Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

ચોસઠપદી પદ:- ૩૪

જેમ જીત્યા એ શત્રુ સમૂહ, કામ ક્રોધ લોભ લઈ ।। સ્વાદ સ્નેહ  મમતા  મોહ,  તે  તો  દેખાડું કઈ ।। ૧ ।। કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી ।। લોભ ઉપર મહા મુનિરાજ, આવિયા ઝાડે ફરી ।। ૨ ।। સ્વાદે સહું એકઠું કરી અન્ન, જળ નાખી જન જમે ।। સ્નેહે  સંભારે  નહિ  સ્વજન,  માનથી  દૂર  રમે ।। ૩ ।। કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ  બહુ ડર્યા ।। કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરી  એમ વશ્ય કર્યા ।। ૪ ।। read more
0 Views : 126

ચોસઠપદી પદ:- ૩પ

સારો શક્કો  બેસાર્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઈ ।। નિષ્કલંક  કર્યા  નારી  નર,  ઉત્તમ  ઉપદેશ  દઈ ।। ૧ ।। કોય કાળે સુણી નહિ કાન, એવી રીતિ આપે આણી ।। લોકમાંહી અલૌકી નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી ।। ૨ ।। બહુ  સામર્થી  વાવરી  શ્યામ,  કામ  તે  કૈક  કરી ।। પછી  પધારિયા  નિજધામ,  શ્રી  ઘનશ્યામ  હરિ ।। ૩ ।। વાંસે રહ્યા વેરી  વિપરીત, ખરે ખરા ખીજે ભર્યા ।। કહે નિષ્કુળાનંદ તેની રીત, દેખી સાચું દાઝી મર્યા ।। ૪ ।। read more
0 Views : 130

ચોસઠપદી પદ:- ૩૬

વડું વેર વાળવાને કાજ, સાબધા  એ સહુ થયા ।। મોટા મોટાની લેવાને લાજ, તાકે  છે તેહ રહ્યા ।। ૧ ।। ઝીણા  ઝાલવામાં નહિ જશ, માટે મોટાને જોશે ।। કરશે દગો દેખજયો અવશ્ય, વેર વાળી વગોવશે ।। ૨ ।। માટે સહુ રે’જો સાવધાન, ખબડદાર થઈને ખરા ।। જેનું આગે કર્યું અપમાન, તે જાળવે નહિ જરા ।। ૩ ।। એમ છે એ અનાદિની રીત, નવી એ નથી થઈ ।। કહે નિષ્કુળાનંદ ધારો ચિત, સનાતન  સાચી કહી ।। ૪ ।। read more
0 Views : 111

ચોસઠપદી પદ:- ૩૭

કૃષ્ણ પધાર્યા કેડ્યની વાત, ભલી ભાગવતે ભાખી ।। કર્યો અસુરે બહુ ઉતપાત, હરિનારી  ઘેર રાખી ।। ૧ ।। અર્જુનનું ન ઊપજયું કાંય, ગાંડીવ ઘણુંયે હતું ।। તોય ન થઈ તેહની સા’ય, બુઢાપણ આવ્યું નો’તું ।। ૨ ।। માટે પ્રભુ ગયા પછી એમ, થાય તેના સંશય શિયા ।। સમા સમું  રહે કહો કેમ, જેના રખવાળ  ગયા ।। ૩ ।। માટે સમજી સર્વે સુજાણ, વચનમાં વળગી રહેજો ।। કહે નિષ્કુળાનંદ નિરવાણ, કઠણ પળ આવી છે જો ।। ૪ ।। read more
0 Views : 117

ચોસઠપદી પદ:- ૩૮

નારી નજરે ન જુવો કોઈ, વિત્તની  તો વાત ભૂંડી ।। સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય, ઇચ્છા એની ટાળો ઊંડી ।। ૧ ।। માન મોટો છે અરિ  અજીત, સમજીને સંગ તજો ।। ન કરો એ પંચની પ્રતીત, હેતેશું હરિને ભજો ।। ૨ ।। આવો અવસર જાય અમૂલ્ય, પાછો તે પમાતો નથી ।। તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી ।। ૩ ।। માંડી મૂઠી  જૂગટાની જેમ, જીત્યા તો જીત થઈ ।। કહે નિષ્કુળાનંદ તો એમ, હાર્યા તો હાર્ય સઈ ।। ૪ ।। read more
0 Views : 120

ચોસઠપદી પદ:- ૩૯

અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે ।। ગયે  ભવન  મળે  ભવન,  દિન  ગયે  દિન  મળે ।। ૧ ।। રાજ ગયે આવી મળે રાજ, સાજ  સમાજ સહી ।। પણ ગઈ મળે નહિ લાજ, કહેવાની હતી તે કહી ।। ૨ ।। લાજ ખોઈને કરવું કાજ, એ તો અકાજ ખરું ।। મર  મળે ત્રિલોકીનું રાજ, ઘોળ્યું પરહરો  પરું ।। ૩ ।। બેઠી બદલામી  જેને શીશ, ટળે નહિ કોઈ પળે ।। કહે નિષ્કુળાનંદ વસાવીશ,  લખાય છે કાગળે ।। ૪ ।। read more
0 Views : 123

ચોસઠપદી પદ:- ૪૦

જોને ભવ બ્રહ્માજીની ભૂલ્ય, જન સહુ જાણે છે ।। એકલશૃંગી સૌભરીનાં શૂલ,  પોથીમાં  પ્રમાણે છે ।। ૧ ।। નારદ  પર્વતની  નિદાન,  કીર્તિ   કથામાં  કહી ।। માટે સહુ રહેજયો સાવધાન, ખબડદાર ખરા થઈ ।। ૨ ।। જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી ।। માથે મોટા છે વેરી વિષમ, ખોટી નહિ વાત ખરી ।। ૩ ।। રહેવું નહિ ગાફલ ગમાર,  માલ  અતોલ મળે ।। કહે  નિષ્કુળાનંદ  વિચાર,  કરવો  પળે  પળે ।। ૪ ।। read more
0 Views : 121

ચોસઠપદી પદ:- ૪૧

રાગ-ધોળ ‘મેં તો દીઠા જાદવરાય જમુનાં ઝીલતા રે’ જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે ।। જેની જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે ।। ૧ ।। એવા જનનું જાણો જરૂર, નથી મુખ જોયા જેવું રે ।। દોષે ભર્યું જાણી તજો દૂર, અઘે  અવરાણું  એવું રે ।। ૨ ।। તેને પાસે વસતાં વાસ, લાંછન  તો લાગે જ લાગે રે ।। તજો તેને આણી તન ત્રાસ, જેથી  કુબુદ્ધિ જાગે રે ।। ૩ ।। એવા પાપીનું સ્પર્શતા અંગ, પુણ્ય જાય પોતા તણું રે ।। કહે નિષ્કુળાનંદ એ કુસંગ, તે સંગે જયાન ઘણું રે ।। ૪ ।। read more
0 Views : 143
Powered By Indic IME