Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

હરિબળગીતા કડવું:- ૧૬

મેલી પ્રતાપ ઘનશ્યામનો ઘણોજી, લિયે આશરો સાધન તણોજી । માને મહિમા તેમાં આપણોજી, બીજા કોઈ ગણો કે ન ગણોજી ।।૧।। ઢાળ- ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને । જોર મૂકી જગદીશનું, સુખ માને કરી સાધને ।।ર।। સાધને કરી સ્વર્ગ લોકમાં, જાતો હતો નહૂષ નરેશ । શચીપતિયે પૂછીયું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ ।।૩।। ત્યારે અમરેશે એમ કહ્યું, પુછે આરતવાન કોઈ આવીને । જથારથ તેને જણાવવું, ભાળી ભકત ભાવિકને ।।૪।। ત્યારે નહૂષ કહે અન્નકણ ગણે, ભૂરજ ઉડુ આકાશ । વનપાત ગાતરોમાવલી, કરે કોઈ તેનો તપાસ ।।પ।। પણ મારા પુન્યનો, ન થાય કોણે નિરધાર । એમ કે’તાં મોટપ આપણી, પડયો પૃથ્વી મોઝાર ।।૬।। મેલી પ્રતાપ મહારાજનો, અને ગાયો પોતાનો ગુણ । આજ પહેલાં પડયાં કંઈ, કહોને તે તર્યો કુણ ।।૭।। માટે ભરોસોં ભગવાનનો, રાખવો અતિશય ઉર । નિષ્કુલાનંદ એહ વારતા, અચળ જાણો જરૂર ।।૮।।કડવું ।।૧૬।। read more
0 Views : 175

હરિબળગીતા પદ:- ૪

રાગ:-  રામગ્રી – મનરે માન્યું નંદલાલશું, જોઈ પાઘ પેચાળી એ ઢાળ છે અચળ ભરોંસો ભગવાનનો, જોઈએ જનને જાણો । એહ વિના બીજી વારતા, પાંપળાં પ્રમાણો; અચળ૦ ।।૧।। હરિપ્રતાપ હૈયાથકી, ન મટાડવો માનો । સમર્થ સમઝવા સ્વામીને, જોવો દોષ પોતાનો; અચળ૦ ।।ર।। સરસ ન થાવું સંતથી, રે’વું દાસનાદાસ । દીન જાણી દયા કરે, હરે તન મન ત્રાસ; અચળ૦ ।।૩।। એહ વારતા અનુપમ છે, નિરવિઘન નિહાળો । નિષ્કુલાનંદ બીજી વારતા, ભરી વિઘને ભાળો; અચળ૦ ।૪। પદ ।।૪।। read more
0 Views : 152

હરિબળગીતા કડવું:- ૧૭

નિરવિઘન છે નાથનું શરણજી, નિજસેવકને સદા સુખકરણજી । જોગ અજોગ થયું હોય આચરણજી, તેહના અઘના ઓઘનું હરણજી।।૧।। ઢાળ- હરે અઘના ઓઘને, છે એવું પરમ પાવન । જેજે જનએને આશર્યા, તે સર્વે થયા ધન્ય ધન્ય ।।ર।। ગોપીને ગોવાળ બાળ,ગાય ગોધા ને વત્સ વળી । અઘાસુર બકાસુર ને બકી, એહ આદ્યે બીજાં મળી ।।૩।। કુબજયા વળી કંસ આદિ, શાલવ ને શિશુપાળ । એવાને અભય આપ્યું, બીજો એવો કોણ દયાળ ।।૪।। પાંડવ ને પાંચાલી વળી, કુંતાસમ નહિ કોય । સૌનું શાસ્ત્રમાંહિ સાંભળ્યું, નેક નિર્દોષ ન હોય ।।પ।। સુણી પુરાણે પરીક્ષા કરી, જાણું યથાર્થ જરૂર । કલંક રહિત કોઈ નહિ, કોણ ભકત અભકત અસુર ।।૬।। પણ જેને સંબંધ શ્રી હરિતણો, તે પામ્યા પદ નિર્વાણ । એહ આદિ અનેક એવા, તેનું કેમ ન કહીયે કલ્યાણ ।।૭।। દાસ અદાસના દોષને, જયારે જુવે જગજીવન । નિષ્કુલાનંદ હરિધામને, પામે નહિ કોઈ જન ।।૮।। કડવું ।।૧૭।। read more
0 Views : 114

