સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,”પૂર્વે જે આચાર્ય થઇ ગયા છે તેમની પૃથક્ પૃથક્ રૂચિ છે, તેમાં શંકરસ્વામીને ૧અદ્વૈતજ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ”જીવ, માયા અને પુરૂષોત્તમ એ ત્રણે નિત્ય છે, ને પુરૂષોત્તમ છે, તે જીવ માયાના નિયંતા છે, ને સર્વના કારણ છે, ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે, ને સર્વે જે અવતાર તે તેના છે; એવા જે પુરૂષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભકિત ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રૂચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે, તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રૂચિ જણાય છે, અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે. ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સુંસરો છે, […]
read more