દોહા – પછી મુકતને આપી આગન્યા, તમે ફરો દેશ પ્રદેશ । જેમ કહ્યું તેમ વર્તજો, રાખજો સાધુનો વેષ ।।૧।। પછી મુનિ પરવર્યા, જેમ હાલ્યાં હુડિયાં વા’ણ । ભારે વા’ણને ભરવા, સહુ સજજ થયા છે સુજાણ ।।૨।। પછી પોતે પ્રભુજીએ, ઊર વિચારિયું એમ । બહુ જીવ જેમ ઊદ્ધરે, મારે કરવું તર્ત તેમ ।।૩।। બંધાવું બહુપેરે કરી, સુંદર સદાવરત । જે જમે અન્ન અમતણું, તે પામે પરમ ગતિ તરત ।।૪।। ચોપાઈ – એમ કૈ’ બંધાવ્યાં અન્નક્ષેત્રરે, જમે જન અન્ન પવિત્રરે । ઝાઝે હેતે જનને જમાડેરે, કરી વાત આનંદ પમાડેરે ।।૫।। સુણી વાત રળીયાત થાયરે, પછી સમજી રહે સત્સંગ માંયરે । એમ સદાવ્રત બાંધ્યાં બહુરે, તેહ ગામ તણાં નામ કહુંરે ।।૬।। લોઝ માંગરોલ અગત્રાઈરે, સદાવ્રત માણાવદ્ર માંઈરે । મેઘપુર ધોરાજી શાંકળીરે, અન્ન આપે ભાડેરમાં વળીરે ।।૭।। જાંમવાળી ને નવેનગરેરે, બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરેરે । ફણેણી ને જાણો જેતપરરે, જમે જન સરધાર સુંદરરે ।।૮। કોટડું ગઢડું કારિયાણીરે, જમી બોલે જેજે જન વાણીરે । માણેકવાડે ને મેથાંણ માંઈરે, જેતલપુર શ્રીનગર ત્યાંઈરે ।।૯।। એહ આદિ ગામે આપે અન્નરે, જેહ જમે તે થાય પાવનરે । તેણે તજે બીજું ભજે શ્યામરે, તન મુકે પામે પર્મ ધામરે ।।૧૦।। એમ અનેક જીવ ઊદ્ધાર્યારે, ભય ટાળી ભવજળ તાર્યારે । તોયે ન માન્યું નાથનું મનરે, કર્યા જન તારવા જગનરે ।।૧૧।। જાણ્યું […]
read more