દોહા – વરણવી વાત વરતાલની, કોટિ ઘણિમાંથી કચિત । ગાઉં રીતિ ગઢડાતણી, જિયાં ઊદ્ધારિયા અગણિત ।।૧।। ઘણું ઘણું ઘનશ્યામ જિયાં, રહી કર્યાં માંગલિક કાજ । અનંત જીવ ઊદ્ધારિયા, મહા નિજબળે મહારાજ ।।૨।। પાપી સુરાપી પલલભક્ષી, લખી ન જાયે અવળાઈ લેશ । એવા જન ઊદ્ધારિયા, આપી આપે ઊપદેશ ।।૩।। વળી ઊત્સવ સમૈયા અતિ કર્યા, તેમાં આવિયા જેજે જન । તે જનને પણ તારિયા, દઇ પોતે દરશન ।।૪।। ચોપાઈ – કર્યા ઊત્સવ અતિ અપારરે, જગજીવન જગ આધારરે । અષ્ટમી અન્નકોટ ઊત્સવરે, કર્યા ભવજળ તારવા ભવરે ।।૫।। વસંતપંચમી ને ફુલદોલરે, તેદિ રંગ ઊડાડ્યો અતોલરે । રામનૌમી એકાદશી આદિરે, તેદિ લીળા કરી રાયજાદિરે ।।૬।। અષ્ટમી ઊત્સવે આવ્યા દાસરે, રાખ્યા ચોમાસાના ચાર માસરે । નિત્ય ના’વા જાતા સંત સાથરે, જન જોઇને થાતા સનાથરે ।।૭।। ના’તા નૌતમ કરતા લીળારે, ભળી વળી પોતે સંત ભેળારે । ગાતા વાતા આવતા ઊતારેરે, જન જમાડતા તેહ વારેરે ।।૮।। જમી આપે જમાડતા જનરે, ભાત્ય ભાત્યનાં અન્ન વ્યંજનરે । દેતા દહી દુધ તે ૩દોવટેરે, સારા શોભતા સોનેરી પટેરે ।।૯।। બહુવાર પંગત્યમાં ફરતારે, એમ અષ્ટમી ઊત્સવ કરતારે । અન્નકોટ ઊપર આવે દાસરે, તેને ઊઠી મળે અવિનાશરે ।।૧૦।। હાર ઊતારી હૈયેથી દિયેરે, જન નમાવી મસ્તક લિયેરે । પછી પુછે સુખ સમાચારરે, એમ આપે સુખ અપારરે ।।૧૧।। પછી અનેક ભાત્યનાં અન્નરે, કરી રાખ્યાં જે ભરી […]
read more