Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૧૬

વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહે છે દિન ને રાતજી તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે શરીર ।। અડગ ઊભા એક પગ ભર, ધારી દઢતા મન ધીર ।। ૨ ।। રોઝ ગેંડા પાડા અરણા, શશાં સેમર સુરા ગાય ।। આવે એવાં વળી દુઃખ દેવા, પણ બીવે નહિ મનમાંય ।। ૩ ।। ગૃજય ગીધ ચીલ ચીબરી, કાક કરૂરી સુઘરી કપોત ।। ભ્રમર તમર બોલે ટીડડાં, ઠામ ઠામ દમકે ખદ્યોત ।। ૪ ।। એકએકથી અધિક પાપી, પાડે ભજનમાં ભંગ ।। તોય ધ્રુવજી નથી ધ્રૂજતા, ધરી ધીરજ કરી દઢ અંગ ।। ૫ ।। ખાન પાનની ખબર નથી, નથી કરતાં નિદ્રા નયણે ।। ભજે છે ભગવાનને, વારમવાર વયણે ।। ૬ ।। શ્વાસોશ્વાસે સમરે, સુખદાયી શ્રી ઘનશ્યામ ।। પળ એક પામતા નથી, એહ ભજનથી વિરામ ।। ૭ ।। તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહા પ્રભુમાંય ।। તેહ વિના તન મન બીજે, રાખ્યું નથી કહું કયાંય ।। ૮ ।। જોઈ તપ એ જનનું, બાળપણનું બહુ પેર ।। માનવ દાનવ દેવતાને કહો, કેમ ના’વે મને મે’ર ।।૯।। વિષ્ણુ તેહને વિલોકીને, રીઝ્યા અતિ રમાપતિ ।। નિષ્કુળાનંદ કહે નાથજી, ઇચ્છયા દેવા પૂરણ પ્રાપતિ ।।૧૦।। read more
0 Views : 150

ધીરજાખ્યાન પદ:– ૪

(રાગ:-રામગરી) ‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ. ઇચ્છ્યા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઇચ્છ્યા ।। ૧ ।। ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઇચ્છ્યા ।। ૨ ।। અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવાના આવા; મોટું બંધન છે માયા તણું, તેમાં ન દેશો બંધાવા. ઇચ્છ્યા ।। ૩ ।। એમ ધ્રુવજી જયારે ઓચર્યા, લાગ્યું સારું શ્યામને; નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ઇચ્છ્યા ।। ૪ ।। read more
0 Views : 153

ધીરજાખ્યાન કડવું:– ૧૭

હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભકત ધ્રુવ જેવા થઇયેજી એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમ પદને પામિયે તહિયેજી પરમ પદને પામિયે, વામિયે સર્વે વિકાર ।। કાચા સાચા સુખને, નવ પામે નિરધાર ।। ૨ ।। અજાર ન દેવો અંગે આવવા, દેહ દમવું ગમતું નથી ।। એવા ભકત જકતમાં ઘણા, તેની વાત હું શું કહું કથી ।। ૩ ।। વાંછના વિષય સુખની, રહે અખંડ તે ઉરમાંય ।। ભાળી એવા ભકતને, કહો કેની કરે હરિ સા’ય ।। ૪ ।। માટે ભકત એ ભૂલા પડ્યા, નથી ભૂલા પડ્યા ભગવાન ।। જેહ જેવી ભકત કરે, તેવું ફળ પામે નિદાન ।। ૫ ।। વાવિયે બીજ વળી વિષનું, કરિયે અમૃતફળની આશ ।। એહ વાત નથી નીપજવી, તેહનો તે કરવો તપાસ ।। ૬ ।। કરી લાડવા જો કાષ્ટના, વળી લેવું મોતિયાનું મૂલ ।। તે સમઝું કેમ સમઝશે, કાષ્ટ પિષ્ટ મિષ્ટ સમ તૂલ ।। ૭ ।। ભૂત ભવિષ્ય વર્તમાનમાંયે, વળી વિચારવી એહ વાત ।। ભકત કરી મો’રે ભગતે, તેવી કરવી વિખ્યાત ।। ૮ ।। છાર સારનો ભાર સરખો, તપાસી તે ઉપાડવો ।। સારમાં બહુ સુખ મળે, છાર ઢોયે પરિશ્રમ પાડવો ।।૯।। માટે સાચા થઈ સહુ મંડો, ખોટ્ય ખંખેરી કાઢો ખરી ।। નિષ્કુળાનંદ કહે નાથજી, રીઝશે તો શ્રીહરિ ।।૧૦।। read more
0 Views : 129