હરિબળગીતા કડવું:- ૧૮

અઘાસુર બકાસુર ને બકીજી, એહ તો અસુર ખરા ધરથકીજી । શાલવ ને શિશુપાળ ક્રોધકીજી, એહનું કલ્યાણ નવ જોઈએ નકીજી ।।૧।। ઢાળ- નકી ન જોઈએ કલ્યાણ એનું, જોઈએ નિશ્ચે નરકમાંહિ વાસ । તે પણ સમાવ્યા તેજમાં, એવા છે  વિનાશ ।।ર।। જેમ ભૂંડા ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહિ ભલાઈ । તેમ દયા દયાળમાં, સહી રહી છે સદાઈ ।।૩।। નવ જુવે જનની કરણી, જુવે નિજ મોટપ્ય જગદીશ, આવે અઘવંત આશરે । તેના ગુન્હા કરે બક્ષીસ ।।૪।। ટળે નહિ એહ ટેવ પડી, પાપીનાં પ્રજાળવા પાપ । એહ અર્થે નરતન ધરી, હરી આવે અવનિયે આપ ।।પ।। મહા અઘહર મૂરતિ, જેહ જને જોઈ ઝાંખી કરી । તે જન્મ મરણની જાળમાં, નિશ્ચે નર ના’વે ફરી ।।૬।। એવા પભુને આશરી, રે’વું મને મગન મસ્તાન । કોઈ રીતે અકાજ આપણું, નહિ થાય નિદાન ।।૭।। શરણ લઈ ઘનશ્યામનું, શાને કરવો સંશય શોક । નિષ્કુલાનંદ નિશ્ચે પામશું, ગુણાતીત જે ગોલોક ।।૮।।કડવું ।।૧૮।। read more
0 Views : 130

હરિબળગીતા કડવું:- ૧૯

વળી કહું એક વારતા સરસજી, પતિવ્રતા જેને એક પુરૂષજી । પંચને પત્ની એક નેક-નરસજી, એમ કહે છે પુરાણ અષ્ટાદશજી ।।૧।। ઢાળ- અષ્ટાદશ આગમમાં, નિર્ણય કર્યો છે નેક । પતિને બહુ પતની, પત્નિને પતી એક ।।ર।। એહ મર્યાદા પુરાણમાં, બાંધી બહુ બળવાન । સહુ સહુને ધર્મે રહી, ભજવા શ્રીભગવાન ।।૩।। ધર્મદ્વેષી હરિધામમાં, નવ પો’ચે નિર્વાણ । પંચાલી આદિ એ પંચનું, કેમ માનવું કલ્યાણ ।।૪।। માટે એ વાત મૂકી દીયો, લિયો હરિ શરણનું જોર । ક્રિયા જોતાં કોઈની, નથી આવતો નોર ।।પ।। પ્રજ્ઞાચક્ષુ પતિ સુણી, કરી ગંધારીએ મન ગોત । તરત નેત્ર મિચિયાં, એવી પતિવ્રતા ઉદ્યોત ।।૬।। પણ શ્રીહરિના સંબંધ વિના, અર્થ ન સર્યો એક । સઠપણે સમજયા વિના, ઠાલી ઝાલી એહ ટેક ।।૭।। એવા જીવ કાંઈ જગતમાં, ઘણું ધર્મવાળા કે’વાય । નિષ્કુલાનંદ કે’ કર્ણદાની, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાંય ।।૮।। કડવું ।।૧૯।। read more
0 Views : 139

