ત્યાં જઇને વર્તમાનધરાવ્યા, તે સાધુ થઇને મણિ જેવા થયા. તેએમ સંસ્કારે વાત થાયછે.એમ કહીને કીતર્ન ‘સતં સમાગમ કીજે એ પદ બોલાવ્યાં. ।।૭૭।। read more
0 Views : 165

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૮

વળી સત્સંગિજીવનનો સાર મહારાજે શ્રી વાસુદેવવિમલામૃત ધામવાસં એ સ્તોત્ર કાઢ્યું છે ને તેનો સાર છેલ્લોશ્લોક છેઃ ધર્મસ્ત્યાજયો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભકિતર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈકયં નિજસ્ય । નિશ્વ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજય સન્તસ્તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ધાર્મિકો નીલકણ્ઠઃ ।। તે પ્રમાણે રહે તો બહુ સારો થાય. ને આશરો દઢ રાખવો,વ્યભિચારિણી ભકિત કરવી નહિ, ને નિષ્કામ ભકત થાવું. ઉત્તમપતિવ્રતાના લક્ષણ તો કેને કહીએ ? જે કોઈ દેવ, દેવી કે ઇશ્વરાદિકનોલગારે ભાર પડે નહિ. એવા ભકત મહારાજ કહે, ‘અમને બહુ ગમેછે.’।।૭૮।। read more
0 Views : 176

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૯

આ દેહે ભગવાનને ભજી લેવા, ને દેહ તો હમણાં પડશે,માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું; તેમથોડાકમાં કામ કાઢી લેવું. ને કોઇ વાતનો મમત કે પક્ષપાતન રાખવો, કાં જે એમાં બહુ ભુંડું થાય છે. ।।૭૯।। read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૦

વળી દેશ કાંઇ કોઇના બાપના નથી; એતો મહાજનો યેનગતઃ સ પંથાઃ જે એણે લેખ કરી આપ્યા છે તેમાં જોઇને તેપ્રમાણે વર્તવું ને તેથી અધિક સારું કરીને અરજીઓ પડે, તોવધુ વધે ને લાજ જાય ને ત્રીજાનું ફાવે. માટે ધર્મવેરો, નામવેરોલાવીને ભજન કરવું, પણ હજારો રૂપિયા ખરાબ ન મેળવવા.તે ‘કવલીને દોહીને કૂતરીને પાવું’ એમાં શું માલ છે ? નેએમ કરતાં જો રહેવાય નહિ તો પંચાતિયા કરવા, તે લેખજોઇને તે પ્રમાણે કરે. ત્યારે કોઇકે પૂછ્યું જે, ‘તે વધુ ઘટું કરેતો ?’ ત્યારે સ્વામી કહે,‘તેને પાપ લાગે. તે જો આની કોરવધુ કરે તોપણ પાપ લાગે, ને ઓલી કોર વધુ કરે તોય પણપાપ લાગે. તે કર્મવિપાક ગ્રંથમાં કહ્યું છે જે, ‘પંચ જો અવળીપંચાત કરે, તેને ક્ષય રોગ થાય; માટે એમ વિચારવું જે, કોઇકગામ આમ રહ્યું કે આમ ગયું તો શું ? ઝાઝા રૂપિયા હશે એકયાં રહે એવા છે ? તે કોઇ કયાંય ને કોઇ કયાંય એ તો જનારાજ, એ તો ચપળ માયા તે રહે જ નહિ. તે ઝાઝા ભેળા કર્યેસુખ રહે નહિ અને આ લોક કજિયારૂપ છે, તે થયા વગરરહે કેમ ? તે કોઇકને ઘરમાં બાપ-દીકરાને, મા-દીકરાને, સ્ત્રીપુરુષનેતેમ આપણે પણ વ્યવહાર છે તે થાય. ને વ્યવહારવાળાનેપણ જાણવું જે, સ્ત્રી સાથે વિવાદ ન કરવો, નીકર ઝેર દેશે;તેમ રાજા સાથે કે બીજા કોઇ સાથે પણ ન કરવો. […] read more
0 Views : 154
Powered By Indic IME