સોરઠા:- સમરું શ્રીઘનશ્યામ, મંગળ કરવા માહેરું ।। અમૃતપદ એ નામ, અમંગળ અળગું કરે ।। ૧ ।। ધર્ય થકી ધરિયે ધ્યાન, પ્રગટ પુરુષોત્તમતણું ।। નિર્વિઘ્ન હોય નિદાન, વિઘ્ન સર્વે વિરમે વળી ।। ૨ ।। દોહા :- અતિ ઝીણી છે આ કથા, કહે ન સમજે કોય ।। સો સંક્ષેપે સૂચવું, મતિ દિયો એવી મોય ।। ૩ ।। વારમવાર વિનય કરી, કરું કથા ઉચ્ચાર ।। મતિ અતિ પોં’ચે નહિ, તે પોં’ચાડો તમે પાર ।। ૪ ।। સદ્ગુરુ શિષ્ય સંવાદ શું, કરું કથા પ્રકાશ ।। જે સુણતાં શુદ્ધ શિષ્યને, હોય હૃદય તમ નાશ ।। ૫ ।। શિષ્ય ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સદ્ગુરુ સુણો, પૂછું છું લાગી પાય ।। મૂર્તિ જોવા મહારાજની, ઇચ્છુ છું હું ઉરમાંય ।। ૬ ।। દિન બહુનો દાખડો, કરું છું કૃપાનિધાન ।। પણ આજ સુધી અંતરમાં, ભાળ્યા નહિ ભગવાન ।। ૭ ।। જેમ કહો તેમ કરું, હાથ જોડી રહું હજૂર ।। દીનબંધુ દયા કરો, તો હરિ દેખાય ઉર ।। ૮ ।। અંતર મારું અણોસરું, વણ દીઠે વ્રજચંદ ।। જયારે દેખું જગપતિ, ત્યારે સુખ આનંદ ।।૯।। એમ શિષ્ય સદ્ગુરુને કહે, અરજી એહ મહારાજ ।। અંતરમાં ઇચ્છા ઘણી, નાથ નીરખવા કાજ ।।૧૦।। સદ્ગુરુ ઉવાચ :- દોહા :- સદ્ગુરુ કહે શીદ કરે, અમથો શિષ્ય ઉમંગ ।। સાંભળ્ય તારાં સંબંધી, કેને છે સતસંગ […]
read more