ધીરજાખ્યાન કડવું:– ૧૮

જુવો હરિભકત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઇન્દ્રજી ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ ।। એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ ।। ૨ ।। એને દાને કરી ડોલિયું, મારું અચળ ઇન્દ્રાસન ।। માટે રાખો કહું મુજને, હું આવ્યો શરણે ભગવન ।। ૩ ।। ત્યારે વિષ્ણુ એમ બોલિયા, તું બેસ સ્થાનક તાહરે ।। નથી દેવું ઇન્દ્રાસન એને, એને રાખવો છે ધામ માહરે ।। ૪ ।। પછી તેને તાવવા સારુ, તેડાવ્યા વિશ્વામિત્રને ।। હરિશ્ચંદ્રને સત્યથી પાડો, પમાડો દુઃખ નિરંત્રને ।। ૫ ।। ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ ।। ત્યારે વિષ્ણુ કહે મારે વચને, નથી તમને કાંઈ બાધ ।। ૬ ।। જેણે વસિષ્ઠ સુત સો સંહાર્યા, એવા છે દિલના દયાળ ।। તેને એ કામ કઠણ નથી, ઊઠી ચાલિયા તતકાળ ।। ૭ ।। પરને પીડા પમાડવા, જેને અંતરે નથી અરેરાટ ।। સંકટ એ કેમ સહી શકશે, એવો નથી હૈયા માંહી ઘાટ ।। ૮ ।। મનમાં મે’ર મળે નહિ, વાણીએ વિપત્ય પાડે ઘણી ।। કાયાએ રૂડું તે કેમ કરે, ધારો વિચારો તેના ધણી ।।૯।। અવધપુરીએ આવિયા, હરિશ્ચંદ્ર રાયને ઘેર ।। નિષ્કુળાનંદ હરિશ્ચંદ્રે પછી, પૂજા કરી બહુ પેર ।।૧૦।। read more
0 Views : 132

ધીરજાખ્યાન કડવું:– ૧૯

ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી પછી હાથ જોડી કરી વિનંતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ ।। ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ ।। ૨ ।। પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત ।। તો મેં જે માગ્યું તે આપજયે, નહિ તો ન કર્ય મુખથી વાત ।। ૩ ।। રાજય દઈને રાંક થાશો, નહિ મળે અંબર અન્ન આહાર ।। અણતોળ્યું દુઃખ આવશે, નહિ રહે સત્ય કેરો વિચાર ।। ૪ ।। ત્યારે રાય રાણી કુંવરે, કર્યો એમ વિચાર ।। આપો સહુ રાજય એહને, રાખો સત્ય નિરધાર ।। ૫ ।। ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજય સાજ સર્વે સમૃદ્ધિ ।। ત્યારે ઋષિ બોલિયા જોઈએ, તેહ ઉપર દક્ષિણા દીધિ ।। ૬ ।। ત્યારે રાય બોલિયા, દેશું સુવર્ણ ત્રણ ભાર ।। ત્યારે ઋષિ કહે આપ્ય હમણાં, મ કર્ય વેળ લગાર ।। ૭ ।। રાજય સાજ સમૃદ્ધિ મારી, એથી બા’ર હોય કાંય તુજતણું ।। આપ્ય તે ઉતાવળું, એમ ઘાંઘો કીધો ઘણું ।। ૮ ।। ત્યારે રાય કહે આ રાજયમાં તો, અમારું નથી અણુંભાર ।। કુંવર રાણી આ દેહ મારું, એ છે દીધાં થકી બા’ર ।।૯।। ત્યારે રાય ઋષિને કહે, વેચી અમને ધન લઈયે ।। નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે, ચાલો સહુ કાશીએ જઈયે […] read more
0 Views : 109