હરિબળગીતા કડવું:- ર૦

પ્રાચીનર્બિહ નૃપ પ્રસિદ્ધિજી, જેણે યજ્ઞ કર્યા બહુ વિધિજી । અગ્નિકુંડે કરી ભૂમિ ભરી લીધીજી, ન મળી યજ્ઞ જાગ્ય ત્યારે અરજી કીધીજી ।।૧।। ઢાળ- અરજી કીધી અધિપતિ, સુણી આવીયા નારદ સોય । ભલો ભલો તું ભૂપતિ, તુજ જેવો નરેશ ન કોય ।।ર।। ભરી જગને ભૂમિકા, તેમાં હોમ્યાં પશુ હજાર । તે વાટ જુએ છે સ્વર્ગમાંહિ, તને તેમજ કરવા ત્યાર ।।૩।। કે’છે અસમર્થ જાણી અમને, એણે જોરે તે લીધો જીવ । અર્થ સાર્યોે આપણો, એણે કાપી અમારી ગ્રીવ ।।૪।। એહ તું નથી તપાસતો, યજ્ઞસારૂં ગોતે છે જાગ । એહ મોટી મૂરખાઈનો, તું કરને હવે ત્યાગ ।।પ।। એવું સુણી નારદથી, ભૂલ્ય મુકી દીધી ભૂપાળ । યજ્ઞનું ફળ જોઈને, તેમજ કર્યું તત્કાળ ।।૬।। માટે મેલી મદત મહારાજની, જાણે નિજ કર્તવ્યનું જોર । જેમ લાગે લાલ માલ નહિ, જેવાં શિયાળ બગાંમણાં બોર ।।૭।। સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃડ્ડે રાખવું હરિ ૬ઉપરાળ । નિષ્કુલાનંદ એહ વારતા, છે સુખદાયી સદાકાળ ।।૮।। કડવું ।।ર૦।। read more
0 Views : 111

હરિબળગીતા પદ:- પ

રાગ:-  સોરઠા સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં જાણ્ય । દૃઢ ભરોંસો ધર્મનંદનો, અતિ અંતરમાંઈ આણ્ય; સુખ૦ ।।૧।। પ્રથમ પો’ચ પોતાની જોઈને, પછી મનમાં ધરીયે માન । એવું ન થાય આપણે, જેવું ભલું કરે ભગવાન; સુખ૦ ।।ર।। જેમ મેઘ જીવાડે મેદિની, વળી અર્ક ટાળે અંધાર । એવું કામ કોયથીરે, જોને નવ થાય નિરધાર; સુખ૦ ।।૩।। તેમ જે નિપજે જગદીશથી, તે ન નિપજે જીવથી જાણ્ય । નિષ્કુલાનંદ ન કીજીયેરે, ઠાલી તપાસ્યા વિના તાણ્ય; સુખ૦ ।।૪।। પદ ।।પ।। read more
0 Views : 111

હરિબળગીતા કડવું:- ર૧

જુઠી સામર્થી જીવની જાણીયેજી, પૂરણ સામર્થી પ્રભુની પ્રમાણીયેજી । એહ ભરોંસો દૃઢ ઉરમાં આણીયેજી, વણ તપાસે વળી શીદ તાણીયેજી ।।૧।। ઢાળ- તપાસ વિના ન તાણીયે, જોઈએ જીવ વિચારી વાત । મોટાની મોટપ શા વડે, એમ સમઝવું સાક્ષાત ।।ર।। પિતા પાળે જેમ પુત્રને, વળી પ્રીતે કરે પ્રતિપાળ । સુખ કરે ને દુઃખ હરે, શોભાવે સદાય કાળ ।।૩।। ખાવા પીવા બોલવા, વળી રે’વા શીખવે રીત । અરિ મિત્ર પર આપણાં, તેહ નકી કરાવે નિત ।।૪।। એમ હમેશ હેત કરે, ફરે બાળકની વાંસે વળી । પ્રીતે પાળે પુત્ર જાણી, માત તાત દોયે મળી ।।પ।। બાળપણમાં બહુ પેરે, આવે બની અપરાધ । તોયે અવગુણ ન લીયે અર્ભનો, સમઝે સુતને અસાધ ।।૬।। એમ મોટાની મોટપનો, કોઈ પામી શકે નહિ પાર । પુત્ર પિતાને પટંતરે, સમઝુ સમઝો સાર ।।૭।। એમ જીવને જગદીશ છે, જનક જનની સમાન । નિષ્કુલાનંદ એહ નવ તજે, નિશ્ચે જાણો નિદાન ।।૮।। કડવું ।।ર૧।। read more
0 Views : 114
Powered By Indic IME