ધીરજાખ્યાન કડવું:– ર૦

વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસજી ત્યાં સુધી કરજો કાશી માંહી વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી તપાસ કરીશ હું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી ।। ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દઢ ધીરજ મનમાં ધરી ।। ૨ ।। રાજા રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ ।। સો સો સેવા જેની કરતા, નથી તેને સેવક એક સંગ ।। ૩ ।। કાંટા કાંકરા આકરા અતિ, ખાડા ખડિયા ઠેશું ઠબકે ।। ગોખરું ભ્રંઠ ડાભ શૂળિયા, લાગે પગમાં લોહી ટબકે ।। ૪ ।। તપે ભૂમિ તીખી અતિ, તેમાં નથી ચલાતું ચરણે ।। બળે તળાં બે પગનાં, તેણે ઢળી પડે છે ધરણે ।। ૫ ।। ઉપર તીખો પ્રલય સરિખો, ઊગ્યો અર્ક અગ્ન લઈ ।। પાણી ન મળે પ્યાસે મરે, અન્ન વિના દિન ગયા કંઈ ।। ૬ ।। પ્યાસ ભૂખની પીડા થકી, નક્કી દિલે નથી ડોલતાં ।। અડવડે લડથડે પડે તોય, કાયર વાયક નથી બોલતાં ।। ૭ ।। વાટમાં બહુ વિઘન કરવા, સત્ય મુકાવવા સામા મળે ।। ત્રણેની એક ટેક છે, તે ચળાવ્યાં પણ નવ ચળે ।। ૮ ।। સહ્યાં ન જાય શરીરમાંહે, એવાં બીજા કષ્ટ આવે બહુ ।। તોય દુઃખી ન માને દિલમાં, એવાં શ્રદ્ધાવાળાં છે સહુ ।।૯।। દુઃખ તણા દરિયાવ માંહી, ત્રણે પડિયાં છે તળે ।। નિષ્કુળાનંદ કહે ધન્ય ધીરજ, […] read more
0 Views : 129

ધીરજાખ્યાન પદ:– પ

રાગ:-સિંધુ સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા આપે અમાપે તાપે તપે નહિ કે દી, અડગ પગ મગે પરઠે એવા . સત્યવાદી ।। ૧ ।। જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે; અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્યવાદી ।। ૨ ।। અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્યધન્ય જન પાવન સરે; જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિન ભજન મન નવ કરે.  સત્યવાદી ।। ૩ ।। ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક તે નેક કહ્યે નવ તજે; નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ ભજે.  સત્યવાદી ।। ૪ ।। read more
0 Views : 136

ધીરજાખ્યાન કડવું:– ર૧

ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ નડેડાટજી ના’વ્યું નીર નદી કોઈ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં ઉચ્ચાટજી ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ ।। દઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ ।। ૨ ।। ખેર કેર ખજૂરી ખરાં, બાવળ કંટાળા બોરડી ।। અતિ અણિયાળાં આંકડિયાળા, લાગે કાંટા જાયે લડથડી ।। ૩ ।। વાઘ વરુ વાનર વીજુ, શશા સેમર શ્યાળ છે ।। ચીત્રા માતંગ નાર નોળ, એ વનમાં વીંછુ વ્યાળ છે ।। ૪ ।। પરવત પર પાવક બળે, પાડે પશુ પંખી બુમરાણ ।। ઉપર ઉડે શકરા શમળા, કંક કોશી હરવા પ્રાણ ।। ૫ ।। ઘૂડ હોલા ઘણા ઘૂઘવે, બીજા શબ્દ થાયે ભયંકાર ।। સહ્યા ન જાયે શ્રવણે, એવા થાય બહુ ઉચ્ચાર ।। ૬ ।। ભૂંડી કઠણ એ ભૂમિકા, અતિ વિકટ વન સઘન ।। ચાલી ચરણ ચકચૂર થયાં, ત્યારે થયું એ વન ઉલ્લંઘન ।। ૭ ।। ચાલી ન શકે ચરણે, ઢળી વળી પડી જાય ધરણે ।। પામે પીડા બહુ પેરની, તે તો વદને ન જાય વરણે ।। ૮ ।। મૃતકવત મહી ઉપરે, ત્રણે પડી ગયાં તે વાર ।। મોડેથી મૂર્ચ્છા ઉતરી, તૈયે થયાં ચાલવાં તૈયાર ।।૯।। ધીરેધીરે પગ ધરી ચાલતાં, આવી નદી પીધું નીર ।। નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો, પછી ચાલ્યાં ત્રણે સુધીર […] read more
0 Views : 130
Powered By Indic IME